By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    શીત યુદ્ધ પછી સૌથી મોટી હલચલ: ક્યુબાને ઘેરવા અમેરિકાનું USS Nimitz પહોંચ્યું, જાસૂસી વિમાનો-ડ્રોન તૈનાત
    18 hours ago
    ઈરાન યુદ્ધના ભવિષ્ય અંગે ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચે ફોન પર તણાવપૂર્ણ વાતચીત: અહેવાલો
    18 hours ago
    ‘નામોનિશાન મિટાવી દઈશું..’, અમેરિકાને ઈરાનનો સીધો પડકાર, અરાઘચીના નિવેદનથી અકળાશે ટ્રમ્પ
    2 days ago
    ‘ક્રેશ થઈ જશે ક્રૂડ ઓઇલની કિંમતો…’ ઈરાન સાથેના યુદ્ધને લઈને ટ્રમ્પનો ચોંકાવનારો દાવો
    2 days ago
    પુતિન અને જિનપિંગની મુલાકાત પહેલા જ ચીનના જહાજ પર રશિયાનો હુમલો! ઝેલેન્સ્કીના દાવાથી ખળભળાટ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    યુદ્ધ મુદ્દે ટ્રમ્પ-નેતન્યાહુ વચ્ચે ટકરાવ
    16 hours ago
    પશ્ર્ચિમ બંગાળના તમામ મદરેસાઓમાં હવેથી ‘વંદે માતરમ્’ ગાવું ફરજિયાત
    16 hours ago
    ઇન્સ્ટાગ્રામ પર લગભગ 13 મિલિયન ફોલોઅર્સ સાથે ભાજપને પાછળ છોડી દીધાના થોડા કલાકો પછી ભારતમાં કોકરોચ જનતા પાર્ટીનું X એકાઉન્ટ રોકી દેવામાં આવ્યું
    18 hours ago
    રાજ્યના 12 સરકારી વિભાગ રોજ સરેરાશ ₹47 લાખનું ઇંધણ વાપરે છે
    2 days ago
    નીટ કેસ-લાતુરનો કોચિંગ ડાયરેક્ટર શિવરાજ રઘુનાથ પહેલાં પાર્ટ-ટાઇમ શિક્ષક હતો, આજે ₹1500 કરોડની સંપત્તિ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોહલી IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો : રોહિત બીજા અને ધોની ત્રીજા નંબરે
    16 hours ago
    KKRની સતત બીજી જીતથી પ્લેઑફની આશા વધી: મુંબઈને 4 વિકેટે હરાવ્યું
    16 hours ago
    હાર, હતાશા અને ગુસ્સો…. હાર્દિક પંડ્યાએ મેદાનમાં ગુમાવ્યો પિત્તો, મોટી ભૂલ કરતાં થયો દંડ
    18 hours ago
    યુકે નાગરિકતા મળ્યા બાદ પાકિસ્તાન માટે IPL હરાજીમાં ઝડપથી પ્રવેશવાનો માર્ગ ખુલ્યો
    18 hours ago
    વૈભવની તોફાની બેટિંગ સામે લખનઉ પરાસ્ત: રાજસ્થાન રોયલ્સે લખનઉને 7 વિકેટે હરાવ્યું
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    2 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    3 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    4 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    4 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કૌરવોના જન્મ પાછળનું સત્ય!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > કૌરવોના જન્મ પાછળનું સત્ય!
AuthorParakh Bhattધર્મ

કૌરવોના જન્મ પાછળનું સત્ય!

Khaskhabar Editor
Last updated: 2021/12/04 at 4:01 PM
Khaskhabar Editor 4 years ago
Share
8 Min Read
SHARE

કૌરવોનાં જન્મની આખી ઘટના કોઇ વિજ્ઞાનથી કમ નથી. ઓર્ગન રી-જનરેશન માટે યુ.એસ. પેટન્ટ મેળવી ચૂકેલા ડો. બી.જી. માતપુરકરનું કહેવું છે કે મહાભારતકાળમાં ઋષિ-મુનિઓ પાસે ફક્ત ટેસ્ટ-ટ્યુબ તથા ગર્ભ છુટો પાડવાની વિધિ જ નહીં, પરંતુ બહાર કાઢેલા માંસપિંડને ગર્ભાશય વગર ઉછેરી શકવાની એવી તકનિક મૌજૂદ હતી.

મૉડર્ન ધર્મ
– પરખ ભટ્ટ

ઋષિ-મુનિઓ પાસે એવા પ્રકારનું વિજ્ઞાન હતું જેની મદદ વડે તેઓ માતાનાં ગર્ભાશય વગર પણ સંતતિને જન્મ આપી શકતાં.

- Advertisement -

ગાંધારી અને ધૃતરાષ્ટ્રનાં 101 સંતાન વિશેની કથા સાંભળીએ ત્યારે હંમેશા એક પ્રશ્ન ઉદભવે કે, એકીસાથે આટલા બધા બાળકોનો જન્મ શી રીતે શક્ય બને? વિશ્વનાં મોટાભાગનાં ઇતિહાસકારો અને તત્વચિંતકોએ મહાભારતને કપોળકલ્પિત ગ્રંથ ગણાવ્યો! પરંતુ આજે એ તમામ લોકો નતમસ્તક થઈને આપણા મહાકાવ્યોની ભવ્યતા સ્વીકારવા તૈયાર છે. એકવીસમી સદી જ્યારથી શરૂ થઈ, ત્યારથી વિજ્ઞાને હરણફાળ ભરી. અશક્ય લાગતી વૈજ્ઞાનિક ખોજને અતિ બુધ્ધિશાળી મગજોએ હકીકત બનાવી. અને ત્યારબાદ, જ્યારે ફરી આપણા ઇતિહાસ અને પુરાણોમાં ડોકિયા કરાયા ત્યારે એમને માલૂમ પડ્યું કે મોટાભાગનાં આધુનિક સંશોધનનો ઉલ્લેખ તો ભારતીય સંસ્કૃતિમાં પહેલેથી કરવામાં આવ્યો છે! સ્ટેમ-સેલ ટેકનોલોજી વિશે આપ કેટલું જાણો છો?

સાવ સરળ ભાષામાં કહેવું હોય તો, શરીરનાં કોઇ ભાગ પરથી ખેંચી લેવામાં આવેલા કોષ પરથી લેબોરેટરીમાં એ ચોક્ક્સ શારીરિક ભાગની રેપ્લિકા બનાવી શકાય છે. આધુનિક વિજ્ઞાને આને સ્ટેમ-સેલ ટેકનોલોજીનું નામ આપ્યું છે. દાખલા તરીકે, ચામડીનાં સ્ટેમ-સેલ પરથી બીજી નવી ચામડી બનાવવી શક્ય છે, સ્નાયુનાં સ્ટેમ-સેલનો ઉપયોગ કરીને નવા સ્નાયુ બનાવી શકાય છે, સ્ટેમ-સેલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને શરીરમાંથી બ્લડ સેલ (રક્તકણો)નું સેમ્પલ લઈ લેવામાં આવે તો તેનાં પરથી નવા રક્તકણો (નવું લોહી સુધ્ધાં!) બનાવી શકવાની પધ્ધતિ હાલનાં વિજ્ઞાન પાસે છે. કેટલીક જાતનાં કેન્સર તથા લોહીને લગતાં અતિ ગંભીર રોગમાં સ્ટેમ-સેલ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે.

ઋષિ-મુનિઓ પાસે એવા પ્રકારનું વિજ્ઞાન હતું જેની મદદ વડે તેઓ માતાનાં ગર્ભાશય વગર પણ સંતતિને જન્મ આપી શકતાં. જીનેટિક્સ, ક્લોનિંગ (એક મૂળ કે પૂર્વજમાંથી લૈંગિક પ્રક્રિયા વિના પેદા થયેલ જીવ), ટેસ્ટ-ટ્યુબ બેબી તથા સ્ટેમ-સેલ ટેકનોલોજી તો ફક્ત આધુનિક શબ્દો છે. મહાભારતમાં આદિપર્વ અધ્યાય 114નાં શ્લોક ક્રમાંક 1 થી 36 દરમિયાન મહર્ષિ વેદ વ્યાસનાં હસ્તિનાપુર આગમન તેમજ કૌરવોનાં જન્મ વિશેની વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી છે.
મહર્ષિ વેદ વ્યાસ જ્યારે હસ્તિનાપુર પધાર્યા ત્યારે ગાંધારીએ તેમની ખૂબ સેવા કરી. જેનાથી પ્રસન્ન થયેલા ઋષિએ તેમને એક વરદાન માંગવાનું કહ્યું. ગાંધારીએ પોતાનાં પતિ ધૃતરાષ્ટ્ર સમાન બળશાળી એવા પુત્રોની માંગણી કરી, જે તેમનાં રાજ્યને તમામ શત્રુઓથી રક્ષણ અપાવી શકે! મહર્ષિ તો ‘તથાસ્તુ’ કહીને પોતાનાં માર્ગે જવા રવાના થઈ ગયા.

- Advertisement -

ગાંધારીને ગર્ભવતી થયાને હવે નવ મહિના વીતી ચૂક્યા હતાં. છતાં પણ બાળકનાં આગમનનાં કોઇ એંધાણ નહોતાં જણાતાં. એક વર્ષ વીત્યું, દોઢ વર્ષ વીત્યા! ગાંધારીની ધીરજ હવે ખૂટી રહી હતી. ધૃતરાષ્ટ્રનાં નાના ભાઈ પાંડુની પત્ની કુંતીને ત્યાં એક બાળક (યુધિષ્ઠિર)નો જન્મ થઈ ચૂક્યો હતો. આથી એ પણ નક્કી હતું કે જયેષ્ઠ પુત્ર જ હસ્તિનાપુરની રાજગાદીનો વારસ બનશે. ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનો ઉચાટ દિવસે ને દિવસે વધી રહ્યો હતો. એમ કરતાં-કરતાં ગાંધારીનાં ગર્ભને બે વર્ષ પૂરા થઈ ગયા. એક દિવસ તેણે ક્રોધમાં આવીને પોતાનાં ગર્ભ પર જોરથી પ્રહાર કર્યો. પરિણામસ્વરૂપ, (આજની મેડિકલ લેંગ્વેજમાં જેને ‘મિસકેરેજ’ કહે છે એ) તેનાં પેટમાંથી બાળકને બદલે માંસનો આખો પિંડ બહાર નીકળ્યો. આ સાથે જ, વેદ વ્યાસને તેડું મોકલવામાં આવ્યું. જ્યારે મહર્ષિ ફરી પધાર્યા ત્યારે ગાંધારીએ તેમણે આપેલા વરદાન પર શંકા વ્યક્ત કરી.

દુર્યોધનનો જન્મ ‘અભિમાન’નું પ્રતિક છે,
ગાંધારીએ પોતાનાં પતિ માટે આંખે પાટા બાંધ્યા’તા

પરંતુ મહર્ષિ વ્યાસ તો મનમાં ને મનમાં મલકાઈ રહ્યા હતાં. તેમણે ગાંધારીને કહ્યું કે હાસ-પરિહાસ દરમિયાન કહેલી મારી વાતો પણ ક્યારેય મિથ્યા નથી હોતી, તો પછી મારું આપેલું વરદાન તો કઈ રીતે નિષ્ફળ જઈ શકે!? તમે શક્ય એટલી ત્વરાથી સો કુંડ (ઘડા) તૈયાર કરાવડાવી એને ઘી વડે ભરી દો!

આટલું કહીને મહર્ષિએ માંસ-પિંડનાં સો ટુકડા કર્યા. દરેક ટુકડાંનું કદ હાથનાં નાનકડાં અંગૂઠા જેવડું રાખવામાં આવ્યું. ગાંધારીએ એમને પુત્રી-પ્રાપ્તિ માટે પણ યાચના કરી. પરિણામસ્વરૂપ, મહર્ષિએ માંસપિંડમાંથી 101મો ટુકડો અલગ કાઢ્યો. આ પ્રક્રિયા પૂરી થતાંવેંત ઘી તેમજ અન્ય કેટલીક આયુર્વેદિક ઔષધિથી ભરાયેલા 101 ઘડાઓમાં તમામ ટુકડાઓને વિસ્થાપિત કરી દેવામાં આવ્યા. મહર્ષિએ આગળની પ્રક્રિયા માટે ઋષિ દ્વૈપાયનને જવાબદારી સોંપી. દ્વૈપાયને તમામ ઘડાની આજુબાજુ ભીનું કપડું વીંટાળી તેને માનવ-નિર્મિત ગુફામાં રાખી દીધા, જેનું તાપમાન ખૂબ ઉંચુ રાખવામાં આવ્યું હતું. (હવે ફરી એકવાર સ્ટેમ-સેલ ટેકનોલોજી વિશે અગાઉ આપેલી સમજણ વાંચી જાઓ. બંને વચ્ચેનાં તાણાવાણા મળી આવશે.)

બરાબર બે વર્ષનો સમયગાળો વીત્યા બાદ, જે ઘડાને સૌથી પહેલા ગુફામાં મૂકાયો હતો તેને ખોલવામાં આવ્યો, જેમાંથી દુર્યોધનનો જન્મ થયો. એ જ દિવસે, કુંતીએ વાયુદેવનાં આહ્વાહન વડે સેંકડો હાથીનું બળ ધરાવતાં ભીમને જન્મ આપ્યો. એક મહિના પછી ક્રમશ: દુ:શાસન સહિત અન્ય 98 કૌરવો જન્મ્યા. સૌથી છેલ્લે જન્મી : કૌરવોની એકમાત્ર બહેન – દુશલા! આ રીતે, માત્ર એક માંસપિંડ થકી 101 સંતાનો જન્મ્યા. (દુર્યોધનનો જન્મ થયો એ દિવસ હસ્તિનાપુર માટે ઘણો ભયાવહ રહ્યો હતો. ચારેકોર અફડાતફડી મચી ગઈ હતી. પ્રાણીઓ કોઇ કારણ વગર મોટે-મોટેથી રૂદન તેમજ ગર્જનાઓ કરી રહ્યા હતાં. પરિસ્થિતિ પારખી જઈને વિદુરે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને સાવધ પણ કર્યા કે આ તમામ સંકેતો વિનાશનું સૂચન કરે છે. નવજાત દુર્યોધન સમગ્ર કુરૂવંશનાં વિધ્વંશનું કારણ બનશે, માટે એનો ત્યાગ કરી તેને મારી નાંખવામાં આવે તો અને તો જ સંકટ ટળી શકે એવી સંભાવના છે! પરંતુ પુત્ર-પ્રેમને કારણે તેઓ દુર્યોધનનો ત્યાગ ન કરી શક્યા.)

કૌરવોનાં જન્મની આખી ઘટના કોઇ વિજ્ઞાનથી કમ નથી. ઓર્ગન રી-જનરેશન (અંગોને નવજીવન પ્રદાન કરવું તે) માટે યુ.એસ. પેટન્ટ મેળવી ચૂકેલા ડો. બી.જી. માતપુરકરનું કહેવું છે કે મહાભારતકાળમાં ઋષિ-મુનિઓ પાસે ફક્ત ટેસ્ટ-ટ્યુબ તથા ગર્ભ છુટો પાડવાની વિધિ જ નહીં, પરંતુ બહાર કાઢેલા માંસપિંડને ગર્ભાશય વગર ઉછેરી શકવાની એવી તકનિક મૌજૂદ હતી, જ્યાં સુધી આપણું વિજ્ઞાન હજુ સુધી નજર સુધ્ધાં નથી કરી શક્યું! દુર્યોધનનો જન્મ ‘અભિમાન’નું પ્રતિક છે. ગાંધારીએ પોતાનાં પતિ માટે આંખે પાટા બાંધ્યા. પરંતુ ખરેખર આવું પગલું ઉઠાવીને તેણે પોતાની બુધ્ધિ પર પણ અંધારપટ લાવી દીધો! પાંચ જ્ઞાનેન્દ્રિયો (આંખ, નાક, કાન, જીભ, ત્વચા) અને પાંચ કર્મેન્દ્રિયો (હાથ, પગ, મોં, ગુદા, જનનાંગ) જ્યારે દસેય દિશાઓ (પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઇશાન, નૈઋત્ય, વાયવ્ય, આગ્નેય, આકાશ, પાતાલ) સાથે મળે છે, ત્યારે કુલ સો (10 જ્ઞાનેન્દ્રિય ગુણ્યા 10 દિશા=100) પ્રકારની અપેક્ષાઓ, ઇચ્છાઓ, વિચારો, મહત્વકાંક્ષાઓ તથા સપનાઓને જન્મ આપે છે. ગાંધારીની તમામ ઇન્દ્રિયો તેની બુધ્ધિનાં અંધત્વનાં પ્રભાવ હેઠળ આવી. તેનું મગજ દસ દિશામાં સમજ્યા-વિચાર્યા વગર દોડ્યું. જેનાં ફળસ્વરૂપ, કૌરવોનો જન્મ થયો! આથી પુરાણોમાં કૌરવોને હંમેશા હીનદ્રષ્ટિથી (અંધ બુધ્ધિ + અંધ મગજ) જ જોવામાં આવ્યા છે.

મહાભારતનાં આ પ્રસંગને ભગવદગીતાનાં એક શ્લોક વડે વર્ણવી શકાય એમ છે :

बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जित: |
अनात्मनस्तु शत्रुत्वे वर्ते तात्मैव शत्रुवत् 
||

(ભગવદગીતા ૬.૬)

અર્થ : જેમણે પોતાનાં મન પર કાબૂ મેળવી લીધો છે એમનાં માટે તે મિત્ર સમાન છે. પરંતુ જે વ્યક્તિ આમ નથી કરી શક્યો એનો સૌથી મોટો દુશ્મન એનું પોતાનું મન છે.

You Might Also Like

વિટામિન, પ્રોટીન અને એનો ધંધો

પોતાના દિવ્યાંગ બાળકના ઉછેર સાથે અનેક દિવ્યાંગ બાળકો માટે આશાનું કિરણ બન્યાં: બીજલ હરખાણી

મા બસ એક શબ્દ, પણ બાળક માટે આખું બ્રહ્માંડ

કોકમ યાની કી ગાર્સિનિયા કંબોજિઆ

બીજાનો વિચાર પણ કરવો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પંદર હજારના મોત, પચ્ચીસ હજારમાં જામીન
Next Article ડાન્સ કોરિયોગ્રાફરથી ફૂડ ડિલીવરી ગર્લ રિન્નીની સંઘર્ષભરી સફર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

મેંદરડાના 42 સરપંચોના ભૂખ હડતાલનો સુખદ અંત, તંત્રએ માંગણીઓ સ્વીકારતા પારણા કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ચોમાસાની આતુરતાથી જોવાતી રાહ, વરસાદમાં પ્રવાસીઓનો ધસારો વધશે
મોરબી-કચ્છમાં ડીઝલની ભયંકર અછત સિરામિક અને મીઠા ઉદ્યોગ બંધ થવાના આરે!
રાજકોટ: ટ્રાફિકથી શહેરીજનો પરેશાન સાંઢિયાપુલ મુદ્દે 24 કલાકમાં નિર્ણય લો
રાજીવ ગાંધીના દુરંદેશી વિચારોથી દેશ આધુનિકતાના માર્ગે આગળ વધ્યો હતો : ડૉ. રાજદીપસિંહ જાડેજા
કોહલી IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો : રોહિત બીજા અને ધોની ત્રીજા નંબરે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

વિટામિન, પ્રોટીન અને એનો ધંધો

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
Author

પોતાના દિવ્યાંગ બાળકના ઉછેર સાથે અનેક દિવ્યાંગ બાળકો માટે આશાનું કિરણ બન્યાં: બીજલ હરખાણી

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
Author

મા બસ એક શબ્દ, પણ બાળક માટે આખું બ્રહ્માંડ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?