By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વિરોધ પ્રદર્શનો વચ્ચે ટ્રમ્પની ‘લોસ એન્જલસમાં મરીન’ ધમકીને ગવર્નર દ્વારા ફગાવી દેવામાં આવી
    2 hours ago
    ઇઝરાયલે ગાઝા જતી સહાય જહાજને અટકાવી, ગ્રેટા થનબર્ગ અને અન્ય અગ્રણી કાર્યકરોની અટકાયત કરી
    3 hours ago
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    2 days ago
    અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી
    2 days ago
    ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સુકમા IED વિસ્ફોટમાં ઘાયલ થયેલા ASP આકાશ રાવ ગિરિપુંજે શહિદ
    1 hour ago
    રાજા રઘુવંશીની હત્યામાં પત્ની સોનામે કર્યો ખુલાસો : પતિને હત્યા કરવાના હેતુથી મેઘાલય લઈ ગઈ હતી
    2 hours ago
    મુંબઈ ટ્રેન અકસ્માત: ભીડ વધારે હોવાથી લોકલ ટ્રેનમાંથી પડી જવાથી પાંચ લોકોના મોત
    3 hours ago
    ‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!
    2 days ago
    બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ટીમનું ટેન્શન પણ વધ્યું : પ્રેક્ટિસ સેશન દરમિયાન વાઇસ કેપ્ટન ઋષભ પંત ઈજાગ્રસ્ત
    2 hours ago
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    2 days ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    3 days ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    3 days ago
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    જાણો તમારી ફેવરિટ ટીવી ઈન્ડસ્ટ્રીની અભિનેત્રીઓ કેટલું કમાય છે
    2 hours ago
    ‘મિશન: ઇમ્પોસિબલ – ધ ફાઇનલ રેકનિંગ’માં પેરાશૂટ સળગાવવાનો સ્ટંટ કરીને ટોમ ક્રૂઝે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
    2 hours ago
    ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન
    2 days ago
    જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરી જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે
    2 days ago
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    3 days ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    1 week ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 week ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    3 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અસામાન્ય સવાલો, અકલ્પ્ય જવાબો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Rajesh Bhatt > અસામાન્ય સવાલો, અકલ્પ્ય જવાબો
ASTROLOGERAuthorRajesh Bhatt

અસામાન્ય સવાલો, અકલ્પ્ય જવાબો

Khaskhabar Editor
Last updated: 2022/06/04 at 6:09 PM
Khaskhabar Editor 3 years ago
Share
7 Min Read
SHARE

આપણાં મનમાં વાસ્તુ વગેરેને લગતાં અગણિત પ્રશ્ર્નો ઉદ્દભવે છે, આવાં અનેક સવાલોનાં જવાબ અહીં મળી રહે છે…

પ્રશ્ર્ન 1 : અમારા ઘર પાસે મધમાખીએ પૂડો (મધપૂડો) બનાવ્યો છે તો તે વાસ્તુ મુજબ શુભ છે?
જવાબ : મધમાખીનો પૂડો એટલે કે મધપૂડો ઘરની આસપાસ થાય તો તે શુભ ઊર્જા છે કે અશુભ તે અંગે ઘણી લોકમાન્યતાઓ છે. આ લેખમાળાની શરૂઆતના અંકોમાં પૃથ્વીની નીચેથી આવતી નકારાત્મક ઊર્જા વિશે આપણે વિગતવાર ચર્ચા કરી હતી. જેમાં પશુ-પંખી પર આ નકારાત્મક ઊર્જાની અસર અને શુભ ઊર્જાને પસંદ કરતાં પ્રાણીઓ અને અશુભ ઊર્જાને પસંદ કરતાં પ્રાણીઓ વિશે પણ વાત કરી હતી.

- Advertisement -

જેવી રીતે ગાય, કૂતરો, ઘોડો, ઘેટું વગેરે પ્રાણીઓ જમીનની સારી ઊર્જાને પસંદ કરે છે. જ્યારે સાપ, બિલાડી, કીડી, ઉધઈ અને મધમાખી જમીનની નેગેટિવ ઊર્જાને પસંદ કરે છે. એક વાત ખાસ યાદ રાખશો, આ પ્રાણીઓ શુભ કે અશુભ નથી પરંતુ તેમની પસંદગી સારી કે ખરાબ ઊર્જા તરફના આકર્ષણની છે. આ જ રીતે મધમાખી પણ જમીનની નકારાત્મક ઊર્જામાં વધુ સાનુકુળ રહે છે, ક્યારેક આવી નકારાત્મક ઊર્જા પણ તેનો મધપૂડો બનાવે તો ત્યાં મધનું વધુ ઉત્પાદન પણ કરી શકે છે, માટે ઘરની આસપાસ મધપૂડો બનાવે તો ત્યાં કોઈ જમીનની ઊર્જાની નકારાત્મક લાઈન હોવાની શક્યતા રહેલ છે.

પ્રશ્ર્ન 2 : ઘરની અંદર બીમારી સતત રહેતી હોય છે અને દવા લેવાનું પ્રમાણ પણ વધારે હોય છે, તો વાસ્તુ મુજબ દવાઓ કઈ દિશામાં રાખવી, જેનાથી તેની સારી અસર બીમારી પર થાય?
જવાબ : જો ઘરની અંદર સતત બીમારી રહેતી હોય તો તે થવાના કારણો સમજવા જોઈએ. કેમકે ફકત દવા સાચી દિશામાં રાખવાથી બીમારી દૂર નહીં થાય. ઘરની અંદર ઉદ્ભવેલા ભૂમિદોષ કે વાસ્તુદોષને લઈ બીમારી થઈ શકે છે અને બધા જ રિપોર્ટ નોર્મલ હોવા છતાં બીમારી ઠીક ન થવી કે કોઈ દવા લાગુ ન પડવી તેવા કિસ્સાઓ પણ અમોએ અનુભવ્યા છે. ઘણાં કિસ્સામાં ભાગ્ય આધિન કર્મપીડા કે ગ્રહદોષ પણ જવાબદાર હોઈ શકે છે.

જમીન દોષને કારણે રહેતી બીમારીના કિસ્સામાં સૂવાની જગ્યા બદલવાથી પણ સારા પરિણામો જોવા મળ્યા છે. અને તે જ દવાની અસર અનેકગણી વધી ગઈ હોય તેવું પણ અનુભવ્યું છે એટલે જો દવા અસર જ ન કરતી હોય તેવું લાગતું હોય તે લોકોએ પોતાની સૂવાની જગ્યા કે બેડની પોઝિશન બદલીને પણ અનુભવ કરી શકાય. ઘણાં લોકો પોતાની બીમારી સાથે જ્યારે ઘરની બહાર રહે છે ત્યારે પણ ઘણું સારૂં લાગતું હોય છે, જે સૂચવે છે કે જગ્યાના પ્રભાવને લઈને બીમારી વધારે તકલીફ આપે છે, એની-વે, વાસ્તુ પ્રમાણે દવા ઘરના ઈશાન ખૂણામાં રાખવી જોઈએ.
જો ઘરના ઈશાન ખૂણામાં પર્યાપ્ત જગ્યા ન હોય તો ઉત્તર દિશામાં દવાઓ રાખી શકાય. આ દિશામાં રાખેલી દવાઓ બીમારીઓમાં રાહત આપવામાં સહાયરૂપ બનશે.

- Advertisement -

ઘણી વખત ડાયાબિટીસ કે બ્લડપ્રેશર જેવી બીમારીઓમાં જીવનભર દવાઓ લેવાની હોય છે તો દવાની સારી અસર થાય અને બીમારી નિયંત્રણમાં રહે તે માટે તેને ઈશાન ખૂણામાં રાખવી.

પ્રશ્ર્ન 3 : અમારી ફેકટરીમાં કામદારોની સમસ્યાઓ કાયમ રહે છે. બધી જ સુવિધા આપવા છતાં તેમની સાથે ઘર્ષણ સતત થયા કરે છે.
જવાબ : આપની આ સમસ્યા થવી ખૂબ જ સ્વાભાવિક બાબત છે. કેમકે આપની ફેકટરીમાં કામદારો માટે રહેવાના બધા રૂમ એટલે કે લેબર રૂમ આપે નૈઋત્ય ખૂણામાં બનાવેલા છે, જે માલિકો માટેની જગ્યા છે જેથી કામદારો પણ માલિક જેવી ઊર્જા મેળવે છે અને નાની-નાની વાતમાં પણ પોતાનું વર્ચસ્વ સ્થાપવાના પ્રયત્ન કરે છે. આપે હાલના લેબર કવાર્ટર નૈઋત્ય ખૂણામાંથી હટાવી અગ્નિ ખૂણામાં કે વાયવ્ય ખૂણામાં ગોઠવશો એટલે થોડા સમયમાં આપની સમસ્યાનું સમાધાન આવી જશે.

આ પ્રકારની સમસ્યાઓ અમે રિેટેઈલ દુકાનમાં અને ઓફિસોમાં પણ ઘણી વખત જોઈ છે. જ્યારે માલિક પોતે નૈઋત્ય ખૂણામાં બેસતાં ન હોય અને સેલ્સમેન કે અન્ય સ્ટાફની બેઠક નૈઋત્ય ખૂણામાં હોય ત્યારે તેઓ માલિક જેવું વર્તન કરતાં હોય છે અને માલિકની વાત ન માનવી અને પોતાની મનમરજી મુજબ કામ કરતા હોય છે. આવા સંજોગોમાં માલિકોએ હંમેશા નૈઋત્ય ખૂણામાં જ મહત્તમ સમય પસાર કરવો જોઈએ.

પ્રશ્ર્ન 4: હું એક નાનું વ્યવસાયિક સાહસ કરી રહ્યો છું પરંતુ સગવડતાના અભાવે ઘરના પાર્કીંગ એરિયામાંથી ઓફિસ ઓપરેટ કરવાની છે, તો આટલી નાની જગ્યામાં વાસ્તુના નિયમો અનુસરી શકાય?
જવાબ : ચોક્કસ નાની જગ્યામાં પણ વાસ્તુના નિયમોને અનુસરી શકાય. આપનું કામ ક્રિએટિવિટી સાથે સંકળાયેલું છે અને આપ પ્રોફેશ્નલ કામ કરો છો, એટલે જગ્યાના નૈઋત્ય ખૂણામાં બેસી કામ કરતી વખતે આપ પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મુખ રાખીને કામ કરી શકો.

આપના કામને અનુરૂપ નિષ્ણાંતની સલાહ લઈને દીવાલના રંગ કરશો, જગ્યા નાની હોવાથી વસ્તુ અસ્ત-વ્યસ્ત ન રાખતાં બધું જ વ્યવસ્થિત ગોઠવીને નકામી બિનજરૂરી વસ્તુઓ નિયમિત નિકાલ કરતાં રહેશો. તમારા કામને અનુરૂપ ઈન્ડોર પ્લાન્ટને ઓફિસમાં ચોક્કસ રાખશો. આ બધા ફેરફારો ચોક્કસપણે ઊર્જાને સંતુલિત કરી આપ માટે સાનુકૂળરૂપ વાતાવરણ બનાવવામાં મદદ થશે.

પ્રશ્ર્ન 5 : મેં એક ઘર રિ-સેલમાં ખરીદ કરેલ છે, પરંતુ તેમાં થોડા વાસ્તુ દોષ છે તેવું મને સમજમાં આવે છે. હું હજુ તે ઘરમાં રહેવા ગયો નથી તો ઉપાય બતાવશો.
જવાબ : સારી બાબત એ છે કે આપ તે ઘરમાં રહેવા ગયા નથી એટલે સિવિલ લેવલના ફેરફારો આપ કરી શકો છો. આપના ડ્રોઈંગનો અભ્યાસ કરતાં ખ્યાલ આવે છે કે ઈશાન ખૂણા અને નૈઋત્ય ખૂણામાં રહેલા ટોયલેટ વાસ્તુ મુજબ યોગ્ય નથી. કદાચ બધા જ વાસ્તુ મુજબના સિવિલ ફેરફારો આપના દ્વારા શક્ય ન હોય તો ઈશાન, ઉત્તર અને નૈઋત્ય ખૂણામાં કોઈ પણ પ્રકારનો વાસ્તુ દોષ ન રહે તેનો ખ્યાલ રાખશો અને તેને ઠીક કરવા માટેના ફેરફાર અવશ્ય કરશો તથા જમીનમાંથી આવતી નકારાત્મક ઊર્જાઓને જમીનની અંદર ગ્રાઉન્ડ કરી અને ઘરની શુભ ઊર્જામાં વધારો થાય તેવા ઉપાય કરવા તેના માટે આપે કોઈ વાસ્તુ નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

રોજ-બરોજનાં જીવનમાં વાસ્તુ સંબંધી મૂંઝવતા પ્રશ્ર્નો વિશે આપ 77191 11555 પર વ્હોટ્સએપ કરી પ્રશ્ર્ન પૂછી શકો છો. અમે દર શનિવારે શક્ય તેટલાં પ્રશ્ર્નોનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું.

You Might Also Like

આજે એક નવો તર્પણ શર્મા અવતર્યો હતો…

ભાષાને શું વળગે ભૂર, વિજ્ઞાન જે લખે તે શૂર..

ત્રણ જુદા જુદા પ્રકારના વિદ્યાર્થીઓ

ભારતની એક સટીક સૈન્ય કાર્યવાહી: ‘ઑપરેશન સિંદૂર’થી ભારતને શું મળ્યું? પરિણામના લેખાં-જોખાં

વાત એક તરંગી બુદ્ધિશાળીની..

TAGGED: astro
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અગ્રલેખ એટલે અખબાર કે સામયિકનો અવાજ: તંત્રીલેખ અને તંત્રી
Next Article બેન્ગ્લોર, કમર્શિયલ સ્ટ્રીટ અને M.G. રોડ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

સુકમા IED વિસ્ફોટમાં ઘાયલ થયેલા ASP આકાશ રાવ ગિરિપુંજે શહિદ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
જાણો તમારી ફેવરિટ ટીવી ઈન્ડસ્ટ્રીની અભિનેત્રીઓ કેટલું કમાય છે
ભારતીય ટીમનું ટેન્શન પણ વધ્યું : પ્રેક્ટિસ સેશન દરમિયાન વાઇસ કેપ્ટન ઋષભ પંત ઈજાગ્રસ્ત
‘મિશન: ઇમ્પોસિબલ – ધ ફાઇનલ રેકનિંગ’માં પેરાશૂટ સળગાવવાનો સ્ટંટ કરીને ટોમ ક્રૂઝે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
રાજા રઘુવંશીની હત્યામાં પત્ની સોનામે કર્યો ખુલાસો : પતિને હત્યા કરવાના હેતુથી મેઘાલય લઈ ગઈ હતી
વિરોધ પ્રદર્શનો વચ્ચે ટ્રમ્પની ‘લોસ એન્જલસમાં મરીન’ ધમકીને ગવર્નર દ્વારા ફગાવી દેવામાં આવી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Kinnar Acharya

આજે એક નવો તર્પણ શર્મા અવતર્યો હતો…

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

ભાષાને શું વળગે ભૂર, વિજ્ઞાન જે લખે તે શૂર..

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

ત્રણ જુદા જુદા પ્રકારના વિદ્યાર્થીઓ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?