By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    છોડેગા નહીં…. ઝૂકેગા નહીં…..
    1 hour ago
    પ્રધાનમંત્રી મોદી SCO સમિટ માટે ચીન જશે, 2019 પછી પહેલી વાર ચીન જશે
    4 hours ago
    હવે એક પણ અફઘાનિસ્તાની પાકિસ્તાનમાં નહીં રહી શકે
    4 hours ago
    ઘાનામાં હેલિકોપ્ટર દુર્ઘટના :8 લોકોના મોત; સંરક્ષણ, પર્યાવરણ મંત્રીઓ પણ મૃત્યુ પામ્યા
    5 hours ago
    યુએસ લશ્કરી બેઝ પર ગોળીબાર: 2નાં મોત, 6 ઘાયલ, ફાઈરિંગ કરનારની ધરપકડ
    6 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સારા – સુરક્ષિત માર્ગ વિના ટૉલટેકસ ન વસુલી શકાય : એક મહિનો કલેકશન બંધ કરવાનો આદેશ
    1 hour ago
    3 જવાન શહીદ: 15 ઈજાગ્રસ્ત
    1 hour ago
    છોડેગા નહીં…. ઝૂકેગા નહીં…..
    1 hour ago
    ક્રિકેટર યશ દયાલની ધરપકડ થશે : રાજસ્થાન હાઈકોર્ટે જામીન પર રોક ફગાવી
    1 hour ago
    SCનો સરકારને ઝટકો: વીજકંપનીઓને ચાર વર્ષમાં નાણાં ચૂકવવાનો આદેશ
    1 hour ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ક્રિકેટરોનું વર્કલોડ મેનેજમેન્ટ હવે બોર્ડ નક્કી કરશે
    1 day ago
    44મી ગુજરાત સ્ટેટ ટ્રેપ શૂટિંગ ચેમ્પિયનશિપ કોમ્પિટિશન, 2025માં રાજકોટનું ગૌરવ વધારતા શોટગન શૂટર
    2 days ago
    ટીમ ઇન્ડિયા આગામી ક્રિકેટ મેચ ક્યારે રમશે? જુઓ આગામી ટુર્નામેન્ટ અને શ્રેણીની સંપૂર્ણ યાદી
    2 days ago
    ઈંગ્લેન્ડ સામે શાનદાર જીત બાદ WTCમાં ભારતનું સ્થાન 3 નંબર પર
    2 days ago
    India vs England: મોહમ્મદ સિરાજ હીરો, ભારતે ઇંગ્લેન્ડ સામે પ્રખ્યાત જીત મેળવી
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાજોલે હિન્દી બોલવાની સ્પષ્ટ ના પાડતા, સોશિયલ મીડિયામાં થઈ ટ્રોલ
    1 day ago
    ફિલ્મી કરિયર ઝીરો પણ સંપત્તિની વાત કરવામાં આવે તો 500 કરોડનો માલિક છે અરબાઝ ખાન
    3 days ago
    મોટા પપ્પા મારા મૃતક પિતાની મિલકત પચાવી પાડવા પ્રયાસ..,રાજકોટની ક્રિષ્ટીનાએ સોશિયલ મીડિયા પર જણાવી પોતાની વ્યથા
    3 days ago
    એવોર્ડ મળતા SRKએ ખુશી વ્યક્ત કરતાં શેર કરી પોસ્ટ, અનમોલ સિદ્ધિ ગણાવી
    5 days ago
    ‘વશ લેવલ 2’નું ટ્રેલર ગુજરાતી અને હિન્દી બંને ભાષામાં રિલીઝ કરવામાં આવ્યું
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    રક્ષાબંધન પર રાખડી બાંધવાનું શુભ મુહુર્ત સવારથી શરૂ
    3 hours ago
    ભારત સિવાયમાં બીજા આ દેશોમાં પણ ઉજવાય રક્ષાબંધન
    2 days ago
    રાખડી આકર્ષિત તો દેખાય છે પણ શું રંગથી પણ કાઈ ફરક પડે છે ? ચાલો જાણીએ
    2 days ago
    આજે પંચનાથ મહાદેવને ફૂલોનો શણગાર: ભક્તોની ભીડ ઉમટી
    3 days ago
    અથ શ્રી ઉપવાસ મહાત્મ્ય..
    5 days ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    લોધિકાના હરિપર તરવડા ગામે ખાણ ખનીજ વિભાગના દરોડા, લાખો ટન ખનીજચોરીની આશંકા
    1 hour ago
    માત્રને માત્ર મહિલા કર્મચારીને હેરાનગતિ કરતા અને ફરજ પ્રત્યે બેદરકાર રહેવાના કારણોસર દિનેશ સદાદિયાને તગેડી મૂકાયો
    2 days ago
    સસ્પેન્શ બાદ પોલીસ કાર્યવાહીથી બચવા દિનેશ શંભુ સાદાદિયાના હવાતિયાં
    3 days ago
    રાજકોટ RTOનું નવુ બિલ્ડિંગ તૈયાર પરંતુ R&B પાપે ખંઢેર બન્યું !
    1 week ago
    રાજકોટની શાળા નં.19માં શોષણકાંડની ભોગ બનેલી પીડિતા સગીરા હોવાનો ધડાકો
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અસામાન્ય સવાલો, અકલ્પ્ય જવાબો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Rajesh Bhatt > અસામાન્ય સવાલો, અકલ્પ્ય જવાબો
ASTROLOGERAuthorRajesh Bhatt

અસામાન્ય સવાલો, અકલ્પ્ય જવાબો

Khaskhabar Editor
Last updated: 2022/06/04 at 6:09 PM
Khaskhabar Editor 3 years ago
Share
7 Min Read
SHARE

આપણાં મનમાં વાસ્તુ વગેરેને લગતાં અગણિત પ્રશ્ર્નો ઉદ્દભવે છે, આવાં અનેક સવાલોનાં જવાબ અહીં મળી રહે છે…

પ્રશ્ર્ન 1 : અમારા ઘર પાસે મધમાખીએ પૂડો (મધપૂડો) બનાવ્યો છે તો તે વાસ્તુ મુજબ શુભ છે?
જવાબ : મધમાખીનો પૂડો એટલે કે મધપૂડો ઘરની આસપાસ થાય તો તે શુભ ઊર્જા છે કે અશુભ તે અંગે ઘણી લોકમાન્યતાઓ છે. આ લેખમાળાની શરૂઆતના અંકોમાં પૃથ્વીની નીચેથી આવતી નકારાત્મક ઊર્જા વિશે આપણે વિગતવાર ચર્ચા કરી હતી. જેમાં પશુ-પંખી પર આ નકારાત્મક ઊર્જાની અસર અને શુભ ઊર્જાને પસંદ કરતાં પ્રાણીઓ અને અશુભ ઊર્જાને પસંદ કરતાં પ્રાણીઓ વિશે પણ વાત કરી હતી.

- Advertisement -

જેવી રીતે ગાય, કૂતરો, ઘોડો, ઘેટું વગેરે પ્રાણીઓ જમીનની સારી ઊર્જાને પસંદ કરે છે. જ્યારે સાપ, બિલાડી, કીડી, ઉધઈ અને મધમાખી જમીનની નેગેટિવ ઊર્જાને પસંદ કરે છે. એક વાત ખાસ યાદ રાખશો, આ પ્રાણીઓ શુભ કે અશુભ નથી પરંતુ તેમની પસંદગી સારી કે ખરાબ ઊર્જા તરફના આકર્ષણની છે. આ જ રીતે મધમાખી પણ જમીનની નકારાત્મક ઊર્જામાં વધુ સાનુકુળ રહે છે, ક્યારેક આવી નકારાત્મક ઊર્જા પણ તેનો મધપૂડો બનાવે તો ત્યાં મધનું વધુ ઉત્પાદન પણ કરી શકે છે, માટે ઘરની આસપાસ મધપૂડો બનાવે તો ત્યાં કોઈ જમીનની ઊર્જાની નકારાત્મક લાઈન હોવાની શક્યતા રહેલ છે.

પ્રશ્ર્ન 2 : ઘરની અંદર બીમારી સતત રહેતી હોય છે અને દવા લેવાનું પ્રમાણ પણ વધારે હોય છે, તો વાસ્તુ મુજબ દવાઓ કઈ દિશામાં રાખવી, જેનાથી તેની સારી અસર બીમારી પર થાય?
જવાબ : જો ઘરની અંદર સતત બીમારી રહેતી હોય તો તે થવાના કારણો સમજવા જોઈએ. કેમકે ફકત દવા સાચી દિશામાં રાખવાથી બીમારી દૂર નહીં થાય. ઘરની અંદર ઉદ્ભવેલા ભૂમિદોષ કે વાસ્તુદોષને લઈ બીમારી થઈ શકે છે અને બધા જ રિપોર્ટ નોર્મલ હોવા છતાં બીમારી ઠીક ન થવી કે કોઈ દવા લાગુ ન પડવી તેવા કિસ્સાઓ પણ અમોએ અનુભવ્યા છે. ઘણાં કિસ્સામાં ભાગ્ય આધિન કર્મપીડા કે ગ્રહદોષ પણ જવાબદાર હોઈ શકે છે.

જમીન દોષને કારણે રહેતી બીમારીના કિસ્સામાં સૂવાની જગ્યા બદલવાથી પણ સારા પરિણામો જોવા મળ્યા છે. અને તે જ દવાની અસર અનેકગણી વધી ગઈ હોય તેવું પણ અનુભવ્યું છે એટલે જો દવા અસર જ ન કરતી હોય તેવું લાગતું હોય તે લોકોએ પોતાની સૂવાની જગ્યા કે બેડની પોઝિશન બદલીને પણ અનુભવ કરી શકાય. ઘણાં લોકો પોતાની બીમારી સાથે જ્યારે ઘરની બહાર રહે છે ત્યારે પણ ઘણું સારૂં લાગતું હોય છે, જે સૂચવે છે કે જગ્યાના પ્રભાવને લઈને બીમારી વધારે તકલીફ આપે છે, એની-વે, વાસ્તુ પ્રમાણે દવા ઘરના ઈશાન ખૂણામાં રાખવી જોઈએ.
જો ઘરના ઈશાન ખૂણામાં પર્યાપ્ત જગ્યા ન હોય તો ઉત્તર દિશામાં દવાઓ રાખી શકાય. આ દિશામાં રાખેલી દવાઓ બીમારીઓમાં રાહત આપવામાં સહાયરૂપ બનશે.

- Advertisement -

ઘણી વખત ડાયાબિટીસ કે બ્લડપ્રેશર જેવી બીમારીઓમાં જીવનભર દવાઓ લેવાની હોય છે તો દવાની સારી અસર થાય અને બીમારી નિયંત્રણમાં રહે તે માટે તેને ઈશાન ખૂણામાં રાખવી.

પ્રશ્ર્ન 3 : અમારી ફેકટરીમાં કામદારોની સમસ્યાઓ કાયમ રહે છે. બધી જ સુવિધા આપવા છતાં તેમની સાથે ઘર્ષણ સતત થયા કરે છે.
જવાબ : આપની આ સમસ્યા થવી ખૂબ જ સ્વાભાવિક બાબત છે. કેમકે આપની ફેકટરીમાં કામદારો માટે રહેવાના બધા રૂમ એટલે કે લેબર રૂમ આપે નૈઋત્ય ખૂણામાં બનાવેલા છે, જે માલિકો માટેની જગ્યા છે જેથી કામદારો પણ માલિક જેવી ઊર્જા મેળવે છે અને નાની-નાની વાતમાં પણ પોતાનું વર્ચસ્વ સ્થાપવાના પ્રયત્ન કરે છે. આપે હાલના લેબર કવાર્ટર નૈઋત્ય ખૂણામાંથી હટાવી અગ્નિ ખૂણામાં કે વાયવ્ય ખૂણામાં ગોઠવશો એટલે થોડા સમયમાં આપની સમસ્યાનું સમાધાન આવી જશે.

આ પ્રકારની સમસ્યાઓ અમે રિેટેઈલ દુકાનમાં અને ઓફિસોમાં પણ ઘણી વખત જોઈ છે. જ્યારે માલિક પોતે નૈઋત્ય ખૂણામાં બેસતાં ન હોય અને સેલ્સમેન કે અન્ય સ્ટાફની બેઠક નૈઋત્ય ખૂણામાં હોય ત્યારે તેઓ માલિક જેવું વર્તન કરતાં હોય છે અને માલિકની વાત ન માનવી અને પોતાની મનમરજી મુજબ કામ કરતા હોય છે. આવા સંજોગોમાં માલિકોએ હંમેશા નૈઋત્ય ખૂણામાં જ મહત્તમ સમય પસાર કરવો જોઈએ.

પ્રશ્ર્ન 4: હું એક નાનું વ્યવસાયિક સાહસ કરી રહ્યો છું પરંતુ સગવડતાના અભાવે ઘરના પાર્કીંગ એરિયામાંથી ઓફિસ ઓપરેટ કરવાની છે, તો આટલી નાની જગ્યામાં વાસ્તુના નિયમો અનુસરી શકાય?
જવાબ : ચોક્કસ નાની જગ્યામાં પણ વાસ્તુના નિયમોને અનુસરી શકાય. આપનું કામ ક્રિએટિવિટી સાથે સંકળાયેલું છે અને આપ પ્રોફેશ્નલ કામ કરો છો, એટલે જગ્યાના નૈઋત્ય ખૂણામાં બેસી કામ કરતી વખતે આપ પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મુખ રાખીને કામ કરી શકો.

આપના કામને અનુરૂપ નિષ્ણાંતની સલાહ લઈને દીવાલના રંગ કરશો, જગ્યા નાની હોવાથી વસ્તુ અસ્ત-વ્યસ્ત ન રાખતાં બધું જ વ્યવસ્થિત ગોઠવીને નકામી બિનજરૂરી વસ્તુઓ નિયમિત નિકાલ કરતાં રહેશો. તમારા કામને અનુરૂપ ઈન્ડોર પ્લાન્ટને ઓફિસમાં ચોક્કસ રાખશો. આ બધા ફેરફારો ચોક્કસપણે ઊર્જાને સંતુલિત કરી આપ માટે સાનુકૂળરૂપ વાતાવરણ બનાવવામાં મદદ થશે.

પ્રશ્ર્ન 5 : મેં એક ઘર રિ-સેલમાં ખરીદ કરેલ છે, પરંતુ તેમાં થોડા વાસ્તુ દોષ છે તેવું મને સમજમાં આવે છે. હું હજુ તે ઘરમાં રહેવા ગયો નથી તો ઉપાય બતાવશો.
જવાબ : સારી બાબત એ છે કે આપ તે ઘરમાં રહેવા ગયા નથી એટલે સિવિલ લેવલના ફેરફારો આપ કરી શકો છો. આપના ડ્રોઈંગનો અભ્યાસ કરતાં ખ્યાલ આવે છે કે ઈશાન ખૂણા અને નૈઋત્ય ખૂણામાં રહેલા ટોયલેટ વાસ્તુ મુજબ યોગ્ય નથી. કદાચ બધા જ વાસ્તુ મુજબના સિવિલ ફેરફારો આપના દ્વારા શક્ય ન હોય તો ઈશાન, ઉત્તર અને નૈઋત્ય ખૂણામાં કોઈ પણ પ્રકારનો વાસ્તુ દોષ ન રહે તેનો ખ્યાલ રાખશો અને તેને ઠીક કરવા માટેના ફેરફાર અવશ્ય કરશો તથા જમીનમાંથી આવતી નકારાત્મક ઊર્જાઓને જમીનની અંદર ગ્રાઉન્ડ કરી અને ઘરની શુભ ઊર્જામાં વધારો થાય તેવા ઉપાય કરવા તેના માટે આપે કોઈ વાસ્તુ નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

રોજ-બરોજનાં જીવનમાં વાસ્તુ સંબંધી મૂંઝવતા પ્રશ્ર્નો વિશે આપ 77191 11555 પર વ્હોટ્સએપ કરી પ્રશ્ર્ન પૂછી શકો છો. અમે દર શનિવારે શક્ય તેટલાં પ્રશ્ર્નોનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું.

You Might Also Like

રાશિફળ: જાણો આજનો તમારો દિવસ કેવો રહેશે

જ્યાં આવેલા ભૂકંપથી અનેક દેશો પર તોળાયું સુનામીનું સંકટ

આ તો સ્વાભાવિક છે

હાસ્ય: જીવનનું ફૂલ

બોલ ગોરી બોલ તેરા કૌન પિયા

TAGGED: astro
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અગ્રલેખ એટલે અખબાર કે સામયિકનો અવાજ: તંત્રીલેખ અને તંત્રી
Next Article બેન્ગ્લોર, કમર્શિયલ સ્ટ્રીટ અને M.G. રોડ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

હેમુ ગઢવી હોલમાં 9 ઓગસ્ટે ગોપી-કિશન સ્પર્ધા યોજાશે

Khaskhabar Editor Khaskhabar Editor 15 minutes ago
પંચનાથ હોસ્પિટલમાં બે MD ફિઝિશિયનની નિમણૂક, દર્દીઓને મળશે વધુ સારી સારવાર
સ્વ. વિજયભાઈ રૂપાણીનો જન્મદિવસ ‘વિજય વ્હાલ સંગમ’ કાર્યક્રમ મનોદિવ્યાંગ બાળકો સાથે ઉજવાયો
આ વખતે લોકમેળામાં ભરપૂર મનોરંજન: ડાન્સ, મ્યુઝિક, ડ્રામા સહિત 34 આઈટમો
1974ના નવનિર્માણ આંદોલનમાં રાજકોટના અનેક યુવા નેતાઓએ સક્રિય ભૂમિકા ભજવી: ગોવિંદભાઈ પટેલ
દારૂની બોટલના પૈસાની ઉઘરાણી મુદ્દે યુવકનું અપહરણ કરી 8000 લૂંટી લીધા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ASTROLOGER

રાશિફળ: જાણો આજનો તમારો દિવસ કેવો રહેશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

જ્યાં આવેલા ભૂકંપથી અનેક દેશો પર તોળાયું સુનામીનું સંકટ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

આ તો સ્વાભાવિક છે

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?