– હાલમાં રેસ્કયુ ઓપરેશન ચાલુ
દેશની રાજધાની દિલ્હીમાં મોટી દુર્ઘટના સામે આવી છે. આઝાદ માર્કટમાં એક નવી બનનારી બિલ્ડીંગ પડવાની ઘટના બની છે. આજ રોજ આ દુર્ઘટના પછી વિસ્તારમાં હટકંપ મચી ગઇ છે.
- Advertisement -
જણાવવામાં આવી રહ્યું છે કે, જયારે આ દુર્ઘટના બની ત્યારે બિલ્ડીંગમાં કેટલાય મજૂરો કામ કરી રહ્યા હતા. જેથી ઘણા મજૂરોના દટાવાની આશંકા છે. અત્યાર સુધીમાં 4 મજૂરોને બચાવવામાં આવ્યા છે. જેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેની સારવાર ચાલી રહી છે. જયારે બિલ્ડીંગ પડવાની સુચના મળી ત્યારે રેસ્કયુ કર્મીચારીઓની ચીમ ઘટના સ્થળે ધસી આવી હતી. હાલમાં તેમનું રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. સાથે જ પોલીસ નવી બિલ્ડીંગ પડવાની ઘટનાના કારણોને તપાસમાં લાગી છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ચાર માળની બિલ્ડીંગ પડવાના સમયે ધડાકો થયો હતો કે આસપાસના દરેક વ્યક્તિ ડરી ગયા. આસપાસ ફક્ત ધૂળ ઉડી રહી હતી. જો કે આ બિલ્ડીંગ કેમ પડી તેના વિશે હજુ કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
આ દુર્ઘટનાને લઇને ફાયર બ્રિગેડના કર્મચારીનું કહેવું છે કે, દિલ્હીના આઝઆદ માર્કટ વિસ્તારમાં એક બિલ્ડીંગ પડવાની જગ્યા પર 5 મજૂરો ફસાયેલા છે, જેનું રેસ્કયુ ઓપરેશન ચાલી રહ્યું છે.
- Advertisement -