બ્રિટેનના મહારાણી એલિઝાબેથ દ્વિતિયના નિધન પર ભારત સરકારે શોક વ્યક્ત કર્યો છે.
બ્રિટેનના મહારાણી એલિઝાબેથ દ્વિતિયના નિધન પર ભારત સરકારે શોક વ્યક્ત કર્યો છે. શુક્રવારે ગૃહમંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, 11 સપ્ટેમ્બર એટલે કે, રવિવારના રોજ બ્રિટેનના મહારાણી એલિઝાબેથ દ્વિતિયના સન્માનમાં એક દિવસીય રાજકીય શોકનું એલાન કર્યું છે. આપને જણાવી દઈએ કે, એલિઝાબેઝ દ્વિતિયનું ગુરુવારે ભારતીય સમય અનુસાર, રાતના સમયે નિધન થઈ ગયું હતું.
- Advertisement -
Queen Elizabeth II death: India declares one-day mourning on Sept 11
Read @ANI Story | https://t.co/76Y7WjDQad#QueenElizabeth #QueenElizabethII #Queen #StateMourning #UK pic.twitter.com/txIwFECF4F
— ANI Digital (@ani_digital) September 9, 2022
- Advertisement -
ગૃહમંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવાયું છે કે, શોકના દિવસે સમગ્ર ભારતમાં તમામ ઈમારતો પર રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ઝુકેલો રહેશે. આ દિવસે કોઈ સત્તાવાર કામ થશે નહી.
અહીં ઉલ્લેખનિય છે કે, બ્રિટેનના મહામહિમ મહારાણી એલિઝાબેથ દ્વિતિયનું 8 સપ્ટેમ્બર 2022ના રોજ નિધન થયું હતું. તેઓ બ્રિટેનમાં લાંબા સમય સુધી રાજ કરનારા મહારાણી હતા. તેમણે ગુરુવાર રાતે સ્કોટલેન્ડના બાલ્મોરલ કેસર મહેલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 96 વર્ષના હતા. મહારાણીએ 70 વર્ષ સુધી બ્રિટેનમાં શાસન કર્યું હતું.