By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાની મિનેસોટા કેથોલિક સ્કૂલમાં થયેલા હુમલામાં 2 બાળકોના મોત, 17 પીડિતો ઘાયલ
    2 hours ago
    હુથી વિદ્રોહીઓના હુમલા બાદ યમનના સનામાં ઇઝરાયલી બોમ્બમારાથી છ લોકોના મોત
    3 days ago
    ભારત દ્વારા પાણી છોડવામાં આવતાં પંજાબની નદીઓમાં પાણી ભરાયા
    3 days ago
    શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની રાજ્ય ભંડોળના દુરુપયોગ કેસમાં ધરપકડ
    6 days ago
    દક્ષિણ અમેરિકામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીનો કોઈ ખતરો નથી
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વેપાર હવે હથિયાર બની ગયો છે: રઘુરામ રાજન અમેરિકાના ટેરિફને ભારત માટે ચેતવણીનો ઘંટ ગણાવ્યો
    19 minutes ago
    મિઝોરમ વિધાનસભામાં ભિક્ષાવૃત્તિ પર પ્રતિબંધ મૂકતો બિલ પસાર
    37 minutes ago
    જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં ભારતીય સેનાએ એન્કાઉન્ટર દરમિયાન બે આતંકવાદીઓને ઠાર માર્યા
    46 minutes ago
    ‘મેં મોદીને યુદ્ધ રોકવા ધમકી આપી હતી, નહીં માનો તો એટલો ભારે ટેરિફ લાદીશ કે તમારું માથું ફરી જશે’
    21 hours ago
    જમ્મુ-કાશ્મીરમાં વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર ભૂસ્ખલન, 34 લોકોના મોત
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રવિચંદ્રન અશ્ર્વિને IPLમાંથી નિવૃત્તિ લીધી: ટુર્નામેન્ટમાં 221 મેચ રમી
    21 hours ago
    ભારત FIDE વર્લ્ડ કપનું આયોજન કરીને ખુશ છે : પ્રધાનમંત્રી મોદી
    22 hours ago
    ચેતેશ્ર્વર પુજારાની ક્રિકેટમાંથી નિવૃત્તિ : ‘યંગ ક્રિકેટરોને તક મળે તે માટે લીધો નિર્ણય’
    3 days ago
    ડ્રીમ11 એ BCCI ને કહ્યું કે તે હવે ભારતીય ક્રિકેટ ટીમને સ્પોન્સર કરશે નહીં; બોર્ડે સત્તાવાર રીતે કરાર સમાપ્ત કર્યો
    3 days ago
    એશિયા કપમાં ભારત – પાકિસ્તાન મેચ યોજાશે : સરકારે મંજૂરી આપી
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    પરિણીતી ચોપડા અને રાઘવ ચડ્ઢાની ઘરે બંધાશે પારણું
    3 days ago
    સાઉથ ઈન્ડિયાની એ ફિલ્મ જેમાં બોબી દેઓલ થલાપતિ વિજયની સામે એક વિલનનો રોલ પ્લે કરશે
    3 days ago
    એઆઈ નવી ઊભરતી પ્રતિભા અને મ્યુઝિકની ક્રિએટિવિટીને ગળે ટુંપો દઈ દેશે: આશા ભોસલે
    6 days ago
    શ્રીમતી કોમલ હાથી પણ તારક મહેતા શો છોડશે?
    1 week ago
    રાજસ્થાનની મનિકા વિશ્વકર્માએ મિસ યુનિવર્સ ઈન્ડિયા 2025નો તાજ પહેર્યો
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અષ્ટવિનાયક તીર્થયાત્રા દેશમાં એકમાત્ર મહારાષ્ટ્રમાં જ ભગવાન ગણેશના આઠ શક્તિપીઠ
    21 hours ago
    Rishi Pancham 2025 : કાલે છે ઋષિ પાંચમ જાણો વ્રત અને પૂજાની વિધિ
    23 hours ago
    શા માટે ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થીનો તહેવાર? ચાલો જાણીએ તેની પાછળનું મહત્વ
    2 days ago
    Ganesh Chaturthi 2025: ક્યારે ગણપતિજીનું સ્થાપન અને વિસર્જનનું કરવું?
    3 days ago
    પર્યુષણ પર્વ નિમિત્તે : તીર્થંકરની માતાને આવેલા ચૌદ મહા સ્વપ્નોનું મહાત્મ્ય
    5 days ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    30 કમ્પ્યુટર ટીચરની ભરતીમાં વિક્રમ પુજારાએ મલાઈ તારવી લીધાની ચોમેર ચર્ચા
    20 hours ago
    વાઈસ ચાન્સેલર ઉત્પલ જોશીએ 5 ભવનમાં માનીતાં HOD ગોઠવી દીધાં
    21 hours ago
    દત્તોપંત ઠેંગડી લાયબ્રેરીની આરદેશણાનાં પાપે અવદશા: સુનિલ દેત્રોજાએ પાળ પીટી નાંખી
    3 days ago
    કરોડોના કૌભાંડનાં તાર પોરબંદર સુધી પહોંચે છે
    7 days ago
    દિનેશ સદાદિયાને બચાવવા કિરીટ પરમાર, આરદેશણા, પૂજારા અને દિક્ષિત પટેલનાં ધમપછાડા
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ધ ગ્રેટ ગિરનાર દાદરા લોટરી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ધ ગ્રેટ ગિરનાર દાદરા લોટરી
Author

ધ ગ્રેટ ગિરનાર દાદરા લોટરી

Khaskhabar Editor
Last updated: 2024/05/18 at 4:43 PM
Khaskhabar Editor 1 year ago
Share
7 Min Read
SHARE

ગરવા ગિરનારની ટોચ સુધી પહોંચાડતા દાદરાના નિર્માણ પાછળની રસપ્રદ અને ગૌરવનો અનુભવ આપતી દાસ્તાં

શું તમે એ ભયંકર કાળખંડમાં હિન્દુઓની અતિ વિકટ સ્થિતિ અંગેની દિલધડક સચ્ચાઈ જાણો છો?

- Advertisement -

આજે જૂનાગઢના આ ગિરનાર પર્વતને આંબવા રોપ-વે અને સીડી છે, પરંતુ તે સમયે પર્વત પરના અલગ અલગ સ્થળોએ પહોંચવા ભક્તોએ રીતસર પર્વતારોહણ આદરવું પડતું: આવા સાહસપૂર્ણ ધાર્મિક પર્વતારોહણ દરમિયાન અગાઉ કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો

વર્ષ 1889, સ્થળ જૂનાગઢ. 1857ની ક્રાંતિને 32 વર્ષ વીતી ગયા હતા. તે સમયે અંગ્રેજોએ લગભગ આખું ભારત કબજે કરી લીધું હતું અને ઘણા રજવાડા અંગ્રેજોના તાબા હેઠળ આવી ચૂક્યા હતા. તેમાં આપણાં ગુજરાતનું એક જૂનાગઢનું રજવાડું પણ હતું, જેના બાદશાહ નવાબ બહાદુર ખાન હતા.
આપણે સહુ જાણીએ છીએ તેમ સદીઓ જૂનો ગિરનાર પર્વત જૂનાગઢને બિલકુલ અડીને છે. આમ ગિરનાર તે સમયે સીધો જ નવાબી જૂનાગઢ રાજ્યના શાસન નીચે આવતો હતો. એ યુગો યુગો જૂનો ગિરનાર જ્યાં આપણાં હિન્દુ ધર્મનું સદીઓ જૂનું દત્તાત્રેયજીનું મંદિર છે. અહીં માત્ર હિન્દુ ધર્મના જ નહીં બલ્કે જૈન ધર્મના પણ ઘણા મંદિરો આવેલા છે.

આજે જૂનાગઢના આ ગિરનાર પર્વતને આંબવા રોપ-વે અને સીડી છે, પરંતુ તે સમયે પર્વત પરના અલગ અલગ સ્થળોએ પહોંચવા ભક્તોએ રીતસર પર્વતારોહણ આદરવું પડતું હતું. અલબત્ત 1166માં ગુજરાતના રાજા કુમારપાળ સોલંકીએ ગિરનાર પર જતી પથ્થરની સીડીઓનું નિર્માણ કર્યું હતું. આ સીડી બિસ્માર થઈ જતાં 1627માં દીવ નિવાસી જૈન શ્રેષ્ઠી જૈનસિંહજી મેઘજીએ તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. તે ઘટનાના બસ્સો બાસઠ વર્ષ 1889માં આજે આપણે જે સીડી વાપરી છીએ તે
અંબાજી મંદિર સુધી પથ્થરના પગથિયા ફરી બનાવવામાં આવ્યા હતા. કારણ કે જૂનો માર્ગ બીલકુલ ખલાસ થઈ ગયો હતો. લોકોને મહિનાઓ નીકળી જતા હતા આ યાત્રામાં પૂર્ણ કરવામાં. આવા સાહસપૂર્ણ ધાર્મિક પર્વતારોહણ દરમિયાન અગાઉ કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અનેક લોકો અહીંના જંગલના હિંસક પશુઓના હુમલાનો ભોગ બની ઘાયલ થયા હતા કે મૃત્યુ પામ્યા હતા.

- Advertisement -

આ દરમિયાન વારંવાર આવી દુર્ભાગ્યપૂર્ણ અને કરુણ ઘટનાઓના સાક્ષી બની વ્યથિત રહેતા જૂનાગઢના નવાબના દીવાન હરિદાસ બિહારીદાસ દેસાઈએ અને નવાબના અંગત મદદનીશ પુરુષોત્તમરાજ ઝાલાએ એક દિવસ મોકો જોઈને નવાબ સમક્ષ રજૂઆત કરી કે હિંદુઓ અને જૈનોને ગિરનાર જવામાં પારાવાર મુશ્કેલી પડે છે, અનેક શ્રદ્ધાળુઓ આ યાત્રા દરમિયાન મૃત્યુ પામે છે તો શા માટે આપણે ઉપર જવા માટે સીડી ન બનાવીએ. નવાબે અમદાવાદથી એક અંગ્રેજ એન્જિનિયરને બોલાવ્યો. અંગ્રેજ ઈજનેરે તપાસ કરી અને કહ્યું કે ગિરનારની ટેકરી સુધી સીડીઓ બનાવવાનો કુલ ખર્ચ એક લાખ ત્રીસ હજાર રૂપિયા થશે.

1889માં એક લાખ ત્રીસ હજાર રૂપિયા ઘણી મોટી રકમ હતી. આ રકમ સાંભળીને નવાબ સ્થબ્ધ થઈ ગયા અને તેમણે તે માટે ઇન્કાર કરી દીધો. તે વખતે હરિદાસ દેસાઈ અને પુરૂષોત્તમરાજ ઝાલાએ કહ્યું કે નવાબસાહેબ, સરકારી તિજોરીમાંથી પૈસા ન આપો, અમે લોટરીની ટિકિટ લાવીશું, જેમાં આકર્ષક ઈનામો હશે. અમે તે લોટરીની કિંમત ₹ 1 રાખીશું અને મને આશા છે કે ઘણા લોકો લોટરી ખરીદશે. તે પૈસાથી અમે આ સીડી બનાવીશું. તેઓએ નવાબ સમક્ષ સ્પષ્ટ કર્યું કે ગેઝેટમાં અમે જણાવીશું કે અમે આ લોટરી કયા હેતુથી બહાર પાડી રહ્યા છીએ જેથી કરીને વધુમાં વધુ હિન્દુઓ અને જૈનો આ લોટરી ખરીદે. તેમની દૃઢતા અને ધાર્મિક ભાવના જોઈ નવાબે આ માટે સંમતિ આપી.

ત્યારબાદ 12 સભ્યોની કમિટી બનાવવામાં આવી. આ સમિતિના વડા બેચરદાસ બિહારીદાસ હતા. 1લી ઓક્ટોબર 1889 ના રોજ, ₹ 1 ની લોટરી યોજાઈ હતી, લોટરીમાં પ્રથમ ઇનામ ₹ 40000 હતું, જે પછીથી ઘટાડીને ₹ 10000 કરવામાં આવ્યું હતું, અને સૌથી ઓછું ઇનામ ₹ 5 હતું. ત્યાર બાદ આ લોટરીની વિગતો જૂનાગઢના અધિકૃત રાજ્ય ગેઝેટ “દસ્તુરલ અમલ સરકાર”માં પ્રસિદ્ધ કરવામાં આવી હતી અને તેમાં આખી સ્કીમ વીશે સમજ આપવામાં આવી હતી. તે સાથે જ ઉપર સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે આ લોટરીની ટિકિટની કમાણીથી હિંદુ અને જૈન ભક્તો માટે ગિરનાર પર્વત જવા માટે એક સીડી બનાવવામાં આવશે.

ટિકિટમાં ખૂબ જ આકર્ષક સ્કીમ રાખવામાં આવી હતી, જેમ કે જો કોઈ એકસાથે 12 ટિકિટ ખરીદે તો તેને એક ટિકિટ ફ્રી, 100 ટિકિટ વેચનારને 15% કમિશન અને જો નિશ્ચિત સમયમાં ટિકિટ ન વેચાય તો તેઓ ટિકિટ પરત પણ કરી શકે
તે પછી ઘણા લોકો લોટરી ખરીદવા લાગ્યા. તે ખરીદવામાં હિંદુ, મુસ્લિમ, શીખ અને ઘણા અંગ્રેજો પણ હતા.

ત્યાર બાદ 15મી મે 1892 રવિવારના રોજ લોટરી ઇનામ એટલે કે વિજેતાઓની યાદી કાઢવાનું નક્કી કરવામાં આવ્યું. ભારતભરમાંથી હજારો લોકો જૂનાગઢ પહોંચ્યા. જૂનાગઢમાં ફરાઝ ખાનના ઘરે લોટરીની ટિકિટ રાખવામાં આવી હતી. લોટરી કમિટીએ લોટરીના નિયમોમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવામાં ઉત્તમ ભૂમિકા ભજવી હતી. કુલ 128663 ટિકિટો વેચાઈ હતી. ₹ 10,000નું પ્રથમ ઈનામ મુંબઈમાં રહેતા સવિતાબેન ડાહ્યાભાઈ ખાંડવાલાને મળ્યું હતું. તેમણે પોતાને મળેલા પ્રથમ ઇનામની રૂપિયા દસ હજારની આ રકમ ગિરનારની સીડીઓ બનાવવા માટે દાનમાં આપી હતી. આજથી સવાસો વર્ષ પહેલાં 1892માં ₹10000નું વાસ્તવિક મૂલ્ય અધધ જ હોય ને! કદાચ તે આજના રૂ. 100 કરોડથી ઓછું નહી હોય. 2500 રૂપિયાનું બીજું ઇનામ બે લોકોને આપવામાં આવ્યું હતું, જે પંજાબના ખુદાબક્ષ અને લાલચંદને આપવામાં આવ્યું હતું. 1000 રૂપિયાનું ત્રીજું ઇનામ નવસારીના બળવંત રાયને મળ્યું. આ રીતે લોટરી વેચીને લગભગ એક લાખ ત્રીસ રૂપિયા ભેગા થયા અને પછી એક અંગ્રેજ એન્જિનિયરની દેખરેખ હેઠળ ગિરનાર પર્વત પર સીડી બાંધવાનું કામ શરૂ થયું અને સીડીઓ બનાવવામાં કુલ 19 વર્ષનો સમય લાગ્યો. અને આજે આપણે જ ગીરનાર પર જે સીડીઓ ચડીએ છીએ તે આ જ સીડી છે પરંતુ ભાગ્યે જ કોઈને તેના નિર્માણ પાછળની આ કહાનીનો ખ્યાલ હશે! આપણા પૂર્વજોએ આ સીડીના નિર્માણ માટે કેવું સુંદર આયોજન કર્યું હતું એ તો જુઓ!

ફોટામાં એ જ ગિરનાર લોટરીની તસ્વીર છે, જેમાં લખ્યું છે કે જૂનાગઢના નવાબે આ લોટરી માટે ખાસ લાયસન્સ આપ્યું છે. ડાબી બાજુ લોટરી સમિતિના સચિવ પુરુષોત્તમ કે ગાંધીનું નામ દર્શિત છે.

દુર્ભાગ્યપૂર્ણ અને કરુણ ઘટનાઓના સાક્ષી બની વ્યથિત રહેતા જૂનાગઢના નવાબના દીવાન હરિદાસ બિહારીદાસ દેસાઈએ અને નવાબના અંગત મદદનીશ પુરુષોત્તમરાજ ઝાલાએ એક દિવસ મોકો જોઈને નવાબ સમક્ષ રજૂઆત કરી હતી… 

 

You Might Also Like

સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી અથવા અધકચરી માહિતી

લગ્નમાં છેતરપિંડી

અનંત અંબાણીનું ‘વનતારા’: ધન અને સંવેદનશીલતાનું અજોડ સંયોજન

કાયદો અને કરુણાનો સંગમ જજ કેપ્રિઓનું ન્યાયદર્શન

બ્રોકોલી એ કુદરતી રીતે આવિર્ભાવ પામેલું નહી પણ માનવી દ્વારા વિકસાવવામાં આવેલું શાક છે

TAGGED: Girnar Dadra Lottery, junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જગતનાં સૌથી મોંઘા અને પૌષ્ટિક વેજીટેબલ્સની વાત
Next Article ધીરે ધીરે કરતાં સારો થઈ ગયો, હું તબક્કાવાર તારો થઈ ગયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

વેપાર હવે હથિયાર બની ગયો છે: રઘુરામ રાજન અમેરિકાના ટેરિફને ભારત માટે ચેતવણીનો ઘંટ ગણાવ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 19 minutes ago
મિઝોરમ વિધાનસભામાં ભિક્ષાવૃત્તિ પર પ્રતિબંધ મૂકતો બિલ પસાર
જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં ભારતીય સેનાએ એન્કાઉન્ટર દરમિયાન બે આતંકવાદીઓને ઠાર માર્યા
અમેરિકાની મિનેસોટા કેથોલિક સ્કૂલમાં થયેલા હુમલામાં 2 બાળકોના મોત, 17 પીડિતો ઘાયલ
ટ્રમ્પ ટેરિફથી શેરબજારમાં કડાકો : સેન્સેક્સ 500 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી પણ નીચે
30 કમ્પ્યુટર ટીચરની ભરતીમાં વિક્રમ પુજારાએ મલાઈ તારવી લીધાની ચોમેર ચર્ચા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી અથવા અધકચરી માહિતી

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
Author

લગ્નમાં છેતરપિંડી

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

અનંત અંબાણીનું ‘વનતારા’: ધન અને સંવેદનશીલતાનું અજોડ સંયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?