પ્રજાજનોના રોજિંદા પ્રશ્નોને વાચા આપવા, ભ્રષ્ટાચાર તેમજ રાજકોટ મનપાની નિષ્ફળતા સામે કોંગ્રેસ મેદાને
રાજકોટની જનતાએ ભાજપ પર ભરસો મૂક્યો હતો, પરંતુ આજે શહેરની વાસ્તવિક સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે : ડૉ.રાજદીપસિંહ જાડેજા
- Advertisement -
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
પ્રજાજનોના રોજિંદા પ્રશ્નોને વાચા આપવા, ભ્રષ્ટાચાર તેમજ રાજકોટ મનપાની નિષ્ફળતા સામે કોંગ્રેસ મેદાને આવી છે. જે અંતર્ગત રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ત્રિકોણ બાગે ધરણા યોજાવામાં આવ્યા હતા. રાજકોટ શહેરમાં ચોમાસાની શરૂઆત થતાં જ મહાનગરપાલિકાની કામગીરીની વાસ્તવિકતા સામે આવી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં ગંદુ અને દુર્ગંધયુક્ત પીવાનું પાણી લોકોના ઘરે પહોંચી રહ્યું છે. રસ્તાઓ પર અસંખ્ય ખાડાઓને કારણે વાહનચાલકો અને રાહદારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે, જ્યારે પ્રિમોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ પૂર્ણ થઈ હોવાનું શહેરની હાલત પરથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. સાથે સાથે હાલમાં ચોમાસામાં આરોગ્યના અનેક પ્રશ્નો ઉભા થતા હોય છે ત્યારે પ્રજાના સ્વસ્થ ને લઈને આરોગ્ય લક્ષી મહાનગરપાલિકા ની કાર્યવાહી શૂન્ય હોઈ એવું જણાઈ રહ્યું છે. રાજકોટ સ્માર્ટ સિટીની જગ્યાએ અનેક જગ્યા પર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે, એક તરફ સ્વચ્છ રાજકોટ નું બોર્ડ હોય મહાત્મા ગાંધીજીનો પોસ્ટર હોય અને એની સામે જ કચરાનો ઢગલો હોય આ તે કેવું સ્માર્ટ સિટી?
તાજેતરમાં શહેરમાં થયેલા મેગા ડિમોલેશનને ભાજપ દ્વારા ઐતિહાસિક કાર્યવાહી થઈ હોય એવું એ લોકો માની રહ્યા છે પરંતુ એ ડિમોલેશનમાં વાસ્તવિકતામાં ઐતિહાસિક ભ્રષ્ટાચાર થયો છે અને એસ.આઇ.ટી નામે સમિતિ બેસાડવામાં આવી પરંતુ આજ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી, અને જે કોઈ કાર્યવાહી થઈ છે એ ફક્ત કાગળ પર થઈ છે કોઈ ભ્રષ્ટાચારીઓ સામે કાયદાકીય પગલા લેવામાં આવ્યા નથી. પરંતુ અમારો વિરોધ પક્ષ તરીકે પ્રશ્ન એ છે કે એસ.આઈ. ટી તપાસ નો રિપોર્ટ હજુ સુધી જાહેર કેમ કરવામાં આવ્યો નથી?લાગે છે કે સમગ્ર કાર્યવાહી માત્ર દેખાડો અને પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ચૂંટણી દરમિયાન મોટા મોટા વચનો આપનાર ભાજપના કોર્પોરેટરો આજે પોતાના જ વોર્ડમાંથી ગાયબ થઈ ગયા હોય તેવી સ્થિતિ છે. ચૂંટણી પૂરી થતાં જ પ્રજાના પ્રશ્નો પ્રત્યેની તેમની જવાબદારી પણ પૂરી થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે. શહેરના પ્રાથમિક પ્રશ્નો આજે પણ યથાવત છે અને સામાન્ય નાગરિક રોજિંદી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે.
આજે મહાનગરપાલિકાની જનરલ બોર્ડ બેઠકમાં કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા શહેરના પ્રજાલક્ષી પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. હવે જોવાનું એ છે કે ભાજપ શાસિત મહાનગરપાલિકા આ પ્રશ્નોનું નિરાકરણ લાવે છે કે ફરી એકવાર પ્રજાને માત્ર આશ્વાસનો આપીને નિરાશ કરે છે.
આ પ્રસંગે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું “રાજકોટની જનતાએ ભાજપ પર ભરસો મૂક્યો હતો, પરંતુ આજે શહેરની વાસ્તવિક સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. ગંદુ પીવાનું પાણી, ખાડાયુક્ત રસ્તાઓ, અધૂરી પ્રિમોન્સૂન કામગીરી અને ભ્રષ્ટાચારથી પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે. મેગા ડિમોલેશન બાદ રચાયેલી SIT માત્ર લોકોનો રોષ શાંત કરવાનો પ્રયાસ સાબિત થઈ છે, કારણ કે આજ સુધી કોઈ જવાબદાર સામે કડક કાર્યવાહી થઈ નથી. કોંગ્રેસ પ્રજાના હક્ક અને અધિકાર માટે સતત લડતી રહેશે. રાજકોટના લોકોને શુદ્ધ પીવાનું પાણી, સારા રસ્તાઓ અને તમામ પ્રાથમિક સુવિધાઓ નહીં મળે ત્યાં સુધી ભાજપ સરકાર અને મહાનગરપાલિકા સામે પ્રજા ના પ્રશ્નો સામે કોંગ્રેસ પક્ષ સતત લડત આપશે.
કોંગ્રેસના ધરણામાં આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિ
ધરણા કાર્યક્રમમાં કોંગ્રેસ શહેર પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાના નેતૃત્વમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ડો. હેમાંગ વસાવડા, જસવંતસિંહ ભટ્ટી, ડી.પી. મકવાણા, મહેશ રાજપુત, અતુલ રાજાણી, સંજય જુડિયા, મુકેશ ચાવડા, તુષાર નંદાણી, નિતીન ભંડેરી, વૈશાલી શીંદે, મેહુલ મકવાણા, રવિ જીતીયા, આદિત્યસિંહ ગોહિલ, હરપાલસિંહ જાડેજા, ગોપાલ અનડક, મુકુંદ ટાંક, નરેન્દ્ર પટેલ, હિરલ રાઠોડ, પ્રફુલાબા ચૌહાણ, નયનાબા જાડેજા, હેમાંગીનીબેન, જયાબેન ચૌહાણ, ભાવેશ વાઘેલા, જગુભા જાડેજા, પરેશ પરમાર, આરીફ ભોનીયા, શૈલેષ સાકરિયા, ગિરીશ ઘરસંડીયા, કેતન તાળા, હાર્દિક પટેલ, વિજયસિંહ જાડેજા, સુરેશ ગેરૈયા, રાજુ ચાવડા, રાજુ બાબિયા, નિલેશ મારુ, મનસુખ જાદવ, ઉકેશ રબારી, જીતુ રાઠોડ, ઠાકરશી ગજેરા, બ્રીજરાજ રાણા, ગૌરવ ખીમસુરીયા, દીપ ભંડેરી, જીત ખોખર, મહિપાલ ચૌહાણ, કનકસિંહ જાડેજા, રાજુભાઈ આમરણીયા, દિલીપ આસવાની, અજિત વાંક, યજ્ઞેશ દવે, કૃણાલ ચૌહાણ, અક્ષાંશ ગોસ્વામી, સલીમભાઈ કારયાની, કમલેશ કોઠીવાર, જયદીપ મિયાત્રા, યુનુસ જુણેજા, ડાયાભાઈ, પ્રહલાદસિંહ, વરુણ જાની, મયુર શાહ, જીતુભાઈ ઠાકર, જીગ્નેશ વાગડીયા, જલ્પેશ વાઘેલા, મેઘજીભાઈ, રાહુલ સોલંકી, રસિકભાઈ ભટ્ટ, જે. કે. અનદાણી, મનુ મામા, રમેશ જુનજા, બાંભવા અને અહેસાનભાઈ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહી કાર્યક્રમને સમર્થન આપ્યું હતું.




