By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વેનેઝૂએલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 235નાં મોતની પુષ્ટી : 39000 લોકો ગુમ
    14 hours ago
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    2 days ago
    દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા
    2 days ago
    યુરોપ બન્યુ ભઠ્ઠી : 26 દેશમાં હીટવેવ
    3 days ago
    નતાશા ડોલ સાથેની હિંસા અને વાયરલ ટ્રેન્ડ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આસામના હાઇવે પર લંગડાતી મળેલી હાથણી માણકીની પીડાનો આવ્યો અંત : સારવાર માટે વનતારા લવાઇ
    12 hours ago
     1 જુલાઈથી પાસપોર્ટ બનશે મોંઘો : કેન્દ્ર સરકારે ચાર્જમાં રૂ.2,000 સુધીનો વધાર્યો કર્યો
    13 hours ago
    રામ મંદિર ચોરી કેસ, FIR શંકાના પરિઘમાં : મુખ્ય ખલનાયકોને બચાવી લેવાયા, ટટપૂજિંયા સાગરિતોને ફસાવી દેવાયા
    13 hours ago
    5 લાખ ફોલોઅર્સ એટલે હવે ‘સેલિબ્રિટી’નો દરજ્જો!
    14 hours ago
    સરકારે રાતો રાત પ્રતિબંધ હટાવ્યા : હવે તરત જ મળી જશે LPG બાટલા
    14 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    13 hours ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    2 days ago
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    4 days ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    1 week ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    14 hours ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 week ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    2 days ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    2 days ago
    અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ
    2 days ago
    રાજકોટ બાર એસો.ની કારોબારીમાં નિર્ણય : સોમવારે તમામ કોર્ટમાં હડતાલ
    2 days ago
    10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આજે જૈન વિઝન દ્વારા ‘આવો રે આવો મહાવીર નામ લઈએ’ ભક્તિ સંગીત સંધ્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > આજે જૈન વિઝન દ્વારા ‘આવો રે આવો મહાવીર નામ લઈએ’ ભક્તિ સંગીત સંધ્યા
રાજકોટ

આજે જૈન વિઝન દ્વારા ‘આવો રે આવો મહાવીર નામ લઈએ’ ભક્તિ સંગીત સંધ્યા

Khaskhabar Editor
Last updated: 2025/04/10 at 5:01 PM
Khaskhabar Editor 1 year ago
Share
9 Min Read
SHARE

જૈન વિઝન દ્વારા સતત 12માં વર્ષે પ્રભુ મહાવીર સ્વામી જન્મકલ્યાણક મહોત્સવની ઉજવણી

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

સામાજિક સંસ્થા જૈન વિઝન દ્વારા મહાવીર જયંતીના ઉપલક્ષીમાં વર્ષોથી યોજાતા ભક્તિમય લોકપ્રિય કાર્યક્રમ આવો રે આવો મહાવીર નામ લઈએ નું આ વખતે પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સમાજના છ સેવાભાવી અગ્રણીઓનું જૈન વિઝન દ્વારા અભિવાદન પણ કરવામાં આવશે.

જૈન વિઝનના સંયોજક મિલન કોઠારી અને તેમની ટીમના જણાવ્યા અનુસાર દર વર્ષની જેમ આ વરસે પણ કાર્યક્રમોની હારમાળા સર્જવામાં આવી છે. જૈન સમાજના ચારેય ફિરકાઓનો અતિ લોકપ્રિય ભક્તિ સંગીતનો કાર્યક્રમ ’આવો રે આવો મહાવીર નામ લઈએ’ નું અનોખું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તારીખ 10 મી એ રૈયા રોડ પર પ્રમુખસ્વામી ઓડિટોરિયમમાં યોજાશે આ કાર્યક્રમમાં મુંબઈ અને અમદાવાદના શ્રેષ્ઠ સિંગરો ભક્તિરસ પીરસશે.

આવો રે આવો મહાવીર નામ લઈએ કાર્યક્રમ વરસોથી યોજાતો ભક્તિમય લોકપ્રિય કાર્યક્રમ છે અને હજારોની સંખ્યામાં જૈન-જૈનેતરો આ ભક્તિ સંગીત સંધ્યા માણે છે.આ કાર્યક્રમનું એક મુખ્ય આકર્ષણ હાજરી આપનારને મળનારા ઇનામનું છે. આ કાર્યક્રમમાં હાજરી આપનારા માટે લક્કી ડ્રો રાખવામાં આવ્યો છે અને તેમાં વિજેતા થનારને સુવર્ણ મુદ્રા, ચાંદીની ગીની અને નાના બાળકોને સાઈકલ જેવા ઇનામો રાખવામાં આવ્યા છે.

- Advertisement -

આ ભક્તિ સંગીત સંધ્યામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમનું ઉદઘાટન મહાવીર સેવા ટ્રસ્ટના ચેરમેન ચંદ્રકાંતભાઈ શેઠ અને જામનગર શહેર ભાજપના પ્રમુખ બીનાબેન કોઠારી ના હસ્તે કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે ધારાસભ્ય દર્શિતાબેન શાહ ભાજપના અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશી, જૈન અગ્રણીઓ પ્રવીણભાઈ કોઠારી, દિનેશભાઈ પારેખ અને ગીરીશભાઈ ખારા ઉપરાંત સદર સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ કિશોરભાઈ દોશી, મોડર્ન ગ્રુપના મુકેશભાઈ દોશી, બિલ્ડર પપ્પુભાઈ મહેતા અને કેતનભાઇ શેઠ, જેડીઝ આઈકેરવાળા જસ્મીનભાઇ ધોળકિયા, દોશી ઇલેક્ટ્રોનિક્સના કિશોરભાઈ દોશી,સાહિત્યકાર મનોજભાઈ ડેલીવાળા, સહકારી અગ્રણી નલીનભાઈ વસા , એડવોકેટ પિયુષભાઈ શાહ, વિસામણ ગ્લોબલ સેલ્સના મિતુલભાઈ વસા, જૈન અગ્રણી અપૂર્વભાઈ મણીયાર, રાજકોટ જીતોના ચેરમેન હેમલભાઈ શાહ,જૈન અગ્રણી પ્રતાપભાઈ વોરા અને એ કેયુરભાઈ વોરા ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમ માટે મુખ્ય સહયોગ માતૃશ્રી ઇન્દિરાબેન અનંતરાય કામદાર (હસ્તે રાજેશભાઈ અને નીતિનભાઈ), માતૃશ્રી રમીલાબેન હરકિશનભાઈ બેનાણી (હસ્તે ધારાબેન જીતુભાઈ બેનાણી), ઋષભ ચંદ્રકાન્તભાઈ શેઠ અને સુગંધાબેન ઓમકાર મલજી જૈન (હસ્તે અજીતભાઈ જૈન )તથા ગુજરાત સ્કુલ ઓફ એક્સલન્સ દ્વારા પ્રાપ્ત થયો છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જૈન વિઝનના સંયોજક મિલન કોઠારી, ભરત દોશી, અજીત જૈન, ગિરીશ મહેતા, મહેશભાઈ મણીયાર, દીપક કોઠારી, હેમલ મહેતા, ધ્રુમિલ પારેખ, અખિલ શાહ, વિપુલ મહેતા, સચિન વોરા, નિલેશ તુરખીયા, યોગીન દોશી, નીલ મહેતા, નીરવ મહેતા, તુષાર પતિરા, પરેશ દફ્તરી, ગૌરવ દોશી, ધવલ મહેતા, મનીષ પારેખ, હિતેશ દેસાઈ, રાજીવ ઘેલાણી, નીતિન મહેતા, હિમાંશુ પારેખ, સંજય મહેતા, ડો. હાર્દિક શાહ, કેતન સંઘવી, જય મહેતા, પ્રદીપ ગોસલીયા, ડો.દેવેન કોઠારી, દેવાંગ ખજુરીયા અને ભાવેશ પારેખ વગેરે જહેમત ઉઠાવી છે.

જેમનું સન્માન થવાનું છે તેમનો પરિચય

જીતુભાઈ બેનાણી : મૂળ ગોંડલના વતની અને હરકિશનભાઈ તથા રમીલાબેન બેનાણીના પનોતા પુત્ર જીતુભાઈ બેનાણી આજે રાજકોટ જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર – ગુજરાતમાં જૈન સમાજના ભામાશા તરીકે ઓળખાય છે. 1980 માં ગોંડલ છોડીને રાજકોટને કર્મભૂમિ બનાવનાર જીતુભાઈ બેનાણી એ પોતાની સુઝબૂઝથી વ્યવસાય શરૂ કર્યો અને નસીબે પણ તેમને સાથ આપ્યો. ખાસ કરીને જમીન મકાનના વ્યવસાયમાં તેમને ઘણી બરકત પ્રાપ્ત થઈ છે. જૈન સમાજના આંગણે કોઈપણ કાર્યક્રમ હોય .. પછી તે સાધુ-સંતોના ચાતુર્માસ પ્રવેશ હોય તેમનું વૈયાવચ્ચ હોય કે અન્ય કોઈ કાર્યક્રમ હોય જીતુભાઈ હંમેશા દાતા તરીકે આગળ રહે છે. હાલમાં જેનું નવિનિકરણ ચાલી રહ્યું છે તે વિરાણી બહેરા મૂંગા શાળામાં પણ તેમણે માતબર રકમનું દ્દાન આપ્યું છે આ સિવાય જૈન બોર્ડિંગ તેમજ કોઈપણ ઉપાશ્રયમાં કોઈપણ પ્રકારની જરૂરિયાત હોય તો જીતુભાઈ હંમેશા સહયોગ આપે છે.
ઇન્દુભાઇ બદાણી : પોતાના વતનથી સાત સમંદર દુર રહેતા હોવા છતાં વતન પ્રત્યેનું ઋણ ચુકવવામાં હંમેશા અગ્રેસર રહેતા અને ભામાશા તરીકે જાણીતા ઇન્દુભાઇ ભીમજીભાઈ બદાણીનું નામ સમાજમાં આદરપૂર્વક લેવાય છે. રાજકોટમાં જ શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી ઇન્દુભાઇ તેમના મોટાભાઈઓ રમણીકભાઈ અને નાગરભાઈ સાથે એડીસ અબાબા સ્થાયી થયા હતા. અને ત્યાં વેપાર વિકસાવ્યો હતો. ઇન્દુભાઈના પુત્ર અનિશભાઇ આજે ઇથોપિયાનાં અગ્રણી ઉદ્યોગપતિ છે. તેમના પુત્રી વિશાખા એડીસ અબાબામાં રહે છે જયારે પુત્રી આરતી અમેરિકામાં સ્થાયી છે. ઇન્દુભાઈના ધર્મપત્ની સ્વ. સુશીલાબેન પણ ખુબ જ ધાર્મિક અને સમાજલક્ષી સેવાભાવના ધરવતા હતા. જુદી જુદી જૈન સંસ્થાઓમાં આ બદાણી દંપતિનું ઘણું યોગદાન છે. ઇન્દુભાઇ આજે પણ અનેક સંસ્થાઓને આર્થિક મદદ કરી રહ્યા છે. રાજકોટમાં આવેલા સદર સંઘમાં ઇન્દુભાઇનાં યોગદાનથી આજીવન કાયમી ચોવિહાર હાઉસ અને વૈયા વચ્ચ ખાતું ચાલી રહ્યું છે. તાજેતરમાં જ રાજકોટમાં બનેલી જૈન બોર્ડીંગમાં પણ ઇન્દુભાઇએ ઘણું યોગદાન આપ્યું છે.
રશ્મીકાન્ત મોદી : શિક્ષણનાં ગુરુ તરીકે જાણિતા રશ્મિકાંત મોદીનું નામ શૈક્ષણિક જગતમાં ભારે આદર સાથે લેવાય છે. તેઓ માત્ર મોદી સ્કુલ્સનાં મેનેજીંગ ટ્રસ્ટી જ નથી પણ નવી પેઢીના પથદર્શક પણ છે. ટોચની એન્જિયરિંગ કોલેજ કે મેડીકલ કોલેજમાં એડમીશનની વાત હોય કે પછી સી.એ. અથવા સી.એસ.માટેની વાત હોય, મોદી સ્કુલના વિદ્યાર્થીઓને માનપૂર્વક જોવામાં આવે છે. અહી વર્ષ દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પ, સ્કાઉટ ગાઈડ પ્રવૃતિઓ, વિદ્યાર્થીઓને વૃધ્ધાશ્રમ, અનાથાશ્રમ અને હોસ્પિટલોની મુલાકાત, વૃક્ષારોપણ, નવકારમંત્ર ગાન, યોગા-પ્રાણાયામ જેવી ઈતર પ્રવૃત્તિ પણ થાય છે જૈન ધર્મના સિદ્ધાંતોને અનુસરતા રશ્મિકાંતભાઈ મોદીની સ્કુલ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ લસણ-ડુંગળી કે બટેટા પણ નથી ખાતા. જૈન વિઝન સંસ્થા આજે રશ્મિકાંતભાઈ મોદીનું સન્માન કરવા જઈ રહી છે ત્યારે એટલું ચોક્કસ કહેવું પડશે કે તેઓ માત્ર અચ્છા શિક્ષણ શાસ્ત્રી જ નથી પરંતુ સારા સ્ટુડન્ટ પણ રહી ચુક્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ફીઝીક્સમાં સ્પેસ સાયંસ વિષયમાં પીએચ.ડી. કરનાર તેઓ સૌ પ્રથમ વિદ્યાર્થી હતા. તેઓ ગુપ્ત દાનમાં માને છે અને જરૂરતમંદ વિદ્યાર્થીઓને મદદરૂપ થાય છે.
અપૂલભાઈ દોશી : રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ડાયાબિટીસ બાળકો માટે બે દાયકાથી કાર્યરત જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન ડાયાબીટીસ બાળકો માટે આશીર્વાદરૂપ બની રહી છે. અપુલભાઈ દોશી અને અન્ય સેવાભાવી લોકો આ સંસ્થાનું સંચાલન કરે છે. આ સંસ્થામાં ટાઈપ વન ડાયાબિટીસથી પીડિત અત્યારે 2000 બાળકો છે. જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશનને એક અનોખું અભિયાન શરૂ કર્યું છે. જેનું નામ ‘એક નિરંતર અભિયાન’ છે. આ અભિયાન અંતર્ગત ટાઈપ-1 ડાયાબિટીસને લઈને જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. આ ફાઉન્ડેશન દ્વારા દાતાઓની મદદથી 500થી વધારે બાળકોને દિવસમાં 3થી 4 વખત ઇન્સ્યુલિન આપવામાં આવે છે. 3-4 વાર બ્લડ ચેક કરવામાં આવે છે. જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશન રાજકોટમાં એક ભવનનું નિર્માણ કરી તેમાં એજ્યુકેશન રીસર્ચ સેન્ટર સ્થાપવાની ઈચ્છા પણ ધરાવે છે. જૈન વિઝન આવી સંસ્થાને બિરદાવે છે અને તેમને સફળતા મળે તેવી કામના કરે છે.
મયુરભાઈ શાહ : જૈન શ્રેષ્ઠી મયુરભાઈ શાહને સેવાના પર્યાય કહેવા જરા પણ અતિશયોક્તિ નથી કારણ કે રાજકોટમાં સેવાની કોઈ પણ પ્રવૃત્તિ હોય તેમની પ્રત્યક્ષ કે પરોક્ષ ભૂમિકા હોવાની જ …મયુરભાઈ પરગજુ સ્વભાવ ધરાવે છે એટલે સેવાના સંસ્કાર તેમને બાળપણથી જ મળ્યા છે. સાધુસંતોની વૈયાવાચ્યમાં હંમેશા અગ્રેસર મયુરભાઈ ઉપર અનેક સાધુ-સંતોના આશીર્વાદ વરસતા રહે છે અને તેમને સેવા પ્રવૃત્તિ કરવાનું બળ પૂરું પાડતા રહે છે. તેઓ હાલમાં ભાજપના કોષાધ્યક્ષ તો છે જ પણ પંચનાથ ચેરીટેબલ હોસ્પિટલમાં પણ સેવા આપી રહ્યા છે. તેઓ મૂંગા પશુ-પક્ષીઓની સારવારમાં પણ આગળ રહે છે. તેમને માર્ગદર્શન હેઠળ વિનામૂલ્યે ભોજનાલય પણ ચાલે છે. મયુરભાઈ શાહ વિશ્વ વણિક સંગઠન, દશાશ્રીમાળી જૈન સમાજ, દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ, ફિલ્ડ માર્શલ બ્લડ બેંક, સ્થાનકવાસી જૈન શેઠ ઉપાશ્રય જેવી સંસ્થા સાથે પણ સક્રિય રીતે જોડાયેલા છે. તેઓ જૈન વિઝનનાં માર્ગદર્શક પણ છે.
સુનિલભાઈ કોઠારી : જેમણે સમાજસેવાનું જ પ્રણ લીધું હોય તેમને સેવાના સારથી કે પછી સેવાના ભેખધારી પણ કહી શકાય. સુનિલભાઈ કોઠારી એક એવી વ્યક્તિ છે જેમણે જીવનના પાંચ દાયકા કરતા પણ વધુ સમય સમાજ માટે ખર્ચી નાખ્યો છે.
1972થી સંઘનાં સ્વયં સેવક રહેલા સુનિલભાઈ કોઠારીની જન્મભૂમી અને કર્મભૂમિ રાજકોટ જ છે. રાજકોટમાં સરગમ કલબ અને બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ જેવી સંસ્થામાં વરસો સુધી સેવા આપનાર સુનીલભાઈએ પંચવટી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘમાં પણ સેવા આપી છે. એટલું જ નહી રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી કમિટીમાં પણ સભ્ય પદે સેવા આપી છે. જૈન સોશિયલ ગ્રુપ મીડટાઉન અને યુવામાં યુવક યુવતીના પરિચય મેળા યોજેલા છે અને જૈન વિઝન સંસ્થામાં પણ સક્રિય કાર્યકર તરીકે સેવા આપી છે. જેમનો દિવસ સેવાકાર્યોથી શરુ થાય છે અને સેવાકાર્યો કર્યા પછી જ રાત પડે છે તેવા સુનીલભાઈ કોઠારીનું સન્માન કરતા જૈન વિઝન સંસ્થા ગૌરવની લાગણી અનુભવે છે.

You Might Also Like

આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ નિમિતે શહેર પોલીસ દ્વારા મેરેથોનનું આયોજન

રાજકોટઃ કાલે લેંગ લાઈબ્રેરીમાં ડૉ. ઉર્વીશ વસાવડાની કાવ્યગોષ્ઠિ

રાજકોટ મનપાના દરોડાઃ શ્રી રામ ડેરીમાંથી 1.75 લાખની 500 કિલો ફૂગવાળી મલાઈ જપ્ત

રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ સમિતિઓના ચેરમેનની જાહેરાત

લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી

TAGGED: Jain Vision, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article માધવપુર ઘેડના મેળામાં નખથી બનતી પેઇન્ટિંગ જોઈ લોકો દંગ !
Next Article રાજકોટ શ્રી બાલાજી હનુમાનજી મંદિરે હનુમાન જ્યંતીની થશે ઉત્સાહભેર ઉજવણી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રોહિદાસપરામાં ઘર પાસે રમતી બાળકીનું કારની ઠોકરે મોત

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
આસામના હાઇવે પર લંગડાતી મળેલી હાથણી માણકીની પીડાનો આવ્યો અંત : સારવાર માટે વનતારા લવાઇ
મવડીમાં રહેતા યુવકની રાવકી ગામે નોકરીએ ગયા બાદ ભેદી સંજોગોમાં ખાણમાંથી લાશ મળી
ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા
ભીમ અગિયારસે રાજકોટ જિલ્લામાં જુગાર રમતા 4 મહિલા સહીત 42 ઝડપાયા
આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ નિમિતે શહેર પોલીસ દ્વારા મેરેથોનનું આયોજન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ નિમિતે શહેર પોલીસ દ્વારા મેરેથોનનું આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાજકોટ

રાજકોટઃ કાલે લેંગ લાઈબ્રેરીમાં ડૉ. ઉર્વીશ વસાવડાની કાવ્યગોષ્ઠિ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાજકોટ

રાજકોટ મનપાના દરોડાઃ શ્રી રામ ડેરીમાંથી 1.75 લાખની 500 કિલો ફૂગવાળી મલાઈ જપ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?