‘સર્વેશ્વર ચોક કા રાજા’ના દરબારમાં ભક્તિ સાથે સેવાકાર્યની સુવાસ
મહોત્સવના ચોથા દિવસે મહાઆરતીમાં શહેરના મહાનુભાવો, સમાજના આગેવાનો અને રાજકીય અગ્રણીઓ જોડાયા
- Advertisement -
હજારો ભાવિકોએ દાદાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા
રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર આવેલા સર્વેશ્વર ચોક ખાતે સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. ‘સર્વેશ્વર ચોક કા રાજા’ના દર્શન
કરવા માટે દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે. ગણપતિ બાપ્પાના ભવ્ય શણગાર અને ધાર્મિક કાર્યક્રમો સાથે મહોત્સવમાં સેવાકીય પ્રવૃત્તિઓને પણ મહત્વ આપવામાં આવી રહ્યું છે. ગણેશ મહોત્સવના ચોથા દિવસે
સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સદભાવના વૃદ્ધાશ્રમના 150 વડીલો માટે ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. વડીલોને સન્માનપૂર્વક ભોજન કરાવવામાં આવ્યું હતું. ભોજન બાદ તમામ વડીલોને ભેટ આપવામાં આવી હતી.
આ સેવાકીય પ્રવૃત્તિ દ્વારા વડીલો પ્રત્યે સન્માન અને લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. ધાર્મિક મહોત્સવને માત્ર પૂજા અને દર્શન પૂરતો સીમિત રાખવાને બદલે સમાજસેવા સાથે જોડવાનો પ્રયાસ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો
હતો.
મહોત્સવના ચોથા દિવસે સર્વેશ્વર ચોક ખાતે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાઆરતીમાં શહેરના મહાનુભાવો, સમાજના આગેવાનો, ઉદ્યોગપતિઓ તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મોટી
સંખ્યામાં ભાવિકોએ મહાઆરતીમાં ભાગ લઈને ગણપતિ બાપ્પાની આરાધના કરી હતી. આરતીના પવિત્ર વાતાવરણમાં ભક્તોએ દાદાના આશીર્વાદ મેળવ્યા હતા. મહાઆરતી દરમિયાન ભક્તિ અને ઉત્સાહનો માહોલ છવાયો
હતો. ગણપતિ બાપ્પાના જયઘોષ સાથે ભાવિકોએ ધાર્મિક ભાવનાથી આરતીમાં ભાગ લીધો હતો. મહાઆરતીના પ્રસંગે બ્રિજેશભાઈ નંદાણી સહપરિવાર સર્વેશ્વર ચોક કા રાજાના દરબારમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પરિવાર
સાથે ગણપતિ બાપ્પાની આરાધનામાં જોડાઈ દાદાના દર્શન કર્યા હતા. આ પ્રસંગે તેમણે ગણેશજી સમક્ષ નમન કરીને આશીર્વાદ મેળવ્યા હતા.
- Advertisement -
રાજકોટ ભાજપના અગ્રણી નિતિનભાઈ ભારદ્વાજે પણ સહપરિવાર સર્વેશ્વર ચોક કા રાજાના દર્શન કરી ગણપતિ બાપ્પાના આશીર્વાદ મેળવ્યા હતા. પરિવાર સાથે ગણેશજી સમક્ષ નમન કરી તેમણે ધાર્મિક શ્રદ્ધા વ્યક્ત કરી હતી.
મહોત્સવમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની મુલાકાત અને ઉપસ્થિતિ જોવા મળી રહી છે. ગણેશ મહોત્સવના પ્રસંગે રાજકોટ એ ડિવિઝનના પીઆઈ વાઢીયા પણ પરિવાર સાથે સર્વેશ્વર ચોક ખાતે પહોંચ્યા હતા. તેમણે પરિવાર સાથે
ગણપતિ બાપ્પાના દર્શન કરી દાદાના આશીર્વાદ મેળવ્યા હતા. આ ઉપરાંત ક્રાઇમ બ્રાંચના એએસઆઈ ભાવેશભાઈ પરમારે પણ દુંદાળા દેવ સમક્ષ નમન કર્યું હતું. શહેરના પોલીસ અધિકારીઓ સહિત વિવિધ ક્ષેત્રના લોકો
ગણેશ મહોત્સવમાં જોડાઈ રહ્યા છે.




