-ભાજપની રાહુલ સામે ફોજદારી કાર્યવાહીની માંગ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ તેમની પનૌતી મોદી વાળી ટિપ્પણીને લઈને ચૂંટણી પંચ તરફથી આંચકો લાગ્યો હતો. કમિશને તેમને કારણ બતાવો નોટિસ મોકલી છે અને શનિવારે તા.25 નવેમ્બરે સાંજે 6:00 વાગ્યા સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે.
- Advertisement -
બુધવારે ભાજપે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી અને કાર્યવાહીની માંગ કરી હતી. પક્ષના મહાસચિવ રાધા મોહન દાસ અગ્રવાલ અને અન્ય અધિકારી ઓમ પાઠક સહિત પ્રતિનિધિમંડળમાં સામેલ અન્ય નેતાઓએ રાહુલ ગાંધીના નિવેદનને અપમાનજનક ગણાવ્યું હતું. વાસ્તવમાં, વર્લ્ડ કપ ક્રિકેટની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ક્રિકેટ ટીમની હાર બાદ રાહુલ ગાંધીએ પીએમ મોદી વિરૂદ્ધ પનૌતી શબ્દનો ઉપયોગ કર્યો હતો. ભારતે 50 ઓવરમાં 240 રન બનાવ્યા હતા, પરંતુ ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં 241 રન બનાવીને છ વિકેટે મેચ જીતી લીધી હતી.
ભાજપે ચૂંટણી પંચમાં આપેલા આવેદનમાં કહ્યું કે, જુઠાણા ફેલાવવા માટે કાર્યરત કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીની ટિપ્પણીઓ, આ આરોપીઓ સામે ફોજદારી કાર્યવાહી શરૂ કરવાની અને આ ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરે છે કારણ કે તેમનું વર્તન નૈતિક ધોરણોનું ઉલ્લંઘન કરે છે, મંગળવારે (21 નવેમ્બર) રાજસ્થાનમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, પીએમ એટલે પનૌતી મોદી. મોદી ટીવી પર આવીને હિન્દુ-મુસ્લિમ કહે છે અને ક્યારેક ક્યારેક ક્રિકેટ મેચ જોવા જાય છે. એ અલગ વાત છે હરાવી દીધા.આ કારણે ભાજપ આક્રમક બનીને તેમની પાસેથી સતત માફીની માંગ કરી રહ્યું છે.