By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
    1 day ago
    આફતમાં અવસર : ઇરાન યુધ્ધમાં ૬ ઓઇલ કંપનીએ ૭ લાખ કરોડની કમાણી કરી
    1 day ago
    ન્યુરાલિંકના નવા મિશનની જાહેરાત : હવે આંખો વગર પણ દેખાશે દુનિયા!
    1 day ago
    પાકિસ્તાનના થશે ટુકડાં ?
    2 days ago
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    શાહરૂખ ખાન નંબર 1 સેલેબ્રિટી બ્રાન્ડ : 1700 કરોડની બ્રાન્ડ વેલ્યૂ
    9 hours ago
    સરકાર સીમાંકન બિલ પર વિશેષ સત્ર બોલાવી શકે છે
    1 day ago
    મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ
    1 day ago
    100 % શુધ્ધના લેબલ લગાવીને છેતરતી કંપનીઓ પર થશે કાર્યવાહી
    1 day ago
    પેટ્રોલ પંપો પર શરૂ થશે પાયલોટ પ્રોજેક્ટ : વાહનનો વીમો નહીં તો ફ્યૂઅલ નહીં
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    10 hours ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    5 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ધ ગ્રેટ ગિરનાર દાદરા લોટરી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ધ ગ્રેટ ગિરનાર દાદરા લોટરી
Author

ધ ગ્રેટ ગિરનાર દાદરા લોટરી

Khaskhabar Editor
Last updated: 2024/05/18 at 4:43 PM
Khaskhabar Editor 2 years ago
Share
7 Min Read
SHARE

ગરવા ગિરનારની ટોચ સુધી પહોંચાડતા દાદરાના નિર્માણ પાછળની રસપ્રદ અને ગૌરવનો અનુભવ આપતી દાસ્તાં

શું તમે એ ભયંકર કાળખંડમાં હિન્દુઓની અતિ વિકટ સ્થિતિ અંગેની દિલધડક સચ્ચાઈ જાણો છો?

- Advertisement -

આજે જૂનાગઢના આ ગિરનાર પર્વતને આંબવા રોપ-વે અને સીડી છે, પરંતુ તે સમયે પર્વત પરના અલગ અલગ સ્થળોએ પહોંચવા ભક્તોએ રીતસર પર્વતારોહણ આદરવું પડતું: આવા સાહસપૂર્ણ ધાર્મિક પર્વતારોહણ દરમિયાન અગાઉ કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો

વર્ષ 1889, સ્થળ જૂનાગઢ. 1857ની ક્રાંતિને 32 વર્ષ વીતી ગયા હતા. તે સમયે અંગ્રેજોએ લગભગ આખું ભારત કબજે કરી લીધું હતું અને ઘણા રજવાડા અંગ્રેજોના તાબા હેઠળ આવી ચૂક્યા હતા. તેમાં આપણાં ગુજરાતનું એક જૂનાગઢનું રજવાડું પણ હતું, જેના બાદશાહ નવાબ બહાદુર ખાન હતા.
આપણે સહુ જાણીએ છીએ તેમ સદીઓ જૂનો ગિરનાર પર્વત જૂનાગઢને બિલકુલ અડીને છે. આમ ગિરનાર તે સમયે સીધો જ નવાબી જૂનાગઢ રાજ્યના શાસન નીચે આવતો હતો. એ યુગો યુગો જૂનો ગિરનાર જ્યાં આપણાં હિન્દુ ધર્મનું સદીઓ જૂનું દત્તાત્રેયજીનું મંદિર છે. અહીં માત્ર હિન્દુ ધર્મના જ નહીં બલ્કે જૈન ધર્મના પણ ઘણા મંદિરો આવેલા છે.

આજે જૂનાગઢના આ ગિરનાર પર્વતને આંબવા રોપ-વે અને સીડી છે, પરંતુ તે સમયે પર્વત પરના અલગ અલગ સ્થળોએ પહોંચવા ભક્તોએ રીતસર પર્વતારોહણ આદરવું પડતું હતું. અલબત્ત 1166માં ગુજરાતના રાજા કુમારપાળ સોલંકીએ ગિરનાર પર જતી પથ્થરની સીડીઓનું નિર્માણ કર્યું હતું. આ સીડી બિસ્માર થઈ જતાં 1627માં દીવ નિવાસી જૈન શ્રેષ્ઠી જૈનસિંહજી મેઘજીએ તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. તે ઘટનાના બસ્સો બાસઠ વર્ષ 1889માં આજે આપણે જે સીડી વાપરી છીએ તે
અંબાજી મંદિર સુધી પથ્થરના પગથિયા ફરી બનાવવામાં આવ્યા હતા. કારણ કે જૂનો માર્ગ બીલકુલ ખલાસ થઈ ગયો હતો. લોકોને મહિનાઓ નીકળી જતા હતા આ યાત્રામાં પૂર્ણ કરવામાં. આવા સાહસપૂર્ણ ધાર્મિક પર્વતારોહણ દરમિયાન અગાઉ કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અનેક લોકો અહીંના જંગલના હિંસક પશુઓના હુમલાનો ભોગ બની ઘાયલ થયા હતા કે મૃત્યુ પામ્યા હતા.

- Advertisement -

આ દરમિયાન વારંવાર આવી દુર્ભાગ્યપૂર્ણ અને કરુણ ઘટનાઓના સાક્ષી બની વ્યથિત રહેતા જૂનાગઢના નવાબના દીવાન હરિદાસ બિહારીદાસ દેસાઈએ અને નવાબના અંગત મદદનીશ પુરુષોત્તમરાજ ઝાલાએ એક દિવસ મોકો જોઈને નવાબ સમક્ષ રજૂઆત કરી કે હિંદુઓ અને જૈનોને ગિરનાર જવામાં પારાવાર મુશ્કેલી પડે છે, અનેક શ્રદ્ધાળુઓ આ યાત્રા દરમિયાન મૃત્યુ પામે છે તો શા માટે આપણે ઉપર જવા માટે સીડી ન બનાવીએ. નવાબે અમદાવાદથી એક અંગ્રેજ એન્જિનિયરને બોલાવ્યો. અંગ્રેજ ઈજનેરે તપાસ કરી અને કહ્યું કે ગિરનારની ટેકરી સુધી સીડીઓ બનાવવાનો કુલ ખર્ચ એક લાખ ત્રીસ હજાર રૂપિયા થશે.

1889માં એક લાખ ત્રીસ હજાર રૂપિયા ઘણી મોટી રકમ હતી. આ રકમ સાંભળીને નવાબ સ્થબ્ધ થઈ ગયા અને તેમણે તે માટે ઇન્કાર કરી દીધો. તે વખતે હરિદાસ દેસાઈ અને પુરૂષોત્તમરાજ ઝાલાએ કહ્યું કે નવાબસાહેબ, સરકારી તિજોરીમાંથી પૈસા ન આપો, અમે લોટરીની ટિકિટ લાવીશું, જેમાં આકર્ષક ઈનામો હશે. અમે તે લોટરીની કિંમત ₹ 1 રાખીશું અને મને આશા છે કે ઘણા લોકો લોટરી ખરીદશે. તે પૈસાથી અમે આ સીડી બનાવીશું. તેઓએ નવાબ સમક્ષ સ્પષ્ટ કર્યું કે ગેઝેટમાં અમે જણાવીશું કે અમે આ લોટરી કયા હેતુથી બહાર પાડી રહ્યા છીએ જેથી કરીને વધુમાં વધુ હિન્દુઓ અને જૈનો આ લોટરી ખરીદે. તેમની દૃઢતા અને ધાર્મિક ભાવના જોઈ નવાબે આ માટે સંમતિ આપી.

ત્યારબાદ 12 સભ્યોની કમિટી બનાવવામાં આવી. આ સમિતિના વડા બેચરદાસ બિહારીદાસ હતા. 1લી ઓક્ટોબર 1889 ના રોજ, ₹ 1 ની લોટરી યોજાઈ હતી, લોટરીમાં પ્રથમ ઇનામ ₹ 40000 હતું, જે પછીથી ઘટાડીને ₹ 10000 કરવામાં આવ્યું હતું, અને સૌથી ઓછું ઇનામ ₹ 5 હતું. ત્યાર બાદ આ લોટરીની વિગતો જૂનાગઢના અધિકૃત રાજ્ય ગેઝેટ “દસ્તુરલ અમલ સરકાર”માં પ્રસિદ્ધ કરવામાં આવી હતી અને તેમાં આખી સ્કીમ વીશે સમજ આપવામાં આવી હતી. તે સાથે જ ઉપર સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે આ લોટરીની ટિકિટની કમાણીથી હિંદુ અને જૈન ભક્તો માટે ગિરનાર પર્વત જવા માટે એક સીડી બનાવવામાં આવશે.

ટિકિટમાં ખૂબ જ આકર્ષક સ્કીમ રાખવામાં આવી હતી, જેમ કે જો કોઈ એકસાથે 12 ટિકિટ ખરીદે તો તેને એક ટિકિટ ફ્રી, 100 ટિકિટ વેચનારને 15% કમિશન અને જો નિશ્ચિત સમયમાં ટિકિટ ન વેચાય તો તેઓ ટિકિટ પરત પણ કરી શકે
તે પછી ઘણા લોકો લોટરી ખરીદવા લાગ્યા. તે ખરીદવામાં હિંદુ, મુસ્લિમ, શીખ અને ઘણા અંગ્રેજો પણ હતા.

ત્યાર બાદ 15મી મે 1892 રવિવારના રોજ લોટરી ઇનામ એટલે કે વિજેતાઓની યાદી કાઢવાનું નક્કી કરવામાં આવ્યું. ભારતભરમાંથી હજારો લોકો જૂનાગઢ પહોંચ્યા. જૂનાગઢમાં ફરાઝ ખાનના ઘરે લોટરીની ટિકિટ રાખવામાં આવી હતી. લોટરી કમિટીએ લોટરીના નિયમોમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવામાં ઉત્તમ ભૂમિકા ભજવી હતી. કુલ 128663 ટિકિટો વેચાઈ હતી. ₹ 10,000નું પ્રથમ ઈનામ મુંબઈમાં રહેતા સવિતાબેન ડાહ્યાભાઈ ખાંડવાલાને મળ્યું હતું. તેમણે પોતાને મળેલા પ્રથમ ઇનામની રૂપિયા દસ હજારની આ રકમ ગિરનારની સીડીઓ બનાવવા માટે દાનમાં આપી હતી. આજથી સવાસો વર્ષ પહેલાં 1892માં ₹10000નું વાસ્તવિક મૂલ્ય અધધ જ હોય ને! કદાચ તે આજના રૂ. 100 કરોડથી ઓછું નહી હોય. 2500 રૂપિયાનું બીજું ઇનામ બે લોકોને આપવામાં આવ્યું હતું, જે પંજાબના ખુદાબક્ષ અને લાલચંદને આપવામાં આવ્યું હતું. 1000 રૂપિયાનું ત્રીજું ઇનામ નવસારીના બળવંત રાયને મળ્યું. આ રીતે લોટરી વેચીને લગભગ એક લાખ ત્રીસ રૂપિયા ભેગા થયા અને પછી એક અંગ્રેજ એન્જિનિયરની દેખરેખ હેઠળ ગિરનાર પર્વત પર સીડી બાંધવાનું કામ શરૂ થયું અને સીડીઓ બનાવવામાં કુલ 19 વર્ષનો સમય લાગ્યો. અને આજે આપણે જ ગીરનાર પર જે સીડીઓ ચડીએ છીએ તે આ જ સીડી છે પરંતુ ભાગ્યે જ કોઈને તેના નિર્માણ પાછળની આ કહાનીનો ખ્યાલ હશે! આપણા પૂર્વજોએ આ સીડીના નિર્માણ માટે કેવું સુંદર આયોજન કર્યું હતું એ તો જુઓ!

ફોટામાં એ જ ગિરનાર લોટરીની તસ્વીર છે, જેમાં લખ્યું છે કે જૂનાગઢના નવાબે આ લોટરી માટે ખાસ લાયસન્સ આપ્યું છે. ડાબી બાજુ લોટરી સમિતિના સચિવ પુરુષોત્તમ કે ગાંધીનું નામ દર્શિત છે.

દુર્ભાગ્યપૂર્ણ અને કરુણ ઘટનાઓના સાક્ષી બની વ્યથિત રહેતા જૂનાગઢના નવાબના દીવાન હરિદાસ બિહારીદાસ દેસાઈએ અને નવાબના અંગત મદદનીશ પુરુષોત્તમરાજ ઝાલાએ એક દિવસ મોકો જોઈને નવાબ સમક્ષ રજૂઆત કરી હતી… 

 

You Might Also Like

જીવલેણ ફૂડ પ્રોડક્ટ્સ અને બુઠ્ઠાં કાયદાઓ

‘કૈલાશ પરબત’માં નિરાશા, ‘સર્વસ્યમ્’ અને ‘ઈનર સર્કલ’માં મોજેમોજ

સાયબર ગુનાઓનું પેરેલલ વર્લ્ડ : ડાર્ક વેબ પર ચાલે છે ગેરકાયદે ધમધમાટ બજાર

કેન્સરના છેલ્લા સ્ટેજે પહોંચેલા લેખકની અંતિમ કથા અને યોગ્ય વારસદારની અનોખી શોધની વાર્તા

ભાગીદારી પેઢીમાં ભાગીદારો વચ્ચેનાં વિવાદો અને કાનૂની ઉકેલ

TAGGED: Girnar Dadra Lottery, junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જગતનાં સૌથી મોંઘા અને પૌષ્ટિક વેજીટેબલ્સની વાત
Next Article ધીરે ધીરે કરતાં સારો થઈ ગયો, હું તબક્કાવાર તારો થઈ ગયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorKinnar Acharya

જીવલેણ ફૂડ પ્રોડક્ટ્સ અને બુઠ્ઠાં કાયદાઓ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
વિરમગામના 15 ગામમાં રાહત કાર્યક્રમ : ધારાસભ્ય હાર્દિક પટેલની હાજરીમાં સહાય અર્પણ કરાઇ
રાજકોટમાં મોંઘીદાટ સ્કોચની બોટલોમાં સસ્તો દારૂ નાખી ઊંચા ભાવે વેચવાનો પર્દાફાશ
રાજકોટની અનેક ચોકડીએ ડાબી બાજુ વળતા રિક્ષા અને કોમર્શિયલ વાહનોનો ત્રાસ
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં 15 દરખાસ્ત રજૂ કરાઇ : 20.25 કરોડના કામોને મંજૂરી
17 દિવસની લડાઇ બાદ 3 મહિનાની બાળકીએ ચાંદીપુરા વાઇરસને હરાવ્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorKinnar Acharya

જીવલેણ ફૂડ પ્રોડક્ટ્સ અને બુઠ્ઠાં કાયદાઓ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
AuthorKinnar Acharya

‘કૈલાશ પરબત’માં નિરાશા, ‘સર્વસ્યમ્’ અને ‘ઈનર સર્કલ’માં મોજેમોજ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

સાયબર ગુનાઓનું પેરેલલ વર્લ્ડ : ડાર્ક વેબ પર ચાલે છે ગેરકાયદે ધમધમાટ બજાર

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?