ભાવનગરની ઘટનાનો ઉલ્લેખ કર્યો ઉચ્ચ ન્યાયાલયે, રાજ્યમાં શરાબબંધી અંગે SCના સવાલો
ગુજરાતમાં શરાબબંધી અને તે વચ્ચે લઠ્ઠાકાંડથી થતા મોત તથા ગેરકાનુની રીતે રાજયમાં જે દારૂની છોળ ઉડી રહી છે તે સંભવત પ્રથમ વખત દેશની સર્વોચ્ચ અદાલતના પ્રશ્નોનો સામનો કરી રહી છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ જે.બી.પારડીવાલા અને ન્યાયમૂર્તિ વિનોદ ચંદ્રનની ખંડપીઠે દારૂબંધીથી થતા પાંચ નુકશાન ગણાવ્યા હતા.
સુપ્રીમકોર્ટે ગુજરાતમાં લઠ્ઠાકાંડથી ૬૦૦થી વધુના મોત થયાનો પણ ઉલ્લેખ કર્યો હતો. સર્વોચ્ચ અદાલતે નોંધ્યું કે ગુજરાતના ભાવનગર તથા મધ્યપ્રદેશના સાગરમાં ઝેરીલી શરાબની ઘટનામાં અધિકારીઓ માટે ચેતવણી છે જેમાં ૧૩ તથા ૧૫ લોકોના મોત થયા હતા. સર્વોચ્ચ અદાલતે નોંધ્યું કે દારૂબંધીથી શરાબનો ભુગર્ભ ધંધો ચાલવા લાગે છે અને તેનાથી લઠ્ઠાકાંડનો ખતરો વધે છે.
સુપ્રીમ કોર્ટે ગુજરાતનુ જ ઉદાહરણ આપતા કહ્યું કે રાજયમાં દારૂબંધીથી બહુ કડક નીતિ છે અને ગુજરાતની રચના બાદ આ રાજયમાં ઓછામાં ઓછા ૧૦ વખત લઠ્ઠાકાંડ થઈ રહ્યા છે. જેમાં ૬૦૦ જેટલા લોકોના ખેડૂત થયા છે તો મહાસભાના મેથેનોલના ઉપયોગ સામે કાનૂન બનાવ્યો છે. તેનાથી નકલી શરાબ પીવાથી ૯૩ લોકોના મોત થયા છે.
આ નિયમ મેથેનોલની ખરીદી પર નિયંત્રણ બિન દવા ઉત્પાદકોએ તેના વેચાણ પુર્વે તેમાં કડવો પદાર્થ રંગ મેળવવાની શરત રખાઈ છે. આ નિયમો ઝેરી શરાબ બનતા રોકવામાં કોઈ રીતે તાર્કીક નથી. જો કે સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે રાજ્યના ઈરાદા સામે પ્રશ્ન ઉઠાવતા નથી પણ સારા ઈરાદા સાથેના નિયમો પણ કઈ યોગ્ય પરિણામ લાવતા નથી. મેથેનોલ ઓકે પણ અન્ય પદાર્થો જે ઝેરી શરાબ બનાવવામાં ઉપયોગ થાય છે તેને રોકવા શું થયુ છે! આ પ્રકારના પ્રતિબંધ નકલી શરાબ બનતા રોકી શકાતી નથી.
- Advertisement -
સુપ્રીમે દારૂબંધી સાથે જોડાયેલા પાંચ મોટા નુકસાન ગણાવ્યા
1 એક્સાઇઝની ક્ષતિ : દારૂના વેચાણ પર રોક લાગવાથી સરકારને મળતા આબકારી શુલ્ક તરીકેના ખૂબ મોટા મહેસૂલ નુકસાન થાય છે.
2 અમલીકરણનો ભારે ખર્ચ : રાજ્યભરમાં કાયદો કડકાઈથી લાગુ કરવા, દેખરેખ રાખવા અને દારૂની તસ્કરી રોકવા પાછળ સરકારી તિજોરી પર મોટું નાણાકીય ભારણ પડે છે.
3 પોલીસ તંત્રમાં ભ્રષ્ટાચાર: દારૂબંધીની આડમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળતું હોવાથી પોલીસ અને વહીવટી તંત્રમાં લાંચ અને ભ્રષ્ટાચાર ઝડપથી ફેલાય છે.
4 ગેરકાયદેસર અને નકલી દારૂનો ધંધો : કાયદેસર દારૂ ન મળવાના કારણે અપરાધીઓ અને માફિયાઓ સક્રિય થઈ જાય છે, જેના પરિણામે નકલી, ઝેરી અને ગેરકાયદેસર દારૂ બનાવવાનું તથા વેચવાનું કૌભાંડ ફૂલેફાલે છે.
5 નશીલા પદાર્થોનું વધતું ચલણ : દારૂની અપ્રાપ્યતાના કારણે લોકો નશાના અન્ય ખતરનાક વિકલ્પો તરફ વળી જાય છે, જેનાથી સમાજમાં ડ્રગ્સના ઉપયોગ અને તેનાથી જોડાયેલી ગંભીર સમસ્યાઓ ઝડપથી વધવા લાગે છે.
જસ્ટિસ જે.બી. પારડીવાલા અને કે. વિનોદ ચંદ્રનની ખંડપીઠે કરી આકરી ટિપ્પણી
આ મામલાની સુનાવણી દરમિયાન જસ્ટિસ જે.બી. પારડીવાલા અને કે. વિનોદ ચંદ્રનની ખંડપીઠે મહારાષ્ટ્ર પોઈઝન રૂલ્સના નિયમ 18A અને 18B ને રદ કરતા આ મહત્ત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી હતી. અગાઉ આ નિયમો હેઠળ મિથેનોલની ખરીદી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને બિન-દવા ઉત્પાદકોને તે વેંચતા પહેલા તેમાં કડવાશ લાવનાર પદાર્થ તથા રંગ મિલાવવો અનિવાર્ય કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે વર્ષ ૧૯૯૧ માં મુંબઈમાં મિથેનોલ યુક્ત ઝેરી દારૂ પીવાના કારણે ૯૩ લોકોના મોત નિપજ્યા હતા, ત્યારબાદ આ નિયમો બનાવવામાં આવ્યા હતા.




