ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.27
રાજકોટવાસીઓના કસ્ટ હર્તા દાદા અને શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનું બાળ સ્વરૂપ એટલે મહાપ્રતાપી શ્રી બાલાજી હનુમાનજી મહારાજ, વડતાલ ધામ સંચાલિત શ્રી બાલાજી હનુમાનજી મંદિરે આજના શનિવારના પવિત્ર દિવસે મહાપ્રતાપી શ્રી બાલાજી હનુમાનજી મહારાજને રંગબેરંગી પુષ્પોના દિવ્ય અને મનમોહક શણગાર કરવામાં આવ્યા છે, જે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, દર શનિવારે અહીં દાદાને વિવિધ શણગારો કરવામાં આવે છે અને આજે મારુતિ યજ્ઞ પણ યોજાયો હતો, સંધ્યા આરતીનું અહીં ખાસ મહત્વ રહેલું છે, રાજપોચાર પદ્ધતિથી અહી દાદાની સંધ્યા આરતી થાય છે જેમાં હજારો ભક્તો જોડાય છે આપ પણ આજના શનિવારના પવિત્ર દિવસે સાંજે 7.00 કલાકે થતી દાદાની સંધ્યા આરતીનો અલભ્ય લાભ લો દર્શન નો લાભ લઈ ધન્યતાની અનુભૂતિ કરો તેમ બાલાજી હનુમાનજી મંદિર રાજકોટની યાદીમાં જણાવાયું છે.