મનપાની ટીમે 27 આવાસ ખાલી કરાવી સીલ કર્યા
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
મોરબીમાં પીએમ આવાસ યોજના અંતર્ગત બનાવવામાં આવેલા આવાસો અમુક આસામીઓ રહેવાને બદલે ભાડે આપી દેતા હોવાનું કે ખાલી રાખતા હોવાનું કે પછી તેનો દુરુપયોગ કરતા હોવાનું સામે આવતાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને મનપાના ચેકિંગમાં ખુલવા પામ્યું હતું કે એક આવાસમાં તો દુકાન ચાલતી હતી, અન્ય ભાડે અપાયા હતા. આથી તંત્રે કડક ચેકિંગ કરી 27 આવાસ ખાલી કરાવીને સીલ કરી દીધા હતા.
- Advertisement -
મોરબી મહાનગર પાલિકા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અપાયેલા આવાસ મુદે થોડા સમય પહેલા એક મહિલાએ કમિશ્નરને રજૂઆત કરી હતી કે તેમનું આવાસ થોડા સમય માટે બંધ હતું. જેથી તે આવાસ બીજાને ફાળવી દેવાયું અને તેના નામની સનદ પણ બનાવી દેવવાઈ હતી આ રજૂઆત બાદ કમિશ્નર દ્વારા ડેપ્યુટી કમિશ્નર અને આવાસ યોજના કર્મચારીઓને સંપૂર્ણ આવાસોની તપાસ કરવા સુચના આપી હતી. જે બાદ ડેપ્યુટી કમિશનરે ઓચિંતું ચેકિંગ કરતા એક આવાસમાં દુકાન ચાલતી હોવાનું સામે આવ્યું હતું તો ઘણા મકાન મૂળ માલિકોએ ભાડે આપી દીધા હતા તો કેટલાક મકાન ખાલી જ હોવાનું ધ્યાને આવ્યું હતું જે બાદ આજે કમિશ્નર સ્વપ્નીલ ખરે ડેપ્યુટી કમિશ્નર સંજયકુમાર સોની તેમજ આવાસ વિભાગના કર્મચારી પહોંચ્યા હતા અને ભાડે આપેલા મકાન ખાલી કરાવી તેને સીલ કરવાની કામગીરી હાથ ધરી હતી તંત્ર દ્વારા 27 જેટલા આવાસ ખાલી કરી તેને સિલ કર્યા હતા.