By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    USના વિઝા હવે ફટાફટ!
    4 hours ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    6 hours ago
    ફરી યુદ્ધ: ઈરાન-ઈઝરાયલ વચ્ચે બે મહિના બાદ ફરી તનાવ, સામ-સામા હુમલા શરૂ
    1 day ago
    તમામ ભારતીયો તાત્કાલિક ઈરાન છોડે: મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના એંધાણ થતાં નવી એડવાઈઝરી જાહેર
    1 day ago
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
    4 hours ago
    કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી
    4 hours ago
    ચોમાસાએ રફ્તાર પકડી
    4 hours ago
    ભારતે પહેલીવાર 12 પરમાણુ બૉમ્બ તૈનાત કર્યાં
    4 hours ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    6 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    1 day ago
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    1 day ago
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    3 days ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    4 days ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    6 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 week ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    6 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    6 hours ago
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    1 day ago
    સ્કૂલ ચલે હમ : વેકેશન પૂરું, આજથી સ્કૂલો શરૂ
    1 day ago
    રાજકોટના ત્રંબામાં ચોંકાવનારો અકસ્માત, દુકાન ખોલવા જતાં વેપારીનું મોત, ઘટના CCTVમાં કેદ
    1 day ago
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પંદર હજારના મોત, પચ્ચીસ હજારમાં જામીન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Naresh Shah > પંદર હજારના મોત, પચ્ચીસ હજારમાં જામીન
AuthorNaresh Shah

પંદર હજારના મોત, પચ્ચીસ હજારમાં જામીન

Khaskhabar Editor
Last updated: 2021/12/04 at 4:10 PM
Khaskhabar Editor 5 years ago
Share
7 Min Read
SHARE

શાહનામા 
– નરેશ શાહ

આ પાણી તો ખૂબ ખરાબ છે.
કુવામાંથી ભરેલાં પાણીને સુંધ્યાં બાદ તેમાં આંગળી ઝબોળીને ચાખ્યાં પછી પ્રેમાબાઈનું આ રિએકશન હતું. ગંદા પાણીનો કકળાટ ફેલાઈ એ પહેલાં ભોપાલની એ ઉડિયા બસ્તીમાં સમાચાર આવ્યાં કે નજીકના તળાવમાંથી પાણી પીનારી પાંચ-છ ગાયો મરેલી પડી છે, એટલું જ નહીં તેનું માંસ ખાનારાં કાગડા અને ગિધડાં પણ ત્યાં મરેલાં પડયા છે… અને ભોપાલની યુનિયન કાર્બાઈડ કંપનીએ ઉડિયા બસ્તીના ત્રણસો-ચારસો લોકોનું ટોળું પહોંચીને સુત્રોચ્ચાર કરવા લાગ્યું.

ના. તમે જો અમે વિચારતા હો કે આ ઘટના 1984ની છે તો તમારી ભૂલ છે. આ ઘટના 1976ની છે અને ત્યારે કંપની તરફથી ગાય ગુમાવનારાં દરેકને ગાયની દશ ગણી કિંમત (પાંચ હજાર રૂપિયા) ચૂક્વવામાં આવી હતી. કાશ, આ રીતે અસરગ્રસ્તોનું મોઢું બંધ દેવામાં ન આવ્યું હોત તો શક્ય છે કે, બીજી ડિસેમ્બર, 1984ની મોડી રાતે ભોપાલને ભરખી ગયેલી અને ત્યાર પછી થયેલી તમામ જીવલેણ દુર્ઘટનાઓ પ્રમાણમાં નજીવી લાગે તેવી હૃદય વિદારક કરૂણ ઘટના કદાચ, બની જ ન હોત. કઈ ઘટના ? માનવીય બેદરકારી અને કોર્પોરેટ કલ્ચરની વિકૃતિમાંથી જન્મેલી એ ઘટના કે જેમાં બીજી ડિસેમ્બરની રાતે જ પાંચ હજાર બસ્સો પંચાણું મોત તત્કાળ થઈ ગયા હતા અને તેની અસર રૂપે પછીના વરસોમાં દશ હજાર સુડતાલીસ લોકો ગુજરી ગયા. સાડત્રીસ હજાર આજીવન અપંગ બની ગયા અને કોણ જાણે કેટલાં હજાર બાળકો એ પછી જન્મજાતિ વિકૃતિ સાથે જન્મ્યાં.

- Advertisement -

આમ જુઓ તો આ હબકાવી દેનારી દુઘર્ટના (કે અકસ્માત ?)ને હવે સાડત્રીસ વરસ થશે પણ વિટંબણા ગણો કે કરુણતા કહો, એ છે કે તેને લગતો ચૂકાદો આવતાં પચ્ચીસ વરસ થયા હતા. તેના પર ફિલ્મો પણ બની. પુસ્તકો પણ લખાયાં. એક પુસ્તક તો ભાસ્કર ગ્રુપના જ પત્રકાર વિજય મનોહર વિતારીએ પણ લખ્યું, જેનું નામ સૂચક છે : આધી રાત કા સચ.

એ રાતે શું બનવાનું છે ભોપાલમાં તેની કોઈને ખબર નહોતી અને શું બની ગયું, તેની ગતાગમ સોળ હજાર જેટલાં નિર્દોષ લોકોને ક્યારેય થવાની જ નહોતી કારણકે તેઓ કશું સમજે કે કશોક બચાવ માટે કરી શકે એ પહેલાં જ મૌતની આગોશમાં ચાલ્યા ગયા હતા. યુનિયન કાર્બાઈડ નામનો દૈત્ય તેમને ભરખી ગયો. આ એક અમેરિકન કંપની છે, યુનિયન કાર્બાઈડ કોર્પોરેશન તરીકે 1934માં તેનો જન્મ થયો. સાઈઠના દશકામાં અંતમાં તેણે સેવિન નામની જંતુનાશક દવા બનાવેલી કે જેનો ઉપયોગ ખેતીમાં ઉગતાં પાકને લાગતી જીવાતના નાશક તરીકે થવાનો હતો. સેવિન જંતુનાશકનો પ્રચાર એવી રીતે કરવામાં આવ્યો હતો કે જાણે તેની શોધ અવતાર તરીકે થઈ છે.. પૃથ્વી પર (વાંચો, ખેતીપ્રધાન દેશો)ના કિશાનો માટે જાણે અલ્લાીનનો જાદુઈ ચિરાગ હોય તેમ પ્રમોટ થયેલી આ જંતુનાશક દવાના માલિકો-પ્રમોટરોનું લક્ષ્ા સ્વાભાવિક છે કે ભારત જેવા (એ વખતના અવિક્સીત) દેશો હોય. સેવિનનું ઉત્પાદન ભારતમાં શરૂ કરવામાં આવ્યું ત્યારે યુનિયન કાર્બાઈડ કોર્પોરેશનના ટેકનિકલ સલાહકારોએ કંપનીને ચેતવી હતી કે, સેવિન બનાવવા માટે જરૂરી એવી સુરક્ષ્ાા અને ચોક્કસાઈ અવિકસિત કે પછાત દેશોમાં નહીં જળવાય તો જોવા જેવી થશે. જોકે તેમને ગંભીરતાથી લેવામાં આવ્યા નહીં અને…

ખુદ અમેરિકામાં સેવિન અને યુનિયન કાર્બાઈડ કોર્પોરેશન આંખે ચઢેલી હતી તે ભારત અને ભોપાલમાં(1970માં) આવી ગઈ. અહીં તેનું નામ યુનિયન કાર્બાઈડ ઈન્ડિયા લિમિટેડ હતું કારણ કે (પ1 ટકા શેર કંપનીના અને) 49 ટકા હિસ્સેદારી ભારતીય ઈન્વેસ્ટરોની હતી. આ યાદીમાં ખુદ એક નામ ખુદ ગબ્બરનું એટલે કે ભારત સરકારનું પણ હતું.
યુનિયન કાર્બાઈડે ડિઝાઈન કરેલું(કહો કે બનાવેલું) સેવિન નામનું જંતુનાશક એક ષ્ટિથી વ્યાજબી લાગે કારણકે એ ખેતીના પાકને નુકશાન કરતી નાની-મોટી સેંકડો જીવાતોને મારી નાખવા માટે સક્ષ્ામ હતું પણ તેની બનાવટ દરમિયાન પ્રોસેસમાં વપરાતા અને આડપેદાશ તરીકે જન્મતાં ફોસજીન, હાઈડ્રોજનાઈડ એસિડ, એમોનિયા, મિથાઈલ આઈસો સાઈનેટ જેવા કેમિકલ અને ગેસ આસપાસના પર્યાવરણનું ધનોતપનોત કાઢી (શકે અને) નાખે એવા ખૂંખાર જાનવર જેવા હતા. ભોપાલને તો 1976માં તેનો એક પરચો મળી ગયો હતો. યુનિયન કાર્બાઈડની બાજુમાં આવેલી મજૂરો, વર્કરોની ઉડિયા બસ્તી પાસેના કુવા અને તળાવના પાણી બગડી ગયાનો પરચો મળી ગયો હતો. 1976ની એ ઘટના પછી કંપનીએ તપાસ કરાવી તો ખબર પડી કે પાણીમાં કલોરોફોર્મ, કાર્બન ટ્રેટ્રાકલોરાઈડ અને બેંજીનનું પ્રમાણ જાન લેવા સાબિત થાય એવું હતું. એ રિપોર્ટ ખાનગી રખાયો અને કશા જ પગલાં લેવામાં આવ્યા નહીં.
1984 સુધીમાં માત્ર એટલું પરિવર્તન આવ્યું કે બીજા જંતુનાશકો શોધાયા, કંપનીઓ બની, હરિફાઈ વધી અને સેવિનનો દબદબો ઘટી ગયો અને અમેરિકન યુનિયન કાર્બાઈડનો ભારતીય યુનિયન કાર્બાઈડમાંથી રસ ઘટી ગયો. 1984માં કંપનીએ કરક્સરના ભાગરૂપે અમુક યુનિટ બંધ ર્ક્યા, સ્ટાફ ઘટાડયો અને કરક્સરના પગલાં શરૂ ર્ક્યા એટલે સુરક્ષ્ાાના સયંત્રો બાબતે પણ હોતી હૈ, ચલતી હૈ નો અભિગમ ચાલ્યો.

- Advertisement -

જૂની મશીનરી અને અધકચરી ચાલતી સુરક્ષ્ાા પ્રણાલીએ બીજી ડિસેમ્બર, 1984ની રાતે તેનો પરચો દેખાડી દીધો. સામાન્ય રીતે જોખમી કેમિકલની ટાંકીઓ અડધી ભરેલી રાખવાની હોય (કે જેથી કોઈ રિએકશન કે વિકૃતિ વખતે તેનું શમન કરવાના કે મેળવણ કરવાની જગ્યા રહે ) પણ એ રાતે કંપનીની ત્રણ ટાંકીમાં 63 ટન જેટલો મિથાઈલ આઈસોસાઈટનો જથ્થો પડયો હતો. એન્ડુઆર્ડો મ્યૂનોજ નામના જર્મન રસાયણ શાસ્ત્રીના મતે , આ તો ફેકટરી વચ્ચે રાખેલો પરમાણુ બોમ્બ જ હતો.

મિથાઈલ આઈસોસાઈનેટને માઈનસ ઝીરો ડીગ્રી પર રાખવો પડે અને તેમાં કશુંય ભળે તો એ ઝેરીલો ગેસ બનાવીને વિનાશ જ વેરી દે. એ રાતે જૂની પાઈપને સાફ કરવા માટે પાણીનો મારો ચાલુ રખાયેલો પણ એ પાણી, પાઈપનો ક્ષ્ાાર તેમજ બીજો કચરો તેમાં ભળી ગયા અને… દૈત્ય જેવા કાળા વાદળનો ગેસ છૂટયો કે જેણે હજારો જિંદગી તબાહ કરી નાખી અને પચ્ચીસ વરસ પછી ભારતીય કોર્ટે બારમાંથી આઠ આરોપીને દોષી માનીને બે-બે વરસની સજા ઉપરાંત એક-એક લાખનો દંડ ર્ક્યો. યુનિયન કાર્બાઈડને પાંચ લાખનો દંડ ર્ક્યો. સાત આરોપીને એક વરસની સજા પ્લસ હજાર રૂપિયાનો દંડ ર્ક્યો અને જવા દો, એટલું જાણી લો કે તમામ આરોપીઓને ત્યારે જ પચ્ચીસ હજાર રૂપિયાના જામીન પર છોડી દેવામાં આવ્યા હતા.

You Might Also Like

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ

વાણી અને વર્તન દ્વારા પરિચય

અમેરિકાનું ‘મેકએલન’ વિશ્ર્વનું સૌથી મેદસ્વી શહેર

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સુખ, શાંતિ અને સમૃદ્ધિને રોકતાં અવરોધ શું હોઈ શકે?
Next Article કૌરવોના જન્મ પાછળનું સત્ય!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

હાઉસિંગ બોર્ડના 700થી વધુ જર્જરિત મકાન ખાલી કરવા મહાપાલિકાની નોટિસ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો
માળિયા હાટીના ખંભાળિયા ભાગવત સપ્તાહના ડાયરામાં નોટો ઉડાડવાના મામલે ફરિયાદ
કોટેચા સર્કલ પર પીક અવર્સમાં ટ્રાફિકજામથી મુક્તિ અપાવવા કાર ચાલકો માટે નિર્મલા રોડ બંધ
પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
મનીષ આચાર્ય

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?