By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાન હચમચ્યુ : બે બોમ્બ વિસ્ફોટ, ૭ લોકોનાં મોત
    2 days ago
    કોરોનાને જાણીજોઈને આટલો ખતરનાક બનાવ્યો, વુહાન લેબને અમેરિકી વૈજ્ઞાનિકે જ આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ
    2 days ago
    હોર્મુઝમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ દિશા આજે ગુજરાત પહોંચ્યું
    3 days ago
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    4 days ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
    2 days ago
    ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
    3 days ago
    ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
    3 days ago
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    4 days ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    4 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    5 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    5 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    7 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    1 week ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    1 week ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 week ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 week ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
    2 days ago
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    5 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    1 week ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    1 week ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હનુમાનજીના અપમાન મુદ્દે સંતો-સંગઠનોએ ફૂંક્યું રણશિંગુ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > હનુમાનજીના અપમાન મુદ્દે સંતો-સંગઠનોએ ફૂંક્યું રણશિંગુ
ખાસ-ખબરગુજરાત

હનુમાનજીના અપમાન મુદ્દે સંતો-સંગઠનોએ ફૂંક્યું રણશિંગુ

Khaskhabar Editor
Last updated: 2023/08/31 at 5:03 PM
Khaskhabar Editor 3 years ago
Share
8 Min Read
SHARE

સ્વામિનારાયણ સંપ્રદાયની અગણિત ગુસ્તાખીઓ સામે પ્રચંડ જનાક્રોશ

વિવાદિત ચિત્રો નહીં હટાવાય તો હનુમાન ભક્તો, સાધુ સમાજ, હિન્દુ સંસ્થા અને કરણીસેના સાળંગપુરમાં જઈ વિવાદિત ચિત્રો હટાવશે

- Advertisement -

સાળંગપુર વિવાદમાં બ્રહ્મ સમાજ અને સાધુ-સંતો દ્વારા ઉગ્ર આંદોલનની ચિમકી આપી અલ્ટિમેટમ અપાયું

ખાસ-ખબર સંવાદદાતા
સાળંગપુરનો મૂર્તિ વિવાદ દિનપ્રતિદિન સતત વધતો જાય છે. અગાઉ વિશ્ર્વ હિન્દુ પરિષદે સ્વામિનારયણ સંપ્રદાયના સંતોના અંગે યોગ્ય નિરાકરણ લાવવાની માંગ કરી હતી. હવે આ મામલો વધુ વકર્યો છે, હવે બ્રહ્મ સમાજે પણ આ મુદ્દે ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. સાથે જ હવે સાળંગપુર વિવાદમાં હિન્દુ ધર્મના પ્રતિષ્ઠિત મંદિરોના મહંતો પણ મેદાનમાં ઉતર્યા છે. અને સૌ કોઈને મર્યાદામાં રહેવાનું સુચવ્યું છે. સાળંગપુર મંદિરમાં ભીંતચિત્રોને લઈ વિવાદ વકર્યો છે. ત્યારે બ્રહ્મ સમાજના આગેવાનોએ આ મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની ચિમકી ઉચ્ચારી છે. રાજકોટના બ્રહ્મ સમાજે આ ચિમકી ઉચ્ચારી છે. સાળંગપુર વિવાદમાં સંતોને 5 તારીખ સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.

સનાતમ ધર્મના સાધુ-સંતો પણ આ મામલે વિરોધ કરી રહ્યા છે. અનેક સંગઠનો દ્વારા પણ આ મામલે વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિશ્ર્વ હિન્દુ પરિષદે પણ આ મામલે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. ત્યારે સાળંગપુર વિવાદને લઈને હવે બ્રહ્મ સમાજ પણ મેદાનમાં ઉતર્યો છે. રાજકોટના બ્રહ્મ સમાજના આગેવાનો સાળંગપુર મંદિરે જઈને વિરોધ પ્રદર્શન કરશે. બ્રહ્મ સમાજ દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને આગામી 5 તારીખ સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.

- Advertisement -

‘ખાસ-ખબર’ના અહેવાલની અસર: સનાતનીઓએ એક થઈ અવાજ ઉઠાવ્યો
સોશિયલ મીડિયા પર બોટાદ સ્થિત સાળંગપુરમાં આવેલા કષ્ટભંજન મંદિરમાં હનુમાનજીની વિરાટ પ્રતિમાની નીચે મુકવામાં આવેલી કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે. કિંગ્સ ઓફ સાળંગપુર પ્રતિમાની નીચે કેટલાક ભીંતચિત્રો દોરવામાં આવ્યા છે. આ ચિત્રોમાં નીલકંઠવર્ણી (સહજાનંદ સ્વામીનું કિશોરાવસ્થાનું નામ) સમક્ષ હનુમાનજી નમસ્કાર કરતી મુદ્રામાં દેખાઇ રહ્યાં છે. આ હનુમાનજીનું અપમાન હોય, સ્વામીનારાયણ સંતોને હનુમાનજી કરતાં મહાન દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેમજ હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ ચિતરવામાં આવતા સમગ્ર ઘટનાની નોંધ લઈ ’ખાસ-ખબર’માં આ અંગે એક વિસ્તૃત અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યા હતા, ’ખાસ-ખબર’ના અહેવાલો બાદ હિંદુ સાધુસંતો અને સંગઠનો મેદાને આવ્યા છે અને એક સૂરમાં સમગ્ર ઘટનાને વખોળી કાઢી છે. આ પરથી હવે કિંગ્સ ઓફ સાળંગપુર પ્રતિમા નીચેથી હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ ચિતરવામાં આવેલા ચિત્રો દૂર થશે એવું જણાય આવે છે.

હનુમાનજીનાં અપમાન મુદ્દે મોરારિબાપુ, રમેશભાઈ ઓઝા, શેરનાથ બાપુ, મણિધર બાપુ સહિતનાં સંતો મેદાનમાં

હનુમાન દાદાના અપમાનને લઈ મોરારીબાપુએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે આ કૃત્યને કપટ ગણાવ્યું છે. હનુમાનજીનું અપમાન ન ચલાવી લેવાય. લોકોએ જગૃત થવાની જરુર છે તેવી ટકોર પણ મોરારી બાપુએ કરી છે. આજકાલ દુનિયામાં પોતાની શ્રેષ્ઠતા સિદ્ધ કરવા લોકો કેવા કપટ કરે છે. અમારા સૌરાષ્ટ્રમાં હનુમાનજીની આટલી સરસ મોટી મૂર્તિ છે અને તેની નીચે ચિત્રમાં હનુમાનજી તેમના કોઈ મહાપુરુષને પ્રણામ કરતા, સેવા કરતા દેખાય છે. હવે વિચારો, સમાજે જાગૃત થવાની જરૂર છે. લોકો કહે છે બાપુ તમે બોલો. હું બોલ્યો ત્યારે કોઈ મારી સાથે બોલ્યું ન હતું. હવે તમે બોલો.

સાળંગપુર વિવાદને લઈ કથાકાર રમેશ ઓઝાએ સ્વામી નારાયણ સંતોની હાજરીમાં જ જણાવ્યું હતું કે, ગઈકાલે પણ કથામાં સ્વામીનારાયણ સંપ્રદાયના વંદનીય સંતો પધારેલા, આપની ઉપસ્થિતિ આનંદદાયક છે, આપ જ બધા ભેગા થઇને આ બધું રોકો, સનાતન ધર્મ માટે જરૂરી છે. બીજી વાત કહું હું સ્વામી ક્યાંક બોલાઇ રહ્યું છે એની પાછળ ક્યાંકને ક્યાંક ચોપડા ચીતરાણા છે આવા કૃપા કરી એ ચોપડાઓને કાઢો, એ ખોટા ચીતરાઇ ગયા છે, આવું બોલશોને તો તમારા આરાધ્ય પણ નારાજ થશે, દુ:ખી થશે. આવા ચોપડાઓ લખાણા જ છે, નહીં તો આ વાત આવે જ નહીં, ફાડી નાખો, ખોટા ચીતરાઇ ગયા, જે ભાવથી ચીતરાણા એ ભાવ સારો છે, પોતાના ઇષ્ટમાં અનન્ય ભાવ એ જરૂરી છે, બીજાને નીચા ચીતરીને નહીં.

ઈન્દ્રભારતી બાપુએ કહ્યું હતું કે, સાળંગપુરમાં હનુમાનજી મહારાજની જે મૂર્તિ બેસાડી તેનું આપણે ગૌરવ અનુભવીએ છીએ. પરંતુ તેની નીચે હનુમાનજી મહારાજના જે ચિત્રો દર્શાવાયા છે, આ કઈ વ્યાજબી કહેવાય, આ ધર્મ કહેવાય, આ સંપ્રદાયની દાટ વાળવા માટે સાધુ થયા છે કે જે આજે સનાતન ધર્મના દેવી-દેવતાઓને નીચા દેખાડે છે. આના કારણે અમને ઘણું દુ:ખ થાય છે. દર વખતે આવી ભૂલો કરીને પછી કહે કે હું માફી માંગુ છું, માફી માંગુ છું, અરે ભાઈ આવું કરીને તમારે માફી જ માંગવાની.

હર્ષદ ભારતી બાપુએ પણ હનુમાનજીના અપમાન બદલ આકરા પાણીએ જોવા મળ્યા છે. તેમણે એક વિડીયો દ્વારા પોતાનો આક્રોશ ઠાલવ્યો છે. તેમણે કહ્યું હતું કે, આ સ્વામીઓ હદ વટાવી ગયા છે. પહેલાં પુસ્તકો પૂરતા હતા, પુસ્તકોમાં ભગવાનના ચિત્રો ચીતર્યાં હતાં. ભગવાનને હાથ જોડી ઉભા રાખે છે સ્વામીઓ પાસે. અને હવે સાળંગપુરમાં હજારો લોકો જોઈ શકે તેમ હનુમાનજીને એક દાસ, એક ચોકીદાર તરીકે ઉભા રાખી દીધા છે. બસો-અઢીસો વર્ષના ઈતિહાસવાળા સ્વામીઓની સામે. હદ વટાવી દીધી છે, તમારી પાસે કયા શાસ્ત્રોનું પ્રમાણ છે? હનુમાનજીને માનનારા સંતો, કથાકારો, કલાકારો, સંગઠનો તમામે આ મામલે બોલવું પડશે.

સ્વામિનારાયણ સંપ્રદાયની હરકતો વિરૂદ્ધ સનાતનીઓમાં પ્રચંડ આક્રોશ

સાળંગપુર હનુમાજીની જે રીતે કૃતિ મુકવામાં આવીછે તેની સામે ગિરનાર તીર્થ ક્ષેત્રના વરિષ્ઠ સંત પૂ.શેરનાથ બાપુએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતુંકે સનાતન પરંપરામાં દુર્ઘટના કહી શકાય તેવી અશોભનીય ઘટના સામે આવીછે સ્વામીજી ની સામે હનુમાનજી હાથ જોડીને ઉભા હોય તેવું ચિત્ર પ્રતિપાત કરવામાં આવ્યું તે ઘણી મુર્ખામી ભરી વાત છે આ પેહલા પણ સ્વામિનારાયણ દ્વારા સનાતન ધર્મના ઇષ્ટદેવને નીચા દેખાડવાનું કૃત્ય સામે આવ્યું હતું આ સનાતન ધર્મ સમાજ સામે એવો પ્રશ્ર્ન આવ્યોછે જે દર્દ ભરી વેદના છે અને આ અયોગ્ય છે.

કબરાઉ ધામના મણિધર બાપુએ સ્વામીનારાયણના સંતોને ચેતવ્યા છે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે, અમે પાયામાં ઉતર્યા તો તમે બધુ મુકી દેશો. કોઈની ઔકાત નથી, હનુમાન દાદાનું અપમાન કરવાની. દાદાનું અપમાન કરનારા તેમના ચરણમાં બેસવાને લાયક નથી. હનુમાન દાદાનું અપમાન કરનારાઓ રાક્ષસ સમાન છે. જેમની વૃતિ રાક્ષસ જેવી હોય તે જ કરે દાદાનું અપમાન. કેટલાક લોકોએ મા અંજનિનું અપમાન કર્યુ છે.

સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્રો અંગે ભારતી આશ્રમના 1008 મહામંડલેશ્ર્વર હરીહરાનંદ બાપુએ કહ્યું હતું કે, સાળંગપુરમાં હનુમાનજીની મોટી મૂર્તિ બેસાડી છે, ત્યાં સેવક તરીકેની પ્રતિમા યોગ્ય નથી આ ઘટના નિંદનીય છે. હનુમાનજી આપણા આરાધ્ય દેવ છે. તેમના નિંદાપાત્ર ચિત્રો મૂક્યા છે. હનુમાનજી મહારાજ સ્વામીને પગે લાગે છે, સ્વામીના દાસ થઈને રહે એવું દર્શાવ્યું છે, જે નિંદાને પાત્ર છે.

બરવાળા લક્ષ્મણજી મંદિરના મહંત મહામંડલેશ્ર્વર જગદેવદાસ બાપુએ સ્વામીને હાથ જોડી હનુમાનજી પ્રણામ કરતા હોય તેવી પ્રતિમા અયોગ્ય અને ઘટનાને નિંદનીય ગણાવી. તેમણે કહ્યું, આ પ્રકારની જે મૂર્તિઓ છે તે હટાવી લેવી જોઈએ. તેમણે માંગ કરી કે, ભગવાન રામના અનુયાયી છે હનુમાનજી તો એવા પ્રકારની મૂર્તિ મૂકવી જોઈએ. સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા અગાઉ પણ અનેક આવા કર્મો કર્યાં બાદ વિવાદ થાય પછી માફી માંગી લેતા હોય છે.

મુચકુંદ ગુફાના 1008 મહામંડલેશ્ર્વર મહેન્દ્રાનંદગિરિ મહારાજે જણાવ્યું હતું કે સાળંગપુરમાં ફરી પાછો વિવાદ ઊભો કર્યો છે. શું કામ આવું કરો છો? આ સંપ્રદાય સનાતનમાંથી નીકળેલો એક ભાગ છે. કોઈ સનાતની સાધુઓ સ્વામિનારાયણ સંપ્રદાયના મહાપુરુષો વિશે ક્યારેય કોઈ ખરાબ ટિપ્પણી નથી કરતા. નથી કોઇ પુસ્તકો કે તમારા ધાર્મિક ગ્રંથોમાં છેડછાડ કરી, નથી તમારા ખરાબ ચલચિત્રો મૂક્યાં. તો તમે શું કામ આવું કરો છો? માપે રહોને ભલા માણસ, એમાં મજા આવશે.

You Might Also Like

પડધરી પોલીસનું નાક વાઢી નાખતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કટિંગ ટાણે જ દરોડો

રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ

શાપરમાં વૃધ્ધ રાજવીને બંધક બનાવી 2.47 કરોડની રોકડ, સોનું અને રાયફલની લૂંટ

નાગરિક સેવાઓ માટે હવે માત્ર એક જ શોર્ટ કોડ નંબર ‘૧૫૫૩૦૪’; ચોમાસા માટે વોર્ડવાઇઝ નંબરો અને ફ્લડ કંટ્રોલ રૂમ કાર્યરત

કાલે રાજકોટમાં 12 કેન્દ્ર પર 5330 વિદ્યાર્થીની NEET પરીક્ષા

TAGGED: HANUMANJIIDOL, lordkashtabhanjandev, organizations, saint, sarangpur
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટની સોની બજારમાંથી 2 કરોડનું સોનુંં લઈ બે બંગાળી કારીગર ફરાર
Next Article હનુમાનજી સહજાનંદ સ્વામીના દાસ છે તેનો ક્યાં શાસ્ત્રમાં ઉલ્લેખ?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પડધરી પોલીસનું નાક વાઢી નાખતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કટિંગ ટાણે જ દરોડો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
શાપરમાં વૃધ્ધ રાજવીને બંધક બનાવી 2.47 કરોડની રોકડ, સોનું અને રાયફલની લૂંટ
ઓશોના સામ્રાજ્યની સેકન્ડ-ઇન-કમાન્ડમા આનંદ શીલાની ડાયરી : તેને ન મારશો
અમીરોને કરોડોના હેરકટ અને મધ્યમ વર્ગ પર સરફેસી એક્ટનો કોરડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

પડધરી પોલીસનું નાક વાઢી નાખતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કટિંગ ટાણે જ દરોડો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
TALK OF THE TOWNરાજકોટ

રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ગુજરાતરાજકોટ

શાપરમાં વૃધ્ધ રાજવીને બંધક બનાવી 2.47 કરોડની રોકડ, સોનું અને રાયફલની લૂંટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?