વ્યાપારી પ્રવૃતિ અને પ્રોફેશનની અલગ વ્યાખ્યા કરતી ગુજરાત હાઈકોર્ટ
ખાસ-ખબર સંવાદદાતા
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ અને ધારાશાસ્ત્રીઓ સહિતના પ્રોફેશનલને એક મોટી રાહત આપતા ગુજરાત હાઈકોર્ટે રહેણાંક ઈમારતમાં રહેલી આ વર્ગની વ્યાવસાયિક ઓફીસોને ‘સીલ’ કરી શકાય નહી. અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા રહેણાંક ઈમારતમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકેની ઓફિસ ધરાવતા એક પ્રોફેશનના ફલેટને લગાવવામાં આવેલા સીલ તાત્કાલીક ખોલી નાખવા હાઈકોર્ટે આદેશ આપ્યા હતા અને મહાપાલિકાના આ પ્રકારના પગલાની આકરી ટીકા પણ કરી હતી અને આ પ્રકારની કાર્યવાહીને વધુ પડતી પણ ગણાવી હતી.
- Advertisement -
હાઈકોર્ટના આ આદેશની હવે રહેણાંક ઈમારતમાં ઓફિસો ધરાવતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તથા ધારાશાસ્ત્રીઓને રાહત મળશે. અમદાવાદમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મયંક જૈન એ એલીસબ્રીજમાં એરોન રેસીડન્સીમાં પ્રથમ માળ પર તેમની ઓફિસથી પ્રેકટીસ કરતા હતા અને તેઓએ પોતાના આ ફસ્ટફલોરમાં 80 સ્કવેર મીટરના ક્ષેત્રનું રહેણાંક હેતુનું અને બાકીના અર્ધા ભાગમાં નોન રેસીડેન્સીયલ એમ બે અલગ અલગ ભાગ મુજબ મહાપાલિકાના વેરા પણ ભર્યા હતા. ગત માર્ચ માસમાં તેઓને મહાપાલિકાની નોટીસમાં રહેણાંક ઈમારતનો મંજુરી વગર વ્યાવસાયિક ઉપયોગ થઈ શકે નહી.
ઉપરાંત વ્યાવસાયિક ઓફિસ માટે અલગ સીડી, પાર્કીંગ અને નોન રેસીડેન્સ તરીકે ઉપયોગ કરવા માટે બિલ્ડીંગ પરમીશન પણ જરૂરી હોવાનું જણાવીને નોટીસ આપી હતી જેની સામે સી.એ. દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરતા સીંગલ જજ એ ફગાવી.
આ ઓફિસ ‘સીલ’ કરવા આદેશ આપ્યો હતો પણ તેમાં અપીલ જતા હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અરવિંદકુમારના અધ્યક્ષ પદ હેઠળની ખંડપીઠે સિંગલ જજના આદેશને રદ કરીને સીલ ખોલી નાખવા આદેશ આપતા જણાવ્યું હતું કે જો આ પ્રકારે મંજુરી આપવામાં આવે નહી તો બધા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ધારાશાસ્ત્રીઓ કયાં જશે?
હાઈકોર્ટ સમક્ષ એ પણ પુરાવા અપાયા હતા કે સી.એ. દ્વારા બે પ્રકારના ટેક્ષ બિલ મ્યુ. ઓથોરીટી આપે છે અને બન્ને નિયમીત ભરાય છે તે જ એક પ્રકારે આ ઓફિસ ચલાવવા માટેની મંજુરી છે. હાઈકોર્ટે આ ઉપરાંત ધારાશાસ્ત્રીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ અને તબીબોના પ્રોફેશન અને વ્યાપારી પ્રવૃતિ વચ્ચે અંતર છે તે પણ સ્પષ્ટ કર્યુ હતું.