By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    10 hours ago
    AI નો સતત વધતો ઉપયોગ આપણા માટે પર્યાવરણીય આફત બનશે, UNના ચોંકાવનારા આંકડા
    10 hours ago
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    1 day ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    2 days ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાનૂની હકો નહીં, બાળકની સુખાકારી જ કસ્ટડીનો અંતિમ આધાર…
    8 hours ago
    અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કડક કાર્યવાહી
    8 hours ago
    દિલ્હીમાં ‘વંદા’ ઉમટી પડ્યાં
    8 hours ago
    દેશમાં પેટ્રોલ કરતાં ₹20 સસ્તું મળશે ‘E85’ બળતણ
    8 hours ago
    ફાયરિંગ કેસમાં ખાન સર આત્મસમર્પણ કરશે નહીં
    9 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    10 hours ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    1 day ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    1 day ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    2 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    4 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 week ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    9 hours ago
    રીબડાનાં ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સંડોવાયેલ પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત
    9 hours ago
    ભક્તનું કામ ભગવાન સુધી પહોંચવાનું છે, જ્યારે ભગવાનનું કામ ભક્તનું રક્ષણ અને ઉદ્ધાર કરવાનું છે : ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી
    10 hours ago
    રાજકોટના અમીન માર્ગ પર RMCનું ડ્રેનેજ ટ્રક ખાડામાં ફસાયું
    10 hours ago
    ‘મોંઘવારીની જેલ’ અને ‘પેપર લીક રથ’થી સરકારને ઘેરવાનો પ્રયાસ
    1 day ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: PSI જનકસિંહ રાણાનો નિર્દોષ વ્યક્તિ પાસેથી 10 લાખ પડાવવાનો કારસો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > PSI જનકસિંહ રાણાનો નિર્દોષ વ્યક્તિ પાસેથી 10 લાખ પડાવવાનો કારસો
ગુજરાતરાજકોટ

PSI જનકસિંહ રાણાનો નિર્દોષ વ્યક્તિ પાસેથી 10 લાખ પડાવવાનો કારસો

Khaskhabar Editor
Last updated: 2022/06/02 at 3:19 PM
Khaskhabar Editor 4 years ago
Share
9 Min Read
SHARE

ખાઉધરા રાણા વિરૂદ્ધ ઠેઠ ગૃહમંત્રી સુધી ફરિયાદ

રાણાએ ધમકી આપી

‘મસ્જિદમાં લઈ જઈને તારી દાઢી કાપીશું અને તને બેઈજ્જત કરીશું!’

પોલીસ બેડામાં બધા લોકો સારા નથી હોતા અને બધા લોકો ખરાબ પણ નથી હોતા. અમુક લોકોને કારણે આખા પોલીસ ખાતાને બદનામ થવું પડે છે. રાજકોટના જ એક આવા પોલીસ બેડાના પીએસઆઈ છે, જનકસિંહ રાણા. જેને કારણે રાજકોટ શહેર પોલીસને અવારનવાર શર્મસાર થવું પડી રહ્યું છે. શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઈની ફરજ બજાવતા આ પોલીસ કર્મચારી પોતાના કારનામાઓથી ક્રિમિનલ કરતા પણ વધુ કુખ્યાત બની ચૂક્યા છે. ભૂતકાળમાં તેઓ અનેક ચર્ચાસ્પદ કિસ્સાઓમાં સંડોવાઈ ચૂક્યા છે છતાં પણ હજુ સુધારવાનું નામ લેતા નથી. હાલમાં જ જનકસિંહરાણાએ એક મુસ્લિમ પરિવારને ગેરકાયદે રીતે હેરાન કરી લાખો રૂપિયા પડાવવા પ્રયત્નો કરેલી જેની ફરિયાદ છેક ગૃહમંત્રી હર્ષ સંઘવી સુધી થઈ છે.

Contents
ખાઉધરા રાણા વિરૂદ્ધ ઠેઠ ગૃહમંત્રી સુધી ફરિયાદરાણાએ ધમકી આપી‘મસ્જિદમાં લઈ જઈને તારી દાઢી કાપીશું અને તને બેઈજ્જત કરીશું!’પ્ર. નગર વિસ્તારમાં ગાંધીગ્રામ ડી સ્ટાફ ટોળકીએ કરેલી કળા નિહાળવા આ લિંક પર ક્લિક કરો..  https://youtu.be/8CAmRVPQPfsમૂળ મામલો શું છે? જનક રાણાને આટલો રસ શા માટે પડ્યો? વૉરન્ટ વગર ઘરની તલાશી લીધી : પડોશીઓને પણ હેરાન-પરેશાન કરી નાંખ્યાવ્યાજખોરીની વાહિયાત અરજીમાં જવાબ આપવા ફોન કરીને બોલાવવાને બદલે સીધાં ઘેર જ ધસી ગયાપ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગાંધીગ્રામ પોલીસ શું કરી રહી હતી?નિષ્ઠાવાન CPઅગ્રવાલ અને બાહોશ DCPજાડેજા તથા ACP દિયોરા તરફથી ન્યાયની અપેક્ષાચા કરતા કિટલી ગરમ: વનરાજ લાવડિયાનો આતંક

પીએસઆઈ જનકસિંહ રાણાએ 10 લાખ રૂપિયાની માંગણી કર્યા અંગેની એક અરજી જૂનાગઢના જીલેખાબેન એજાઝભાઈ ભીમણીએ હાલમાં જ ગૃહમંત્રીને કરી છે જેમાં તેમણે જણાવેલી સમગ્ર બાબત અહીં શબ્દશ: અહીં રજૂ કરવામાં આવી છે. આ અરજીમાં લખવામાં આવ્યું છે કે, ’તારીખ 25-12-2021ના રોજ અમારા ઘરે પ્રસંગ હોવાથી સાંજના સમયે રાજકોટ આવેલા. બીજે દિવસે સવારના એટલે કે 26 તારીખે રવિવારના અમારા ઘરે બોમ્બેથી મહેમાન સવારના 10 વાગ્યે સૌરાષ્ટ્ર મેઈલમાં આવેલા. મહેમાન નાસ્તો કરી અંદાજીત 12 વાગ્યાના આસપાસ ચાલ્યા ગયા. પછી અમારા ભાઈ વાજીદભાઈ પણ બપોરના સમયે આશરે 2.30થી 3.00 વાગ્યાના સમયે અમદાવાદ જવા રવાના થયેલા.

- Advertisement -
પ્ર. નગર વિસ્તારમાં ગાંધીગ્રામ ડી સ્ટાફ ટોળકીએ કરેલી કળા નિહાળવા આ લિંક પર ક્લિક કરો..  https://youtu.be/8CAmRVPQPfs


અનવર દારૂવાળા

મૂળ મામલો શું છે? જનક રાણાને આટલો રસ શા માટે પડ્યો? 

અનવરભાઈ દારૂવાલાનાં પુત્રએ એક શખ્સને છ લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા. આ વાત અઢી વર્ષ જૂની છે. એ પછી પુત્રએ પેલા શખ્સ પાસેથી પરત ઉઘરાણી કરતા તેણે દેવાની આનાકાની કરી હતી. પછી પૈસા પરત આપવા ન પડે તે માટે તેણે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરીની ખોટી અરજી કરી હતી અને ઙ.ઈં. વાળા તથા ઙજઈં જનક રાણા સાથે કોઈ અજબગજબ સાંઠગાંઠ કરી હતી. એ પછી અનવરભાઈનાં ઘેર સીધી જ પોલીસ ધસી ગઈ હતી અને વાત પતાવવા દસ લાખ રૂપિયાની માંગણી કરી હતી. અનવરભાઈ દારૂવાલા ગર્ભશ્રીમંત છે, અબજો રૂપિયાની તેમની સંપત્તિ છે. આ ભાળીને જનક રાણા અને વાળાનાં મોંમાંથી જાણી લાળ ટપકી હતી. પણ અનવરભાઈ બહુ મજબૂત મનોબળ અને સંપર્કો ધરાવે છે- તેથી રાણા-વાળાનો દાવ ઊંધો પડ્યો હતો.

વૉરન્ટ વગર ઘરની તલાશી લીધી : પડોશીઓને પણ હેરાન-પરેશાન કરી નાંખ્યા

વ્યાજખોરીની વાહિયાત અરજીમાં જવાબ આપવા ફોન કરીને બોલાવવાને બદલે સીધાં ઘેર જ ધસી ગયા

ભાઈ પણ અમદાવાદ રહે છે. અમો બધા મારા મમ્મી-પપ્પા અને મારા નાના ભાઈ-બહેન સાથે આશરે 4 વાગ્યે ગોંડલ જવા રવાના થયેલા. અમો ગોંડલ ખોડીયાર હોટલે અંદાજીત 5 વાગ્યે પહોંચેલા અને ત્યાં નાસ્તો કરેલો. નાસ્તો કરીને ઉભા થયા અને રાજકોટથી ફોન આવેલો કે તમારા ઘરે પોલીસ આવેલી છે. અમો તરત જ ગાડી પાછી વાળેલી અને પ્રસંગમાં ન ગયા. ત્યાંથી રાજકોટ આવેલા. અમો અમારા ભાડુઆતને ત્યાં તપાસ કરતાં ભાડુઆતના મકાનને તાળુ લાગેલું હતું. પછી અમે અમારા સી.સી.ટી.વી. ફૂટેજ ચેક કરતાં અમોએ જોયેલું કે અમારા ઘરે પોલીસ આવેલી હતી. એક પોલીસની બોલેરો હતી અને એક વાઈટ કલરની પ્રાઈવેટ કાર હતી. સી.સી.ટી.વી. ફૂટેજ પ્રમાણે સમય 5.31નો સમય હતો અને અમો પછી ભાડુઆતની તપાસ કરતા ભાડુઆતના મકાનમાં પોલીસ ગેરકાયદેસર રીતે પ્રવેશ કરેલો હતો. પોલીસે ભાડુઆત હંસાબેનને બેફામ ગાળો આપેલી અને લાકડી બતાવેલી. રાતે અંદાજીત 9 વાગ્યાના આસપાસ અમારા ભાડુઆતને મારા પપ્પાએ ફોન કરેલો. તે બહુ ડરી ગયા હતા. તેને મારા પપ્પાને પોલીસનું બધું વર્ણન કરેલું. તે પછી મારા પપ્પાએ કહેલું કે તમે સવારે ઘરે આવજો. સવારે મારા પપ્પા સવારે વહેલા ઉઠી નમાજ પઢીને પાછા ઘરે આવેલા અને ઘરેથી તૈયાર થઈ કામથી નીકળી ગયા.

- Advertisement -

તારીખ 27-12-2021ના સવારના લગભગ 11.30ની આસપાસ પોલીસ સિવિલ ડ્રેસમાં આવેલી. અને અમારી ડેલી ખખડાવતા મેં જઈને ડેલી ખોલેલી. ડેલી ખોલતા તે લોકો તરત જ અંદર આવવા લાગેલા. મેં બધાને રોકેલ. શું છે? તો કહેલ કે અમારે ઘરની ઝડતી લેવાની છે. તો મેં કહેલુ કે સાહેબ આપ વોરંટ લઈ આવ્યા છો તો મને બતાવો. સાહેબે કહેલું તે બધુ જૂનુ થઈ ગયું. હવે પોલીસ ગમે તેના ઘરમાં જઈને તલાશી લઈ શકે. મેં પોલીસને ડેલીમાં આવવા ન દીધેલા તો પોલીસ એકદમ ભડકેલી અને જેમ ફાવે તેમ બોલવા માંડેલી અને કહેલું કે આ બધી તકલીફ તારા ભાઈને અને તારા પપ્પાને પડશે. તો મેં કહેલું કે સાહેબ હું તો મહેમાન છું. તમે મારા પપ્પા આવી જાય પછી તલાશી લેજો અત્યારે મારાથી તલાશી દેવાય નહીં અને સાહેબ એટલો બધો મારા ભાઈ અને મારા પપ્પાએ શું ગુનો કર્યો? તો પોલીસે મને જણાવેલું કે તારા પપ્પા માથે અને તારા ભાઈ માથે વ્યાજ માટેની એક અરજી થયેલી છે. તો સાહેબ ખાલી અરજીમાં આટલું બધું કેમ કરો છો તો સાહેબે કહેલું કે આ તો કંઈ નથી હજુ તો તારા પપ્પાને જાહેરમાં માર મારશું. જે મસ્જીદમાં તારા પપ્પા નમાજ પઢે છે ત્યાં લઈને અમે તેની દાઢી કાપશું અને બેઈજ્જત કરીશું. પણ સાહેબ મારા પપ્પા વ્યાજનો ધંધો નથી કરતા તે અમારી પાસે પુરાવા છે. સાહેબે કહેલું કે તે અમારે કંઈ જોવાનું ન હોઈ. આ બધું ત્રણ પોલીસવાળા બોલતા હતા. બીજા કોઈ કંઈ બોલતા ન હતા. (1) ગાંધીગ્રામ પી.એસ.આઈ. જનકસિંહ રાણા, (2) એક ટોપી પહેરેલ વનરાજભાઈ (3) પ્ર.નગર પો. સ્ટે.ના કે. ડી. પટેલ કરીને હતા. અને આ કે. ડી. પટેલસાહેબે તો એમ કહેલું કે તારા પપ્પાને અને તારા ભાઈને નવા કાયદા પ્રમાણે ગુજસીટોક નકર છેલ્લે તો પાસા તો કરીશું જ. જો તમારે આ બધુ પતાવવું હોય તો રૂપીયા દસ લાખ આપવા પડશે. નહીંતર તારા ભાઈને અને તારા પપ્પાને બેઈજ્જત કરીને જેલમાં મોકલી દેશું. તમને તો ખબર હશેને પોલીસ પાસે સત્તા છે. પોલીસ ધારે તે કરી શકે. એના કરતા તમે પૈસા આપી દયો. તો મેં કહેલુ કે હું મારા પપ્પા સાથે વાત કરીશ. આપ ગૃહમંત્રી સાહેબને મારી નમ્ર અરજ છે કે તાત્કાલીક પગલાં લેવા. નહીંતર આ પોલીસ મારા પપ્પાને બેઈજ્જત કરી નાખશે. મારા પપ્પાને હાઈ ડાયાબીટીશ 475 છે અને હાઈ બી.પી. 180થી 190 રહે છે. જો આ પોલીસ મારા પપ્પા માથે કાંઈ પણ કૃત્ય કરે તો મારા પપ્પાથી અમારે હાથ ધોઈ નાખવા પડે. આપ સાહેબને નમ્ર વિનંતી છે. ઉપર અરજીનું લખાણ વાંચી અને તાત્કાલીક હુકમ કરવા અને અમોને ન્યાય આપવા આપ સાહેબને નમ્ર વિનંતી કરૂં છું. આ બધાના પુરાવા પેટે મારી પાસે સી.સી.ટી.વી. ફુટેજ છે અને સાક્ષી-પુરાવાની જરૂર પડશે તો હું આપીશ.’ આ અરજી તારીખ 3-01-2022ના રોજ જીલેખાબેન એજાઝ ભીમાણીએ ગાંધીગ્રામ પોલીસ પીએસઆઈ જનકસિંહરાણા વિરુદ્ધ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને કરેલી છે.

પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગાંધીગ્રામ પોલીસ શું કરી રહી હતી?

અનવરભાઈનાં પુત્ર પાસેથી ઉછીના છ લાખ રૂપિયા લેનાર શખ્સે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. નિયમ મુજબ આ અરજી પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફોરવર્ડ કરવી જોઈએ. છતાં આટલો ઊંડો રસ લઈને જાતે જ અન્ય પોલીસ સ્ટેશનની હદમાં ઘૂસી જવા પાછળનું પ્રયોજન શું છે? જવાબ આપણને સૌને ખ્યાલ છે.

નિષ્ઠાવાન CPઅગ્રવાલ અને બાહોશ DCPજાડેજા તથા ACP દિયોરા તરફથી ન્યાયની અપેક્ષા

ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ઝોન-2નાં ઉઈઙ મનોહરસિંહ જાડેજા તથા અઈઙ દિયોરા હેઠળ આવે છે, બીજી તરફ ઈઙ મનોજ અગ્રવાલ પણ કડક- નિષ્ઠાવાન અધિકારીની છાપ ધરાવે છે. આ ત્રણેય અધિકારીઓ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની આ લાંચીયા ટોળકીને સીધીદોર કરશે તેવી અપેક્ષા સૌને છે.

ચા કરતા કિટલી ગરમ: વનરાજ લાવડિયાનો આતંક

જનક રાણાનાં સર્કિટ ગણાતાં કોન્સ્ટેબલ વનરાજ લાવડિયાનો પણ અરજીમાં ઉલ્લેખ છે. આ લાવડિયા તેનાં સીનસપાટા માટે જાણીતાં છે. બે-ત્રણ દિવસ પહેલાં એક મીડિયાકર્મી સાથે પણ રૈયા ચોકડી પાસે રાણા-લાવડિયાએ ગેરવર્તન કર્યું હતું. મીડિયાકર્મીએ ઑફિશિયલ આઈડેન્ટિટી કાર્ડ દેખાડ્યું હોવા છતાં બેઉએ કરફયુનાં સમય બાબતે માથાકુટ અને ગાળાગાળી કરી હતી. આવાં તત્ત્વો સામે ઊચ્ચ અધિકારીઓએ કડક હાથે કામ લેવું જરૂરી છે.

You Might Also Like

ગટરનું ગંદુ પાણી કેનાલમાં બંધ કરીને તળાવમાં ડાયવર્ટ કરાયું

કાયદેઆઝમ બાબાનાં દિવ્ય દરબારમાં જશે જ

રાજ્યના નવા DGP તરીકે જી.એસ.મલિકની નિમણૂક

રાજકોટ મનપાનો ઐતિહાસિક નિર્ણય: 846 કરોડના 98 વિકાસ કામો સ્થગિત, સમીક્ષા શરૂ

ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article તમે સુખી છો પણ ખુશ છો ખરા?
Next Article ખુદ ડૉકટર અને ડે. મેયર દર્શિતા શાહે કોરોનાના નિયમોનો કર્યો ઉલાળીયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મનીષ આચાર્ય

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ
વાણી અને વર્તન દ્વારા પરિચય
હવે નાગરિકો તાલુકા મથકેથી જ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા કલેક્ટરને સીધી રજૂઆત કરી શકશે
ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી બિનહરીફ માટે “લોઢાના ચણા” જેવી સ્થિતિ
ગટરનું ગંદુ પાણી કેનાલમાં બંધ કરીને તળાવમાં ડાયવર્ટ કરાયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

ગટરનું ગંદુ પાણી કેનાલમાં બંધ કરીને તળાવમાં ડાયવર્ટ કરાયું

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટ

કાયદેઆઝમ બાબાનાં દિવ્ય દરબારમાં જશે જ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ગુજરાત

રાજ્યના નવા DGP તરીકે જી.એસ.મલિકની નિમણૂક

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?