By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બલ્ગેરિયામાં ચાલી રહેલા ઉગ્ર જનઆંદોલન અને વિરોધ પ્રદર્શનો બાદ PM નું રાજીનામુ
    2 days ago
    ટાઇમ મેગેઝીને ‘આર્કિટેક્ટ્સ ઓફ AI’ પર્સન ઓફ ધ યર 2025નું નામ આપ્યું છે
    2 days ago
    થાઈલેન્ડ અને કંબોડિયા સરહદે તણાવ વધતાં વધુ એક યુદ્ધ શરુ
    3 days ago
    US પ્રતિનિધિ ટ્રમ્પની ભારત નીતિઓમાં ખામીઓ દર્શાવે છે, પુતિન-મોદી ચિત્ર ટાંકે છે
    3 days ago
    RBIની જેમ અમેરિકાએ ફેડ રેટમાં ઘટાડો કરતાં જ શેરબજારમાં હરિયાળી, સેન્સેક્સ-નિફ્ટી ઉછળ્યાં
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પોલીસે ડંડાના જોરે ભીડને વિખેરી; ફૂટબોલરની એક ઝલક માટે લોકોએ 12 હજાર રૂપિયા ખર્ચ્યા
    1 day ago
    સારી નોકરી ધરાવતી પત્ની ગુજરાન ભથ્થાની હકદાર નહીં…’, અલ્લાહાબાદ હાઈકોર્ટનું ફરમાન
    1 day ago
    ગાઢ ધુમ્મસના કારણે નોઈડા એક્સપ્રેસ વે પર અનેક વાહનો અથડાયા, ઘણા ઘાયલ
    1 day ago
    કેબિનેટે સિવિલ પરમાણુ ઊર્જા ક્ષેત્રને પરિવર્તન માટે ખોલવા માટે SHANTI બિલને રંગ આપ્યો
    1 day ago
    મોદી-ટ્રમ્પની “ફોન પે ચર્ચા”
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વૈભવ સૂર્યવંશીએ U19 એશિયા કપમાં 171 રનનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
    1 day ago
    લિયોનલ મેસી રમતો જોવા ન મળતાં ચાહકો ગુસ્સે ભરાયા, સ્ટેડિયમમાં તોડફોડ મચાવી
    1 day ago
    ઈન્ડિયાનો સાઉથ આફ્રિકા સામે 51 રને પરાજય: છેલ્લે પાંચ રનમાં પાંચ વિકેટ ગુમાવી
    2 days ago
    ભારત U19 VS UAE U19 લાઈવ ક્રિકેટ સ્કોર, એશિયા કપ 2025: UAE 26/2 vs IND, હેનીલ પટેલે દુબઈમાં યૈન રાયને પસંદ કર્યો
    2 days ago
    ‘હંમેશા અભિષેક પર ભરોસો કરી શકાતો નથી’ – સૂર્યકુમાર યાદવે SA સામેની હાર બાદ પોતાને દોષી ગણાવ્યો
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    1 day ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    2 days ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    6 days ago
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    2 weeks ago
    જાહ્વવી કપૂર અને જુનિયર એનટીઆરની દેવરા ફિલ્મ પર કામ શરુ થતા જ બંધ કરાયું ?
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 weeks ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 weeks ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    2 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    1 month ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    1 month ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    2 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    2 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હનુમાનજીના અપમાન મુદ્દે સંતો-સંગઠનોએ ફૂંક્યું રણશિંગુ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > હનુમાનજીના અપમાન મુદ્દે સંતો-સંગઠનોએ ફૂંક્યું રણશિંગુ
ખાસ-ખબરગુજરાત

હનુમાનજીના અપમાન મુદ્દે સંતો-સંગઠનોએ ફૂંક્યું રણશિંગુ

Khaskhabar Editor
Last updated: 2023/08/31 at 5:03 PM
Khaskhabar Editor 2 years ago
Share
8 Min Read
SHARE

સ્વામિનારાયણ સંપ્રદાયની અગણિત ગુસ્તાખીઓ સામે પ્રચંડ જનાક્રોશ

વિવાદિત ચિત્રો નહીં હટાવાય તો હનુમાન ભક્તો, સાધુ સમાજ, હિન્દુ સંસ્થા અને કરણીસેના સાળંગપુરમાં જઈ વિવાદિત ચિત્રો હટાવશે

- Advertisement -

સાળંગપુર વિવાદમાં બ્રહ્મ સમાજ અને સાધુ-સંતો દ્વારા ઉગ્ર આંદોલનની ચિમકી આપી અલ્ટિમેટમ અપાયું

ખાસ-ખબર સંવાદદાતા
સાળંગપુરનો મૂર્તિ વિવાદ દિનપ્રતિદિન સતત વધતો જાય છે. અગાઉ વિશ્ર્વ હિન્દુ પરિષદે સ્વામિનારયણ સંપ્રદાયના સંતોના અંગે યોગ્ય નિરાકરણ લાવવાની માંગ કરી હતી. હવે આ મામલો વધુ વકર્યો છે, હવે બ્રહ્મ સમાજે પણ આ મુદ્દે ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. સાથે જ હવે સાળંગપુર વિવાદમાં હિન્દુ ધર્મના પ્રતિષ્ઠિત મંદિરોના મહંતો પણ મેદાનમાં ઉતર્યા છે. અને સૌ કોઈને મર્યાદામાં રહેવાનું સુચવ્યું છે. સાળંગપુર મંદિરમાં ભીંતચિત્રોને લઈ વિવાદ વકર્યો છે. ત્યારે બ્રહ્મ સમાજના આગેવાનોએ આ મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની ચિમકી ઉચ્ચારી છે. રાજકોટના બ્રહ્મ સમાજે આ ચિમકી ઉચ્ચારી છે. સાળંગપુર વિવાદમાં સંતોને 5 તારીખ સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.

સનાતમ ધર્મના સાધુ-સંતો પણ આ મામલે વિરોધ કરી રહ્યા છે. અનેક સંગઠનો દ્વારા પણ આ મામલે વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિશ્ર્વ હિન્દુ પરિષદે પણ આ મામલે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. ત્યારે સાળંગપુર વિવાદને લઈને હવે બ્રહ્મ સમાજ પણ મેદાનમાં ઉતર્યો છે. રાજકોટના બ્રહ્મ સમાજના આગેવાનો સાળંગપુર મંદિરે જઈને વિરોધ પ્રદર્શન કરશે. બ્રહ્મ સમાજ દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને આગામી 5 તારીખ સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.

- Advertisement -

‘ખાસ-ખબર’ના અહેવાલની અસર: સનાતનીઓએ એક થઈ અવાજ ઉઠાવ્યો
સોશિયલ મીડિયા પર બોટાદ સ્થિત સાળંગપુરમાં આવેલા કષ્ટભંજન મંદિરમાં હનુમાનજીની વિરાટ પ્રતિમાની નીચે મુકવામાં આવેલી કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે. કિંગ્સ ઓફ સાળંગપુર પ્રતિમાની નીચે કેટલાક ભીંતચિત્રો દોરવામાં આવ્યા છે. આ ચિત્રોમાં નીલકંઠવર્ણી (સહજાનંદ સ્વામીનું કિશોરાવસ્થાનું નામ) સમક્ષ હનુમાનજી નમસ્કાર કરતી મુદ્રામાં દેખાઇ રહ્યાં છે. આ હનુમાનજીનું અપમાન હોય, સ્વામીનારાયણ સંતોને હનુમાનજી કરતાં મહાન દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેમજ હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ ચિતરવામાં આવતા સમગ્ર ઘટનાની નોંધ લઈ ’ખાસ-ખબર’માં આ અંગે એક વિસ્તૃત અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યા હતા, ’ખાસ-ખબર’ના અહેવાલો બાદ હિંદુ સાધુસંતો અને સંગઠનો મેદાને આવ્યા છે અને એક સૂરમાં સમગ્ર ઘટનાને વખોળી કાઢી છે. આ પરથી હવે કિંગ્સ ઓફ સાળંગપુર પ્રતિમા નીચેથી હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ ચિતરવામાં આવેલા ચિત્રો દૂર થશે એવું જણાય આવે છે.

હનુમાનજીનાં અપમાન મુદ્દે મોરારિબાપુ, રમેશભાઈ ઓઝા, શેરનાથ બાપુ, મણિધર બાપુ સહિતનાં સંતો મેદાનમાં

હનુમાન દાદાના અપમાનને લઈ મોરારીબાપુએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે આ કૃત્યને કપટ ગણાવ્યું છે. હનુમાનજીનું અપમાન ન ચલાવી લેવાય. લોકોએ જગૃત થવાની જરુર છે તેવી ટકોર પણ મોરારી બાપુએ કરી છે. આજકાલ દુનિયામાં પોતાની શ્રેષ્ઠતા સિદ્ધ કરવા લોકો કેવા કપટ કરે છે. અમારા સૌરાષ્ટ્રમાં હનુમાનજીની આટલી સરસ મોટી મૂર્તિ છે અને તેની નીચે ચિત્રમાં હનુમાનજી તેમના કોઈ મહાપુરુષને પ્રણામ કરતા, સેવા કરતા દેખાય છે. હવે વિચારો, સમાજે જાગૃત થવાની જરૂર છે. લોકો કહે છે બાપુ તમે બોલો. હું બોલ્યો ત્યારે કોઈ મારી સાથે બોલ્યું ન હતું. હવે તમે બોલો.

સાળંગપુર વિવાદને લઈ કથાકાર રમેશ ઓઝાએ સ્વામી નારાયણ સંતોની હાજરીમાં જ જણાવ્યું હતું કે, ગઈકાલે પણ કથામાં સ્વામીનારાયણ સંપ્રદાયના વંદનીય સંતો પધારેલા, આપની ઉપસ્થિતિ આનંદદાયક છે, આપ જ બધા ભેગા થઇને આ બધું રોકો, સનાતન ધર્મ માટે જરૂરી છે. બીજી વાત કહું હું સ્વામી ક્યાંક બોલાઇ રહ્યું છે એની પાછળ ક્યાંકને ક્યાંક ચોપડા ચીતરાણા છે આવા કૃપા કરી એ ચોપડાઓને કાઢો, એ ખોટા ચીતરાઇ ગયા છે, આવું બોલશોને તો તમારા આરાધ્ય પણ નારાજ થશે, દુ:ખી થશે. આવા ચોપડાઓ લખાણા જ છે, નહીં તો આ વાત આવે જ નહીં, ફાડી નાખો, ખોટા ચીતરાઇ ગયા, જે ભાવથી ચીતરાણા એ ભાવ સારો છે, પોતાના ઇષ્ટમાં અનન્ય ભાવ એ જરૂરી છે, બીજાને નીચા ચીતરીને નહીં.

ઈન્દ્રભારતી બાપુએ કહ્યું હતું કે, સાળંગપુરમાં હનુમાનજી મહારાજની જે મૂર્તિ બેસાડી તેનું આપણે ગૌરવ અનુભવીએ છીએ. પરંતુ તેની નીચે હનુમાનજી મહારાજના જે ચિત્રો દર્શાવાયા છે, આ કઈ વ્યાજબી કહેવાય, આ ધર્મ કહેવાય, આ સંપ્રદાયની દાટ વાળવા માટે સાધુ થયા છે કે જે આજે સનાતન ધર્મના દેવી-દેવતાઓને નીચા દેખાડે છે. આના કારણે અમને ઘણું દુ:ખ થાય છે. દર વખતે આવી ભૂલો કરીને પછી કહે કે હું માફી માંગુ છું, માફી માંગુ છું, અરે ભાઈ આવું કરીને તમારે માફી જ માંગવાની.

હર્ષદ ભારતી બાપુએ પણ હનુમાનજીના અપમાન બદલ આકરા પાણીએ જોવા મળ્યા છે. તેમણે એક વિડીયો દ્વારા પોતાનો આક્રોશ ઠાલવ્યો છે. તેમણે કહ્યું હતું કે, આ સ્વામીઓ હદ વટાવી ગયા છે. પહેલાં પુસ્તકો પૂરતા હતા, પુસ્તકોમાં ભગવાનના ચિત્રો ચીતર્યાં હતાં. ભગવાનને હાથ જોડી ઉભા રાખે છે સ્વામીઓ પાસે. અને હવે સાળંગપુરમાં હજારો લોકો જોઈ શકે તેમ હનુમાનજીને એક દાસ, એક ચોકીદાર તરીકે ઉભા રાખી દીધા છે. બસો-અઢીસો વર્ષના ઈતિહાસવાળા સ્વામીઓની સામે. હદ વટાવી દીધી છે, તમારી પાસે કયા શાસ્ત્રોનું પ્રમાણ છે? હનુમાનજીને માનનારા સંતો, કથાકારો, કલાકારો, સંગઠનો તમામે આ મામલે બોલવું પડશે.

સ્વામિનારાયણ સંપ્રદાયની હરકતો વિરૂદ્ધ સનાતનીઓમાં પ્રચંડ આક્રોશ

સાળંગપુર હનુમાજીની જે રીતે કૃતિ મુકવામાં આવીછે તેની સામે ગિરનાર તીર્થ ક્ષેત્રના વરિષ્ઠ સંત પૂ.શેરનાથ બાપુએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતુંકે સનાતન પરંપરામાં દુર્ઘટના કહી શકાય તેવી અશોભનીય ઘટના સામે આવીછે સ્વામીજી ની સામે હનુમાનજી હાથ જોડીને ઉભા હોય તેવું ચિત્ર પ્રતિપાત કરવામાં આવ્યું તે ઘણી મુર્ખામી ભરી વાત છે આ પેહલા પણ સ્વામિનારાયણ દ્વારા સનાતન ધર્મના ઇષ્ટદેવને નીચા દેખાડવાનું કૃત્ય સામે આવ્યું હતું આ સનાતન ધર્મ સમાજ સામે એવો પ્રશ્ર્ન આવ્યોછે જે દર્દ ભરી વેદના છે અને આ અયોગ્ય છે.

કબરાઉ ધામના મણિધર બાપુએ સ્વામીનારાયણના સંતોને ચેતવ્યા છે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે, અમે પાયામાં ઉતર્યા તો તમે બધુ મુકી દેશો. કોઈની ઔકાત નથી, હનુમાન દાદાનું અપમાન કરવાની. દાદાનું અપમાન કરનારા તેમના ચરણમાં બેસવાને લાયક નથી. હનુમાન દાદાનું અપમાન કરનારાઓ રાક્ષસ સમાન છે. જેમની વૃતિ રાક્ષસ જેવી હોય તે જ કરે દાદાનું અપમાન. કેટલાક લોકોએ મા અંજનિનું અપમાન કર્યુ છે.

સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્રો અંગે ભારતી આશ્રમના 1008 મહામંડલેશ્ર્વર હરીહરાનંદ બાપુએ કહ્યું હતું કે, સાળંગપુરમાં હનુમાનજીની મોટી મૂર્તિ બેસાડી છે, ત્યાં સેવક તરીકેની પ્રતિમા યોગ્ય નથી આ ઘટના નિંદનીય છે. હનુમાનજી આપણા આરાધ્ય દેવ છે. તેમના નિંદાપાત્ર ચિત્રો મૂક્યા છે. હનુમાનજી મહારાજ સ્વામીને પગે લાગે છે, સ્વામીના દાસ થઈને રહે એવું દર્શાવ્યું છે, જે નિંદાને પાત્ર છે.

બરવાળા લક્ષ્મણજી મંદિરના મહંત મહામંડલેશ્ર્વર જગદેવદાસ બાપુએ સ્વામીને હાથ જોડી હનુમાનજી પ્રણામ કરતા હોય તેવી પ્રતિમા અયોગ્ય અને ઘટનાને નિંદનીય ગણાવી. તેમણે કહ્યું, આ પ્રકારની જે મૂર્તિઓ છે તે હટાવી લેવી જોઈએ. તેમણે માંગ કરી કે, ભગવાન રામના અનુયાયી છે હનુમાનજી તો એવા પ્રકારની મૂર્તિ મૂકવી જોઈએ. સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા અગાઉ પણ અનેક આવા કર્મો કર્યાં બાદ વિવાદ થાય પછી માફી માંગી લેતા હોય છે.

મુચકુંદ ગુફાના 1008 મહામંડલેશ્ર્વર મહેન્દ્રાનંદગિરિ મહારાજે જણાવ્યું હતું કે સાળંગપુરમાં ફરી પાછો વિવાદ ઊભો કર્યો છે. શું કામ આવું કરો છો? આ સંપ્રદાય સનાતનમાંથી નીકળેલો એક ભાગ છે. કોઈ સનાતની સાધુઓ સ્વામિનારાયણ સંપ્રદાયના મહાપુરુષો વિશે ક્યારેય કોઈ ખરાબ ટિપ્પણી નથી કરતા. નથી કોઇ પુસ્તકો કે તમારા ધાર્મિક ગ્રંથોમાં છેડછાડ કરી, નથી તમારા ખરાબ ચલચિત્રો મૂક્યાં. તો તમે શું કામ આવું કરો છો? માપે રહોને ભલા માણસ, એમાં મજા આવશે.

You Might Also Like

અમેરિકામાં ગેરકાયદે ઇમિગ્રન્ટોનો રાફડો

કાર સળગાવી દીધાની ફરિયાદનો ખાર રાખી યુવક ઉપર છરીથી હુમલો

જામકંડોરણાના વેપારીને હનીટ્રેપમાં ફસાવી 7.50 લાખ પડાવી લેનાર રાજકોટની ટોળકી ઝડપાઇ

છખઈના શાસક પક્ષના નેતા પર સરકારી કારના દુરુપયોગની ફરિયાદ: પોલીસ દ્વારા ‘ક્લીનચીટ’ અપાતા વિવાદ

ટેન્કરની ટક્કરે પોલીસ હેડ કોન્સ્ટેબલ દંપતીના મોતના કેસમાં વળતર: વારસદારોને વ્યાજ સાથે કુલ રૂ.73 લાખ ચૂકવવા હુકમ!

TAGGED: HANUMANJIIDOL, lordkashtabhanjandev, organizations, saint, sarangpur
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટની સોની બજારમાંથી 2 કરોડનું સોનુંં લઈ બે બંગાળી કારીગર ફરાર
Next Article હનુમાનજી સહજાનંદ સ્વામીના દાસ છે તેનો ક્યાં શાસ્ત્રમાં ઉલ્લેખ?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Shailesh Sagpariya

નાની મદદનું મોટું પરિણામ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
‘હું’ કારમાંથી જ મહાભારતનો ઉદ્ભવ
સમુદ્રની 6000 મીટર ઊંડાઈએ પ્રયોગશાળા
કંપની રાજ અને કોર્પોરેશન્સ
અમેરિકામાં ગેરકાયદે ઇમિગ્રન્ટોનો રાફડો
તાલાલા તાલુકાનાં ધાવા ગિર ગામના રાજુભાઈ ઘોડાસરાએ વતન પ્રેમના દર્શન કરાવ્યા: વિનામૂલ્યે ભોજનાલય શરૂ કર્યું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

અમેરિકામાં ગેરકાયદે ઇમિગ્રન્ટોનો રાફડો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ગુજરાત

કાર સળગાવી દીધાની ફરિયાદનો ખાર રાખી યુવક ઉપર છરીથી હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

જામકંડોરણાના વેપારીને હનીટ્રેપમાં ફસાવી 7.50 લાખ પડાવી લેનાર રાજકોટની ટોળકી ઝડપાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?