આજથી ભારત-યુકે વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ લાગુ
ભારતમાં UKની કાર, વ્હિસ્કી, કપડાં અને ફૂટવેર આજથી સસ્તા મળશે. કારણ કે, ભારત-UK વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ લાગુ થઈ ગયો છે. એટલે કે આ દિવસથી ભારતના 99% સામાનને UKમાં ઝીરો ટેરિફ પર નિકાસ કરવામાં આવશે. જ્યારે UKના 99% સામાન 3% એવરેજ ટેરિફ પર આયાત થશે.
- Advertisement -
આનાથી 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણો થઈને 120 બિલિયન ડોલર સુધી પહોંચવાની સંભાવના છે. લગભગ 3 વર્ષમાં 14 રાઉન્ડની વાતચીત પછી 24 જુલાઈ 2025ના રોજ વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને બ્રિટિશ વેપાર મંત્રી જોનાથન રેનોલ્ડ્સે પીએમ નરેન્દ્ર મોદી અને તેમના UK સમકક્ષ કીર સ્ટાર્મરની હાજરીમાં આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
આ વેપાર કરાર લાગુ થતા પહેલા બંને દેશોના બિઝનેસ અને કંપનીઓ પાસે તૈયારી કરવા માટે હવે માત્ર એક મહિનાથી પણ ઓછો સમય બચ્યો છે. ભારતમાં UKના હાઈ કમિશનર લિન્ડી કેમરને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “ઉલટી ગણતરી શરૂ થઈ ગઈ છે! UK અને ભારત આ વાત પર સહમત થયા છે કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ 15 જુલાઈથી લાગુ થઈ જશે. આ આધુનિક યુકે-ભારત પાર્ટનરશિપ માટે એક ઐતિહાસિક ક્ષણ છે, જે આપણી બંને અર્થવ્યવસ્થાઓ માટે વૃદ્ધિના એક નવા યુગની શરૂઆત કરશે.”
ક્યા ઉદ્યોગોને ફાયદો?
રેડીમેડ ગાર્મેન્ટ અને ટેક્સટાઇલ, ફૂટવેર, કાર્પેટ ઉદ્યોગ, પ્રોસેસ્ડ ફૂડ, અનાજ, ફળ અને શાકભાજી, મસાલા, માછલી અને સી-ફૂડ ઉત્પાદન, માંસ અને પ્રોસેસ્ડ ફૂડ, ઓટોમોબાઈલ તેમજ ઓટો પાર્ટસ, મશીનરી, ઇલેક્ટ્રોનિક્સ, સિરામીક, ગ્લાસ, સીમેન્ટ તેમજ સ્ટોન ઉત્પાદનને ફાયદો થશે.
- Advertisement -
ભારતમાં સકોચ વ્હીસ્કીના ભાવ ઘટશે
સ્કોચ વ્હીસ્કી સહિત અનેક પ્રીમીયમ વિદેશી શરાબો પર પણ આયાત ચાર્જમાં ઘટાડો થશે. સ્કોચ વ્હીસ્કી પર હાલ ૧૫૦ ટકા ચાર્જ પહેલા તબકકામાં ૭૫ ટકા અને ૧૦ વર્ષમાં ઘટીને ૪૦ ટકા રહી જશે.
IT કંપનીઓને મોટી રાહત
સમજુતી સાથે લાગુ થયેલ ડબલ કન્ટ્રીબ્યુશન કન્વેન્શન અંતર્ગત ભારતથી બ્રિટન જનારા કર્મચારીઓ અને તેમને નિયુક્તિ આપનારાઓને પાંચ વર્ષ સુધી બ્રિટનમાં સોશિયલ સિક્યોરિટી યોગદાન નહીં આપવું પડે.
શું સસ્તું થશે ?
સેલ્મન માછલી
લેમ્બ (ઘેટાનું માંસ)
મશીનરી
ઇલેક્ટ્રોનિક ઉત્પાદન
ચોકલેટ
સોફટ ડ્રીંક્સ
કોસ્મેટિક્સ
સાબુ
પરફ્યુમ
શેવિંગ ક્રીમ
નેઈલ પોલિશ




