By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    જો તમે ભારતના વડા પ્રધાન છો અને…: રશિયન તેલ ખરીદવા અંગે નાટોની ચેતવણી
    15 hours ago
    તમે જો મોસ્કો પર હુમલા કરશો તો હથિયાર અમે આપીશું ! ડોનાલ્ડ ટ્રમ્પની ઝેલેન્સ્કીને ઓફર
    15 hours ago
    બે લોકોએ ‘કાયમી દ્રષ્ટિ ગુમાવતા’ વોલમાર્ટે 8,50,000 પાણીની બોટલો પાછી ખેંચી
    16 hours ago
    કરાચીમાં પાકિસ્તાની કલાકારો દ્વારા AI વિઝ્યુઅલ્સ સાથે રામાયણ રજૂ કરવામાં આવી
    3 days ago
    અમેરિકાની કેન્ટુકી ચર્ચમાં રાજ્યના સૈનિક પર ગોળીબાર કર્યા બાદ શંકાસ્પદે બે મહિલાઓની હત્યા કરી
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દુનિયામાં સિંગાપોર, મુંબઈ, લંડન સૌથી મોંઘા
    10 hours ago
    મુંબઈમાં ઓલા અને ઉબેર ડ્રાઈવરો હડતાળ પર, આઝાદ મેદાનમાં હજારો ડ્રાઈવરો એકઠા થયા : સેવાઓ ઠપ્પ
    10 hours ago
    રાજસ્થાનમાં ભારે વરસાદ, બે દિવસમાં 18નાં મોત
    10 hours ago
    મોદી કેબિનેટમાં ટૂંક સમયમાં મોટો ફેરફાર થશે
    11 hours ago
    બિહાર સરકારે 70,000થી વધુ શિક્ષકોની ભરતીની જાહેરાત કરી
    12 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IND vs ENG 2025: ઇંગ્લેન્ડને ત્રીજી ટેસ્ટમાં આચારસંહિતાનો ભંગ કરવા બદલ દંડ ફટકાર્યો
    13 hours ago
    સાઇના નેહવાલ અને પારુપલ્લી કશ્યપ 7 વર્ષના લગ્નજીવન બાદ અલગ થયા
    3 days ago
    148 વર્ષમાં પહેલી વાર: જાનિક સિનરે વિમ્બલ્ડન 2025નો ખિતાબ જીતી ઇતિહાસ રચ્યો
    3 days ago
    માનવ મગજ સામે ટેકનોલોજીની હાર: વર્લ્ડ ચેમ્પિયન કાર્લસનને એક પણ પ્યાદા ગુમાવ્યાં વિના એઆઈ ટૂલને હરાવ્યું
    3 days ago
    T20 World Cup 2026: ઇટાલી 2026માં ભારત અને શ્રીલંકામાં યોજાનાર T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થયું
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અરિજિત સિંહ દિગ્દર્શક બન્યા, સમગ્ર ભારતમાં જંગલ એડવેન્ચર ફિલ્મનું દિગ્દર્શન કરશે
    14 hours ago
    કર્ણાટકમાં મલ્ટિપ્લેક્સમાં ફિલ્મો માટે 200 રૂપિયાની ટિકિટ મર્યાદા ફરીથી સ્થાપિત
    14 hours ago
    સાન રેચલ ગાંધીનું મૃત્યુ: લોકપ્રિય મોડેલ અને પ્રભાવશાળી વ્યક્તિનું પુડુચેરીમાં 26 વર્ષની ઉંમરે આત્મહત્યા
    3 days ago
    ‘બોર્ડર 2’ ફિલ્મમાં સની દેઓલનો કર્નલ તરીકેનો ફર્સ્ટ લૂક આવ્યો સામે
    5 days ago
    KBC: અમિતાભ બચ્ચન ફરી ટેલિવિઝન પર ધૂમ મચાવા આવી રહ્યા છે
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    મંદિરમાં રાખેલું જળ શિવલિંગ પર ચડાવવું કેટલું યોગ્ય છે
    5 days ago
    ગુરુ પૂર્ણિમા: જાણો પૂજા અને સ્નાન-દાન માટે શુભ સમય અને પૂજા વિધિ
    7 days ago
    ગુરુપૂર્ણિમાએ ઘરે આ વસ્તુ લાવવાથી થશે, લક્ષ્મી માતાનો વરસાદ
    1 week ago
    દર બુધવારે ગણેશજીની પૂજા સાચી પદ્ધતિ અને યોગ્ય રીતે કરવામાં આવે બધી મનોકામના પૂર્ણ થશે
    1 week ago
    જુલાઈ 2025માં આવનારા મહત્વના ઉપવાસ અને તહેવારો નોટ કરવાનું ભૂલતા નહીં 
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    વડાળી ગામે નદીમાંથી વીજપોલ હટાવી લેવા પવનચક્કીની વિન્ડ વર્લ્ડ કંપનીને નોટિસ ફટકારી
    5 days ago
    રાતોરાત રૈયા સર્કલ પર રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ
    1 week ago
    ડૉ. શિલ્પન ગોંડલિયાની ઘોર બેદરકારી: ઓપરેશન વખતે મહિલાની પેશાબની નળી ડેમેજ કરી નાખી
    2 weeks ago
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 months ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ધ ગ્રેટ ગિરનાર દાદરા લોટરી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ધ ગ્રેટ ગિરનાર દાદરા લોટરી
Author

ધ ગ્રેટ ગિરનાર દાદરા લોટરી

Khaskhabar Editor
Last updated: 2024/05/18 at 4:43 PM
Khaskhabar Editor 1 year ago
Share
7 Min Read
SHARE

ગરવા ગિરનારની ટોચ સુધી પહોંચાડતા દાદરાના નિર્માણ પાછળની રસપ્રદ અને ગૌરવનો અનુભવ આપતી દાસ્તાં

શું તમે એ ભયંકર કાળખંડમાં હિન્દુઓની અતિ વિકટ સ્થિતિ અંગેની દિલધડક સચ્ચાઈ જાણો છો?

- Advertisement -

આજે જૂનાગઢના આ ગિરનાર પર્વતને આંબવા રોપ-વે અને સીડી છે, પરંતુ તે સમયે પર્વત પરના અલગ અલગ સ્થળોએ પહોંચવા ભક્તોએ રીતસર પર્વતારોહણ આદરવું પડતું: આવા સાહસપૂર્ણ ધાર્મિક પર્વતારોહણ દરમિયાન અગાઉ કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો

વર્ષ 1889, સ્થળ જૂનાગઢ. 1857ની ક્રાંતિને 32 વર્ષ વીતી ગયા હતા. તે સમયે અંગ્રેજોએ લગભગ આખું ભારત કબજે કરી લીધું હતું અને ઘણા રજવાડા અંગ્રેજોના તાબા હેઠળ આવી ચૂક્યા હતા. તેમાં આપણાં ગુજરાતનું એક જૂનાગઢનું રજવાડું પણ હતું, જેના બાદશાહ નવાબ બહાદુર ખાન હતા.
આપણે સહુ જાણીએ છીએ તેમ સદીઓ જૂનો ગિરનાર પર્વત જૂનાગઢને બિલકુલ અડીને છે. આમ ગિરનાર તે સમયે સીધો જ નવાબી જૂનાગઢ રાજ્યના શાસન નીચે આવતો હતો. એ યુગો યુગો જૂનો ગિરનાર જ્યાં આપણાં હિન્દુ ધર્મનું સદીઓ જૂનું દત્તાત્રેયજીનું મંદિર છે. અહીં માત્ર હિન્દુ ધર્મના જ નહીં બલ્કે જૈન ધર્મના પણ ઘણા મંદિરો આવેલા છે.

આજે જૂનાગઢના આ ગિરનાર પર્વતને આંબવા રોપ-વે અને સીડી છે, પરંતુ તે સમયે પર્વત પરના અલગ અલગ સ્થળોએ પહોંચવા ભક્તોએ રીતસર પર્વતારોહણ આદરવું પડતું હતું. અલબત્ત 1166માં ગુજરાતના રાજા કુમારપાળ સોલંકીએ ગિરનાર પર જતી પથ્થરની સીડીઓનું નિર્માણ કર્યું હતું. આ સીડી બિસ્માર થઈ જતાં 1627માં દીવ નિવાસી જૈન શ્રેષ્ઠી જૈનસિંહજી મેઘજીએ તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. તે ઘટનાના બસ્સો બાસઠ વર્ષ 1889માં આજે આપણે જે સીડી વાપરી છીએ તે
અંબાજી મંદિર સુધી પથ્થરના પગથિયા ફરી બનાવવામાં આવ્યા હતા. કારણ કે જૂનો માર્ગ બીલકુલ ખલાસ થઈ ગયો હતો. લોકોને મહિનાઓ નીકળી જતા હતા આ યાત્રામાં પૂર્ણ કરવામાં. આવા સાહસપૂર્ણ ધાર્મિક પર્વતારોહણ દરમિયાન અગાઉ કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અનેક લોકો અહીંના જંગલના હિંસક પશુઓના હુમલાનો ભોગ બની ઘાયલ થયા હતા કે મૃત્યુ પામ્યા હતા.

- Advertisement -

આ દરમિયાન વારંવાર આવી દુર્ભાગ્યપૂર્ણ અને કરુણ ઘટનાઓના સાક્ષી બની વ્યથિત રહેતા જૂનાગઢના નવાબના દીવાન હરિદાસ બિહારીદાસ દેસાઈએ અને નવાબના અંગત મદદનીશ પુરુષોત્તમરાજ ઝાલાએ એક દિવસ મોકો જોઈને નવાબ સમક્ષ રજૂઆત કરી કે હિંદુઓ અને જૈનોને ગિરનાર જવામાં પારાવાર મુશ્કેલી પડે છે, અનેક શ્રદ્ધાળુઓ આ યાત્રા દરમિયાન મૃત્યુ પામે છે તો શા માટે આપણે ઉપર જવા માટે સીડી ન બનાવીએ. નવાબે અમદાવાદથી એક અંગ્રેજ એન્જિનિયરને બોલાવ્યો. અંગ્રેજ ઈજનેરે તપાસ કરી અને કહ્યું કે ગિરનારની ટેકરી સુધી સીડીઓ બનાવવાનો કુલ ખર્ચ એક લાખ ત્રીસ હજાર રૂપિયા થશે.

1889માં એક લાખ ત્રીસ હજાર રૂપિયા ઘણી મોટી રકમ હતી. આ રકમ સાંભળીને નવાબ સ્થબ્ધ થઈ ગયા અને તેમણે તે માટે ઇન્કાર કરી દીધો. તે વખતે હરિદાસ દેસાઈ અને પુરૂષોત્તમરાજ ઝાલાએ કહ્યું કે નવાબસાહેબ, સરકારી તિજોરીમાંથી પૈસા ન આપો, અમે લોટરીની ટિકિટ લાવીશું, જેમાં આકર્ષક ઈનામો હશે. અમે તે લોટરીની કિંમત ₹ 1 રાખીશું અને મને આશા છે કે ઘણા લોકો લોટરી ખરીદશે. તે પૈસાથી અમે આ સીડી બનાવીશું. તેઓએ નવાબ સમક્ષ સ્પષ્ટ કર્યું કે ગેઝેટમાં અમે જણાવીશું કે અમે આ લોટરી કયા હેતુથી બહાર પાડી રહ્યા છીએ જેથી કરીને વધુમાં વધુ હિન્દુઓ અને જૈનો આ લોટરી ખરીદે. તેમની દૃઢતા અને ધાર્મિક ભાવના જોઈ નવાબે આ માટે સંમતિ આપી.

ત્યારબાદ 12 સભ્યોની કમિટી બનાવવામાં આવી. આ સમિતિના વડા બેચરદાસ બિહારીદાસ હતા. 1લી ઓક્ટોબર 1889 ના રોજ, ₹ 1 ની લોટરી યોજાઈ હતી, લોટરીમાં પ્રથમ ઇનામ ₹ 40000 હતું, જે પછીથી ઘટાડીને ₹ 10000 કરવામાં આવ્યું હતું, અને સૌથી ઓછું ઇનામ ₹ 5 હતું. ત્યાર બાદ આ લોટરીની વિગતો જૂનાગઢના અધિકૃત રાજ્ય ગેઝેટ “દસ્તુરલ અમલ સરકાર”માં પ્રસિદ્ધ કરવામાં આવી હતી અને તેમાં આખી સ્કીમ વીશે સમજ આપવામાં આવી હતી. તે સાથે જ ઉપર સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે આ લોટરીની ટિકિટની કમાણીથી હિંદુ અને જૈન ભક્તો માટે ગિરનાર પર્વત જવા માટે એક સીડી બનાવવામાં આવશે.

ટિકિટમાં ખૂબ જ આકર્ષક સ્કીમ રાખવામાં આવી હતી, જેમ કે જો કોઈ એકસાથે 12 ટિકિટ ખરીદે તો તેને એક ટિકિટ ફ્રી, 100 ટિકિટ વેચનારને 15% કમિશન અને જો નિશ્ચિત સમયમાં ટિકિટ ન વેચાય તો તેઓ ટિકિટ પરત પણ કરી શકે
તે પછી ઘણા લોકો લોટરી ખરીદવા લાગ્યા. તે ખરીદવામાં હિંદુ, મુસ્લિમ, શીખ અને ઘણા અંગ્રેજો પણ હતા.

ત્યાર બાદ 15મી મે 1892 રવિવારના રોજ લોટરી ઇનામ એટલે કે વિજેતાઓની યાદી કાઢવાનું નક્કી કરવામાં આવ્યું. ભારતભરમાંથી હજારો લોકો જૂનાગઢ પહોંચ્યા. જૂનાગઢમાં ફરાઝ ખાનના ઘરે લોટરીની ટિકિટ રાખવામાં આવી હતી. લોટરી કમિટીએ લોટરીના નિયમોમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવામાં ઉત્તમ ભૂમિકા ભજવી હતી. કુલ 128663 ટિકિટો વેચાઈ હતી. ₹ 10,000નું પ્રથમ ઈનામ મુંબઈમાં રહેતા સવિતાબેન ડાહ્યાભાઈ ખાંડવાલાને મળ્યું હતું. તેમણે પોતાને મળેલા પ્રથમ ઇનામની રૂપિયા દસ હજારની આ રકમ ગિરનારની સીડીઓ બનાવવા માટે દાનમાં આપી હતી. આજથી સવાસો વર્ષ પહેલાં 1892માં ₹10000નું વાસ્તવિક મૂલ્ય અધધ જ હોય ને! કદાચ તે આજના રૂ. 100 કરોડથી ઓછું નહી હોય. 2500 રૂપિયાનું બીજું ઇનામ બે લોકોને આપવામાં આવ્યું હતું, જે પંજાબના ખુદાબક્ષ અને લાલચંદને આપવામાં આવ્યું હતું. 1000 રૂપિયાનું ત્રીજું ઇનામ નવસારીના બળવંત રાયને મળ્યું. આ રીતે લોટરી વેચીને લગભગ એક લાખ ત્રીસ રૂપિયા ભેગા થયા અને પછી એક અંગ્રેજ એન્જિનિયરની દેખરેખ હેઠળ ગિરનાર પર્વત પર સીડી બાંધવાનું કામ શરૂ થયું અને સીડીઓ બનાવવામાં કુલ 19 વર્ષનો સમય લાગ્યો. અને આજે આપણે જ ગીરનાર પર જે સીડીઓ ચડીએ છીએ તે આ જ સીડી છે પરંતુ ભાગ્યે જ કોઈને તેના નિર્માણ પાછળની આ કહાનીનો ખ્યાલ હશે! આપણા પૂર્વજોએ આ સીડીના નિર્માણ માટે કેવું સુંદર આયોજન કર્યું હતું એ તો જુઓ!

ફોટામાં એ જ ગિરનાર લોટરીની તસ્વીર છે, જેમાં લખ્યું છે કે જૂનાગઢના નવાબે આ લોટરી માટે ખાસ લાયસન્સ આપ્યું છે. ડાબી બાજુ લોટરી સમિતિના સચિવ પુરુષોત્તમ કે ગાંધીનું નામ દર્શિત છે.

દુર્ભાગ્યપૂર્ણ અને કરુણ ઘટનાઓના સાક્ષી બની વ્યથિત રહેતા જૂનાગઢના નવાબના દીવાન હરિદાસ બિહારીદાસ દેસાઈએ અને નવાબના અંગત મદદનીશ પુરુષોત્તમરાજ ઝાલાએ એક દિવસ મોકો જોઈને નવાબ સમક્ષ રજૂઆત કરી હતી… 

 

You Might Also Like

દેશને તેના નવા વડાપ્રધાન મળી ગયા છે, હું તેમને અને સમગ્ર દેશવાસીઓને અભિનંદન પાઠવું છું

અમરનાથ યાત્રાની શરૂઆત કેવી રીતે થઈ અને સૌપ્રથમ ગુફા કોણે શોધી કાઢી હતી?

પડતાં પ્લેન, તૂટતાં પુલ..કોણ ભોગવે કોની ભૂલ?

જ્યારે સ્ત્રી પોતાની જાતને ફરીથી શોધે છે

પહેલાં માણસને પ્રેમ કરો

TAGGED: Girnar Dadra Lottery, junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જગતનાં સૌથી મોંઘા અને પૌષ્ટિક વેજીટેબલ્સની વાત
Next Article ધીરે ધીરે કરતાં સારો થઈ ગયો, હું તબક્કાવાર તારો થઈ ગયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

ગુજરાત બનશે ‘સ્વસ્થ રાજ્ય’નું મોડેલ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ઢોલરાના પાટિયાં પાસેથી 41.60 લાખનો વિદેશી દારૂ ભરેલાં આઈશર સાથે એકની ધરપકડ
ગ્રેજયુએશન પૂર્ણ થયા બાદ નોકરી ન મળતા ગળામાં કટર ફેરવી આપઘાત
રાજકોટમાં નકલી ડોકયુમેન્ટના આધારે બેંકમાં કરંટ ખાતા ખોલાવી ઠગાઈના નાણાં ટ્રાન્સફર કરવાનો પર્દાફાશ
મોબાઈલમાં ફોટા લીધાની શંકાથી વિદેશી વિદ્યાર્થીઓએ ધમાલ કરી
દુનિયામાં સિંગાપોર, મુંબઈ, લંડન સૌથી મોંઘા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Kinnar Acharya

દેશને તેના નવા વડાપ્રધાન મળી ગયા છે, હું તેમને અને સમગ્ર દેશવાસીઓને અભિનંદન પાઠવું છું

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

અમરનાથ યાત્રાની શરૂઆત કેવી રીતે થઈ અને સૌપ્રથમ ગુફા કોણે શોધી કાઢી હતી?

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

પડતાં પ્લેન, તૂટતાં પુલ..કોણ ભોગવે કોની ભૂલ?

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?