મિઠાઈ, શાકભાજી, દાળ કે નોનવેજ કોઈપણની એક ડીશથી વધારે વાનગી આપી શકાશે નહી
પાકિસ્તાનની નાદારીની સ્થિતિ અત્યંત કરુણ બની રહી છે અને દેશના વડાપ્રધાન શાહબાઝ શરીફ યુએઈ જઈને વધુ મદદ મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છે તે સમયે હવે સરકારે અનાજ બચાવવા માટે લગ્નમાં વન ડીશનો નિયમ લાગુ કર્યો છે.
- Advertisement -
તેમાં લગ્ન સમારોહમાં જે ખાસ ડીશો હોય છે તે ફકત એક જ રાખી શકાશે અને બાકી રોજબરોજના ભોજનમાં જે વાનગીઓનો ઉપયોગ થાય છે તે જ કરી શકાશે જેમાં શાકભાજીની એક ડીશ અને સ્વીટની એક ડીશ તેમજ દાળ પણ એક જ પ્રકારની આપી શકાશે.
જો નોનવેજ ભોજન હશે તો તેને પણ એક ડીશનો નિયમ લાગુ થશે અને તેમાં પણ સરકારી અધિકારીઓ ગમે ત્યારે તપાસ માટે પહોંચી શકશે. સરકાર માને છે કે લોકોએ લગ્ન સહિતના સમારોહમાં બિનજરૂરી ખર્ચા બાદ કરીને તેમની રોજબરોજની આવશ્યકતાઓ પર વધુ ધ્યાન આપવું જોઈએ અને બીજી તરફ અનાજનો જે બગાડ આ પ્રકારના સમારોહમાં થાય છે તે પણ બંધ થવો જરૂરી છે.