જગન્નાથપુરી રથયાત્રામાં લાખો ભક્તો માટે રિલાયન્સનો મજબૂત સપોર્ટ : પૂરી રથયાત્રા સેવા 2026નો પ્રારંભ
જગન્નાથપુરીમાં વાર્ષિક રથયાત્રા મહોત્સવ માટે દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ એકત્ર થઈ રહ્યા છે, ત્યારે પૂરી વહીવટીતંત્ર સાથે મળીને રિલાયન્સ દ્વારા પૂરી રથયાત્રા સેવા ૨૦૨૬’ અંતર્ગત મજબૂત ઓન-ગ્રાઉન્ડ સપોર્ટ પૂરો પાડવામાં આવી રહ્યો છે. અન્ન સેવા, જાહેર સહાય માળખાગત સુવિધા, સ્વચ્છતા, સ્વયંસેવકોની ભાગીદારી, સામુદાયિક પહોંચ અને ટેકનોલોજી-એનેબલ્ડ સંકલનને આવરી લેતી આ પહેલનો મુખ્ય ઉદેશ ફ્રન્ટલાઈન સહાયને વધારવાનો અને આ પવિત્ર શહેરની મુલાકાત લેનારા લાખો ભક્તો માટે સલામત, સીમલેસ અને સુવ્યવસ્થિત યાત્રા સુનિશ્ચિત કરવાનો છે.
- Advertisement -
૧૬ જુલાઈ, ૨૦ર૬થી શરૂ થતી વાર્ષિક રથયાત્રા એક ખૂબ જ પવિત્ર તહેવાર છે. જે દેશભરના શ્રદ્ધાળુઓને ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાની પવિત્ર નગરયાત્રાને જગન્નાથ મંદિરથી ગુંડિચા મંદિર સુધી જોવા માટે આકર્ષે છે. લાખો શ્રદ્ધાળુઓ માટે તે શ્રદ્ધા, ભક્તિ અને પરંપરાની યાત્રા છે, જે આ તહેવારને ભારતના સૌથી પ્રિય આધ્યાત્મિક મેળાવડાઓમાંનો એક બનાવે છે. વ્યાપક સંકલન, જાહેર માળખાગત સુવિધાઓ અને યાત્રાળુઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે રિલાયન્સ તેની ‘વી કેર’ ફિલોસોફી સાથે ફ્રન્ટલાઈન વર્કર્સ અને જાહેર સેવાઓને સમર્થન આપીને આ પવિત્ર યાત્રામાં પોતાનું પ્રદાન આપી રહ્યું છે.
આ ભગીરથ સેવા કાર્ય અંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત એમ અંબાણીએ જણાવ્યું હતું કે, માનવસેવા એ જ પ્રભુસેવા છે. આ એવી બાબત છે જેમાં આપણે ઊંડી આસ્થા ધરાવીએ છીએ. આ વર્ષે, ખાસ કરીને આવા સમયે જ્યાં લાખો લોકો ભેગા થાય છે, ત્યાં લોકોની સેવા કરવાની અમારી લાંબા સમયની પ્રતિબદ્ધતાના આધારે, અમે પૂરીમાં લોકોની સેવા કરવાની તકને આશીર્વાદ તરીકે જોઈએ છીએ. અમે માનીએ છીએ કે રથયાત્રા દરમિયાન યાત્રાળુઓ અને કર્મચારીઓની સેવા કરીને અમે દેવ સેવા કરી રહ્યા છીએ. અમે ન્યૂટ્રીશન, સલામતી અને સ્વચ્છતા વધારવા માટે પ્રતિબદ્ધ છીએ, જેથી યાત્રાઓને સરળ બનાવવાની સાથે-સાથે વહીવટીતંત્રને પણ મદદરૂપ થઈ શકાય.
રિલાયન્સ ઘણા વર્ષોથી રથયાત્રા દરમિયાન સામુદાયિક સેવામાં સક્રિય રીતે જોડાઈ રહ્યું છે. સરકારી અધિકારીઓ સાથે નિકટતાથી કામ કરીને, રિલાયન્સ ફાઉન્ડેશને સમયસર અને સહયોગી હસ્તક્ષેપો સાથે ખોરાક અને પીવાના સ્વચ્છ પાણીથી લઈને તબીબી સહાયતા અને પર્યાવરણીય સ્વચ્છતા સુધીની પહેલોને મોટું સમર્થન આપ્યું છે. ચાલુ વર્ષની પહેલ તે પ્રતિબદ્ધતાને વધુ ગહન અને વિસ્તૃત બનાવે છે. પૂરી રથયાત્રા સેવા ૨૦૨૬” દ્વારા રિલાયન્સ, પૂરી વહીવટીતંત્ર, ફ્રન્ટલાઈન એજન્સીઓ અને સ્થાનિક સંસ્થાઓ સાથે મળીને જાહેર સહાયતા માળખાને મજબૂત બનાવવા અને લાખો શ્રદ્ધાળુઓ માટે સુરક્ષિત, સ્વચ્છ અને સુવ્યવસ્થિત યાત્રાની અનુભૂતિ કરાવવા માટે નિરંતર કાર્યરત છે.




