ગિરનાર લીલી પરિક્રમા સંદર્ભે કલેકટરની અધ્યક્ષતામાં બેઠક મળી
23 નવેમ્બરથી ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ
- Advertisement -
પરિક્રમાર્થી માટે આરોગ્ય, લાઈટ, પાણી, રસ્તા સહિત મુદ્દે બેઠકમાં ચર્ચા
ખાસ ખબર સંવાદદાતા
જૂનાગઢ ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ આગામી તા.23 નવેમ્બર એટલે કે કારતક સુદ અગિયારસથી થઈ રહ્યો છે. આગામી તા. 27 નવેમ્બર સુધી લાખો યાત્રાળુ ગિરનારની લીલી પરિક્રમા નો પ્રારંભ થવા જઈ રહ્યો છે તેના સંદર્ભે કલેક્ટર અનિલકુમાર રાણાવસીયાની અધ્યક્ષતામાં પરિક્રમાની કામગીરી સાથે જોડાયેલા અધિકારી અને વિવિધ કચેરીના વડાઓની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં ખાસ કરીને વન વિભાગ, પોલીસ વિભાગ, મહાનગરપાલિકા, આરોગ્ય, પરિવહન સહિત મુખ્ય વિભાગોએ કરેલી તૈયારી અને આગામી દિવસોમાં કરવાની થતી વિશેષ કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવનાર પરિક્રમાથીઓ માટે એસટી વિભાગ 150 એકેસ્ટ્રા બસ આ પરિક્રમા દરમિયાન દોડાવશે. જ્યારે જૂનાગઢના બસ સ્ટેશનથી ભવનાથ સુધી 50 મીની બસ મૂકવામાં આવશે.
આ બેઠકમાં અશક્ત વ્યક્તિઓમાં બીપી હાઇપર ટેન્શન અને હૃદય રોગના દર્દીઓએ ગિરનારની ટેકરીઓનું ચઢાણ કરવું હિતાવહ નથી. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય તંત્ર આરોગ્ય કર્મચારી અને અન્ય ફરજ પરના કર્મચારીઓને સીપીઆરની તાલીમ આપવા કલેક્ટર દ્વારા માર્ગદર્શન આપ્યું હતું.પરિક્રમા દરમિયાન પાર્કિંગની વ્યવસ્થા, જાહેરનામાની અમલવારી, પીવાના પાણીની વ્યવસ્થા, અખાદ્ય પદાર્થોનું વેચાણ ન થાય તેમજ પરિક્રમામાં આવતા યાત્રાળુઓ જુનાગઢના જોવાલાયક અને તીર્થ સ્થળોએ પણ મુલાકાત લેતા હોય ત્યાં જરૂરી બંદોબસ્ત અને વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે સુચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ, નાયક વન સંરક્ષક અક્ષય જોશી, ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક ઠક્કર, નિવાસી અધિક કલેકટર પી.જી.પટેલ, પ્રાંત અધિકારી ભૂમિબેન કેશવાલા સહિત આરોગ્ય, પાણી પુરવઠા, પીજીવીસીએલ કોર્પોરેશન સહિતના વિભાગના સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.