આવતા વર્ષે પાકિસ્તાનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે. એક તરફ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારીમાં વ્યસ્ત છે, ત્યારે હવે એવી વાત સામે આવી છે કે ભારતીય ક્રિકેટ ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ રમવા માટે પાકિસ્તાન નહીં જાય.
રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે BCCI ICC પાસે માંગ કરશે કે ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ દુબઈ અથવા શ્રીલંકામાં યોજવામાં આવે. જોકે, પાકિસ્તાન ન જવાના ભારતના નિર્ણયને લઈને BCCI તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
- Advertisement -
જાણીતું છે કે પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની કરેશે અને આ માટે પીસીબીએ ડ્રાફ્ટ શેડ્યૂલ તૈયાર કરીને આઈસીસીને આપી પણ દીધું છે. આ પછી, તમામ ભાગ લેનારા દેશોના ક્રિકેટ બોર્ડ ICC પાસેથી આ અંગે અભિપ્રાય લઈ રહ્યા છે.
પીસીબી અનુસાર, ભારતની તમામ મેચ લાહોરમાં યોજાશે. પાકિસ્તાને આખી ટુર્નામેન્ટ માટે ત્રણ સ્થળો પસંદ કર્યા છે. લાહોર ઉપરાંત રાવલપિંડી અને કરાચીના નામ પણ તેમાં સામેલ છે.
પીસીબીનું કહેવું છે કે જો ભારતીય ટીમ સેમીફાઈનલ અને ફાઈનલમાં પહોંચે છે તો તેની મેચો પણ લાહોરમાં જ યોજાઈ શકે છે. જો કે, ન તો સત્તાવાર રીતે શેડ્યૂલની જાહેરાત કરવામાં આવી છે અને ન તો એ વાતની પુષ્ટિ થઈ છે કે ભારતીય ટીમ મેચો માટે પાકિસ્તાન જશે.