By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    10 hours ago
    USમાં એરપોર્ટ પર ઇંધણ ખૂટી જતા હોબાળો, વિમાનો અટવાયા : NOTAM ઇમરજન્સી એલર્ટ
    10 hours ago
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    2 days ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    3 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
    10 hours ago
    FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક
    11 hours ago
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    2 days ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    2 days ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    5 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કાલથી સિદસરમાં પંચદિવસીય મહોત્સવ મંગલમનો શંખનાદ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > કાલથી સિદસરમાં પંચદિવસીય મહોત્સવ મંગલમનો શંખનાદ
રાજકોટ

કાલથી સિદસરમાં પંચદિવસીય મહોત્સવ મંગલમનો શંખનાદ

Khaskhabar Editor
Last updated: 2024/12/24 at 4:29 PM
Khaskhabar Editor 2 years ago
Share
8 Min Read
SHARE

મહોત્સવમાં વેણુ નદીના કાંઠે દરરોજ માતાજીની સહસ્ત્રદીપ આરતી: ગંગાઆરતી જેવું અદભૂત દશ્ય સર્જાશે

પાટીદારોને સમાજ વિકાસનો નૂતન પંથ નિર્માણ કરવા મહોત્સવના પ્રમુખ મૌલેશભાઇ ઉકાણીની અપીલ

- Advertisement -

વ્યસનમૂક્તિ માટે 35 જેટલા સ્વયંસેવકો સાથે 4 ડૉકટરોની ટીમ કાર્યરત: ‘યે જિંદગી ન મિલેગી દોબારા’ ડોકયુમેન્ટરી ફિલ્મ પ્રદર્શન

સિદસર મહોત્સવમાં 5000 લોકોને વ્યસનમુકત કરવાનો નિર્ધાર

માઁના નામની મેંહદી મુકી સવા લાખ બહેનોએ

- Advertisement -

શ્રી 1ા શતાબ્દી મહોત્સવની ઉજવણીમાં જોડાશે

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.24
રાજયપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતીમાં ગુરૂવારે સિદસરમાં વિશાળ કૃષિ સંમેલન મહોત્સવની સાથોસાથ રકતદાન, ચક્ષુદાન, અંગદાન વ્યસનમૂકિત સહીતના કાર્યો થશે
આવતીકાલ તા. 25 ડીસેમ્બર-2024 થી જગત જનની માઁ ઉમિયાના પ્રાગટયના 125 વર્ષ નિમિતે યોજાનારા 5 દિવસીય શ્રી 1ા શતાબ્દી મહોત્સવ ઉજવણીની સાથોસાથ સૌરાષ્ટ્રભરના અઢીલાખ થી વધુ પાટીદાર પરિવાર માટે સામાજીક વિકાસનો નૂતન પંથ નિર્માણ કરશે તેમ ઉમિયાધામ સિદસરના પ્રમુખ જેરામભાઇ વાંસજાળીયા અને ઉમિયાધામના ચેરમેન મૌલેશભાઇ ઉકાણીએ જણાવ્યુ છે. માઁ ઉમિયાની ભકિત થકી સરસ્વતીની સાધનાના સંકલ્પ સાથે દસ જેટલા સંમેલનોમાં વિવિધ ક્ષેત્રના આગેવાનો સમાજને નવી રાહ ચિંધવા પ્રરીત કરશે. મા ઉમિયાના દર્શન, મહોત્સવનો લ્હાવો માણવા પાટીદાર સમાજનો માનવ મહેરામણ ઉમટશે.

સિદસર ખાતે શ્રી 1મ શતાબ્દી મહોત્સવમાં સૌરાષ્ટભરના વિવિધ શહેરો તાલુકા તથા ગ્રામ્ય વિસ્તોરો માંથી દરરોજ લાખો ભાવીકો ભાગ લઇ માઁ ઉમિયાના ચરણોમાં શિશ ઝુકાવશે. પાંચ દિવસીય શ્રી 1ા શતાબ્દી મહોત્સવ દરમ્યાન દરરોજ સાંજે મા ઉમિયાના મંદિર સામે આવેલ વેણું નદી ના કાંઠે ‘માઁ ઉમિયાની’ સહસ્ત્રદિપ આરતી કરશે. વેણુ નદીના કાંઠે ખાસ બનાવવામાં આવેલ ‘વેણુધાટ’ ખાતે ભવ્યાતિભવ્ય આરતી થશે. આરતી સમયે માઁ ઉમિયાના પ્રાગટયની યશોગાથા સાથેનો લેસર શો યોજાશે. મહોત્સવની આયોજન કમિટીના ચેરમેન ચિમનભાઇ શાપરીયા, મહામંત્રી જયેશભાઇ પટેલ, સહમહામંત્રી કૌશીકભાઇ રાબડીયાના જણાવ્યા અનુસાર હરિદ્વાર ગંગાધાટે યોજાતી આરતી જેવો જ ભવ્યાતિભવ્ય અને મનોરમ્ય દશ્ય માઁ ઉમા ની આરતી સમયે યોજાય તે માટે વેણુ નદીમાં લાઇટીંગ અને ડેકોરેશન લેસર શો સહીતનું આયોજન કરવામાં આવ્યુ છે. ઉમિયાધામ સિદસર માં માઁ ના સાનીધ્યમાં યાત્રાળુઓ ભાવીકો આ આરતીના દર્શન અલૌકિક અને યાદગાર બની રહેશે. સવા લાખ બહેનો હથેળીમાં ‘માઁ ના નામથી મહેંદી મુકી માતાજીની આરાધના કરશે.

શ્રી 1ા શતાબ્દી મહોત્સવનો કડવા પાટીદાર પરિવારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહયો છે. સિદસર ખાતે પાંચ દિવસીય મહોત્સવમાં દરમ્યાન વિવિધ સંમેલનો, વૈવિધ્ય સભર કાર્યક્રમો યોજાશે. તા. ર7 ને શુક્રવારે યોજાનાર મહિલા સંમેલનમાં જગત જનની માઁ ઉમિયાને આરાધવા કડવા પાટીદાર પરિવારની સવા લાખ બહેનો, દિકરીઓ, કુંવારિકાઓ પોતાની હથેળીમાં ‘માઁ ના નામથી મહેંદી મુકી અવનવી રીતે માતાજીના મહોત્સવના હર્ષ અને ઉલ્લાસને પ્રર્દશીત કરી નવો વિક્રમ સર્જશે. મહિલા સંમેલનમાં બહેનો બહોળી સંખ્યામાં જોડાશે તેમજ 1250 જેટલી દિકરીઓ શિર પર ઝવેરા લઇ ઝવેરા યાત્રામાં જોડાશે. આ દિકરીઓનું પૂજન કરી તેમને પ્રસાદ રૂપે ખીર રોટલી તેમજ ભેટ આપવામાં આવશે.

સિદસર ખાતે શ્રી 15 શતાબ્દી મહોત્સવમાં વિવિધ કાર્યક્રમોની સાથોસાથ સમાજના પ્રત્યેક સદસ્યો, યુવાનો જીવનનું મહત્વ સમજે યુવાપેઢી આદર્શ જીવનમૂલ્યો કેળવી વ્યસન મૂકત બને તે ઝુંબેશ સાથે શ્રી 1મ શતાબ્દી મહોત્સવમાં વ્યસનમૂકિત સમિતિ દ્રારા મહોત્સવમાં ભાગ લેનાર યાત્રીકો જેને વ્યસન હોય તેવા 5000 ભાવીકોને વ્યસનમૂકત કરવાનો નિર્ધાર કયો છે. 35 જેટલા સભ્યો તેમજ 4 જેટલા ડોકટર્સની ટીમ દ્રારા વ્યસનમૂકિત ઝુંબેશ ચલાવાશે. મહોત્સવ સ્થળે 60 ફુટ બાય 90 ફુટના ડોમમાં વ્યસનમૂકિતને લગતા વિવિધ ચાર્ટ, ચિત્રો દ્વારા પ્રદર્શન કરવામાં આવશે સ્થળ પર માઉથ કેનિંગ કરી ડોકટરો, સમિતિના સભ્યો દ્રારા સંકલ્પપત્ર ભરાવવામાં આવશે. વ્યસનમૂકિત સમિતિ દ્રારા વિશેષ રૂપે વિદ્યાર્થીઓ તેમજ યુવાનોને વ્યસનમૂકત થવાની પ્રેરણા મળી રહે તેવી હદયસ્પર્શી અને સહજ માર્ગદર્શન ડો. દિપેશ ભલાણી, ડો. ગૌતમ માકડીયા દ્રારા આપવામાં આવશે. કુંડારીયા ફાઉન્ડેશન દ્વારા કેન્સર પ્રીવેન્શન માટે સચોટ માર્ગદર્શન આપવામાં આવશે. દરેક પરિવારો આ વ્યસનમૂકિત ડોમની ની મુલાકાત લઇ વ્યસન મૂકત થવાની પ્રેરણા મેળવે તે અંતર્ગત પેમ્પલેટ, બેનર હોર્ડીંગ્સ તેમજ ‘ યે જીંદગી ન મિલેગી દોબારા’ જેવી ડોકયુમેન્ટરી ફીલ્મ પ્રદર્શન, વ્યસન મૂકતિનો રથ દ્વારા જાગૃતિ પ્રચાર કરવામાં આવ્યો છે. આવનારી પેઢીના બાળકો, યુવાનો, ગુટકા તમાકુ, માવો, ડ્રગ્સ, દારૂ જેવી બરબાદી થી દુર રહે સમાજમાં વ્યસનમૂકિતીની પ્રેરણા અને માર્ગદર્શન મળી રહે તે માટે વ્યસનમૂકતિ સમિતિના અધ્યક્ષ પુનિતભાઇ ચોવટીયા, ઉપાધ્યક્ષ સાજન પાણ, મંત્રી ભાવેશ ડઢાણીયા, સહમંત્રી ભાવનાબેન માકડીયા, ડો.મીતાબેન પટેલ જહેમત ઉઠાવી રહયા છે. સેવા અને સમપર્ણ દ્વારા સમાજ વિકાસની ભાવના પ્રજજવલીત કરવા યોજાઇ રહેલ મા ઉમિયાના સિદસર ખાતેના મહોત્સવમાં ઉમિયા ભકતો દ્વારા વિક્રમજનક ચક્ષુદાન અને અંગદાન થાય તેવું આયોજન થઇ રહયું છે. ચક્ષુદાન કેટલું સરળ છે, ચક્ષુદાન કઇ રીતે થઇ શકે અને તે માટે કોનો સંપર્ક કરવો પડે તેની લોકોમાં જાણકારીનો અભાવ છે. હકીકતમાં કોઇપણ વ્યકિત પોતાની હૈયાતિમાં એક સાદુ ફોર્મ ભરીને પોતાના મૃત્યુ પછીનું નેત્રદાન જાહેર કરી શકે છે. વ્યકિતના મૃત્યુ પછી તેમના પરિવારજનો ઇચ્છે તો તેઓ પણ મૃત વ્યકિતની આંખો તેમજ અંગો દાનમાં આપી શકે છે. સિદસર ખાતે શ્રી 1ા શતાબ્દી મહોત્સવમાં આવતા ભાવીકોમાં ચક્ષુદાન અંગદાન અંગે જાગૃતિ ફેલાવવા માટે મહોત્વમાં વિવિધ જગ્યાઓ પર 15 બાય 15 ના 4 ડોમ ની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં યાત્રાળુઓને અંગદાન-ચક્ષુદાનનું મહત્વ સમજાવી સંકલ્પપત્રો ભરાવાશે. આ પ્રેરણાત્મક કાર્ય ડો. દિવ્યેશ વિરોજાના માર્ગદર્શન હેઠળ અંગદાન સમિતિના અધ્યક્ષ કિંજલભાઇ મણવર, ઉપાધ્યક્ષ રોનકભાઇ કડીવાર, મંત્રી સંદીપભાઇ સોલાધા, સહમંત્રી વ્યોમેશભાઇ સંતોકી તેમજ 40 સ્વયંસેવકોની ટીમ દ્રારા કરવામાં આવશે.

સિદસર ખાતે તા. ર6 ને ગુરૂવારના રોજ સવારે 9 કલાકે યોજાનાર કૃષિ સંમેલનમાં સમારોહના અધ્યક્ષ તરીકે ઉમિયાધામ સિદસરના ચેરમેન મૌલેશભાઇ ઉકાણી, ઉદ્ઘાટક તરીકે ગુજરાત રાજયના મહામહિમ રાજયપાલ આચાર્ય દેવવ્રતજી મુખ્ય મહેમાન તરીકે કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રી રાધવજીભાઇ પટેલ, જળસંપતિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવરીયા, અતિથિવિશેષ તરીકે વિશ્વ ગુજરાતી સમજના પ્રમુખ સી.કે. પટેલ, ઉંઝાના પૂર્વ પ્રમુખ મણીભાઇ મમ્મી, અમદાવાદના કાંતિભાઇ રામ, પ્રહલાદભાઇ, પાટીદાર સમાજ અમદાવાદના પ્રમુખ મગનભાઇ જાવીયા, પાટીદાર સમાજ વડોદરાના પ્રમુખ મણીભાઇ વાછાણી, પાટીદાર સમાજ સુરતના પ્રમુખ વજુભાઇ માણાવદરીયા, પાટીદાર સમાજ મુંબઇના પ્રમુખ ગીરીશભાઇ ગોવાણી, સુરેન્દ્રનગરના પરસોતમભાઇ વરમોરા, મુંબઇના ભગવાનજીભાઇ હેદપરા ઉપસ્થિત રહેશે.

બપોરબાદ 3 કલાકે યોજાનાર સામાજીક સંમેલનમાં સમારોહના અધ્યક્ષ તરીકે ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝાના પ્રમુખ બાબુભાઇ જમનાદાસ પટેલ, ઉદ્ઘાટક તેમજ મુખ્ય વકતા તરીકે સાંસદ પરસોતમભાઇ રૂપાલા, મુખ્ય મહેમાન તરીકે સમુધ્ધિી યોજના-ર ના મહાપદ્મ દાતા જીવનભાઇ ગોવાણી, અતિથિ વિશેષ તરીકે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદના પ્રમુખ આર.પી.પટેલ, ખોડલધામ કાગવડના પ્રમુખ નરેશભાઇ પટેલ, ઉમિયાધામ સુરતના પ્રમુખ જશુભાઇ પટેલ, સમસ્ત પાટીદાર સમાજ સુરતના પ્રમુખ વેલજીભાઇ શેટા, ઉમિયાધામ રાજકોટના પ્રમુખ અરવિંદભાઇ પટેલ, સરદારધામ અમદાવાદના ગગજીભાઇ સુતરીયા, ઉમાધામ ગાંઠીલાના પ્રમુખ નિલેશભાઇ ધુલેશીયા, ઉમિયાધામ નાગપુરના પ્રમુખ જીવરાજભાઇ પટેલ, ઉમિયાધામ વાંઢાઇના પ્રમુખ હંસરાજભાઇ ધોળુ, ઉમિયાધામ મેંગલોરના પ્રમુખ મગનભાઇ ધેટીયા, ઉમિયાધામ લીલીયાના પ્રમુખ બાબુભાઇ ધામત, ઉમિયાધામ ચિત્રી રાજસ્થાનના પ્રમુખ રમેશભાઇ પાટીદાર, મહોત્સવના અન્નપૂર્ણા દાતા નંદલાલભાઇ માંડવીયા, મયુરભાઇ પરસાણીયા, રાજકોટના વલ્લભભાઇ વડાલીયા, નાથાભાઇ કાલરીયા, જૂનગઢના અગ્રણી કાંતીભાઇ ફળદુ, મોરબીના દુર્લભજીભાઇ દેથરિયા, શાપુરના વાલજીભાઇ ફળદુ, વિન્ટેલ ગ્રુપ મોરબીના કે.જી. કુંડારીયા, મોટો ગ્રુપ મોરબીના ત્રંબકભાઇ ફેફર, વેલેન્સીયા ગ્રુપ મોરબીના ત્રિભોવનભાઈ વાંસજાળીયા, દુર્લભજીભાઇ એલ. રંગપરીયા, સુરતના ભગવાનદાસ કે. સવસાણી, અમદાવાદના કિશોરભાઇ વિરમગામા, રાજકોટના મુળજીભાઇ ભીમાણી, મુંબઇના હરિશભાઇ ભાલોડીયા, આર.સી.માકડીયા, કંચનબેન હદવાણી, ગીંગણીના રમેશભાઇ સાપરીયા, અમેરીકાથી અશ્વિનભાઇ જાવીયા, દિપકભાઇ ગોવાણી ઉપસ્થિત રહેશે. તેમ શ્રી 1ા શતાબ્દી મહોત્સવની પ્રેસ મિડીયા સમિતિના અધ્યક્ષ રમેશભાઇ ધોડાસરા તથા મંત્રી રજની ગોલ ની યાદીમાં જણાવાયુ છે.

You Might Also Like

ધારાસભ્ય રમેશ ટીલારા દ્વારા 29મીએ વિનામૂલ્યે મેગા સર્વ રોગ નિદાન કેમ્પ

લાખાજીરાજ રોડ-ધર્મેન્દ્ર રોડ પર ફરીવાર ફેરિયાઓનો ત્રાસ

રામનાથ મંદિરે ભાવિકોને અગવડ ન પડે તે માટે 1000 ફૂટની ગ્રીલ ફીટ કરાઇ

રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિએ રૂ.39.63 કરોડના ખર્ચે 43 કામને મંજૂરી આપી

જન્માષ્ટમી મહોત્સવની થીમનું અપૂર્વમુની સ્વામીના હસ્તે અનાવરણ : સુદર્શન ચક્રધારી કા સંદેશ, નશા મુક્ત રહે સારા દેશ

TAGGED: Rajkot, SIDSAR
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમદાવાદના થલતેજના ટાઇટેનિયમ સ્ક્વેર બિલ્ડિંગમાં ભીષણ આગ
Next Article માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર 23 દીકરીઓના 29 ડિસેમ્બરે શાહી લગ્નોત્સવ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
સુરતની ફિશ માર્કેટને ‘નરેન્દ્ર મોદી’નું નામ અપાતાં વિવાદ
ધારાસભ્ય રમેશ ટીલારા દ્વારા 29મીએ વિનામૂલ્યે મેગા સર્વ રોગ નિદાન કેમ્પ
લાખાજીરાજ રોડ-ધર્મેન્દ્ર રોડ પર ફરીવાર ફેરિયાઓનો ત્રાસ
રામનાથ મંદિરે ભાવિકોને અગવડ ન પડે તે માટે 1000 ફૂટની ગ્રીલ ફીટ કરાઇ
મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ધારાસભ્ય રમેશ ટીલારા દ્વારા 29મીએ વિનામૂલ્યે મેગા સર્વ રોગ નિદાન કેમ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

લાખાજીરાજ રોડ-ધર્મેન્દ્ર રોડ પર ફરીવાર ફેરિયાઓનો ત્રાસ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

રામનાથ મંદિરે ભાવિકોને અગવડ ન પડે તે માટે 1000 ફૂટની ગ્રીલ ફીટ કરાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?