By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત-પાકિસ્તાન સાથે વેપાર નહીં કરવાની ધમકી આપી પરમાણુ યુદ્ધ અટકાવ્યું : ટ્રમ્પ
    5 hours ago
    UKમાં રહેવું હોય તો અંગ્રેજી આવડવી જ જોઈએ, 10 વર્ષે મળશે નાગરિકતા
    6 hours ago
    મ્યાનમારમાં સેનાએ શાળા પર કરી બૉમ્બ વર્ષા: 2 શિક્ષકો અને 20 વિદ્યાર્થીઓના મોત; અનેક ઘાયલ
    7 hours ago
    યુદ્ધવિરામની હાકલ છતાં રશિયા ડ્રોનથી હુમલો કરી રહ્યું છે; ઝેલેન્સકીએ પુતિનને તુર્કીમાં મળવાનો પડકાર ફેંક્યો
    11 hours ago
    યુક્રેન સાથે બિનશરતી વાટાઘાટો કરવા રશિયા તૈયાર
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારત-પાકિસ્તાન સાથે વેપાર નહીં કરવાની ધમકી આપી પરમાણુ યુદ્ધ અટકાવ્યું : ટ્રમ્પ
    5 hours ago
    પાકિસ્તાન શા માટે સીઝફાયર માટે મોદીનાં ઘૂંટણિયે પડ્યું
    7 hours ago
    પંજાબના અમૃતસરના મજીઠા વિસ્તારમાં ઝેરી દારૂ પીવાથી કુલ 14 લોકોના મોત અને છ લોકોની હાલત ગંભીર
    8 hours ago
    પહેલગામ આતંકવાદી હુમલાના શંકાસ્પદોના પોસ્ટર લાગ્યા; 20 લાખ રૂપિયાના ઇનામનું એલાન
    9 hours ago
    ઓપરેશન કેલર: જમ્મુ-કાશ્મીરના શોપિયામાં સેના સાથેની અથડામણમાં લશ્કરના 3 આતંકવાદીઓ ઠાર
    9 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોહિત અને વિરાટની નિવૃત્તિ બાદ ટેસ્ટ ટીમમાં નવોદિતો માટે ભરપુર તક
    7 hours ago
    17 મેથી ફરી IPL, નવું શિડ્યૂલ જાહેર ફાઇનલ 3 જૂને: અમદાવાદની મેચ યથાવત
    7 hours ago
    ગાવસ્કરનું વિરાટ-રોહિત અંગે આશ્ચર્યજનક નિવેદન: શું તેઓ ODI વર્લ્ડ કપ 2027 રમશે?
    8 hours ago
    WTC ફાઇનલ માટે ઓસ્ટ્રેલિયા તૈયાર: ટીમની જાહેરાત કરી; કેમેરોન ગ્રીન પરત ફર્યા પણ 4 ખેલાડીઓ બહાર
    9 hours ago
    ટેસ્ટ નિવૃત્તિના બીજા દિવસે વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે વૃંદાવન પહોંચ્યો
    10 hours ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાન્સ 2025: આલિયા ભટ્ટ, ઐશ્વર્યા રાય સહિતના સુપરસ્ટાર્સ દેખાશે, તો કેટલીક સેલિબ્રિટીઓ રેડ કાર્પેટ પર કામણ પાથરશે
    8 hours ago
    રણવીર અલ્હાબાદિયા ફરી ટ્રોલ થયો; પાકિસ્તાનીઓની માફી માંગી
    9 hours ago
    વર્ષ 1994માં કાશ્મીરમાં મારા પિતા પણ શહીદ થયા હતા: નિમરત કૌર
    5 days ago
    મેટ ગાલાના ગ્લેમર પાછળ છુપાયેલ છે કેટલાય કડક નિયમો!
    6 days ago
    પવનદીપ અકસ્માત બાદ ICUમાં દાખલ: શરીરમાં ઘણા ફ્રેક્ચર છે
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    1 day ago
    મોટા મંગળના દિવસે ઘરમાં લાવો હનુમાનજીની પ્રિય વસ્તુઓ, ઘરમાં સુખ સમૃદ્ધિ ટકી રહેશે
    1 day ago
    કૈલાસ માનસરોવર યાત્રા: કેટલો ખર્ચ થશે અને પાત્રતાના માપદંડ શું છે?
    1 week ago
    બાબા બર્ફાનીની પહેલી ઝલક સામે આવી, આ દિવસથી શરૂ થશે અમરનાથ યાત્રા, લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવશે
    1 week ago
    કેદારનાથધામના કપાટ ખૂલ્યા: ભક્તોમાં હર્ષોલ્લાસનો માહોલ
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 day ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    5 days ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    3 weeks ago
    જો ભગવદ સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ છોડશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો…..
    4 weeks ago
    મહારાજ કેમ સ્ત્રીઓથી દૂર રહે છે?
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ધ ગ્રેટ ગિરનાર દાદરા લોટરી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ધ ગ્રેટ ગિરનાર દાદરા લોટરી
Author

ધ ગ્રેટ ગિરનાર દાદરા લોટરી

Khaskhabar Editor
Last updated: 2024/05/18 at 4:43 PM
Khaskhabar Editor 12 months ago
Share
7 Min Read
SHARE

ગરવા ગિરનારની ટોચ સુધી પહોંચાડતા દાદરાના નિર્માણ પાછળની રસપ્રદ અને ગૌરવનો અનુભવ આપતી દાસ્તાં

શું તમે એ ભયંકર કાળખંડમાં હિન્દુઓની અતિ વિકટ સ્થિતિ અંગેની દિલધડક સચ્ચાઈ જાણો છો?

- Advertisement -

આજે જૂનાગઢના આ ગિરનાર પર્વતને આંબવા રોપ-વે અને સીડી છે, પરંતુ તે સમયે પર્વત પરના અલગ અલગ સ્થળોએ પહોંચવા ભક્તોએ રીતસર પર્વતારોહણ આદરવું પડતું: આવા સાહસપૂર્ણ ધાર્મિક પર્વતારોહણ દરમિયાન અગાઉ કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો

વર્ષ 1889, સ્થળ જૂનાગઢ. 1857ની ક્રાંતિને 32 વર્ષ વીતી ગયા હતા. તે સમયે અંગ્રેજોએ લગભગ આખું ભારત કબજે કરી લીધું હતું અને ઘણા રજવાડા અંગ્રેજોના તાબા હેઠળ આવી ચૂક્યા હતા. તેમાં આપણાં ગુજરાતનું એક જૂનાગઢનું રજવાડું પણ હતું, જેના બાદશાહ નવાબ બહાદુર ખાન હતા.
આપણે સહુ જાણીએ છીએ તેમ સદીઓ જૂનો ગિરનાર પર્વત જૂનાગઢને બિલકુલ અડીને છે. આમ ગિરનાર તે સમયે સીધો જ નવાબી જૂનાગઢ રાજ્યના શાસન નીચે આવતો હતો. એ યુગો યુગો જૂનો ગિરનાર જ્યાં આપણાં હિન્દુ ધર્મનું સદીઓ જૂનું દત્તાત્રેયજીનું મંદિર છે. અહીં માત્ર હિન્દુ ધર્મના જ નહીં બલ્કે જૈન ધર્મના પણ ઘણા મંદિરો આવેલા છે.

આજે જૂનાગઢના આ ગિરનાર પર્વતને આંબવા રોપ-વે અને સીડી છે, પરંતુ તે સમયે પર્વત પરના અલગ અલગ સ્થળોએ પહોંચવા ભક્તોએ રીતસર પર્વતારોહણ આદરવું પડતું હતું. અલબત્ત 1166માં ગુજરાતના રાજા કુમારપાળ સોલંકીએ ગિરનાર પર જતી પથ્થરની સીડીઓનું નિર્માણ કર્યું હતું. આ સીડી બિસ્માર થઈ જતાં 1627માં દીવ નિવાસી જૈન શ્રેષ્ઠી જૈનસિંહજી મેઘજીએ તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. તે ઘટનાના બસ્સો બાસઠ વર્ષ 1889માં આજે આપણે જે સીડી વાપરી છીએ તે
અંબાજી મંદિર સુધી પથ્થરના પગથિયા ફરી બનાવવામાં આવ્યા હતા. કારણ કે જૂનો માર્ગ બીલકુલ ખલાસ થઈ ગયો હતો. લોકોને મહિનાઓ નીકળી જતા હતા આ યાત્રામાં પૂર્ણ કરવામાં. આવા સાહસપૂર્ણ ધાર્મિક પર્વતારોહણ દરમિયાન અગાઉ કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અનેક લોકો અહીંના જંગલના હિંસક પશુઓના હુમલાનો ભોગ બની ઘાયલ થયા હતા કે મૃત્યુ પામ્યા હતા.

- Advertisement -

આ દરમિયાન વારંવાર આવી દુર્ભાગ્યપૂર્ણ અને કરુણ ઘટનાઓના સાક્ષી બની વ્યથિત રહેતા જૂનાગઢના નવાબના દીવાન હરિદાસ બિહારીદાસ દેસાઈએ અને નવાબના અંગત મદદનીશ પુરુષોત્તમરાજ ઝાલાએ એક દિવસ મોકો જોઈને નવાબ સમક્ષ રજૂઆત કરી કે હિંદુઓ અને જૈનોને ગિરનાર જવામાં પારાવાર મુશ્કેલી પડે છે, અનેક શ્રદ્ધાળુઓ આ યાત્રા દરમિયાન મૃત્યુ પામે છે તો શા માટે આપણે ઉપર જવા માટે સીડી ન બનાવીએ. નવાબે અમદાવાદથી એક અંગ્રેજ એન્જિનિયરને બોલાવ્યો. અંગ્રેજ ઈજનેરે તપાસ કરી અને કહ્યું કે ગિરનારની ટેકરી સુધી સીડીઓ બનાવવાનો કુલ ખર્ચ એક લાખ ત્રીસ હજાર રૂપિયા થશે.

1889માં એક લાખ ત્રીસ હજાર રૂપિયા ઘણી મોટી રકમ હતી. આ રકમ સાંભળીને નવાબ સ્થબ્ધ થઈ ગયા અને તેમણે તે માટે ઇન્કાર કરી દીધો. તે વખતે હરિદાસ દેસાઈ અને પુરૂષોત્તમરાજ ઝાલાએ કહ્યું કે નવાબસાહેબ, સરકારી તિજોરીમાંથી પૈસા ન આપો, અમે લોટરીની ટિકિટ લાવીશું, જેમાં આકર્ષક ઈનામો હશે. અમે તે લોટરીની કિંમત ₹ 1 રાખીશું અને મને આશા છે કે ઘણા લોકો લોટરી ખરીદશે. તે પૈસાથી અમે આ સીડી બનાવીશું. તેઓએ નવાબ સમક્ષ સ્પષ્ટ કર્યું કે ગેઝેટમાં અમે જણાવીશું કે અમે આ લોટરી કયા હેતુથી બહાર પાડી રહ્યા છીએ જેથી કરીને વધુમાં વધુ હિન્દુઓ અને જૈનો આ લોટરી ખરીદે. તેમની દૃઢતા અને ધાર્મિક ભાવના જોઈ નવાબે આ માટે સંમતિ આપી.

ત્યારબાદ 12 સભ્યોની કમિટી બનાવવામાં આવી. આ સમિતિના વડા બેચરદાસ બિહારીદાસ હતા. 1લી ઓક્ટોબર 1889 ના રોજ, ₹ 1 ની લોટરી યોજાઈ હતી, લોટરીમાં પ્રથમ ઇનામ ₹ 40000 હતું, જે પછીથી ઘટાડીને ₹ 10000 કરવામાં આવ્યું હતું, અને સૌથી ઓછું ઇનામ ₹ 5 હતું. ત્યાર બાદ આ લોટરીની વિગતો જૂનાગઢના અધિકૃત રાજ્ય ગેઝેટ “દસ્તુરલ અમલ સરકાર”માં પ્રસિદ્ધ કરવામાં આવી હતી અને તેમાં આખી સ્કીમ વીશે સમજ આપવામાં આવી હતી. તે સાથે જ ઉપર સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે આ લોટરીની ટિકિટની કમાણીથી હિંદુ અને જૈન ભક્તો માટે ગિરનાર પર્વત જવા માટે એક સીડી બનાવવામાં આવશે.

ટિકિટમાં ખૂબ જ આકર્ષક સ્કીમ રાખવામાં આવી હતી, જેમ કે જો કોઈ એકસાથે 12 ટિકિટ ખરીદે તો તેને એક ટિકિટ ફ્રી, 100 ટિકિટ વેચનારને 15% કમિશન અને જો નિશ્ચિત સમયમાં ટિકિટ ન વેચાય તો તેઓ ટિકિટ પરત પણ કરી શકે
તે પછી ઘણા લોકો લોટરી ખરીદવા લાગ્યા. તે ખરીદવામાં હિંદુ, મુસ્લિમ, શીખ અને ઘણા અંગ્રેજો પણ હતા.

ત્યાર બાદ 15મી મે 1892 રવિવારના રોજ લોટરી ઇનામ એટલે કે વિજેતાઓની યાદી કાઢવાનું નક્કી કરવામાં આવ્યું. ભારતભરમાંથી હજારો લોકો જૂનાગઢ પહોંચ્યા. જૂનાગઢમાં ફરાઝ ખાનના ઘરે લોટરીની ટિકિટ રાખવામાં આવી હતી. લોટરી કમિટીએ લોટરીના નિયમોમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવામાં ઉત્તમ ભૂમિકા ભજવી હતી. કુલ 128663 ટિકિટો વેચાઈ હતી. ₹ 10,000નું પ્રથમ ઈનામ મુંબઈમાં રહેતા સવિતાબેન ડાહ્યાભાઈ ખાંડવાલાને મળ્યું હતું. તેમણે પોતાને મળેલા પ્રથમ ઇનામની રૂપિયા દસ હજારની આ રકમ ગિરનારની સીડીઓ બનાવવા માટે દાનમાં આપી હતી. આજથી સવાસો વર્ષ પહેલાં 1892માં ₹10000નું વાસ્તવિક મૂલ્ય અધધ જ હોય ને! કદાચ તે આજના રૂ. 100 કરોડથી ઓછું નહી હોય. 2500 રૂપિયાનું બીજું ઇનામ બે લોકોને આપવામાં આવ્યું હતું, જે પંજાબના ખુદાબક્ષ અને લાલચંદને આપવામાં આવ્યું હતું. 1000 રૂપિયાનું ત્રીજું ઇનામ નવસારીના બળવંત રાયને મળ્યું. આ રીતે લોટરી વેચીને લગભગ એક લાખ ત્રીસ રૂપિયા ભેગા થયા અને પછી એક અંગ્રેજ એન્જિનિયરની દેખરેખ હેઠળ ગિરનાર પર્વત પર સીડી બાંધવાનું કામ શરૂ થયું અને સીડીઓ બનાવવામાં કુલ 19 વર્ષનો સમય લાગ્યો. અને આજે આપણે જ ગીરનાર પર જે સીડીઓ ચડીએ છીએ તે આ જ સીડી છે પરંતુ ભાગ્યે જ કોઈને તેના નિર્માણ પાછળની આ કહાનીનો ખ્યાલ હશે! આપણા પૂર્વજોએ આ સીડીના નિર્માણ માટે કેવું સુંદર આયોજન કર્યું હતું એ તો જુઓ!

ફોટામાં એ જ ગિરનાર લોટરીની તસ્વીર છે, જેમાં લખ્યું છે કે જૂનાગઢના નવાબે આ લોટરી માટે ખાસ લાયસન્સ આપ્યું છે. ડાબી બાજુ લોટરી સમિતિના સચિવ પુરુષોત્તમ કે ગાંધીનું નામ દર્શિત છે.

દુર્ભાગ્યપૂર્ણ અને કરુણ ઘટનાઓના સાક્ષી બની વ્યથિત રહેતા જૂનાગઢના નવાબના દીવાન હરિદાસ બિહારીદાસ દેસાઈએ અને નવાબના અંગત મદદનીશ પુરુષોત્તમરાજ ઝાલાએ એક દિવસ મોકો જોઈને નવાબ સમક્ષ રજૂઆત કરી હતી… 

 

You Might Also Like

સડન કાર્ડિયાક એરેસ્ટ જ હાર્ટ એટેક

સમય કી પુકાર હૈ… યુદ્ધ હિ સાર હૈ….

હડતાળ

ઘેટાંઓનો સ્વામી સંપ્રદાય આજે શું ક્યારેય હિંદુ કે સનાતની હતો જ નહીં એની પ્રમાણ સહિત ક્રોનોલોજી

કાયદાકીય માહિતી મેળવો પછી જ જાવ…

TAGGED: Girnar Dadra Lottery, junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જગતનાં સૌથી મોંઘા અને પૌષ્ટિક વેજીટેબલ્સની વાત
Next Article ધીરે ધીરે કરતાં સારો થઈ ગયો, હું તબક્કાવાર તારો થઈ ગયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

ભારત-પાકિસ્તાન સાથે વેપાર નહીં કરવાની ધમકી આપી પરમાણુ યુદ્ધ અટકાવ્યું : ટ્રમ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
સિવિલ હોસ્પિટલમાં 15 વર્ષથી વિખૂટા પડેલા પિતા-પુત્રનું મિલન
સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા સંપૂર્ણ સાજા : સેવા કાર્યોમાં ફરી વ્યસ્ત
રાજકોટમાં એકલવાયું જીવન જીવતા મહિલા નર્સની બદકામના ઇરાદે હત્યા
મોરબી: પંચાસર રોડનું કામ ક્યાં ટલ્લે ચડ્યું! સ્થાનિકો-વાહનચાલક પરેશાન
બાગાયતી ખાતાના વિવિધ 20 ઘટકોમાં સહાય લેવા માટે 9 જૂન સુધી શ – ખેડૂત પોર્ટલ 2.0 ખૂલ્લું મુકાયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Meera Bhattરાજકોટ

સડન કાર્ડિયાક એરેસ્ટ જ હાર્ટ એટેક

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

સમય કી પુકાર હૈ… યુદ્ધ હિ સાર હૈ….

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Kinnar Acharya

હડતાળ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?