જામનગરમાં એકટીવ કેસ 10 થઇ ગયા : રાજકોટમાં કુલ 4 કેસમાં એક દર્દી કોરોના મુકત : ભાવનગરમાં હરિદ્વારથી આવેલા આધેડને સંક્રમણ : તમામ લોકો ચિંતામુકત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાત સહિત દેશમાં ફરી કોરોનાના કેસ વધ્યા છે ત્યારે સૌરાષ્ટ્રમાં પણ પગપેસારો વધ્યો છે. ગઇકાલે જામનગરમાં એક સાથે સાત કેસ નોંધાયા છે. તો રાજકોટમાં વધુ ત્રણ કેસ નોંધાયા છે. જામનગરમાં નોંધાયેલા તમામ દર્દી હોમ આઇસોલેશનમાં છે. તો રાજકોટમાં પણ દર્દીઓ ઘરે સારવારમાં છે અને અગાઉના કેસમાં દર્દી સાજા પણ થઇ ગયાનું આરોગ્ય તંત્રએ જણાવ્યું છે. નવા કેસ શિવ પાર્ક, ગોવિંદનગર, સિલ્વર સોસાયટીમાં નોંધાયા છે.
આ અગાઉ મવડી વિસ્તારમાં એક કેસ આવ્યો હતો. જોકે કોર્પો. તંત્ર સત્તાવાર રીતે કોઇ કેસ જાહેર કરતું નથી. પરંતુ સરકારના પોર્ટલ પર નોંધ મોકલાઇ રહી છે. કોરોનાથી કોઇ ચિંતાજનક હાલત નહીં હોવાનું આરોગ્ય વિભાગ કહે છે. તો ભાવનગરમાં પણ એક આધેડને કોરોના નિદાન થયું છે.
દેશ અને રાજ્ય!માં કોરોના ના સંખ્યા સતત વધી રહી છે, ત્યારે જામનગર શહેર પણ તેમાં બાકાત નથી. જામનગરક્ષમાં એક સાથે સાત પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે હાલ માં જામનગર માં કુલ 10 કેસ એક્ટિવ છે.
ફરી એક વખત કોરોના એ ઉપાડો લીધો છે. અને ધીમા પગલે જામનગરમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આજે જામનગર શહેર માં એક સાથે સાત નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. તેથી આરોગ્ય વિભાગ ની દોડધામ વધી જવા પામી છે.
કામદાર કોલોની માં રહેતા એક જ પરિવારના ચાર સભ્યો કોરોનાથી સંક્રમિત બન્યા છે, જ્યારે ઘાંચી વાડ માં બે કેસ અને પાર્ક કોલોની માં એક કેસ નોંધાયો છે. તમામ સાત દર્દીઓ ને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.
જામનગરના પંચવટી વિસ્તારમાં રહેતા. એક 37 વર્ષના યુવકના ક્ધસલ્ટન્ટ ડોક્ટરે તેનો કોરોના ટેસ્ટ કરાવતા યુવક કોરોના પોઝિટીવ હોવાનું સામે આવતાં તંત્રને જાણ કરવામાં આવતા આરોગ્ય શાખાના ડોક્ટરો અને સ્ટાફે યુવકની ટ્રાવેલ હિસ્ટ્રી લીધી હતી તેમજ પરિવારના બે સભ્યોના કોરોના ટેસ્ટ કરાવ્યા હતા. જે નેગેટીવ આવ્યા છે.
દરમિયાન હળવા લક્ષણો સાથેના આ યુવા દર્દીને હોમ આઈસોલેટ રખાયો છે. ત્યારે ત્રણ દિવસ પછી શહેરના પટ્ટણીવાડ, ઘાંચીવાડ અને કામદાર કોલોનીમાં કોરોનાના નવા છ કેસ નોંધાયા છે. જેમાં પટ્ટણીવાડમાં 39 વર્ષિય મહિલા, ઘાંચીવાડની સોસાયટીમાં 40 વર્ષિય મહિલા તેમજ કામદાર કોલોનીમાં એક જ પરિવારના 4 સભ્યોના કોરોના ટેસ્ટ પોઝિટીવ હોવાનું સામે આવતાં કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે. તથામ દર્દીઓ હળવા લક્ષણો ધરાવતા હોવાથી હોમ-આઈસોલેટ કરાયા છે. કોઈને હોસ્પિટલમાં દાખલ કરાયા નથી.
આરોગ્ય તંત્ર જણાવે છે કે, બે મહિલા દર્દીઓની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. જયારે કામદાર કોલોનીમાં એક જ પરિવારના ચાર પોઝિટીવ દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળે છે.
ઉપરાંત ચારેક દિવસ પહેલા કોરોનાના એક કેસ તથા શનિવાર અને રવિવારમાં બે કેસ નોંધાયા હતા આમ જામનગરમાં હાલ 10 કેસ એક્ટિવ છે. જો કે તમામ ની ઘરે જ સારવાર ચાલી રહી છે .કોઈ ને પણ હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી નથી. અને તમામ ની તબિયત સારી હોવા નું આરોગ્ય અધિકારી જણાવ્યું છે.
હોસ્પિટલ તંત્ર જણાવે છે કે, હોસ્પિટલમાં 700 બેડ ઓક્સિજન લાઈન કનેક્ટેડ છે. તે ઉપરાંત હોસ્પિટલમાં દવાઓ અને વેન્ટિલેટરો સહિતની તમામ સુવિધાઓ પહેલેથી જ તૈયાર રખાઈ છે.
હરિદ્વાર જઈને ભાવનગરના રંઘોળા પરત આવેલા આધેડ કોરોનાથી સંક્રમિત થયા છે.કોરોનાગ્રસ્ત આધેડની સ્થિતિ સામાન્ય હોવાનું જાણવા મળ્યુ છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ તાજેતરમાં હરિદ્વાર જઈને ભાવનગરના રંઘોળા પરત આવેલા 55 વર્ષના આધેડ કોરોનાથી સંક્રમિત થયા છે.
તેમને શરદી ઉધરસની તકલીફ હોવાથી તેમનો ટેસ્ટ કરવામાં આવતા તેઓ કોરોના પોઝિટિવ હોવાનું માલુમ પડયુ હતુ.તેઓ હોમ આઇસોલેટેડ છે.જ્યાં કોરોનાગ્રસ્ત આધેડની સ્થિતિ સામાન્ય હોવાનું જાણવા મળ્યુ છે.
ભાવનગરમાં કોરોનાનું પુનરાગમન થવા સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના બે કેસ નોંધાયા હતા. જોકે બન્ને દર્દી રીકવર થયા છે. હોસ્પિટલમાં દાખલ દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવેલ છે. ત્યાં આજે જિલ્લામાં એક નવો કેસ નોંધાયો છે.