By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાની છોકરીઓને ચીનમાં દુલ્હન તરીકેની હરાજી કરવામાં આવે છે
    3 minutes ago
    હસીનાને ફાંસીની સજાના વિરોધમાં આજે બાંગ્લાદેશ બંધ
    22 hours ago
    યુક્રેન-રશિયા યુદ્ધ: 100 જેટલા રાફેલ ફાઈટર જેટ સપ્લાય થતા જ બદલાશે યુદ્ધની દિશા
    23 hours ago
    કોંગોના મંત્રીને લઈ જતું ચાર્ટર્ડ પ્લેન થયું ક્રેશ
    24 hours ago
    તાઇવાન-ચીનના એકીકરણના પ્રયાસમાં કોઈપણ પ્રકારનો હસ્તક્ષેપ કરશે, તો જાપાને હારનો સામનો કરવો પડશે
    24 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    યોગીનું મહત્વનું પગલું: મદરેસાઓના મૌલવી અને વિદ્યાર્થીઓની સંપૂર્ણ વિગતો ATSને આપવાની રહેશે
    27 minutes ago
    બિહાર સરકારની રચના: નીતિશ કુમારનું નામ ફાઈનલ થતા મુખ્યમંત્રી તરીકે 10મી ટર્મ માટે શપથ લેશે
    44 minutes ago
    વૉટર લિસ્ટ રિવિઝન-કેરળ બાદ તમિલનાડુએ તેનો બહિષ્કાર કર્યો
    22 hours ago
    રીયલ લાઈફ સિંઘમ
    22 hours ago
    અલ ફલાહ યુનિ. જ આતંકનો અડ્ડો: 35 સ્થળો પર દરોડા
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વિશ્ર્વ વિજેતા ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર 22 નવેમ્બરે રાજકોટ આવશે
    21 hours ago
    IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
    4 days ago
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    5 days ago
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    7 days ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સિંગર હ્યૂમન સાગરે 34 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું
    24 hours ago
    દુબઈમાં રૂ.4000 કરોડનો શાહરુખ ખાનના નામ પર બનશે ટાવર
    4 days ago
    ડીપફેક શોષિત સેલેબ્સની લિસ્ટમાં શાહરૂખ ખાન ટોપ પર
    4 days ago
    રાજકુમાર રાવ અને પત્રલેખા તેમની લગ્નની ચોથી એનિવર્સરીના દિવસે માતા-પિતા બન્યા
    4 days ago
    ‘નદિયા કા પાર’ ફેમ કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 month ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    1 month ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    1 month ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    1 month ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    1 week ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કૌરવોના જન્મ પાછળનું સત્ય!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > કૌરવોના જન્મ પાછળનું સત્ય!
AuthorParakh Bhattધર્મ

કૌરવોના જન્મ પાછળનું સત્ય!

Khaskhabar Editor
Last updated: 2021/12/04 at 4:01 PM
Khaskhabar Editor 4 years ago
Share
8 Min Read
SHARE

કૌરવોનાં જન્મની આખી ઘટના કોઇ વિજ્ઞાનથી કમ નથી. ઓર્ગન રી-જનરેશન માટે યુ.એસ. પેટન્ટ મેળવી ચૂકેલા ડો. બી.જી. માતપુરકરનું કહેવું છે કે મહાભારતકાળમાં ઋષિ-મુનિઓ પાસે ફક્ત ટેસ્ટ-ટ્યુબ તથા ગર્ભ છુટો પાડવાની વિધિ જ નહીં, પરંતુ બહાર કાઢેલા માંસપિંડને ગર્ભાશય વગર ઉછેરી શકવાની એવી તકનિક મૌજૂદ હતી.

મૉડર્ન ધર્મ
– પરખ ભટ્ટ

ઋષિ-મુનિઓ પાસે એવા પ્રકારનું વિજ્ઞાન હતું જેની મદદ વડે તેઓ માતાનાં ગર્ભાશય વગર પણ સંતતિને જન્મ આપી શકતાં.

- Advertisement -

ગાંધારી અને ધૃતરાષ્ટ્રનાં 101 સંતાન વિશેની કથા સાંભળીએ ત્યારે હંમેશા એક પ્રશ્ન ઉદભવે કે, એકીસાથે આટલા બધા બાળકોનો જન્મ શી રીતે શક્ય બને? વિશ્વનાં મોટાભાગનાં ઇતિહાસકારો અને તત્વચિંતકોએ મહાભારતને કપોળકલ્પિત ગ્રંથ ગણાવ્યો! પરંતુ આજે એ તમામ લોકો નતમસ્તક થઈને આપણા મહાકાવ્યોની ભવ્યતા સ્વીકારવા તૈયાર છે. એકવીસમી સદી જ્યારથી શરૂ થઈ, ત્યારથી વિજ્ઞાને હરણફાળ ભરી. અશક્ય લાગતી વૈજ્ઞાનિક ખોજને અતિ બુધ્ધિશાળી મગજોએ હકીકત બનાવી. અને ત્યારબાદ, જ્યારે ફરી આપણા ઇતિહાસ અને પુરાણોમાં ડોકિયા કરાયા ત્યારે એમને માલૂમ પડ્યું કે મોટાભાગનાં આધુનિક સંશોધનનો ઉલ્લેખ તો ભારતીય સંસ્કૃતિમાં પહેલેથી કરવામાં આવ્યો છે! સ્ટેમ-સેલ ટેકનોલોજી વિશે આપ કેટલું જાણો છો?

સાવ સરળ ભાષામાં કહેવું હોય તો, શરીરનાં કોઇ ભાગ પરથી ખેંચી લેવામાં આવેલા કોષ પરથી લેબોરેટરીમાં એ ચોક્ક્સ શારીરિક ભાગની રેપ્લિકા બનાવી શકાય છે. આધુનિક વિજ્ઞાને આને સ્ટેમ-સેલ ટેકનોલોજીનું નામ આપ્યું છે. દાખલા તરીકે, ચામડીનાં સ્ટેમ-સેલ પરથી બીજી નવી ચામડી બનાવવી શક્ય છે, સ્નાયુનાં સ્ટેમ-સેલનો ઉપયોગ કરીને નવા સ્નાયુ બનાવી શકાય છે, સ્ટેમ-સેલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને શરીરમાંથી બ્લડ સેલ (રક્તકણો)નું સેમ્પલ લઈ લેવામાં આવે તો તેનાં પરથી નવા રક્તકણો (નવું લોહી સુધ્ધાં!) બનાવી શકવાની પધ્ધતિ હાલનાં વિજ્ઞાન પાસે છે. કેટલીક જાતનાં કેન્સર તથા લોહીને લગતાં અતિ ગંભીર રોગમાં સ્ટેમ-સેલ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે.

ઋષિ-મુનિઓ પાસે એવા પ્રકારનું વિજ્ઞાન હતું જેની મદદ વડે તેઓ માતાનાં ગર્ભાશય વગર પણ સંતતિને જન્મ આપી શકતાં. જીનેટિક્સ, ક્લોનિંગ (એક મૂળ કે પૂર્વજમાંથી લૈંગિક પ્રક્રિયા વિના પેદા થયેલ જીવ), ટેસ્ટ-ટ્યુબ બેબી તથા સ્ટેમ-સેલ ટેકનોલોજી તો ફક્ત આધુનિક શબ્દો છે. મહાભારતમાં આદિપર્વ અધ્યાય 114નાં શ્લોક ક્રમાંક 1 થી 36 દરમિયાન મહર્ષિ વેદ વ્યાસનાં હસ્તિનાપુર આગમન તેમજ કૌરવોનાં જન્મ વિશેની વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી છે.
મહર્ષિ વેદ વ્યાસ જ્યારે હસ્તિનાપુર પધાર્યા ત્યારે ગાંધારીએ તેમની ખૂબ સેવા કરી. જેનાથી પ્રસન્ન થયેલા ઋષિએ તેમને એક વરદાન માંગવાનું કહ્યું. ગાંધારીએ પોતાનાં પતિ ધૃતરાષ્ટ્ર સમાન બળશાળી એવા પુત્રોની માંગણી કરી, જે તેમનાં રાજ્યને તમામ શત્રુઓથી રક્ષણ અપાવી શકે! મહર્ષિ તો ‘તથાસ્તુ’ કહીને પોતાનાં માર્ગે જવા રવાના થઈ ગયા.

- Advertisement -

ગાંધારીને ગર્ભવતી થયાને હવે નવ મહિના વીતી ચૂક્યા હતાં. છતાં પણ બાળકનાં આગમનનાં કોઇ એંધાણ નહોતાં જણાતાં. એક વર્ષ વીત્યું, દોઢ વર્ષ વીત્યા! ગાંધારીની ધીરજ હવે ખૂટી રહી હતી. ધૃતરાષ્ટ્રનાં નાના ભાઈ પાંડુની પત્ની કુંતીને ત્યાં એક બાળક (યુધિષ્ઠિર)નો જન્મ થઈ ચૂક્યો હતો. આથી એ પણ નક્કી હતું કે જયેષ્ઠ પુત્ર જ હસ્તિનાપુરની રાજગાદીનો વારસ બનશે. ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનો ઉચાટ દિવસે ને દિવસે વધી રહ્યો હતો. એમ કરતાં-કરતાં ગાંધારીનાં ગર્ભને બે વર્ષ પૂરા થઈ ગયા. એક દિવસ તેણે ક્રોધમાં આવીને પોતાનાં ગર્ભ પર જોરથી પ્રહાર કર્યો. પરિણામસ્વરૂપ, (આજની મેડિકલ લેંગ્વેજમાં જેને ‘મિસકેરેજ’ કહે છે એ) તેનાં પેટમાંથી બાળકને બદલે માંસનો આખો પિંડ બહાર નીકળ્યો. આ સાથે જ, વેદ વ્યાસને તેડું મોકલવામાં આવ્યું. જ્યારે મહર્ષિ ફરી પધાર્યા ત્યારે ગાંધારીએ તેમણે આપેલા વરદાન પર શંકા વ્યક્ત કરી.

દુર્યોધનનો જન્મ ‘અભિમાન’નું પ્રતિક છે,
ગાંધારીએ પોતાનાં પતિ માટે આંખે પાટા બાંધ્યા’તા

પરંતુ મહર્ષિ વ્યાસ તો મનમાં ને મનમાં મલકાઈ રહ્યા હતાં. તેમણે ગાંધારીને કહ્યું કે હાસ-પરિહાસ દરમિયાન કહેલી મારી વાતો પણ ક્યારેય મિથ્યા નથી હોતી, તો પછી મારું આપેલું વરદાન તો કઈ રીતે નિષ્ફળ જઈ શકે!? તમે શક્ય એટલી ત્વરાથી સો કુંડ (ઘડા) તૈયાર કરાવડાવી એને ઘી વડે ભરી દો!

આટલું કહીને મહર્ષિએ માંસ-પિંડનાં સો ટુકડા કર્યા. દરેક ટુકડાંનું કદ હાથનાં નાનકડાં અંગૂઠા જેવડું રાખવામાં આવ્યું. ગાંધારીએ એમને પુત્રી-પ્રાપ્તિ માટે પણ યાચના કરી. પરિણામસ્વરૂપ, મહર્ષિએ માંસપિંડમાંથી 101મો ટુકડો અલગ કાઢ્યો. આ પ્રક્રિયા પૂરી થતાંવેંત ઘી તેમજ અન્ય કેટલીક આયુર્વેદિક ઔષધિથી ભરાયેલા 101 ઘડાઓમાં તમામ ટુકડાઓને વિસ્થાપિત કરી દેવામાં આવ્યા. મહર્ષિએ આગળની પ્રક્રિયા માટે ઋષિ દ્વૈપાયનને જવાબદારી સોંપી. દ્વૈપાયને તમામ ઘડાની આજુબાજુ ભીનું કપડું વીંટાળી તેને માનવ-નિર્મિત ગુફામાં રાખી દીધા, જેનું તાપમાન ખૂબ ઉંચુ રાખવામાં આવ્યું હતું. (હવે ફરી એકવાર સ્ટેમ-સેલ ટેકનોલોજી વિશે અગાઉ આપેલી સમજણ વાંચી જાઓ. બંને વચ્ચેનાં તાણાવાણા મળી આવશે.)

બરાબર બે વર્ષનો સમયગાળો વીત્યા બાદ, જે ઘડાને સૌથી પહેલા ગુફામાં મૂકાયો હતો તેને ખોલવામાં આવ્યો, જેમાંથી દુર્યોધનનો જન્મ થયો. એ જ દિવસે, કુંતીએ વાયુદેવનાં આહ્વાહન વડે સેંકડો હાથીનું બળ ધરાવતાં ભીમને જન્મ આપ્યો. એક મહિના પછી ક્રમશ: દુ:શાસન સહિત અન્ય 98 કૌરવો જન્મ્યા. સૌથી છેલ્લે જન્મી : કૌરવોની એકમાત્ર બહેન – દુશલા! આ રીતે, માત્ર એક માંસપિંડ થકી 101 સંતાનો જન્મ્યા. (દુર્યોધનનો જન્મ થયો એ દિવસ હસ્તિનાપુર માટે ઘણો ભયાવહ રહ્યો હતો. ચારેકોર અફડાતફડી મચી ગઈ હતી. પ્રાણીઓ કોઇ કારણ વગર મોટે-મોટેથી રૂદન તેમજ ગર્જનાઓ કરી રહ્યા હતાં. પરિસ્થિતિ પારખી જઈને વિદુરે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને સાવધ પણ કર્યા કે આ તમામ સંકેતો વિનાશનું સૂચન કરે છે. નવજાત દુર્યોધન સમગ્ર કુરૂવંશનાં વિધ્વંશનું કારણ બનશે, માટે એનો ત્યાગ કરી તેને મારી નાંખવામાં આવે તો અને તો જ સંકટ ટળી શકે એવી સંભાવના છે! પરંતુ પુત્ર-પ્રેમને કારણે તેઓ દુર્યોધનનો ત્યાગ ન કરી શક્યા.)

કૌરવોનાં જન્મની આખી ઘટના કોઇ વિજ્ઞાનથી કમ નથી. ઓર્ગન રી-જનરેશન (અંગોને નવજીવન પ્રદાન કરવું તે) માટે યુ.એસ. પેટન્ટ મેળવી ચૂકેલા ડો. બી.જી. માતપુરકરનું કહેવું છે કે મહાભારતકાળમાં ઋષિ-મુનિઓ પાસે ફક્ત ટેસ્ટ-ટ્યુબ તથા ગર્ભ છુટો પાડવાની વિધિ જ નહીં, પરંતુ બહાર કાઢેલા માંસપિંડને ગર્ભાશય વગર ઉછેરી શકવાની એવી તકનિક મૌજૂદ હતી, જ્યાં સુધી આપણું વિજ્ઞાન હજુ સુધી નજર સુધ્ધાં નથી કરી શક્યું! દુર્યોધનનો જન્મ ‘અભિમાન’નું પ્રતિક છે. ગાંધારીએ પોતાનાં પતિ માટે આંખે પાટા બાંધ્યા. પરંતુ ખરેખર આવું પગલું ઉઠાવીને તેણે પોતાની બુધ્ધિ પર પણ અંધારપટ લાવી દીધો! પાંચ જ્ઞાનેન્દ્રિયો (આંખ, નાક, કાન, જીભ, ત્વચા) અને પાંચ કર્મેન્દ્રિયો (હાથ, પગ, મોં, ગુદા, જનનાંગ) જ્યારે દસેય દિશાઓ (પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઇશાન, નૈઋત્ય, વાયવ્ય, આગ્નેય, આકાશ, પાતાલ) સાથે મળે છે, ત્યારે કુલ સો (10 જ્ઞાનેન્દ્રિય ગુણ્યા 10 દિશા=100) પ્રકારની અપેક્ષાઓ, ઇચ્છાઓ, વિચારો, મહત્વકાંક્ષાઓ તથા સપનાઓને જન્મ આપે છે. ગાંધારીની તમામ ઇન્દ્રિયો તેની બુધ્ધિનાં અંધત્વનાં પ્રભાવ હેઠળ આવી. તેનું મગજ દસ દિશામાં સમજ્યા-વિચાર્યા વગર દોડ્યું. જેનાં ફળસ્વરૂપ, કૌરવોનો જન્મ થયો! આથી પુરાણોમાં કૌરવોને હંમેશા હીનદ્રષ્ટિથી (અંધ બુધ્ધિ + અંધ મગજ) જ જોવામાં આવ્યા છે.

મહાભારતનાં આ પ્રસંગને ભગવદગીતાનાં એક શ્લોક વડે વર્ણવી શકાય એમ છે :

बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जित: |
अनात्मनस्तु शत्रुत्वे वर्ते तात्मैव शत्रुवत् 
||

(ભગવદગીતા ૬.૬)

અર્થ : જેમણે પોતાનાં મન પર કાબૂ મેળવી લીધો છે એમનાં માટે તે મિત્ર સમાન છે. પરંતુ જે વ્યક્તિ આમ નથી કરી શક્યો એનો સૌથી મોટો દુશ્મન એનું પોતાનું મન છે.

You Might Also Like

જટાયુ અર્થ સેન્ટર

બિહાર વિધાનસભા ચૂંટણી: મહાગઠબંધન કેમ હાર્યું ? NDA શા માટે જીત્યું ?

જરૂરી છે માણસનું માણસ થવું !

અમેરિકન ગ્રીનકાર્ડ ખોવાયું છે? હવે ચિંતા કરવાની જરૂર નથી!

તને મેં ઝંખી છે-યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પંદર હજારના મોત, પચ્ચીસ હજારમાં જામીન
Next Article ડાન્સ કોરિયોગ્રાફરથી ફૂડ ડિલીવરી ગર્લ રિન્નીની સંઘર્ષભરી સફર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાની છોકરીઓને ચીનમાં દુલ્હન તરીકેની હરાજી કરવામાં આવે છે

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
યોગીનું મહત્વનું પગલું: મદરેસાઓના મૌલવી અને વિદ્યાર્થીઓની સંપૂર્ણ વિગતો ATSને આપવાની રહેશે
બિહાર સરકારની રચના: નીતિશ કુમારનું નામ ફાઈનલ થતા મુખ્યમંત્રી તરીકે 10મી ટર્મ માટે શપથ લેશે
2025 માટે બ્લોક બસ્ટર IPO આવ્યો અબજોપતિનું તથા તૂર્ત લીસ્ટ થયું જાહેર
છેલ્લાં 30 વર્ષમાં પકડાયેલા આરોપીઓનો ડોઝીઅર બનશે; 100 કલાકનું અલ્ટિમેટમ
ગાયત્રી મદ્રાસ કાફે અને સિદ્ધેશ્વર ઢોસામાંથી લીધેલા તેલના નમૂના ફેઈલ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Bhavy Raval

જટાયુ અર્થ સેન્ટર

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Hemadri Acharya Dave

બિહાર વિધાનસભા ચૂંટણી: મહાગઠબંધન કેમ હાર્યું ? NDA શા માટે જીત્યું ?

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

જરૂરી છે માણસનું માણસ થવું !

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?