ગ્રાહકો પાસેથી વસૂલાતા ચાર્જની રકમ બેંકો અને UPI એપ્સ વચ્ચે વહેંચાશે
વીજળી, પાણી, ઈંધણ અને રેલવે બુકિંગમાં 2000થી વધુના પેમેન્ટ પર ₹5નો ફિક્સ ચાર્જ
- Advertisement -
લોકો ફરીથી ‘કેશ’ ડિજિટલ પેમેન્ટ મોંઘું થતાં (રોકડ) વ્યવહારો તરફ વળે તેવી શક્યતા
દુધ-શાકભાજીની ખરીદી હોય કે પછી વિજ કે ગેસ બિલ કે તમારુ ઓટીટી પેમેન્ટ જ નહી રેસ્ટોરાના બિલથી ઈ-શોપીંગ આ તમામમાં ડેબીટ કાર્ડના સમયને અલવિદા કહેનાર દેશની યુપીઆઈ સીસ્ટમમાં હવે ચાર્જ આવતા જ આમ લોકોના ખીસ્સા પર અસર થશે તે નિશ્ચિત છે. ભલે સરકાર ગમે તેવા દાવા કરે પણ કોઈ પણ જાહેર ચાર્જ અંતે તો જે તેનો ઉપયોગ કરનાર પ્રથમ વ્યક્તિ હોય તેણે જ ભરવો પડે છે તે બેન્કીંગથી રોડ-ચાર્જ તમામમાં સાબીત થઈ ગયુ છે તથા જે રીતે લોકો મોંઘા કાર્ડ ચાર્જથી યુપીઆઈ પર આવ્યા હતા તેમાં હવે યુપીઆઈ પણ ચાર્જેબલ થતા લોકો ફરી કેશ પેમેન્ટ પર ચાલ્યા જશે તે નિશ્ચિત છે.
હાલ સરકારે રૂ.૨૦૦૦ સુધીના મર્યાદીત ઉપયોગના યુપીઆઈ તથા નાના વેપારી માટે રૂ.૧ લાખ સુધીના ટર્નઓવરને ચાર્જમાંથી બાકાત રાખ્યા છે તો ઈતિહાસ છે કે તમો જયારે કોઈપણ સીસ્ટમને નિયમ-કાનૂનના દાયરામાં ગુચવી દો એટલે કે તેમાં યુનિવર્સલ ચાર્જ લાગુ થઈ જાય છે અને યુપીઆઈમાં આ તેજ થશે તથા ભ્રષ્યચાર-કાનૂની છટકબારી શોધીને સીસ્ટમને બાયપાસ કરવાનું પણ વધે છે. તેમાં હાલના યુપીઆઈ ઉપયોગ મુજબ
સરકારને રૂ.૧૬૦૦૦ કરોડની આવક થશે પણ તમો વિજળી, પાણી, ટેલીકોમ, વાહનમાં ઈંધણ ભરાવો, વિમા પેમેન્ટ, રેલ્વે ટીકીટ બુકીંગમાં રૂ.૨૦૦૦થી વધુના વ્યવહારો પર રૂ.૫નો નિશ્ચિત ચાર્જ લાગશે. આજ વ્યવસ્થા પાણી-ગેસ વિ.ના બિલના પેમેન્ટ પર હશે. તેમાં પણ રૂ.૨૦૦૦ સુધીના વ્યવહારો પર કોઈ ચાર્જ લાગશે નહીં. હવે સ્કુલ-કોલેજોની ફીમાં પણ ડેબીટકાર્ડના બદલે ડીજીટલ મની એટલે કે જીપીઆઈનું પ્રમાણ વધતુ જાય છે તેમાં પણ રૂ.૨૦૦૦ સુધીની ફીમાં ચાર્જ નહી લાગે પણ બાદમાં જે નિશ્ચિત ૦.૪%નો દર છે તે લાગુ થઈ જશે.




