માતાની નજર સામે બે વ્હાલસોયા પુત્રોએ જીવ ગુમાવ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં જીવલેણ અકસ્માતના બનાવોમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે જામનગર રોડ પર માધાપર ચોકડી બ્રીજ પહેલા ગાંધી સોસાયટી પાસે અજાણી કારનો ચાલક બાઈકને હડફેટે લઈ ભાગી જતાં માતા પિતાની નજર સામે તેના ચાર માસના બાળકનું મૃત્યું નિપજયું હતું ગાંધીગ્રામ પોલીસે આ મામલે જામનગર રોડ પર નવી કોર્ટ પાસે પરશુરામ પાર્કમાં રહેતાં અને દુધસાગર રોડ પર ભોલા મિલ્ક પોઈન્ટ નામે ડેરી ચલાવતા દર્શનભાઈ શૈલેષભાઈ બુધદેવ ઉ.વ.31 ની ફરીયાદ પરથી અજાણી કારના ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.દર્શનભાઈએ પોલીસને જણાવ્યું કે, પુત્ર અંશને બાઈક પર બેસાડી ફરવા ગયા હતાં. તે જામનગર રોડ પર ખાનગી હોસ્પિટલ પાસેથી યુટર્ન લઈ માધાપર ચોકડી તરફ જઈ રહ્યાં હતા ત્યારે માધાપર ચોકડી બ્રીજ પહેલા ગાંધી સોસાયટી પાસે પાછળથી પુરપાટ વેગે ધસી આવેલી અજાણી કારનો ચાલકે તેને હડફેટે લઈ ભાગી જતાં ત્રણેય રોડ પર પટકાયા હતાં.
- Advertisement -
આ અકસ્માતમાં તેને અને પત્નીને છોલછાલ થઈ હતી. જયારે અંશને ઈજા થતા હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું મૃત્યું નિપજયું હતું. જ્યારે બીજા બનાવમાં કુવાડવા નજીકના સાયપર ગામે રહેતાં કૈલાશબેન અસવંતભાઈ તીલગામડીયા ઉ.વ.28 સવારે તેના દોઢ વર્ષના પુત્ર ધ્રુપાલ સાથે રિક્ષામાં બેસી ભીમ અગીયારસ કરવા માટે મોટી મોલડી ગામે તેના પિયર જઈ રહ્યા હતાં. ત્યારે હિરાસર એરપોર્ટની સામે હાઈવે પર અજાણી કારનો ચાલક રિક્ષાને હડફેટે લઈ ભાગી ગયો હતો.આ અકસ્માતમાં માતા પુત્રને ઈજા થતાં સિવિલમાં ખસેડાયા હતાં. જયાં ધ્રુપાલનું મૃત્યું નિપજયું હતું. જયારે કૈલાશબેનની હાલત ગંભીર હોવાથી દાખલ કરાયા હતાં. જાણ થતા એરપોર્ટ પોલીસે જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી.