-બપોરે બે વાગ્યા સુધીમાં જો બંગલો ખાલી ન કરાવાય તો મોટા ઓપરેશનની તૈયારી
પાકના પુર્વ વડાપ્રધાન ઈમરાનખાન સામેની કાર્યવાહી હવે અત્યંત ગંભીર અને નિર્ણાયક તબકકામાં પહોંચી છે. લાહોરમાં ઈમરાનખાનના બંગલામાં 40 આતંકવાદીઓને આશરો અપાયો છે.
- Advertisement -
તેઓને તાત્કાલીક પેરામીલીટ્રીને સુપ્રત કરી દેવા પાક. પંજાબ મુખ્યમંત્રીએ ઈમરાનખાનને બપોરે 2 વાગ્યા સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે અને જો ઈમરાનખાન તે મુજબ આગળ વધશે નહી તો તેના નિવાસમાં અર્ધલશ્કરી દળો ઘુસીને આ આતંકવાદીઓને ઝડપવા ઓપરેશન કરશે. ઈમરાનના નિવાસ ભણી જતા તમામ માર્ગો સીલ કરી દેવામાં આવ્યા છે અને બાદમાં જબરુ ઓપરેશન છેડવા તૈયારી છે.
પંજાબના માહિતી અને પ્રસારણ મંત્રી આમીર મીરે દાવો કર્યો છે કે તા.9 મે ની હિંસામાં સામેલ આતંકીઓને ઈમરાનખાને આશરો આપ્યો છે અને તેઓને સોંપે તે જરૂરી છે.