PI યુવરાજસિંહ અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ ફરાર, 30 દિવસમાં લીંબડીDysp સમક્ષ હાજર થવા આદેશ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
મોરબી જિલ્લાના ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ભ્રષ્ટાચાર કેસમાં ફરાર થયેલા બે પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ ઇન્સ્પેક્ટર યુવરાજસિંહ કિશોરસિંહ ગોહિલ અને પોલીસ હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ હરિસિંહ સોલંકી સામે ઇગજજ કલમ-84 મુજબનું ફરારી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
બંને આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અંતર્ગત ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયેલો છે. તપાસ દરમિયાન તેમના રહેઠાણ, ફરજના સ્થળો અને સગા-સંબંધીઓના ઘરે શોધખોળ કરવા છતાં તેઓ મળી આવ્યા નથી.
- Advertisement -
સ્પેશ્યલ જજ, સ્પેશ્યલ અને સેશન્સ કોર્ટ મોરબી દ્વારા પહેલા ઇગજજ કલમ-72 મુજબના વોરંટ જારી કરવામાં આવ્યા હતા. આરોપીઓ મળી ન આવતા હવે ફરારી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જાહેરનામા અનુસાર, બંને આરોપી પોલીસકર્મીઓએ 30 દિવસની અંદર નાયબ પોલીસ અધિક્ષક, લીંબડી ડિવિઝન સમક્ષ હાજર થવાનું રહેશે. જો તેઓ નિર્ધારિત સમયમાં હાજર નહીં થાય તો કાયદા મુજબ વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.