વાહનચાલક ઝંડા પર વાહન ચલાવશે એટલે અપમાન થશે
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.25
જમ્મુ કાશ્મીરમાં માં આંતકી હુમલામાં આંતકવાદીઓ એ ધર્મ પૂછી ને હિંદુઓ પર ગોળી વરસાવી હતી જે મામલે સમગ્ર દેશમાં હિન્દુ ઓ આકરા પાણીએ છે તમામ હિન્દૂ સંગઠન દ્વારા વિવિધ પ્રકારમાં વિરોધ નોંધવાય રહ્યો છે ક્યાંક મૌન રેલી તો ક્યાંક પોસ્ટર બનાવી શહેરમાં લગાવી ધર્મ પૂછી ખરીદી કરવાનુ કહેવાય રહ્યું છે ,ત્યારે મોરબીના નવા બસ સ્ટેન્ડ નજીક શનાળા રોડ પર તેમજ નગર દરવાજે પાકિસ્તાન નો ધ્વજ બનાવી સેવાભાવી અજય લોરીયા એ દેશ પ્રત્યે ની લાગણી દેખાડી હતી આ હુમલા બાદ સેવાભાવી અજયભાઈ ભાવનગર પોહચ્યા હતા અને હુમલામાં મૃત્યુ પામેલા ના સગા સબંધી ને મળીને દુ:ખમાં સહભાગી થયા હતા બાદમાં મોરબી આવીને પાકિસ્તાન નો ધ્વજ રાત્રી દરમિયાન બનાવી વાહન ચાલકો આ ઝંડા પર વાહન ચલાવી પાકિસ્તાન નું અપમાન થાય તે રીતે દેશ દાઝ દર્શાવી હતી