By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    2 hours ago
    AI નો સતત વધતો ઉપયોગ આપણા માટે પર્યાવરણીય આફત બનશે, UNના ચોંકાવનારા આંકડા
    2 hours ago
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    1 day ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    2 days ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ફાયરિંગ કેસમાં ખાન સર આત્મસમર્પણ કરશે નહીં
    43 minutes ago
    ‘તમે સોશિયલ મીડિયા પોસ્ટ હટાવી શકો, અમને નહીં…’, અભિજિત દીપકેના સરકાર સામે પ્રહાર
    2 hours ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    24 hours ago
    રણમાં ટ્રક બગડતાં પાણીની તરસથી તરફડીને 49 લોકોના મોત, 2નો ચમત્કારીક બચાવ
    24 hours ago
    UP-MPમાં વાવાઝોડાંથી 500 વૃક્ષો ધરાશાયી: હરિયાણામાં ક્રેન પડી, 3નાં મોત નિપજ્યાં
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    2 hours ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    24 hours ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    1 day ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    2 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    4 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 week ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    57 minutes ago
    રીબડાનાં ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સંડોવાયેલ પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત
    1 hour ago
    રાજકોટના અમીન માર્ગ પર RMCનું ડ્રેનેજ ટ્રક ખાડામાં ફસાયું
    2 hours ago
    ‘મોંઘવારીની જેલ’ અને ‘પેપર લીક રથ’થી સરકારને ઘેરવાનો પ્રયાસ
    24 hours ago
    બાબા બાગેશ્વર રાજકોટ પહોંચે તે પહેલાં પીપળીયા પોલીસ સ્ટેશન પહોંચ્યાં
    1 day ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભક્તનું કામ ભગવાન સુધી પહોંચવાનું છે, જ્યારે ભગવાનનું કામ ભક્તનું રક્ષણ અને ઉદ્ધાર કરવાનું છે : ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ભક્તનું કામ ભગવાન સુધી પહોંચવાનું છે, જ્યારે ભગવાનનું કામ ભક્તનું રક્ષણ અને ઉદ્ધાર કરવાનું છે : ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી
TALK OF THE TOWNરાજકોટ

ભક્તનું કામ ભગવાન સુધી પહોંચવાનું છે, જ્યારે ભગવાનનું કામ ભક્તનું રક્ષણ અને ઉદ્ધાર કરવાનું છે : ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી

Khaskhabar Editor
Last updated: 2026/06/06 at 1:26 PM
Khaskhabar Editor 2 hours ago
Share
6 Min Read
SHARE

બાગેશ્વર ધામ સરકારના શ્રીમુખેથી હનુમાન કથાનું પાવન રસપાન કરવા હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા

હિન્દુ એકતા, સનાતન સંસ્કૃતિ અને ભક્તિના સંદેશ સાથે પ્રથમ દિવસે ગૂંજી ઉઠ્યું રેસકોર્સ મેદાન

- Advertisement -

ખાસ ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા આયોજિત “સનાતન સેતુ હનુમંત કથા”ના પ્રથમ દિવસે આધ્યાત્મિકતા, ભક્તિ અને રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. બાગેશ્વર ધામ સરકાર તરીકે જાણીતા ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીજી મહારાજના મુખેથી હનુમંત કથાનું પાવન રસપાન કરવા રાજકોટ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સમગ્ર કથા સ્થળ ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું.

ત્રણ વર્ષ બાદ ફરી રાજકોટ પધારેલા ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીજીનું આગમન સમયે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રેમ અને સન્માન બદલ તેમણે પ્રસન્નતા વ્યક્ત કરી હતી. કથાના આરંભ પૂર્વે સી.સી.ધ રોકસ્ટાર બેન્ડ તથા જાણીતા બોલિવૂડ પ્લેબેક સિંગર અને લાઇવ પરફોર્મર ચૈતાલી છાયાએ ભજન અને સંગીતની મનમોહક રજૂઆત કરી હતી. “રામ સિયારામ સિયારામ જય જય રામ”ની ધૂન પર ઉપસ્થિત શ્રદ્ધાળુઓ ભક્તિરસમાં તરબોળ થઈ ગયા હતા. કાર્યક્રમ દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીજીએ દાદાની આરતી અને પૂજા-અર્ચના કરી હતી તેમજ સંત-મહંતો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

કથાની શરૂઆતમાં ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીજીએ ગુજરાતની ધરતીને સંતો અને મહંતોની ભૂમિ ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે એક બાજુ સોમનાથ મહાદેવ અને બીજી બાજુ ભગવાન દ્વારકાધીશ બિરાજમાન છે, જ્યારે નરસિંહ મહેતા અને જલારામ બાપા જેવા મહાન સંતોએ આ ધરતીને પવિત્ર બનાવી છે. આવી પવિત્ર ભૂમિ પર આવવાનો આનંદ વ્યક્ત કરતાં તેમણે રાજકોટના શ્રદ્ધાળુઓના પ્રેમની પ્રશંસા કરી હતી. કથા દરમિયાન તેમણે હનુમાનજીના આદર્શો, સનાતન સંસ્કૃતિના મૂલ્યો અને રાષ્ટ્રપ્રેમ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે હનુમંત કથા હિન્દુઓને જોડવા માટેનું માધ્યમ છે અને સમાજમાં એકતા તથા આધ્યાત્મિક જાગૃતિ લાવવાનો પ્રયાસ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે પરમાત્મા જાણવાનો નહીં પરંતુ અનુભવવાનો વિષય છે અને જીવનમાં જગત કરતાં ભગવાન પર વધુ ભરોસો રાખવો જોઈએ. “જેની સાથે પરમાત્મા છે તેનો વિજય નિશ્ચિત છે,” તેમ તેમણે જણાવ્યું હતું.
પ્રથમ દિવસે તેમણે ભક્તિ, ધર્મ અને સંસ્કૃતિ અંગે અનેક ઉદાહરણો આપી શ્રદ્ધાળુઓને સંદેશ આપ્યો હતો. સીતા માતા, દ્રૌપદી અને શબરીના જીવનપ્રસંગોનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે ભગવાન પર અડગ વિશ્વાસ રાખનારની લાજ ભગવાન જ બચાવે છે. રાવણને બુરાઈનું અને ભગવાન શ્રીરામને સારાઈનું પ્રતીક ગણાવતા તેમણે દરેક વ્યક્તિએ પોતાના અંતરમાં રહેલા રામને જાગૃત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ધર્માંતરણના મુદ્દે પણ તેમણે પોતાના વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે સમાજના સમૃદ્ધ વર્ગે ગરીબ અને જરૂરિયાતમંદ હિન્દુ પરિવારોને સહાય કરવી જોઈએ. તેમણે આધુનિક ટેકનોલોજીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે “AI એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જ્યારે HI એટલે હિન્દુત્વ ઇન્ટેલિજન્સ.” ભક્તિ અને શ્રદ્ધાના મહત્વ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ભક્તનું કામ ભગવાન સુધી પહોંચવાનું છે, જ્યારે ભગવાનનું કામ ભક્તનું રક્ષણ અને ઉદ્ધાર કરવાનું છે. તેમણે રસાળ શૈલીમાં કહ્યું હતું કે જો હનુમાનજી લંકા સુધી પહોંચી શકે તો તેઓ રાજકોટ કેમ ન આવી શકે? જીવનમાં સંસાર વિશે વિચારવું જરૂરી છે, પરંતુ અંતિમ ભરોસો ભગવાન પર જ રાખવો જોઈએ. પૂજા માત્ર દેખાડા માટે નહીં પરંતુ મનથી અને ભાવથી થવી જોઈએ, ત્યારે જ તેનું સાચું ફળ પ્રાપ્ત થાય છે.
આ કાર્યક્રમ અંતર્ગત બે દિવસ હનુમંત કથા અને એક દિવસ દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. કથા સ્થળે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ જાહેર પરિવહનના પ્રોત્સાહનને ધ્યાનમાં રાખી અનેક શ્રદ્ધાળુઓએ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીને કાર્યક્રમમાં હાજરી આપી હતી, જેના કારણે પર્યાવરણ સંરક્ષણ અને સુવ્યવસ્થિત ટ્રાફિક વ્યવસ્થામાં પણ સહભાગીતા નોંધાઈ હતી.પ્રથમ દિવસની કથામાં ભક્તિ, આધ્યાત્મિકતા અને સનાતન સંસ્કૃતિના સંદેશ સાથે શ્રદ્ધાળુઓએ હનુમાનજીના આદર્શોને આત્મસાત કર્યા હતા. સમગ્ર રેસકોર્સ મેદાન “જય શ્રી રામ” અને “બજરંગબલી કી જય”ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું, જેના કારણે રાજકોટમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો.

બોકસ : ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી મહારાજના મુખેથી હનુમંત કથા
ગુજરાત સંતો-મહંતોની ભૂમિ છે, એક બાજુ સોમનાથ મહાદેવ બીજી બાજુ ભગવાન દ્વારકાધીશ બિરાજમાન છે
ભક્ત નરસિંહ મહેતા અને જલારામ બાપા જેવા મહાન સંતોએ આ સૌરાષ્ટ્રની ધરતીને પવિત્ર બનાવી છે
હનુમંત કથા હિન્દુઓને જોડવાનું માધ્યમ છે સમાજમાં એકતા અને આધ્યાત્મિક જાગૃતિ લાવવાનો પ્રયાસ છે
પરમાત્મા જાણવાનો નહીં અનુભવવાનો વિષય છે, જગત કરતાં ભગવાન પર વધુ ભરોસો રાખવો જોઈએ
ભગવાન પર અડગ વિશ્વાસ રાખનારની લાજ ખૂદ ભગવાન જ બચાવે છે આ વાત પર વિશ્વાસ રાખવો
રાવણ બુરાઈનું શ્રીરામ સારાઈનું પ્રતીક છે, દરેક વ્યક્તિએ પોતાના અંતરમાં રહેલા રામને જાગૃત કરવો જોઇએ
સમાજના સમૃદ્ધ વર્ગે ગરીબ અને જરૂરિયાતમંદ હિન્દુ પરિવારોની શક્ય તેટલી સહાય કરવી જોઈએ
આધુનિક ટેકનોલોજી વિશે કહ્યું કે “AI એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જ્યારે HI એટલે હિન્દુત્વ ઇન્ટેલિજન્સ છે
પૂજા માત્ર દેખાડા માટે નહીં પરંતુ મનથી અને ભાવથી થવી જોઈએ, ત્યારે જ તેનું સાચું ફળ પ્રાપ્ત થાય છે.
જો હનુમાનજી લંકા સુધી પહોંચી શકે છે તો તેઓ રાજકોટ શહેરમાં કેમ ન આવી શકે?

You Might Also Like

રાજકોટ મનપાનો ઐતિહાસિક નિર્ણય: 846 કરોડના 98 વિકાસ કામો સ્થગિત, સમીક્ષા શરૂ

ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત

રીબડાનાં ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સંડોવાયેલ પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત

રાજકોટના અમીન માર્ગ પર RMCનું ડ્રેનેજ ટ્રક ખાડામાં ફસાયું

વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મનપા દ્વારા 18 સ્થળોએ 750થી વધુ વૃક્ષોનું વાવેતર

TAGGED: Dhirendra Krishna Shastri arrives in Rajkot after three years
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટના અમીન માર્ગ પર RMCનું ડ્રેનેજ ટ્રક ખાડામાં ફસાયું
Next Article સોના-ચાંદીની કિંમતો ધરાશાયી, અમેરિકાના એક ડેટાથી રોકાણકારોને ઝટકો, જાણો લેટેસ્ટ રેટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્પોર્ટ્સ

T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજ્યના નવા DGP તરીકે જી.એસ.મલિકની નિમણૂક
ફાયરિંગ કેસમાં ખાન સર આત્મસમર્પણ કરશે નહીં
રાજકોટ મનપાનો ઐતિહાસિક નિર્ણય: 846 કરોડના 98 વિકાસ કામો સ્થગિત, સમીક્ષા શરૂ
ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
રીબડાનાં ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સંડોવાયેલ પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ મનપાનો ઐતિહાસિક નિર્ણય: 846 કરોડના 98 વિકાસ કામો સ્થગિત, સમીક્ષા શરૂ

Khaskhabar Editor Khaskhabar Editor 51 minutes ago
TALK OF THE TOWNરાજકોટ

ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 57 minutes ago
TALK OF THE TOWNરાજકોટ

રીબડાનાં ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સંડોવાયેલ પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?