બાર ઍસોસિએશનમાં દરેક કામગીરીમાં દિલીપ પટેલની દખલગીરી થતી હોવાનો આક્ષેપ…
અમુક મિટિંગને બાદ કરતા દરેક મિટિંગમાં દિલીપ પટેલની હાજરી હોય છે
- Advertisement -
બારના હિતને ધ્યાનમાં રાખવાની જગ્યાએ કોઈ વ્યક્તિ હિતને ધ્યાનમાં રાખી તમામ કામગીરી થાય છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ બાર એસોસીએશનના સેક્રેટરી સંદિપ વેકરીયાએ અચાનક સ્વૈચ્છીક રાજીનામુ આપી દીધુ છે. જો કે સેક્રેટરી સંદીપ વેકરીયાએ બાર એસોસીએશનમાં દરેક કામગીરીમાં દિલીપ પટેલની સલાહ મુજબ કામગીરી થતી હોવાનો આક્ષેપ કર્યો છે તેમજ ઉપપ્રમુખ મને વોટસઅપ ગૃપમાં અને રૂબરૂમાં અપમાનીત કર્યો અને રાજીનામુ આપવા માટે પણ કહ્યુ હોવાનું જણાવ્યુ હતુ. આ ઉપરાંત બાર એસોસીએશનમાં નિયમ મુજબ કામગીરી થતી ન હોવાનો પણ ખુલાસો કર્યો છે.
આ અંગે વકીલ સંદીપ વેકરીયાએ જણાવ્યુ કે હું રાજકોટ બાર એસોસીએનમાં વર્ષ 2014થી જોડાયેલો છું હાલ હું સેક્રેટરી તરીકે બારમાં સેવા આપુ છું. પરંતુ મને કોઈ સભ્યો દ્વારા રૂબરૂ કે ટેલીફોનીક બારને લગતા કાર્યક્રમો કે કામગીરી અંગે કોઈ માહિતી માંગે તો ઘણી વાર મને પણ માહિતી હોતી નથી અને હું સભ્યોને સંતોષકારક જવાબ આપી શકતો નથી. તેમજ મીટીંગમાં અને અન્ય જગ્યાએ હોદેદારો સિવાયના લોકોની પણ હાજરી હોય છે. અમુક મીટીંગને બાદ કરતા દરેક મીટીંગમાં દિલીપ પટેલની હાજરી હોય છે. બારમાં નિયમ દરેક હોદેદારો માટે સરખા હોવા જોઇએ કોઇપણ જગ્યાએ હોદેદારો સિવાય બીજા હાજર રહેવાના હોય તો તેની દરેક હોદેદારને માહિતી હોવી જોઇએ અને બીજા વડીલોને અથવા દરેક હોદેદાર પોત પોતાના મિત્રોને લાવી શકે છે તેવુ હોવુ જોઇએ અથવા હોદેદારો સિવાય કોઈ ન હોવા જોઇએ. કા તો દરેક હોદેદારોને છુટ આપો કા તો કોઈને છુટ નહિ આપવાની તેવો નિયમ હોવો જોઈએ. અમુક મારી વાતમાં પ્રમુખને પીયુષભાઈ શાહનું પણ નામ લેવાતુ પ્રમુખ સાહેબના મનમાં હું પીયુષભાઈ શાહનો માણસ છું અને તે કહે તેમ કરૂ છું. બારમાં ઘણા ડ્રાફટીંગ બાબતે અને નિર્ણયો બાબતે વધુ ઉપપ્રમુખ દ્વારા અને ક્યારેક પ્રમુખ દ્વારા અન્ય હોદેદારો સાથે કોઈપણ જાતની ચર્ચા કર્યા વગર ડ્રાકટીંગ તૈયાર કરી અને સહીઓ કરવામાં આવી છે.
કામગીરીની પધ્ધતિ સાથે હું સહમત નથી તેથી રાજીનામું આપુ છું : સંદિપ વેકરિયા
ભુતકાળમાં મે જયારે ચુંટણીમાં ઉમેદવારી નોંધાવી ત્યારે અમુક લોકોએ મને ફોર્મ પરત ખેંચવા કે ઉમેદવારી ન નોંધાવવા માટે પણ ખોટી રીતે હેરાન કર્યો હતો. આવા સ્વાર્થી માણસો બારમાં કોઇ દિવસ ભેદભાવ વગર કામ કરવુ ન હોય અને પોતાનું વર્ચસ્વ ટકાવવા અને પોતાની ઇચ્છા અનુસાર બાર ચાલે તેવુ ઇચ્છતા લોકોના નામ પણ મેં આજદિન સુધી કોઇ જાહેરમાં વાત કરી નથી. કારણ કે હું બારને ધ્યાનમાં રાખી કામ કરૂ છું. મેં આવા વિવાદ ટાળી પણ કામ કર્યુ છે. પરંતુ આવા લોકો વિવાદો માટે મજબુર કરે તો તેનું પરીણામ તેને ભોગવવુ પડે છે. આમ મે કોઇ દિવસ વિવાદ કર્યો નથી અને હું હાલ કોઇ વિવાદમાં પડવા માંગતો નથી. હાલ હું કામગીરીની પધ્ધતિ સાથે સહમત નથી અને વિવાદ કરવા માંગતો નથી જેથી રાજીનામું આપુ છું.
- Advertisement -
મિટિંગમાં હોદ્દેદારો સિવાયના લોકો હાજર રહેવાના હોય તેની હોદ્દેદારોની માહિતી હોવી જોઇએ જે અપાતી નથી
તેમજ ઘણી વખત પ્રમુખની ઓફીસેથી પણ અમુક બાબતે ફોન આવતો અને ત્યારે ખબર પડે કે કોઇ કામગીરી માટે ભેગા થયા હશે. મને અમુક કામ માટે માહિતી ન હોય અને અમુક સભ્યો દ્વારા મને કોઈ વિગત પુછવામાં આવે ત્યારે માહિતી ન હોય અથવા બહારથી અધુરી માહિતી મળી હોય, ત્યારે હું જયારે કોઈ પ્રશ્ન કરૂ તો મને કહેવામાં આવે કે તને ખબર ન હોય તો ન બોલતો હોય તો અને હું તેવુ કહુ કે ખબર ન હોય તો ખબર આપતા જાવ એટેલે મને કોઈ પ્રશ્ન ન રહે અને હું સભ્યોને સંતોષકારક જવાબ આપી શકુ.
આમ જયારે મને કોઈ માહિતી ન હોય તો હું ગૃપમાં મેસેજ કરૂ તો મને ગૃપમાં મેસેજ નાખવાની ના પાડવામાં આવે અને વ્યકિગત ફોન કરવાનું કહેવામાં આવે અને તેવી શંકા કરવામાં આવે કે હું ગૃપમાં મેસેજ કરી ખોટો વિવાદ કરૂ છું. પરંતુ ગૃપમાં દરેક હોદેદારો ચર્ચા કરે અને માહિતગાર રહે તેમાં શું વિવાદ થાય, આનો મતલબ એવો થયો કે અમુક માહિતી અમુક લોકો સુધી જ સીમીત રાખવાની છે. આમ બારના હિતને ધ્યાનમાં રાખવાની જગ્યાએ કોઈ વ્યકિત હિત ધ્યાનમાં રાખી આવી શંકાઓ સાથે હું સહમત નથી. તેમજ અમુક મીટીંગમાં ઘણી બાબતો બહારથી નક્કી થઈ આવે અને મીટીંગમાં માત્ર મુકી કાર્યવાહી પુર્ણ કરવામાં આવે છે.ત્યારબાદ એક મીટીંગમાં ઠરાવ બાબતે ચર્ચા કરવામાં આવેલી અને તેમાં માહિતી અધુરી હોવાથી પ્રમુખને માહિતી મળ્યે ઠરાવ પસાર કરવા માટેની સતા આપી છે. ત્યારબાદ પ્રમુખ દ્વારા મને ઠરાવ મોકલ્યો એટલે મને એમ થયુ કે બધે ફોરવર્ડ કરવાનો હશે હજુ મેં બે ત્રણ ગૃપમાં ઠરાવ મોકલ્યો ત્યાં ઉપ પ્રમુખનો ફોન આવ્યો અને કહ્યુ કે તે ઠરાવ જે ગૃપમાં મોકલ્યો તે ડીલીટ કર તેમાં સુધારો કરવાનો છે અને દિલીપ પટેલની ઓફીસે પહોંચ ત્યાં ભેગા થઈએ. ત્યારબાદ થોડા સમય પછી પાછો ફોન આવ્યો કે હવે ધક્કો ન ખાતો પતી ગયુ છે. ત્યારબાદ સદરહુ ઠરાવ ન થતા મેં બોડીના વોટસઅપ ગૃપમાં જુનો ઠરાવ ફરતો હોવાથી મે નવો ઠરાવ વહેલી તકે કરવા વિનંતી કરી પરંતુ ત્યારે ઉપપ્રમુખ દ્વારા મને કહેલુ કે તને કોઇ સુચના નથી ઠરાવ ગૃપમાં મુકવાની, એટેલ મે ઉપપ્રમુખને કહેલુ કે મેં કોઇ ઇરાદાપુર્વક ઠરાવ નથી મુકયો અને મારી ગેરસમજણ હશે. ત્યારે ઉપપ્રમુખે મને કીધુ મેસેજ ડીલીટ કર તો પણ તુ અર્જુનભાઈને સારો થા છો, બોડીને વફાદાર રહેવાય, ગદારી ન કરાય બોડી સાથે, રાજકોટ બારની ગરીમા જાળવ તું આવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. ઉપપ્રમુખની આવી વાણી અને વર્તન યોગ્ય નથી. આમ હું પ્રમુખની નજરમાં પીયુષભાઈ શાહનો માણસ છું અને ઉપપ્રમુખની નજરમાં હું અર્જુનભાઈ પટેલનો માણસ છું. આવી ખોટી માનસીકતા તે લોકોમાં છે. મેં એક વખત મીટીંગમાં આવતા વર્ષની ચુંટણીમાં જે ઉમેદવારો ચુંટાય તેની સમયમર્યાદા બે વરસની થાય તેના માટે અરજી આપી હતી. તે અરજી પણ મારી લીધેલ નહિ. શું બધુ બે ત્રણ લોકોએ જ નકકી કરવાનું છે બીજા કોઇને કોઈ સતા જ નથી. શું એક બે લોકોની ઇચ્છા અનુસાર જ કામગીરી કરવાની છે.
રાજીનામુ આપવાનુ થોડા દિવસ પહેલા વિચાર કર્યો હતો પરંતુ ત્યારે લીગલ સેમીનાર 20 અને 21 સ્પટેમ્બર નજીક હોવાથી હું બારમાં મોટો પ્રસંગ હોય અને ખોટો ઇસ્યુ બનાવી વાતાવરણ ખરાબ કરવા માંગતો ન હતો. હવે મને ઉપપ્રમુખની એક વાતમાં એવી માહિતી મળી છે કે લીગલ સેમીનાર હવે ઓકટોમ્બર મહિનામાં છે એટલે સેમીનાર દુર હોય અને મેં આ નિર્ણય લીધો છે. મને કોઈ વ્યકિત સામે રાગ દ્વેશ કે વાંધો નથી અને રાખીશ પણ નહિ. ઉપ પ્રમુખને મારી સાથે વાંધો છે તેવુ સ્પષ્ટ તેના વાણી વર્તન ઉપરથી જણાય આવે છે. હું તેના સાથે કોઇ વિવાદ કરવા માંગતો નથી. તે તેની કામ કરવાની પધ્ધતિ હશે. હું માત્ર આવી કાર્ય પધ્ધતિ અને વાણી વર્તન સાથે સહમત ન હોય અને મારા એકના જ વિચારો જુદા પડતા હોય અને હોદેદારો વચ્ચે ખોટા વિવાદો થાય અને વાતાવરણ ખરાબ ન થાય, જેથી હું સેક્રેટ સેક્રેટરી પદેથી સ્વૈચ્છિક રાજીનામુ આપુ છું.
પંદર દિવસ પહેલા આપેલું રાજીનામું હજુ પણ પ્રમુખે સ્વીકાર્યું નથી
બારમાં કોઈપણ સભ્ય કે હોદેદારો કોઈ અરજી કે રજુઆત આપે તો તેને લઈ રીસીવ કરી આપવાનું હોય છે અને નિર્ણય કરવાનો હોય છે. પરંતુ મે તા. 09-09-2025 ના રોજ બહારગામ હોવાથી મારૂ રાજીનામું મારી ઓફીસમાંથી અંકુર લીંબાસીયા સાથે શાંતિપુર્વક મોકલાવ્યુ હતુ અને તે રાજીનામું સ્વીકારવામાં આવ્યુ ન હતું. ત્યારબાદ મે રૂબરૂ કોર્ટે પ્રમુખની હાજરીમાં બે વાર મારૂ રાજીનામુ સ્વીકારવા આજીજી કરી હતી. પરંતુ પ્રમુખના મતે રાજીનામુ વાંચવુ પડે ત્યારબાદ લેવાનું હોય તેવુ જણાવતા મેં કોર્ટ તેઓને વાંચવા રૂબરૂ લેવા જણાવ્યુ પરંતુ તેઓએ વોટસઅપ કરવાનું કહેતા વોટસઅપ કરી તેને ફોન કર્યો તો પ્રમુખે રૂબરૂ આપવાનું જણાવ્યુ હતુ. ત્યારબાદ મેં પ્રમુખની ઓફીસે તા. 20-09-2025ના રોજ આપ્યુ હતુ. આમ એન કેન પ્રકારે મારૂ રાજીનામું લેવામાં આવતુ નથી. જેથી મારુ રાજીનામું પોસ્ટ મારફત મોકલાવ્યુ છે. ખરી હકીકતે રાજીનામુ સ્વીકારી તેના ઉપર નિર્ણય કરવામાં આવતો હોય છે. પરંતુ રાજીનામુ શા માટે ન સ્વીકારવામાં આવ્યુ તેની આજ દિવસ સુધી મને કોઈ માહિતી આપવામાં આવી નથી.
પ્રમુખને કોઇ ફોન કરી મારી વિશે કાન ભરે છે : સંદિપ વેકરિયા
હું પ્રમુખની ઓફીસે ઘણી વખત બારને લગતા મેસેજ ચેક કરાવવા માટે ગયો છું. પ્રમુખને સોશીયલ મીડિયા જોવાની ટેવ નથી તે પ્રમુખે પોતે જણાવ્યુ છે. પરંતુ હું વોટસઅપ ગૂપમાં કોઇ મેસેજ કરૂ કે અન્ય ગૃપમાં કોઇ સભ્ય મેસેજ કરુ તો સૌપ્રથમ પ્રમુખનો મને સીધો ફોન આવે તેનો મતલબ એવો છે કે કોઇ તેને ફોન કરી મારા વિશે કાન ભરતા હશે. આમાં કોઈ તંદુરસ્ત ચર્ચા કરવાની જગ્યાએ કડક શબ્દોમાં વાત કરવામાં આવે છે.



