By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    5 hours ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    4 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    4 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    5 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત
    4 hours ago
    રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે
    5 hours ago
    કોકરોચ પાર્ટીના સમર્થકોની મારપીટ પર સંસદમાં હોબાળો
    5 hours ago
    દિલ્હીમાં હોબાળો યથાવત્ : CJPનું પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ
    5 hours ago
    યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    1 day ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    2 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    2 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    5 days ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    5 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    6 days ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મોદીને માપવાની મીટરપટ્ટી કોઈ રાજકીય પંડિત પાસે નથી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Kinnar Acharya > મોદીને માપવાની મીટરપટ્ટી કોઈ રાજકીય પંડિત પાસે નથી
AuthorKinnar Acharyaખાસ-ખબર

મોદીને માપવાની મીટરપટ્ટી કોઈ રાજકીય પંડિત પાસે નથી

Khaskhabar Editor
Last updated: 2022/12/09 at 6:09 PM
Khaskhabar Editor 4 years ago
Share
6 Min Read
SHARE

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોએ અનેકને અચંબામાં નાખ્યાં

ગઈકાલે સોશિયલ મીડિયા પર ક્યાંક વાંચ્યું કે, મોદીનો જાદુ આવો જ રહ્યો તો ક્લાસનાં મોનિટર પણ ભાજપનાં જ હશે! સોશિયલ મીડિયા ટુચકાઓથી છલક-છલક છે, ગુજરાતની જનતા મરક-મરક છે. અંતિમ અટ્ટહાસ્ય નરેન્દ્ર મોદીનું જ રહ્યું છે. રાબેતા મુજબ. કોઈએ કહ્યું કે, ફેસબૂક પર કે વ્હોટ્સએપ પર કોઈ આપીયાઓને શોધતા નહીં- બધાં ઈસુદાન ગઢવીનાં શપથવિધિમાં ગયા છે!

- Advertisement -

ચૂંટણીમાં અને પરિણામ પછી આમઆદમી પાર્ટીનાં, ગોપાલ ઈટાલિયાનાં અને ઈસુદાન ગઢવીનાં મીમ્સ જ સૌથી વધુ શા માટે જોવા મળ્યાં, ખ્યાલ છે? કારણ કે પ્રચાર દરમિયાન તેમનો અહમ્ જ સૌથી વધુ છલકાતો હતો. એમની વાણીમાં ટનબંધ ગુમાન હતું. પોતે બધા જાણે અવતારી પુરુષ કે પયગંબર છે. ઈટાલિયાની બોડી લેન્ગ્વેજ અને લેન્ગ્વેજ જોઈ હતી તમે? એ જોયા પછી તો કદાચ એ ભાજપમાં હોય તો પણ કોઈ તેને મત ન આપે. બટકબોલા નેતાઓ લોકોને બહુ ગમતાં નથી. મણીશંકર ઐય્યર, દિગ્વિજય સિંહ કે સંજય રાઉત સુધીનાં અઢી મીટરની જીભડી ધરાવતાં લોકોને એટલે જ જનતા દિલથી ધીક્કારે છે. કૂઆમાં ઝાઝું પાણી ન હોય અને એ કૂઓ ઉલેચ્યા જ કરો તો છેવટે કદડો બહાર આવવા માંડે. જે કૂઆમાં ભરપૂર સરવાણીઓ હોય તેમાંથી જ સતત જળ ઉલેચી શકાય. ભાજપનાં નેતા સુધાંશુ ત્રિવેદી અસ્ખલીત બોલે છે, કલાકો સુધી બોલી શકે છે. પરંતુ એમની વાણીમાં ક્યાંય આછકલાઈ છલકાતી નથી, ઈવન ડોકિયું પણ નથી કરતી. એમનાં વકતવ્યમાંથી નકરું પાંડિત્ય અને અત્યંત ઊંડાણપૂર્વકનો અભ્યાસ સ્પષ્ટ દેખાય છે. માત્ર વિરોધીઓને ગાળો ભાંડવી એ રાજનીતિ નથી.

આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલની સૌથી મોટી ભૂલ એ છે કે, તેમણે એક સોશિયલ મીડિયાનાં અનિષ્ટને પ્રદેશ પ્રમુખ બનાવી દીધાં. મુગટ પર મણી શોભે, કાંકરા નહીં. ગોપાલ એક અંતિમવાદી પ્રકારનો, સળીખોર, અરાજકતાવાદી માણસ છે, તેનાં પ્રમુખપદ હેઠળ કોઈ પોલિટિકલ પાર્ટી તો દૂરની વાત છે, કો-ઓપરેટિવ સોસાયટી કે મંડળી પણ ન ચાલી શકે. હા! માઓવાદી સંગઠન જરૂર ચાલે.
ગુજરાતમાં મુખ્ય વિપક્ષ તો કોંગ્રેસ છે.

ઈસુદાન-ઈટાલિયા જેવા લોકોની રાજકીય વિચારશક્તિ જ્યાં ખતમ થાય છે, ત્યાંથી તો મોદીની શરૂ થાય છે!

- Advertisement -

તમે ભાગ્યે જ આ ચૂંટણીમાં તેનાં કોઈ નેતાની ઠઠ્ઠા-મશ્કરી જોઈ હશે. કારણ કે, આમ આદમી પાર્ટી જે અધમ્ કક્ષાની રાજનીતિ કરે છે તેવું કરવાનું કોંગ્રેસનું પણ ગજું નથી. આવી લાઉડનેસ લોકોને ગમતી નથી. ખાસ કરીને ગુજરાતીઓને નહીં. ગુજરાતીઓની નાડ મોદી જ બરાબર પારખી શકે છે. ભારતીયોની પણ. પોલિટિકલ પંડિતો, મહાન નિષ્ણાતો અને બુદ્ધિજીવીઓ પાસે મોદીની ક્ષમતા અને લોકપ્રિયતા અને રાજકીય સમજ માપવાનું મીટર નથી. ભારતે અગાઉ આવો નેતા જ ભાળ્યો નથી તેથી તેને માપવાની ફૂટપટ્ટીની કે મીટરપટ્ટીની શોધ જ નથી થઈ. એમની લોકપ્રિયતાનું કોઈ માપ નથી. એમની રાજકીય કુનેહ પણ અસીમ છે. ઈટાલિયા- ઈસુદાન જેવાં લોકોની વિચારશક્તિ જ્યાં પૂરી થાય ત્યાંથી મોદીની શરૂ થાય છે. ગુજરાત એમનો કિલ્લો છે. આ અભેદ્ય કિલ્લાનાં નિર્માણમાં જંતરમંતર જેવી ભૂલભૂલામણીનો તેમણે ઉપયોગ કર્યો છે. કિલ્લાનાં કતારગામનાં રસ્તે ગોપાલભાઈ ગયા, વરાછાના રસ્તે અલ્પેશભાઈ અને ખંભાળિયાના માર્ગે ઈસુદાન. સામે અચાનક મજબૂત દીવાલ આવી ગઈ. સોંસરવું નીકળવું શક્ય નહોતું અને પરત ફરવાનો માર્ગ તેઓ જાણતા નથી. એટલે જ અમારા જેવા સ્થાનિક અને મામૂલી પંડિતો કહે છે કે, દિલ્હીનાં મહાન પંડિતોથી ભોળવાઈ ન જાઓ, હમારી કોઈ શાખા નથી, હમે જ ગુજરાતને જાણીએ છીએ. અમારુ અધૂરું પણ મધુરું પાંડિત્ય એમ પણ કહે છે કે, ગુજરાતમાં ભાજપ વિરોધી ટોળાં જોઈને કદી ભરમાઈ ન જવું. જાદુગર પી. સી. સરકાર જેમ તમારી નજરની સામે જ આખી ટ્રેન કે તાજમહલ ગૂમ કરી દેતાં તેમ મોદી મતદાનના દિવસે આ આખા ટોળાં ગાયબ કરી દે છે. 2017માં હાર્દિક પટેલ સુરતમાં રેલી કરતો ત્યારે લાખોના ટોળાં ઉમટતાં. એક વખત મારા એક ઘોઘેરા મિત્રએ ત્યારે મને ફોન કર્યો કે, ‘બોસ, ગુજરાતમાંથી ભાજપ જાય છે… આ હાર્દિકની સભામાં મેદની તો જુઓ!’ ત્યારે જ મેં એને કહેલું કે, ‘ભાઈ, મેદનીથી અંજાઈ જવું નહીં!’ આ વખતે પણ ઈટાલિયા અને કથિરીયા ટોળાં ભેગાં કરતાં, બધાં આવતાં, રમતાં-જમતાં અને છેલ્લે મત બધાં ભાજપને આપી આવ્યા. ટોળાંમાં બુદ્ધિ ન હોય- એવું કથન દરેક કિસ્સામાં સત્ય નથી હોતું.

ટોળાંઓમાં બુદ્ધિ ન હોય તો ગુજરાતની 181 બેઠકમાંથી 128 પર આમ આદમી પાર્ટીનાં ઉમેદવારોની ડીપોઝિટ ડૂલ ન થઈ હોય. અને બનાસકાંઠાના થરાદમાં આપનાં ઉમેદવારને માત્ર પોણા ત્રણસો મત (0.01%) મત જ ન મળ્યા હોય. ટોળાંઓને મતદારમાં કે મતમાં ક્ધવર્ટ કરવાનું સહેલું નથી. એક વખત તમારી સભામાં હજારો- લાખો લોકો ભેગા થાય- એટલું જ જરૂરી નથી. તમે તેને શું કહો છો, તમારી વાતમાં તેમને કેટલું તથ્ય-સત્ય લાગે છે, તમે તેમને કેવી રીતે અપીલ કરી શકો છો એ પણ એટલું જ અગત્યનું છે. પૂણેની ફિલ્મ ઈન્સ્ટિટયૂટમાં સ્ટુડન્ટ્સને વિશ્ર્વનાં મહાનતમ્ નેતાઓનાં વક્તવ્યો સંભળાવવામાં આવે છે અને વિદ્યાર્થીઓ તેનો અભ્યાસ કરે છે. અને જાણવા પ્રયત્ન કરે છે કે જે-તે નેતાની વાણીમાં એવો તો કેવો પ્રભાવ હતો કે તેઓ દાયકાઓ સુધી લોકોને મંત્રમુગ્ધ કરતા રહ્યાં. ભવિષ્યમાં તેમની લાયબ્રેરીમાં મોદીની સ્પીચ પણ હશે. આવી જ રીતે વિસ્મયવાદીઓ, રહસ્યવાદીઓમાં પણ એ ચર્ચાનો વિષય છે/ રહેશે કે આ માણસમાં એવી તો કેવી ઑરા છે કે, બસ્સો-પાંચસો મીટર દૂર બેઠેલી વ્યક્તિને પણ એ મેસ્મરાઈઝ કરી શકે છે.

દરેક લોકો પોતપોતાની દૃષ્ટિ અને સમજ મુજબ મોદીરહસ્ય ઉકેલવાના પ્રયત્નો કરતા રહે છે. ખૂદ ભાજપનાં લોકો પણ મોદીકોયડો સમજી શક્યા નથી, ઉકેલી શક્યા નથી. આ વખતનો જ દાખલો લો: પરિણામનાં આગલાં દિવસ સુધી ખૂદ ગુજરાત ભાજપનાં દિગ્ગજો કહેતા હતા કે, ભાજપને 120-130 બેઠકો મળશે. વધારાની 36 સીટ સાહેબે પોતાની ઝોળીમાંથી કેવી રીતે કાઢી- કોઈ જાણતું નથી.

You Might Also Like

ભારતીય વહીવટી તંત્રમાં વ્યાપેલો ભીષણ ભ્રષ્ટાચાર

ભારતમાં નવો બિઝનેસ શરૂ કરવાની કાનૂની પ્રક્રિયા

ડેથ વેલી- કેલીફોર્નીયા

ચિપ ક્રાંતિ : ઘરઆંગણે હવે સેમિકન્ડક્ટર

ગુજરાતીઓમાં અળખામણું પણ અનેક ગુણોના ભંડાર સમું કોળું

TAGGED: assemblyelection, BJP, Gujarat, narendramodi, result
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કોંગ્રેસ સક્રિય નથી એટલે હાર્યું : વજુભાઈ
Next Article પંજાબમાં આતંકી હુમલાનું ષડયંત્ર: પોલીસ સ્ટેશન પર રોકેટ લોન્ચરથી હુમલો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટના બહુમાળી ચોકમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ધરણાનો પ્રયાસ, અનેકની અટકાયત

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
72મા નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત ગુજરાતી ફિલ્મ ‘મારણ’ 31 જુલાઈએ થશે રિલીઝ
આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત
રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી
રાજ્યના તમામ જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં સરકાર નશામુક્તિ કેન્દ્ર શરૂ કરશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ભારતીય વહીવટી તંત્રમાં વ્યાપેલો ભીષણ ભ્રષ્ટાચાર

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

ભારતમાં નવો બિઝનેસ શરૂ કરવાની કાનૂની પ્રક્રિયા

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

ડેથ વેલી- કેલીફોર્નીયા

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?