By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાન હચમચ્યુ : બે બોમ્બ વિસ્ફોટ, ૭ લોકોનાં મોત
    14 hours ago
    કોરોનાને જાણીજોઈને આટલો ખતરનાક બનાવ્યો, વુહાન લેબને અમેરિકી વૈજ્ઞાનિકે જ આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ
    15 hours ago
    હોર્મુઝમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ દિશા આજે ગુજરાત પહોંચ્યું
    2 days ago
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    3 days ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
    13 hours ago
    ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
    2 days ago
    ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
    2 days ago
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    3 days ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    3 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    4 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    4 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    6 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    1 week ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    1 week ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 week ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 week ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
    13 hours ago
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    4 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    1 week ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    1 week ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સરખેજ ભારતી આશ્રમ વિવાદ : મહંત હરિહરાનંદ ગૂમ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > સરખેજ ભારતી આશ્રમ વિવાદ : મહંત હરિહરાનંદ ગૂમ
ગુજરાત

સરખેજ ભારતી આશ્રમ વિવાદ : મહંત હરિહરાનંદ ગૂમ

Khaskhabar Editor
Last updated: 2022/05/03 at 4:44 PM
Khaskhabar Editor 4 years ago
Share
6 Min Read
SHARE

ખોટું વીલ અને દબાણથી હવે હું કંટાળી ગયો છું : વિડીયો અને ચિઠ્ઠી વાયરલ થયાં

ખાસ-ખબર સંવાદદાતા

મહામંડલેશ્વર ભારતીબાપુ બ્રહ્મલીન થયાને એકાદ વર્ષ થયું છે ત્યાં જ ભારતી આશ્રમ વિવાદમાં આવી ગયાં છે. અમદાવાદનાં સરખેજ ભારતી આશ્રમનાં વિવાદને લઇ મહંત હરીહરાનંદ ભારતીબાપુ રહસ્યમય રીતે ગુમ થઇ ગયા છે. તેમજ તેમનો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં સરખેજ આશ્રમનાં વિવાદને લઇ કંટાળી ગયાનાં કહી રહ્યાં છે. આશ્રમનું ખોટું વીલ બનાવી અને દબાણ કરતા હોવાનું વિડીયોમાં કહી રહ્યાં છે. હરીહરાનંદબાપુ ગુમ થતા સેવકોએ શોધખોળ શરૂ કરી છે. તેમજ વડોદરા પોલીસમાં ગુમ થયાની અરજી કરી છે. મહામંડલેશ્વર ભારતીબાપુ બ્રહ્મલીન થયા બાદ ભવનાથમાં આવેલા ભારતી આશ્રમનાં મહંત પદે તેમનાં શિષ્ય હરીહરાનંદ બાપુને મહંત નિમ્યાં હતાં. મહાશિવરાત્રીનાં મેળામાં સંતોની હાજરીમાં મહંત હરીહરાનંદ ભારતીબાપુને મહામંડલેશ્વર તરીકે ઘોષીત કર્યા હતાં. હરીહરાનંદ ભારતીબાપુ અચાનક ગુમ થઇ ગયા છે. અમદાવાદથી કેવડીયા આશ્રમ જવા નિકળ્યાં હતાં. ત્યારે રસ્તામાં વડોદરા એક સેવકનાં ઘરે ગયા હતાં. બાદ રાત્રીનાં કપૂરી ચોકડી પાસે પોતાની કાર રોકાવીને તેમનાં શિષ્ય અને ડ્રાઇવરને જણાવ્યું હતું કે, તેઓને અહીં કામ છે. જેથી તેઓ કાર લઇને જતા રહે. કામ પુરુ કરીને હું કેવડીયા આશ્રમે આવી જાય.પરંતુ બીજા દિવસે પણ કેવડીયા આશ્રમ ન પહોચતા શોધખોળ શરૂ કરી હતી. તમામ આશ્રમમાં તપાસ કરતા હરીહરાનંદ ભારતીબાપુ મળ્યાં ન હતાં. અંતે વડોદરાનાં વાડી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની અરજી કરવામાં આવી છે.

- Advertisement -

પોલીસે ગુમ થયાની અરજી લઇને તપાસ હાથ ધરી છે. પરંતુ આ સાથે મહામંડલેશ્વર  હરીહરાનંદ ભારતીબાપુનો એક વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો છે. આ વિડીયોમાં મહામંડલેશ્વર હરીહરાનંદ ભારતીબાપુ કહી રહ્યાં છે કે, ભારતી આશ્રમ સરખેજનો ખુબ જ વિવાદ થયો છે. મારા ગુરૂ ભારતીબાપુ બ્રહ્મલીન થયા બાદ વિવાદ શરૂ થયો છે. આશ્રમ માંગે છે. વીલ મારા નામનું છે.સામે ખોટા વીલ બનાવ્યાં છે.મને ખુબ જ દબાણ કરવામાં આવ્યું છે. એનકેન પ્રકારે મને દબાવવામાં આવે છે. માણસો તૈયાર કરવામાં આવ્યાં છે. હું કંટાળી ગયો છું અને નિર્ણય લીધો છે કે હવે આ છોડી દવ. મહંત હરીહરાનંદબાપુ ગુમ થતા અનેક સવાલ ઉભા થયો છે. તેમજ હાલ તો પોલીસ અને સેવકો દ્વારા તેમની શોધખોળ ચાલી રહી છે.

હરિહરાનંદના ગુમ થવા પાછળ સંપત્તિ વિવાદ હોવાની ચર્ચા
બીજી તરફ ભારતી આશ્રમના ગાદીપતિ હરિહરાનંદ થવા પાછળ સંપત્તિ વિવાદ હોવાની ચર્ચાઓ જોર પકડ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આશ્રમ સાથે સંકળાયેલા કેટલાક લોકોએ બહુ મોટો ગોટાળો કર્યો છે. નાણાકીય ગરબડો ગાદીપતિ હરિહરાનંદના ધ્યાને આવી હતી. ત્યારે આ આર્થિક કૌભાંડની વાતથી ગાદીપતિ હરિહરાનંદ ખૂબ જ વ્યથિત હતાં. હરિહરાનંદજીએ ખુલાસા પૂછતા શિષ્યોએ જ દબાણ ઉભુ કર્યાની પણ ચર્ચા ઉભી થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, બ્રહ્મલીન ભારતીબાપુએ પોતાની વિલનો કારોભાર હરિહરાનંદને સોંપ્યો હતો. આ મામલે અન્ય કેટલાક નજીકના શિષ્યોની નારાજગી હોવાની પણ ચર્ચા છે.

કોણે ખોટા વીલ કર્યા ? કોણ દબાવે છે ? તે ન બોલ્યા
મહામંડલેશ્ર્વર હરીહરાનંદ ભારતીબાપુ અચાનક ગુમ થયા છે. સરખેજ આશ્રમનાં વિવાદને લઇ ગુમ થયા છે. તેનાં વિડીયોમાં સખરેજ આશ્રમનાં વીલનો ઉલ્લેખ કર્યો છે. ખોટા વીલ બનાવવામાં આવ્યાં તેવું પણ કહ્યું છે. પરંતુ ખોટા વીલ કોણે બનાવ્યાં ?.કોણ દબાણવે છે ?. કયા પ્રકારનાં માણસો ઉભા કર્યા ? અંગે વિડીયોમાં કશુ બોલ્યાં નથી.

- Advertisement -

ભવનાથ ભારતી આશ્રમમાં કાર્યભાર સંભાળતા
મહામંડલેશ્વર હરીહરાનંદ ભારતીબાપુ ભવનાથમાં આવેલ ભારતી આશ્રમ સંભાળતા હતાં. મહામંડલેશ્ર્વર ભારતીબાપુ બ્રહ્મલીન થયા બાદ ભવનાથ આશ્રમમાં શિવરાત્રીનાં મેળા દરમિયાન ષોડશી ભંડારો અને બ્રહ્મલીન ભારતીબાપુની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. તેમજ આ પ્રસંગે મુખ્યમંત્રી પણ હાજર રહ્યાં હતાં. મેળા દરમિયાન તેમને મહામંડલેશ્વરની ઉપાધી પણ આપવામાં આવી હતી.?

નિયૂક્તિ થઇ હતી ત્યારથી વિવાદનો પ્રારંભ થયો છે
ભારતી આશ્રમના ટ્રસ્ટીઓએ મીડિયા સાથે કરેલી વાત મુજબ, ’ભારતી આશ્રમનું મુખ્ય મથક જુનાગઢ ગીરનારની તળેટીમાં આવેલો ભારતી આશ્રમ છે. આ ઉપરાંત અમદાવાદમાં સરખેજ અને સનાથલ એમ બે વિસ્તારમાં ભારતી આશ્રમ છે. આ ઉપરાંત સાવરકુંડલામાં વાંસીયા ભાટ ખાતે અને કેવડિયામાં મળીને કુલ પાંચ આશ્રમો છે. ભારતી બાપુ બ્રહ્મલીન થયા બાદ વિલ મુજબ ગાદીપતિ તરીકે મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતીજીની નિયૂક્તિ થઇ હતી ત્યારથી વિવાદનો પ્રારંભ થયો છે.

ઋષિભારતી બાપુ માનસિક ત્રાસ આપતા હતાં
મહામંડલેશ્વર હરીહરાનંદ ભારતીબાપુનાં શિષ્ય મહાદેવ ભારતીબાપુએ જણાવ્યું હતું કે, ભારતીબાપુ બ્રહ્મલીન થયા બાદ સરખેજ, જૂનાગઢ, કેવડીયા અને વાંકીયાની જગ્યાની મહંત તરીકે અમારા ગુરૂદેવને નિમ્યાં હતાં. પરંતુ 30 તારીખનાં રાત્રીનાં 9 કલાકેથી તેવો ચાલ્યા ગયા છે. તેમનાં વિડીયોમાં સરખેજ આશ્રમનાં વિવાદની વાત કરી છે. સરખેજ આશ્રમનાં ઋષિભારતી બાપુ તેમને માનસિક ત્રાસ આપતા હતાં. વિડીયોમાં પણ સરખેજ આશ્રમમાંથી માનસિક ત્રાસ મળતો હતો. જૂનાગઢથી 28 એપ્રિલનાં નિકળી ગયા હતાં.

ધમકી આપતા ઓડિયો અને વિડીયો પણ છે
મળતી માહિતી પ્રમાણે, વિલ મુજબ હરિહરાનંદજી જ ગાદીપતિ હોવા છતાં તેમની સામે ખોટા આક્ષેપો અને ખોટા વિલ બનાવીને ગાદી છોડવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા હતા. હરિહરાનંદજી પાસે તેમને ધમકી આપતા ઓડિયો અને વીડિયો પણ હોવાનું કહેવાઇ રહ્યુ છે.

વડોદરા પોલીસની વિવિધ ટીમો તપાસ હાથ ધરી
જૂનાગઢના ભારતી આશ્રમના ગાદીપતિ હરિહરાનંદ મહારાજના ગુમ થવાનો મામલે વડોદરા પોલીસની વિવિધ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મહત્વનું છે કે, વાડી પોલીસે ગુમ થયા હોવાની ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. વડોદરા પોલીસે ચિઠ્ઠી, વાયરલ વીડિયો મેળવી ગુમ થવાનું કારણ શોધવા તેમજ હાઈવે પરના સીસીટીવી અને મોબાઈલ લોકેશન તેમજ સેવકોની તપાસ શરૂ કરવામાં આવી છે.

You Might Also Like

પડધરી પોલીસનું નાક વાઢી નાખતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કટિંગ ટાણે જ દરોડો

રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ

શાપરમાં વૃધ્ધ રાજવીને બંધક બનાવી 2.47 કરોડની રોકડ, સોનું અને રાયફલની લૂંટ

નાગરિક સેવાઓ માટે હવે માત્ર એક જ શોર્ટ કોડ નંબર ‘૧૫૫૩૦૪’; ચોમાસા માટે વોર્ડવાઇઝ નંબરો અને ફ્લડ કંટ્રોલ રૂમ કાર્યરત

કાલે રાજકોટમાં 12 કેન્દ્ર પર 5330 વિદ્યાર્થીની NEET પરીક્ષા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢમાં પરશુરામ જયંતિની પૂર્વ સંધ્યાએ બાઇક રેલી નીકળી
Next Article નિયમિત પાણી ન મળતાં આવાસ યોજનામાં મહિલાઓનો હોબાળો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પડધરી પોલીસનું નાક વાઢી નાખતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કટિંગ ટાણે જ દરોડો

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
શાપરમાં વૃધ્ધ રાજવીને બંધક બનાવી 2.47 કરોડની રોકડ, સોનું અને રાયફલની લૂંટ
ઓશોના સામ્રાજ્યની સેકન્ડ-ઇન-કમાન્ડમા આનંદ શીલાની ડાયરી : તેને ન મારશો
અમીરોને કરોડોના હેરકટ અને મધ્યમ વર્ગ પર સરફેસી એક્ટનો કોરડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

પડધરી પોલીસનું નાક વાઢી નાખતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કટિંગ ટાણે જ દરોડો

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
TALK OF THE TOWNરાજકોટ

રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ગુજરાતરાજકોટ

શાપરમાં વૃધ્ધ રાજવીને બંધક બનાવી 2.47 કરોડની રોકડ, સોનું અને રાયફલની લૂંટ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?