By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રશિયાનું પગલું, વ્હોટ્સઍપ્પ અને ટેલિગ્રામ કોલ પર બેન
    3 days ago
    ટ્રમ્પ આવેશમાં આવીને નિર્ણય લે છે! ‘અમેરિકા પર વિશ્વાસ ન કરી બ્રિક્સ સાથે જોડાવ’: જેફરી સૅક્સ
    4 days ago
    પનામા કેનાલ પર યુએનમાં ચીન અને અમેરિકા વચ્ચે ટક્કર: દુનિયાભરનો 6 ટકા સમુદ્રી વ્યાપાર આ નહેરથી થાય છે
    6 days ago
    તો ભારત સામે યુદ્ધ લડવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેશે નહીં: પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોની ધમકી
    6 days ago
    અફઘાનિસ્તાન સરહદ પર પાકિસ્તાની સેનાએ 50 આતંકવાદીઓને ઠાર માર્યા
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘અમે વિવાદ નહીં, ઉકેલ ઈચ્છીએ છીએ’ રખડતાં કૂતરાઓ અંગે સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો
    3 days ago
    70 દેશોની જેલોમાં 10,574 ભારતીયો કેદ
    3 days ago
    જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આભ ફાટતાં વિનાશક દૃશ્યો, 10થી વધુ લોકોના મોતની આશંકા
    4 days ago
    કાલથી શરૂ થશે 1 વર્ષ સુધી ચાલે તેવા FASTag Pass, ખરીદવાની જાણો આ સિમ્પલ પ્રોસેસ
    4 days ago
    ફરિયાદી ગોડસેના સગા: રાહુલ ગાંધીએ સાવરકરની ટિપ્પણી પર જીવનો ખતરો હોવાનો દાવો કર્યો
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સચિન તેંડુલકરના પુત્ર અર્જુનની સગાઈ સાનિયા ચંડોક સાથે થઈ
    4 days ago
    8 વર્ષના રિલેશન બાદ રોનાલ્ડો અને જોર્જિના કરશે લગ્ન, સગાઈની તસ્વીર થઈ વાઈરલ
    6 days ago
    દેવયાનીબા ઝાલાએ વર્લ્ડ એથ્લેટિક્સ ટૂર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યું
    6 days ago
    દુષ્કર્મના આરોપમાં પાકિસ્તાની બેટ્સમેનની ધરપકડ, PCBએ સસ્પેન્ડ કરીને કડક કાર્યવાહી કરી
    1 week ago
    ક્રિકેટરોનું વર્કલોડ મેનેજમેન્ટ હવે બોર્ડ નક્કી કરશે
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ચાલો આજે જાણીએ બચ્ચન પરિવારની વહુ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર એક્ટ્રેસ ઐશ્વર્યા રાયની નેટવર્થ વિશે
    7 days ago
    કપિલ શર્માના કેનેડા કાફેમાં મહિનામાં બીજી વાર 25થી વધુ ગોળીબાર
    1 week ago
    હુમા કુરેશીના પિતરાઈ ભાઈ આસિફ કુરેશીની દિલ્હીમાં હત્યા કરાઈ
    1 week ago
    કાજોલે હિન્દી બોલવાની સ્પષ્ટ ના પાડતા, સોશિયલ મીડિયામાં થઈ ટ્રોલ
    2 weeks ago
    ફિલ્મી કરિયર ઝીરો પણ સંપત્તિની વાત કરવામાં આવે તો 500 કરોડનો માલિક છે અરબાઝ ખાન
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    જન્માષ્ટમીના દિવસે ભગવાન વિષ્ણુને પ્રિય એવા તુલસીના છોડ સાથે આવું ક્યારેય પણ ન કરશો
    4 days ago
    ભાઈ અને બહેનના પ્રેમનો પવિત્ર દિવસ એટલે રક્ષાબંધન
    1 week ago
    રક્ષાબંધન પર રાખડી બાંધવાનું શુભ મુહુર્ત સવારથી શરૂ
    1 week ago
    ભારત સિવાયમાં બીજા આ દેશોમાં પણ ઉજવાય રક્ષાબંધન
    2 weeks ago
    રાખડી આકર્ષિત તો દેખાય છે પણ શું રંગથી પણ કાઈ ફરક પડે છે ? ચાલો જાણીએ
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    માનીતા શિક્ષકોને સાચવી લેવા નિયમ વિરૂદ્ધ બે પાળીમાં ચાલતી સ્કૂલો
    3 days ago
    શિક્ષણ સમિતિમાં ‘ઑફિસ કામગીરી’નાં બહાને જલ્સા કરે છે એક ડઝન શિક્ષકો
    3 days ago
    રીબડા પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ કરાવનાર મુખ્ય સૂત્રધાર હાર્દિકસિંહ કેરળથી ઝડપાયો
    5 days ago
    શિક્ષણ સમિતિનાં ચેરમેન વિક્રમ પુજારાએ જરૂરિયાત વગર એક ડઝન સ્કૂલ પાડીને નવી બનાવી
    6 days ago
    લોધિકાના હરિપર તરવડા ગામે ખાણ ખનીજ વિભાગના દરોડા, લાખો ટન ખનીજચોરીની આશંકા
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કૌરવોના જન્મ પાછળનું સત્ય!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > કૌરવોના જન્મ પાછળનું સત્ય!
AuthorParakh Bhattધર્મ

કૌરવોના જન્મ પાછળનું સત્ય!

Khaskhabar Editor
Last updated: 2021/12/04 at 4:01 PM
Khaskhabar Editor 4 years ago
Share
8 Min Read
SHARE

કૌરવોનાં જન્મની આખી ઘટના કોઇ વિજ્ઞાનથી કમ નથી. ઓર્ગન રી-જનરેશન માટે યુ.એસ. પેટન્ટ મેળવી ચૂકેલા ડો. બી.જી. માતપુરકરનું કહેવું છે કે મહાભારતકાળમાં ઋષિ-મુનિઓ પાસે ફક્ત ટેસ્ટ-ટ્યુબ તથા ગર્ભ છુટો પાડવાની વિધિ જ નહીં, પરંતુ બહાર કાઢેલા માંસપિંડને ગર્ભાશય વગર ઉછેરી શકવાની એવી તકનિક મૌજૂદ હતી.

મૉડર્ન ધર્મ
– પરખ ભટ્ટ

ઋષિ-મુનિઓ પાસે એવા પ્રકારનું વિજ્ઞાન હતું જેની મદદ વડે તેઓ માતાનાં ગર્ભાશય વગર પણ સંતતિને જન્મ આપી શકતાં.

- Advertisement -

ગાંધારી અને ધૃતરાષ્ટ્રનાં 101 સંતાન વિશેની કથા સાંભળીએ ત્યારે હંમેશા એક પ્રશ્ન ઉદભવે કે, એકીસાથે આટલા બધા બાળકોનો જન્મ શી રીતે શક્ય બને? વિશ્વનાં મોટાભાગનાં ઇતિહાસકારો અને તત્વચિંતકોએ મહાભારતને કપોળકલ્પિત ગ્રંથ ગણાવ્યો! પરંતુ આજે એ તમામ લોકો નતમસ્તક થઈને આપણા મહાકાવ્યોની ભવ્યતા સ્વીકારવા તૈયાર છે. એકવીસમી સદી જ્યારથી શરૂ થઈ, ત્યારથી વિજ્ઞાને હરણફાળ ભરી. અશક્ય લાગતી વૈજ્ઞાનિક ખોજને અતિ બુધ્ધિશાળી મગજોએ હકીકત બનાવી. અને ત્યારબાદ, જ્યારે ફરી આપણા ઇતિહાસ અને પુરાણોમાં ડોકિયા કરાયા ત્યારે એમને માલૂમ પડ્યું કે મોટાભાગનાં આધુનિક સંશોધનનો ઉલ્લેખ તો ભારતીય સંસ્કૃતિમાં પહેલેથી કરવામાં આવ્યો છે! સ્ટેમ-સેલ ટેકનોલોજી વિશે આપ કેટલું જાણો છો?

સાવ સરળ ભાષામાં કહેવું હોય તો, શરીરનાં કોઇ ભાગ પરથી ખેંચી લેવામાં આવેલા કોષ પરથી લેબોરેટરીમાં એ ચોક્ક્સ શારીરિક ભાગની રેપ્લિકા બનાવી શકાય છે. આધુનિક વિજ્ઞાને આને સ્ટેમ-સેલ ટેકનોલોજીનું નામ આપ્યું છે. દાખલા તરીકે, ચામડીનાં સ્ટેમ-સેલ પરથી બીજી નવી ચામડી બનાવવી શક્ય છે, સ્નાયુનાં સ્ટેમ-સેલનો ઉપયોગ કરીને નવા સ્નાયુ બનાવી શકાય છે, સ્ટેમ-સેલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને શરીરમાંથી બ્લડ સેલ (રક્તકણો)નું સેમ્પલ લઈ લેવામાં આવે તો તેનાં પરથી નવા રક્તકણો (નવું લોહી સુધ્ધાં!) બનાવી શકવાની પધ્ધતિ હાલનાં વિજ્ઞાન પાસે છે. કેટલીક જાતનાં કેન્સર તથા લોહીને લગતાં અતિ ગંભીર રોગમાં સ્ટેમ-સેલ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે.

ઋષિ-મુનિઓ પાસે એવા પ્રકારનું વિજ્ઞાન હતું જેની મદદ વડે તેઓ માતાનાં ગર્ભાશય વગર પણ સંતતિને જન્મ આપી શકતાં. જીનેટિક્સ, ક્લોનિંગ (એક મૂળ કે પૂર્વજમાંથી લૈંગિક પ્રક્રિયા વિના પેદા થયેલ જીવ), ટેસ્ટ-ટ્યુબ બેબી તથા સ્ટેમ-સેલ ટેકનોલોજી તો ફક્ત આધુનિક શબ્દો છે. મહાભારતમાં આદિપર્વ અધ્યાય 114નાં શ્લોક ક્રમાંક 1 થી 36 દરમિયાન મહર્ષિ વેદ વ્યાસનાં હસ્તિનાપુર આગમન તેમજ કૌરવોનાં જન્મ વિશેની વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી છે.
મહર્ષિ વેદ વ્યાસ જ્યારે હસ્તિનાપુર પધાર્યા ત્યારે ગાંધારીએ તેમની ખૂબ સેવા કરી. જેનાથી પ્રસન્ન થયેલા ઋષિએ તેમને એક વરદાન માંગવાનું કહ્યું. ગાંધારીએ પોતાનાં પતિ ધૃતરાષ્ટ્ર સમાન બળશાળી એવા પુત્રોની માંગણી કરી, જે તેમનાં રાજ્યને તમામ શત્રુઓથી રક્ષણ અપાવી શકે! મહર્ષિ તો ‘તથાસ્તુ’ કહીને પોતાનાં માર્ગે જવા રવાના થઈ ગયા.

- Advertisement -

ગાંધારીને ગર્ભવતી થયાને હવે નવ મહિના વીતી ચૂક્યા હતાં. છતાં પણ બાળકનાં આગમનનાં કોઇ એંધાણ નહોતાં જણાતાં. એક વર્ષ વીત્યું, દોઢ વર્ષ વીત્યા! ગાંધારીની ધીરજ હવે ખૂટી રહી હતી. ધૃતરાષ્ટ્રનાં નાના ભાઈ પાંડુની પત્ની કુંતીને ત્યાં એક બાળક (યુધિષ્ઠિર)નો જન્મ થઈ ચૂક્યો હતો. આથી એ પણ નક્કી હતું કે જયેષ્ઠ પુત્ર જ હસ્તિનાપુરની રાજગાદીનો વારસ બનશે. ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનો ઉચાટ દિવસે ને દિવસે વધી રહ્યો હતો. એમ કરતાં-કરતાં ગાંધારીનાં ગર્ભને બે વર્ષ પૂરા થઈ ગયા. એક દિવસ તેણે ક્રોધમાં આવીને પોતાનાં ગર્ભ પર જોરથી પ્રહાર કર્યો. પરિણામસ્વરૂપ, (આજની મેડિકલ લેંગ્વેજમાં જેને ‘મિસકેરેજ’ કહે છે એ) તેનાં પેટમાંથી બાળકને બદલે માંસનો આખો પિંડ બહાર નીકળ્યો. આ સાથે જ, વેદ વ્યાસને તેડું મોકલવામાં આવ્યું. જ્યારે મહર્ષિ ફરી પધાર્યા ત્યારે ગાંધારીએ તેમણે આપેલા વરદાન પર શંકા વ્યક્ત કરી.

દુર્યોધનનો જન્મ ‘અભિમાન’નું પ્રતિક છે,
ગાંધારીએ પોતાનાં પતિ માટે આંખે પાટા બાંધ્યા’તા

પરંતુ મહર્ષિ વ્યાસ તો મનમાં ને મનમાં મલકાઈ રહ્યા હતાં. તેમણે ગાંધારીને કહ્યું કે હાસ-પરિહાસ દરમિયાન કહેલી મારી વાતો પણ ક્યારેય મિથ્યા નથી હોતી, તો પછી મારું આપેલું વરદાન તો કઈ રીતે નિષ્ફળ જઈ શકે!? તમે શક્ય એટલી ત્વરાથી સો કુંડ (ઘડા) તૈયાર કરાવડાવી એને ઘી વડે ભરી દો!

આટલું કહીને મહર્ષિએ માંસ-પિંડનાં સો ટુકડા કર્યા. દરેક ટુકડાંનું કદ હાથનાં નાનકડાં અંગૂઠા જેવડું રાખવામાં આવ્યું. ગાંધારીએ એમને પુત્રી-પ્રાપ્તિ માટે પણ યાચના કરી. પરિણામસ્વરૂપ, મહર્ષિએ માંસપિંડમાંથી 101મો ટુકડો અલગ કાઢ્યો. આ પ્રક્રિયા પૂરી થતાંવેંત ઘી તેમજ અન્ય કેટલીક આયુર્વેદિક ઔષધિથી ભરાયેલા 101 ઘડાઓમાં તમામ ટુકડાઓને વિસ્થાપિત કરી દેવામાં આવ્યા. મહર્ષિએ આગળની પ્રક્રિયા માટે ઋષિ દ્વૈપાયનને જવાબદારી સોંપી. દ્વૈપાયને તમામ ઘડાની આજુબાજુ ભીનું કપડું વીંટાળી તેને માનવ-નિર્મિત ગુફામાં રાખી દીધા, જેનું તાપમાન ખૂબ ઉંચુ રાખવામાં આવ્યું હતું. (હવે ફરી એકવાર સ્ટેમ-સેલ ટેકનોલોજી વિશે અગાઉ આપેલી સમજણ વાંચી જાઓ. બંને વચ્ચેનાં તાણાવાણા મળી આવશે.)

બરાબર બે વર્ષનો સમયગાળો વીત્યા બાદ, જે ઘડાને સૌથી પહેલા ગુફામાં મૂકાયો હતો તેને ખોલવામાં આવ્યો, જેમાંથી દુર્યોધનનો જન્મ થયો. એ જ દિવસે, કુંતીએ વાયુદેવનાં આહ્વાહન વડે સેંકડો હાથીનું બળ ધરાવતાં ભીમને જન્મ આપ્યો. એક મહિના પછી ક્રમશ: દુ:શાસન સહિત અન્ય 98 કૌરવો જન્મ્યા. સૌથી છેલ્લે જન્મી : કૌરવોની એકમાત્ર બહેન – દુશલા! આ રીતે, માત્ર એક માંસપિંડ થકી 101 સંતાનો જન્મ્યા. (દુર્યોધનનો જન્મ થયો એ દિવસ હસ્તિનાપુર માટે ઘણો ભયાવહ રહ્યો હતો. ચારેકોર અફડાતફડી મચી ગઈ હતી. પ્રાણીઓ કોઇ કારણ વગર મોટે-મોટેથી રૂદન તેમજ ગર્જનાઓ કરી રહ્યા હતાં. પરિસ્થિતિ પારખી જઈને વિદુરે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને સાવધ પણ કર્યા કે આ તમામ સંકેતો વિનાશનું સૂચન કરે છે. નવજાત દુર્યોધન સમગ્ર કુરૂવંશનાં વિધ્વંશનું કારણ બનશે, માટે એનો ત્યાગ કરી તેને મારી નાંખવામાં આવે તો અને તો જ સંકટ ટળી શકે એવી સંભાવના છે! પરંતુ પુત્ર-પ્રેમને કારણે તેઓ દુર્યોધનનો ત્યાગ ન કરી શક્યા.)

કૌરવોનાં જન્મની આખી ઘટના કોઇ વિજ્ઞાનથી કમ નથી. ઓર્ગન રી-જનરેશન (અંગોને નવજીવન પ્રદાન કરવું તે) માટે યુ.એસ. પેટન્ટ મેળવી ચૂકેલા ડો. બી.જી. માતપુરકરનું કહેવું છે કે મહાભારતકાળમાં ઋષિ-મુનિઓ પાસે ફક્ત ટેસ્ટ-ટ્યુબ તથા ગર્ભ છુટો પાડવાની વિધિ જ નહીં, પરંતુ બહાર કાઢેલા માંસપિંડને ગર્ભાશય વગર ઉછેરી શકવાની એવી તકનિક મૌજૂદ હતી, જ્યાં સુધી આપણું વિજ્ઞાન હજુ સુધી નજર સુધ્ધાં નથી કરી શક્યું! દુર્યોધનનો જન્મ ‘અભિમાન’નું પ્રતિક છે. ગાંધારીએ પોતાનાં પતિ માટે આંખે પાટા બાંધ્યા. પરંતુ ખરેખર આવું પગલું ઉઠાવીને તેણે પોતાની બુધ્ધિ પર પણ અંધારપટ લાવી દીધો! પાંચ જ્ઞાનેન્દ્રિયો (આંખ, નાક, કાન, જીભ, ત્વચા) અને પાંચ કર્મેન્દ્રિયો (હાથ, પગ, મોં, ગુદા, જનનાંગ) જ્યારે દસેય દિશાઓ (પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઇશાન, નૈઋત્ય, વાયવ્ય, આગ્નેય, આકાશ, પાતાલ) સાથે મળે છે, ત્યારે કુલ સો (10 જ્ઞાનેન્દ્રિય ગુણ્યા 10 દિશા=100) પ્રકારની અપેક્ષાઓ, ઇચ્છાઓ, વિચારો, મહત્વકાંક્ષાઓ તથા સપનાઓને જન્મ આપે છે. ગાંધારીની તમામ ઇન્દ્રિયો તેની બુધ્ધિનાં અંધત્વનાં પ્રભાવ હેઠળ આવી. તેનું મગજ દસ દિશામાં સમજ્યા-વિચાર્યા વગર દોડ્યું. જેનાં ફળસ્વરૂપ, કૌરવોનો જન્મ થયો! આથી પુરાણોમાં કૌરવોને હંમેશા હીનદ્રષ્ટિથી (અંધ બુધ્ધિ + અંધ મગજ) જ જોવામાં આવ્યા છે.

મહાભારતનાં આ પ્રસંગને ભગવદગીતાનાં એક શ્લોક વડે વર્ણવી શકાય એમ છે :

बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जित: |
अनात्मनस्तु शत्रुत्वे वर्ते तात्मैव शत्रुवत् 
||

(ભગવદગીતા ૬.૬)

અર્થ : જેમણે પોતાનાં મન પર કાબૂ મેળવી લીધો છે એમનાં માટે તે મિત્ર સમાન છે. પરંતુ જે વ્યક્તિ આમ નથી કરી શક્યો એનો સૌથી મોટો દુશ્મન એનું પોતાનું મન છે.

You Might Also Like

જન્માષ્ટમીના દિવસે ભગવાન વિષ્ણુને પ્રિય એવા તુલસીના છોડ સાથે આવું ક્યારેય પણ ન કરશો

અમારી પાસે હણહણતું પત્રકારત્વ છે, ‘ખાસ-ખબર’ ભલભલાને દઝાડે છે અને લાયક વ્યક્તિને નિર્મળ શીતળતા આપે છે

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વ્યવસાયિક વિશ્ર્વની નવી તકો ઉભી કરતું ક્ષેત્ર

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ…

એઇમ્સ અને હિરાસર એરપોર્ટે રાજકોટને નવી ઓળખ આપી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પંદર હજારના મોત, પચ્ચીસ હજારમાં જામીન
Next Article ડાન્સ કોરિયોગ્રાફરથી ફૂડ ડિલીવરી ગર્લ રિન્નીની સંઘર્ષભરી સફર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

વઢવાણ: પુત્રની સારવાર માટે ગયેલા પરિવારના રહેણાંક મકાનમાં ચોરી

khaskhabarrajkot khaskhabarrajkot 3 days ago
માનીતા શિક્ષકોને સાચવી લેવા નિયમ વિરૂદ્ધ બે પાળીમાં ચાલતી સ્કૂલો
શિક્ષણ સમિતિમાં ‘ઑફિસ કામગીરી’નાં બહાને જલ્સા કરે છે એક ડઝન શિક્ષકો
ધોરાજીના સુપેડીમાં મુરલી મનોહર મંદિરમાં લલિત ત્રિભંગી મુદ્રામાં બિરાજતાં ભગવાન શ્રીકૃષ્ણ
સોમવારે રામનાથ મહાદેવ મંદિરેથી બપોરે 3.30 કલાકેથી 102મી વર્ણાંગી નીકળશે
રાજકોટ શહેર ભાજપ કાર્યાલયે 79મા સ્વાતંત્ર્ય પર્વે વજુભાઈ વાળાના હસ્તે તિરંગાને સલામી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મ

જન્માષ્ટમીના દિવસે ભગવાન વિષ્ણુને પ્રિય એવા તુલસીના છોડ સાથે આવું ક્યારેય પણ ન કરશો

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Kinnar Acharyaખાસ-ખબર

અમારી પાસે હણહણતું પત્રકારત્વ છે, ‘ખાસ-ખબર’ ભલભલાને દઝાડે છે અને લાયક વ્યક્તિને નિર્મળ શીતળતા આપે છે

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Hemadri Acharya Dave

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વ્યવસાયિક વિશ્ર્વની નવી તકો ઉભી કરતું ક્ષેત્ર

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?