By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    2 days ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    2 days ago
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    3 days ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    3 days ago
    અમેરિકામાં પણ રેવડી!
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
    2 days ago
    જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
    2 days ago
    કાલથી બ્રિક્સ સમિટ
    3 days ago
    UPના 26 જિલ્લામાં પૂર
    3 days ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 month ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વફાદારીનો રેખાખંડ કેવળ બે બિંદુ પર રચાય
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > વફાદારીનો રેખાખંડ કેવળ બે બિંદુ પર રચાય
Author

વફાદારીનો રેખાખંડ કેવળ બે બિંદુ પર રચાય

Khaskhabar Editor
Last updated: 2024/10/05 at 5:27 PM
Khaskhabar Editor 2 years ago
Share
7 Min Read
SHARE

નિતાંતરીત: નીતા દવે

ધૂણી ધખાવી ત્યાં જ આખું આખું ઓગાળી દે છે,
બહુ અલગારી હોય છે, આ વફાદારી ની રીત પણ!

- Advertisement -

વફાદારી..! આજ કાલ બહુ મોંઘા મુલ્યનો થઈ ગયો છે આ શબ્દ.વિકાસશીલ સમયમાં લોકો સ્વકેન્દ્રી બનતા જાય છે. જીવનમાં રહેલા સંબંધોનો ઉપયોગ સફળતાની સીડી બનાવવા માટે કરાતો હોય ત્યાં લોકો તકવાદી બનતા જાય છે અને સંબંધો તકલાદી બનતા જાય છે. આવા સમયમાં વફાદારી નામનો ભારેખમ શબ્દ પોતાનો અર્થ ગુમાવતો જતો હોય એવું લાગે છે. આર્થિક ક્ષેત્ર હોય સામાજિક કે સંવેદનાત્મક નિજ સ્વાર્થ સામે સંબંધ વામણો બનતો જાય છે આવા સમયમાં સંબંધો પ્રત્યેની ઉષ્માને જાગૃત રાખવા લાગણીઓની માવજત માટે ખાતરનું કામ કરતો વફાદારીનો ગુણ કેળવાતો રહે એ ખૂબ જરૂરી છે.

વફાદારી દરેક સંબંધની પાયાની ઈંટ સમાન હોય છે. સંબંધનું નામ કોઈ પણ હોય.પરંતુ દરેક સંબંધ પોતાની અંગત વ્યક્તિની વફાદારી ઇચ્છતો હોય છે.વફાદારી શબ્દનો અર્થ ખૂબ વિસ્તૃત છે. વફાદારી એટલે પ્રમાણિકતા, ઈમાનદારી,ગુપ્તતા, અને સંબધ પ્રત્યેની કર્તવ્ય નિષ્ઠતાનો પર્યાય. જ્યારે તમારી પાસે ડિગ્રી નહોતી, કામનો અનુભવ ન હતો છતાં તમને યોગ્ય પગારવાળી નોકરી આપનાર વ્યક્તિ, દુનિયામાં સૌથી વધારે વિશ્ર્વાસ મૂકી એક અંગત વ્યક્તિએ કરેલી પોતાની તકલીફ ની વાત, નિખાલસ મન થી એક મિત્રએ સ્વીકારેલી પોતાની ભૂલ, એક પત્નીએ પતિને કહેલી ભૂતકાળની વેદના અને સંઘર્ષના સમયમાં એક પત્નીએ પતિને કરેલી મદદ! આ બધા જ વફાદારીના પર્યાય કહી શકાય. જ્યારે કોઈ વ્યક્તિ તમારી ઉપર વિશ્વાસ મૂકી અને પોતાની અંગત વાતો તમને કહે છે ત્યારે સાંભળનારની ફરજમાં એ વાતોની ગુપ્તતાને યથા યોગ્ય જાળવણી કરવી એ નૈતિક ફરજ બની જતી હોય છે.એવી જ રીતે જ્યારે સાવ કોઈ અંગત વ્યક્તિ એકદમ નિખાલ જ ભાવે પોતાની થયેલી ભૂલનો સ્વીકાર કરે છે ત્યારે એ ભૂલનો હથિયાર તરીકે ઉપયોગ ન કરતા તેની મનોવ્યાથાને દૂર કરી તેને સાથ આપવું તે પણ સંબંધોની ગરિમા અને વફાદારી જ કહી શકાય.જે વ્યક્તિએ નબળા સમયમાં સાથ આપ્યો હોય તે વ્યક્તિને આપણી સફળતાના સમયે ક્યારેય પણ ભૂલવી ન જોઈએ કારણ કે કોઈ વ્યક્તિ એકલી સફળ ક્યારે પણ થઈ શકતી નથી તેની સફળતાના મૂળમાં ઘણા પ્રત્યક્ષ અને પરોક્ષ લોકોનો સહકાર રહેલો હોય છે.

એવા ઘણા લોકો હોય છે જે તમારા માન મરતબા અને હોદ્દાની રુએ તમારી સાથે હોય અથવા તમને સહયોગી બનતા હોય. પરંતુ ખરા અર્થમાં મનથી એ તમારું અહિત ઈચ્છતા હોય. આવા લોકોથી ખાસ સાવચેત રહેવું જરૂરી છે. કારણ કે લગભગ રૂપાળા પીછા ધરાવતો બગલો જ માછલીનો શિકાર કરતો હોય છે. કોઈની વાણી ઉપર વિશ્વાસ કરતા પહેલા તેની નિયતને ચકાસી લેવી ખૂબ જરૂરી હોય છે અને એની ચકાસણી તમારા ખરાબ સમયમાં અથવા તમારી ગેરહાજરી વખતે બાખૂબી થતી હોય છે. વ્યક્તિની અનઉપસ્થિતિમાં જે મંતવ્ય પ્રગટ થશે અથવા જે ભાવ જોવા મળશે તે જ સત્યબાકી બધું ઢાળાનાં ઢાળ જેવું..સમયે આવ્યે સાથ છોડી દે..!
આવી જ કેટલીક હકીકત સોશિયલ મીડિયા પર પણ જોવા મળતી હોય છે. બહુ જ ટૂંકા ગાળામાં સંબંધો બંધાય દેખાવ પૂરતી લાગણીઓ આરોપાઈ અને સ્વાર્થ સાધવા માટે પરસ્પર કાળજી રખાય..જાણે ક્યારેય ન છૂટી શકે તેઓ નાતો ન હોય..! પરંતુ જેવી સ્વાર્થ પૂર્તિ થાય એટલે સંબંધોનો પણ અંત આવી જાય અને લાગણીઓ તો કમોતે મૃત્યુ પામે. આવા સંબંધોનું આયુષ્ય બહુ ટૂંકા સમયગાળાનું હોય છે. આજીવન નિભાવી શકાય તેટલી કર્તવ્ય નિષ્ઠતા તકવાદી સંબંધોમાં ક્યારેય હોતી નથી. આથી દૂરની આભાસી દુનિયાનાં લોકોની વાહવાહી, લાઈક કે કોમેન્ટના કારણે અંગત સ્વજનોની અને લાગણીસભર સંબંધોની અવગણના ક્યારેય પણ ન કરવી જોઈએ.
વફાદારી માટે પરસ્પર બે વ્યક્તિનું સાથે હોવું જરૂરી હોતું નથી. સંબંધનું નામ ભલે કોઈ પણ હોય પણ ખરા અર્થમાં વફાદારીની સાચી કસોટી બંનેમાંથી એક વ્યક્તિની અનઉપસ્થિતિમાં થતી હોય છે. જલ્દી આવવાનો વાયદો કરીને વરસો સુધી ઘરે ન આવતાં દૂર દેશની સરહદ પર લડતા ફોજીની પત્નીની વફાદારી આપણે ચોક્કસ ફરી મળીશું આવું કહીને વિખુટા પડતા બે પ્રેમીજનની વફાદારી વ્યવસાયિક કારણોસર દૂર અંતરે રહેતા પતિ પત્નીના પ્રેમની વફાદારી..! કેટલીક લાગણીઓને સમયનું ચક્ર પણ બદલી શકતું નથી. વફાદારી વ્યક્તિની સામે જળવાય એ બહુ સ્વાભાવિક બાબત છે.

- Advertisement -

પરંતુ પ્રિય પાત્રની ગેરહાજરીમાં પણ ચાતકની જેમ ચોમાસાની રાહ જોઈ અને તરસીને આયખું પૂરું કરવું પડે તો પણ બીજા વિકલ્પની પસંદગી ન કરાય ત્યારે તે વફાદારી સાચી ગણી શકાય. ધાર્મિક શાસ્ત્રને અવગણવાનો પ્રયાસ નથી.પરંતુ રામને વનવાસ મળતાં પત્નીવ્રતા સીતાજી બની પતિ પાછળ ચાલી નીકળવું કદાચ હજુ પણ સહેલું છે. પરંતુ પોતાના પતિને કોઈ વનવાસ ન મળ્યો હોવા છતાં પતિએ પોતાની સ્વેચ્છાએ સ્વીકારેલા કર્તવ્ય માટે વનવાસ જવા દેવા.. તેમને રાજીપા સાથે વિદાય આપવી તેમનું મન સાચવવું અને પતિના વિયોગમાં ચૌદ વર્ષ વન વગરના વનવાસી થઈ અને વિતાવવું તે લક્ષ્મણજી ની પત્નિ ઉર્મિલા થવું ખરેખર ખૂબ અઘરું છે..!પરસ્પર લાગણીથી જોડાયેલી બે વ્યક્તિ જ્યારે બંનેને જીવન જીવવા માટે સ્વતંત્રતા આપે છે.આ પણ એક પ્રકારની વફાદારી જ કહેવાય કારણ કે કોઈ વ્યક્તિને પોતાના સ્વાર્થ માટે કે પોતાના આનંદ માટે પોતાની નજીક રાખવી અથવા બંધન માં રાખવી એ પણ લોહી કાઢ્યા વગરની વગરની હત્યા કરવા બરાબર છે.

વ્યક્તિને જીવવા માટે શું જોઈએ..? જીવન જરૂરિયાતની વસ્તુઓ સ્વાભાવિક રીતે ઉપલબ્ધ હોય ત્યારે વ્યક્તિ સંવેદનાત્મક રીતે એક એવો સંબંધ ઈચ્છતો હોય કે જ્યાં મુક્તતા હોય એ સંબંધ લોહીનો સંબંધ પણ હોઈ શકે અને લાગણીનો પણ અથવા માણસાઈનો પણ. પરંતુ આજના સમયમાં દરેક વ્યક્તિ પાસે ભૌતિક સંપદા વધતી જાય છે. પરંતુ આંતરિક સંપત્તિ અને સ્નેહ નિરંતર ઘટતો જાય છે. દરેક વ્યક્તિ એક એવો સંગાથ ઈચ્છે છે જ્યાં તે સહજ સ્વાભાવિક અને સરળ થઈ અને જીવી શકે અને એવી જ વફાદારી ની અપેક્ષા સામા પક્ષના સ્વજન પાસેથી પણ રાખે છે.પરંતુ શક્ય છે કે દરેક સંબંધમાં એ અપેક્ષાઓ પૂર્ણ થતી નથી અને વ્યક્તિ આહત અનુભવતો હોય છે.આમ છતાં સંજોગોના વમળમાં ફસાયા હોય તો પણ જ્યારે સ્વજન કે તે અંગતની સુખની અને સલામતીની ઝંખના કરતો રહે તે એક વફાદારીની ઉચ્ચતમ કક્ષા કહી શકાય.

You Might Also Like

લાઈફ ઈન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થાય તો ગ્રાહકોને મળે છે કાયદાકીય રક્ષણ

બ્રિક્સ સમિટમાં ડોલરનું આધિપત્ય ખતમ કરવા વિચારશે ?

20મી સદીના તાનાશાહ’ ક્રૂર સરમુખત્યારોની માનસિકતા ઉજાગર કરતું પુસ્તક

ડૉ. ચિરાગ દોશી; લોકોના હૃદયને લયબધ્ધ રીતે ધબકતું રાખવા મથતો એક મુઠી ઊંચેરો તબીબ

Old is Gold ! : જૂના ગીતોની મધુરતાનું સિક્રેટ!

TAGGED: LOVE, Loyalty
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કરોળિયો, સૂર્ય અને નવરાત્રી…
Next Article મુરલીધર આયુર્વેદ નર્સિંગ કોલેજ એન્ડ હોસ્પિટલ; આ સંસ્થા સૌરાષ્ટ્રવાસીઓ માટે નવા આયુર્વેદ યુગનું ચૂપચાપ સર્જન કરી રહી છે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ગુણવંતભાઈ ડેલાવાળાએ 151 પરિવારોને ઈકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ અર્પણ કરી જન્મદિવસ ઉજવ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
ભક્તિનગર સર્કલ ખાતે ધર્મરક્ષક પરિષદ આયોજિત ગણેશ મહોત્સવનો આજથી પ્રારંભ
જે.કે. ચોક કા મહારાજાની સ્થાપના સાથે ગણેશ મહોત્સવનો ભવ્ય પ્રારંભ
સર્વેશ્વર ચોક કા રાજા : આજે વાજતે-ગાજતે દુંદાળા દેવનું આગમન, સ્થાપના બાદ પૂજા-અર્ચના કરાઇ
આજથી રાજકોટમાં દૂંદાળા દેવના મહોત્સવનો ધામધૂમથી પ્રારંભ
હનુમાન મઢી ચોકમાં આવેલ દેવપુષ્પ મેડિકલમાં કુખ્યાત કચરાવાલાની ટોળકીનો આતંક
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

લાઈફ ઈન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થાય તો ગ્રાહકોને મળે છે કાયદાકીય રક્ષણ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

બ્રિક્સ સમિટમાં ડોલરનું આધિપત્ય ખતમ કરવા વિચારશે ?

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

20મી સદીના તાનાશાહ’ ક્રૂર સરમુખત્યારોની માનસિકતા ઉજાગર કરતું પુસ્તક

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?