By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    50 વર્ષ જૂની દલીલમાં ફસાયું ડેનમાર્ક
    1 week ago
    ગુંડાગીરી નહીં, સન્માનથી વાત કરો; આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરો: ફ્રાંસની ટ્રમ્પને ચેતવણી
    1 week ago
    અમેરિકામાં બરફનું ભયંકર તોફાન, 100થી વધુ ગાડીઓ વચ્ચે અકસ્માત, જાણો વધુ
    1 week ago
    અમેરિકા ભૂતકાળમાં પણ બર્ફીલા ટાપુ ગ્રીનલૅન્ડને ખરીદવાનો પ્રયાસ કરી ચૂક્યું છે, 10 કરોડ ડૉલરની કરી હતી ઑફર
    2 weeks ago
    ચિલીના જંગલોમાં પ્રચંડ આગમાં 18 લોકોના મોત, ઈમરજન્સી જાહેર
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    યુવા પેઢીમાં ‘ડાર્ક ટુરિઝમ’નો ક્રેઝ
    21 hours ago
    સંતાન માટે પિતાનું સર્વસ્વ: દીપડાને મારી પુત્રને જીવન દાન આપ્યું
    22 hours ago
    સંસદમાં આર્થિક સર્વે રજૂ
    22 hours ago
    બારામતીમાં ‘દાદા’ની વિદાય અજિત પવાર પંચતત્ત્વમાં વિલીન
    22 hours ago
    UGCના નવા નિયમો પર સુપ્રીમ કોર્ટનો સ્ટે
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 વર્લ્ડ કપ અગાઉ જ મોટી મુશ્કેલીમાં મૂકાયો આરોન જોન્સ, મેચ ફિક્સિંગને લીધે સસ્પેન્ડ
    24 hours ago
    પાકિસ્તાનની જેમ BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી A+ કેટેગરી હટાવશે? રોહિત-કોહલીને થશે મોટું નુકસાન
    1 week ago
    જો બાંગ્લાદેશનો મુદ્દો ઉકેલાય નહીં તો પાકિસ્તાન 2026 માં T20 વર્લ્ડ કપમાં ભાગીદારીની સમીક્ષા કરશે
    2 weeks ago
    ‘ગૌતમ ગંભીરે રોહિત શર્માને ODI કેપ્ટન પદેથી હટાવ્યો…’, પૂર્વ ક્રિકેટરનો ચોંકાવનારો આરોપ
    2 weeks ago
    રાજકોટમાં રમાયેલી 2nd ODI માં શરમજનક પરાજય બાદ ભારતીય કેપ્ટન ગિલનું દર્દ છલકાયું
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા
    2 weeks ago
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    1 month ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    2 months ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    2 months ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    3 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    3 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વફાદારીનો રેખાખંડ કેવળ બે બિંદુ પર રચાય
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > વફાદારીનો રેખાખંડ કેવળ બે બિંદુ પર રચાય
Author

વફાદારીનો રેખાખંડ કેવળ બે બિંદુ પર રચાય

Khaskhabar Editor
Last updated: 2024/10/05 at 5:27 PM
Khaskhabar Editor 1 year ago
Share
7 Min Read
SHARE

નિતાંતરીત: નીતા દવે

ધૂણી ધખાવી ત્યાં જ આખું આખું ઓગાળી દે છે,
બહુ અલગારી હોય છે, આ વફાદારી ની રીત પણ!

- Advertisement -

વફાદારી..! આજ કાલ બહુ મોંઘા મુલ્યનો થઈ ગયો છે આ શબ્દ.વિકાસશીલ સમયમાં લોકો સ્વકેન્દ્રી બનતા જાય છે. જીવનમાં રહેલા સંબંધોનો ઉપયોગ સફળતાની સીડી બનાવવા માટે કરાતો હોય ત્યાં લોકો તકવાદી બનતા જાય છે અને સંબંધો તકલાદી બનતા જાય છે. આવા સમયમાં વફાદારી નામનો ભારેખમ શબ્દ પોતાનો અર્થ ગુમાવતો જતો હોય એવું લાગે છે. આર્થિક ક્ષેત્ર હોય સામાજિક કે સંવેદનાત્મક નિજ સ્વાર્થ સામે સંબંધ વામણો બનતો જાય છે આવા સમયમાં સંબંધો પ્રત્યેની ઉષ્માને જાગૃત રાખવા લાગણીઓની માવજત માટે ખાતરનું કામ કરતો વફાદારીનો ગુણ કેળવાતો રહે એ ખૂબ જરૂરી છે.

વફાદારી દરેક સંબંધની પાયાની ઈંટ સમાન હોય છે. સંબંધનું નામ કોઈ પણ હોય.પરંતુ દરેક સંબંધ પોતાની અંગત વ્યક્તિની વફાદારી ઇચ્છતો હોય છે.વફાદારી શબ્દનો અર્થ ખૂબ વિસ્તૃત છે. વફાદારી એટલે પ્રમાણિકતા, ઈમાનદારી,ગુપ્તતા, અને સંબધ પ્રત્યેની કર્તવ્ય નિષ્ઠતાનો પર્યાય. જ્યારે તમારી પાસે ડિગ્રી નહોતી, કામનો અનુભવ ન હતો છતાં તમને યોગ્ય પગારવાળી નોકરી આપનાર વ્યક્તિ, દુનિયામાં સૌથી વધારે વિશ્ર્વાસ મૂકી એક અંગત વ્યક્તિએ કરેલી પોતાની તકલીફ ની વાત, નિખાલસ મન થી એક મિત્રએ સ્વીકારેલી પોતાની ભૂલ, એક પત્નીએ પતિને કહેલી ભૂતકાળની વેદના અને સંઘર્ષના સમયમાં એક પત્નીએ પતિને કરેલી મદદ! આ બધા જ વફાદારીના પર્યાય કહી શકાય. જ્યારે કોઈ વ્યક્તિ તમારી ઉપર વિશ્વાસ મૂકી અને પોતાની અંગત વાતો તમને કહે છે ત્યારે સાંભળનારની ફરજમાં એ વાતોની ગુપ્તતાને યથા યોગ્ય જાળવણી કરવી એ નૈતિક ફરજ બની જતી હોય છે.એવી જ રીતે જ્યારે સાવ કોઈ અંગત વ્યક્તિ એકદમ નિખાલ જ ભાવે પોતાની થયેલી ભૂલનો સ્વીકાર કરે છે ત્યારે એ ભૂલનો હથિયાર તરીકે ઉપયોગ ન કરતા તેની મનોવ્યાથાને દૂર કરી તેને સાથ આપવું તે પણ સંબંધોની ગરિમા અને વફાદારી જ કહી શકાય.જે વ્યક્તિએ નબળા સમયમાં સાથ આપ્યો હોય તે વ્યક્તિને આપણી સફળતાના સમયે ક્યારેય પણ ભૂલવી ન જોઈએ કારણ કે કોઈ વ્યક્તિ એકલી સફળ ક્યારે પણ થઈ શકતી નથી તેની સફળતાના મૂળમાં ઘણા પ્રત્યક્ષ અને પરોક્ષ લોકોનો સહકાર રહેલો હોય છે.

એવા ઘણા લોકો હોય છે જે તમારા માન મરતબા અને હોદ્દાની રુએ તમારી સાથે હોય અથવા તમને સહયોગી બનતા હોય. પરંતુ ખરા અર્થમાં મનથી એ તમારું અહિત ઈચ્છતા હોય. આવા લોકોથી ખાસ સાવચેત રહેવું જરૂરી છે. કારણ કે લગભગ રૂપાળા પીછા ધરાવતો બગલો જ માછલીનો શિકાર કરતો હોય છે. કોઈની વાણી ઉપર વિશ્વાસ કરતા પહેલા તેની નિયતને ચકાસી લેવી ખૂબ જરૂરી હોય છે અને એની ચકાસણી તમારા ખરાબ સમયમાં અથવા તમારી ગેરહાજરી વખતે બાખૂબી થતી હોય છે. વ્યક્તિની અનઉપસ્થિતિમાં જે મંતવ્ય પ્રગટ થશે અથવા જે ભાવ જોવા મળશે તે જ સત્યબાકી બધું ઢાળાનાં ઢાળ જેવું..સમયે આવ્યે સાથ છોડી દે..!
આવી જ કેટલીક હકીકત સોશિયલ મીડિયા પર પણ જોવા મળતી હોય છે. બહુ જ ટૂંકા ગાળામાં સંબંધો બંધાય દેખાવ પૂરતી લાગણીઓ આરોપાઈ અને સ્વાર્થ સાધવા માટે પરસ્પર કાળજી રખાય..જાણે ક્યારેય ન છૂટી શકે તેઓ નાતો ન હોય..! પરંતુ જેવી સ્વાર્થ પૂર્તિ થાય એટલે સંબંધોનો પણ અંત આવી જાય અને લાગણીઓ તો કમોતે મૃત્યુ પામે. આવા સંબંધોનું આયુષ્ય બહુ ટૂંકા સમયગાળાનું હોય છે. આજીવન નિભાવી શકાય તેટલી કર્તવ્ય નિષ્ઠતા તકવાદી સંબંધોમાં ક્યારેય હોતી નથી. આથી દૂરની આભાસી દુનિયાનાં લોકોની વાહવાહી, લાઈક કે કોમેન્ટના કારણે અંગત સ્વજનોની અને લાગણીસભર સંબંધોની અવગણના ક્યારેય પણ ન કરવી જોઈએ.
વફાદારી માટે પરસ્પર બે વ્યક્તિનું સાથે હોવું જરૂરી હોતું નથી. સંબંધનું નામ ભલે કોઈ પણ હોય પણ ખરા અર્થમાં વફાદારીની સાચી કસોટી બંનેમાંથી એક વ્યક્તિની અનઉપસ્થિતિમાં થતી હોય છે. જલ્દી આવવાનો વાયદો કરીને વરસો સુધી ઘરે ન આવતાં દૂર દેશની સરહદ પર લડતા ફોજીની પત્નીની વફાદારી આપણે ચોક્કસ ફરી મળીશું આવું કહીને વિખુટા પડતા બે પ્રેમીજનની વફાદારી વ્યવસાયિક કારણોસર દૂર અંતરે રહેતા પતિ પત્નીના પ્રેમની વફાદારી..! કેટલીક લાગણીઓને સમયનું ચક્ર પણ બદલી શકતું નથી. વફાદારી વ્યક્તિની સામે જળવાય એ બહુ સ્વાભાવિક બાબત છે.

- Advertisement -

પરંતુ પ્રિય પાત્રની ગેરહાજરીમાં પણ ચાતકની જેમ ચોમાસાની રાહ જોઈ અને તરસીને આયખું પૂરું કરવું પડે તો પણ બીજા વિકલ્પની પસંદગી ન કરાય ત્યારે તે વફાદારી સાચી ગણી શકાય. ધાર્મિક શાસ્ત્રને અવગણવાનો પ્રયાસ નથી.પરંતુ રામને વનવાસ મળતાં પત્નીવ્રતા સીતાજી બની પતિ પાછળ ચાલી નીકળવું કદાચ હજુ પણ સહેલું છે. પરંતુ પોતાના પતિને કોઈ વનવાસ ન મળ્યો હોવા છતાં પતિએ પોતાની સ્વેચ્છાએ સ્વીકારેલા કર્તવ્ય માટે વનવાસ જવા દેવા.. તેમને રાજીપા સાથે વિદાય આપવી તેમનું મન સાચવવું અને પતિના વિયોગમાં ચૌદ વર્ષ વન વગરના વનવાસી થઈ અને વિતાવવું તે લક્ષ્મણજી ની પત્નિ ઉર્મિલા થવું ખરેખર ખૂબ અઘરું છે..!પરસ્પર લાગણીથી જોડાયેલી બે વ્યક્તિ જ્યારે બંનેને જીવન જીવવા માટે સ્વતંત્રતા આપે છે.આ પણ એક પ્રકારની વફાદારી જ કહેવાય કારણ કે કોઈ વ્યક્તિને પોતાના સ્વાર્થ માટે કે પોતાના આનંદ માટે પોતાની નજીક રાખવી અથવા બંધન માં રાખવી એ પણ લોહી કાઢ્યા વગરની વગરની હત્યા કરવા બરાબર છે.

વ્યક્તિને જીવવા માટે શું જોઈએ..? જીવન જરૂરિયાતની વસ્તુઓ સ્વાભાવિક રીતે ઉપલબ્ધ હોય ત્યારે વ્યક્તિ સંવેદનાત્મક રીતે એક એવો સંબંધ ઈચ્છતો હોય કે જ્યાં મુક્તતા હોય એ સંબંધ લોહીનો સંબંધ પણ હોઈ શકે અને લાગણીનો પણ અથવા માણસાઈનો પણ. પરંતુ આજના સમયમાં દરેક વ્યક્તિ પાસે ભૌતિક સંપદા વધતી જાય છે. પરંતુ આંતરિક સંપત્તિ અને સ્નેહ નિરંતર ઘટતો જાય છે. દરેક વ્યક્તિ એક એવો સંગાથ ઈચ્છે છે જ્યાં તે સહજ સ્વાભાવિક અને સરળ થઈ અને જીવી શકે અને એવી જ વફાદારી ની અપેક્ષા સામા પક્ષના સ્વજન પાસેથી પણ રાખે છે.પરંતુ શક્ય છે કે દરેક સંબંધમાં એ અપેક્ષાઓ પૂર્ણ થતી નથી અને વ્યક્તિ આહત અનુભવતો હોય છે.આમ છતાં સંજોગોના વમળમાં ફસાયા હોય તો પણ જ્યારે સ્વજન કે તે અંગતની સુખની અને સલામતીની ઝંખના કરતો રહે તે એક વફાદારીની ઉચ્ચતમ કક્ષા કહી શકાય.

You Might Also Like

ઉન્નત હિમશિખરો નીચે ઘૂઘવતા ગરમ પાણીના ગુપ્ત મહાસાગરો ગ્લોબલ વોર્મિગનું સાચું કારણ

મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી 2026: મહાયુતિની પ્રચંડ જીત પાછળના મુખ્ય કારણો અને રાજકીય પરિણામો

વાત હનુમાનજી અને જટાયુજીની

નીંદ ચૂરાઈ તેરી કીસને ઓ સનમ..

એક ઔષધ એક સુગંધ, તાંત્રિક દ્રવ્ય ઔદ્યોગિક પ્રોડક્ટ!

TAGGED: LOVE, Loyalty
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કરોળિયો, સૂર્ય અને નવરાત્રી…
Next Article મુરલીધર આયુર્વેદ નર્સિંગ કોલેજ એન્ડ હોસ્પિટલ; આ સંસ્થા સૌરાષ્ટ્રવાસીઓ માટે નવા આયુર્વેદ યુગનું ચૂપચાપ સર્જન કરી રહી છે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ગ્રીનલેન્ડ ચોકડી પર ખાનગી કારચાલકોનો બેફામ આતંક

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
મોરબી: સુરક્ષાના હેતુથી હોટલ-ગેસ્ટ હાઉસ માટે ‘પથિક’ સોફ્ટવેર ફરજિયાત
હળવદ: ભવાનીનગર ઢોરામાં દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો, ₹1.33 લાખનો મુદ્દામાલ જપ્ત
ધ્રાંગધ્રા DCW કંપની સામે આંદોલન પર બેઠેલા કામદારની તબિયત લથડી
થાનગઢના સોનગઢ ગામના ખારા વિસ્તારમાં કોલસાનું બેફામ ખનન
કોર્પોરેશન ચોકમાં લૂંટ ચલાવનાર ત્રિપુટી ઝડપાઈ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનીષ આચાર્ય

ઉન્નત હિમશિખરો નીચે ઘૂઘવતા ગરમ પાણીના ગુપ્ત મહાસાગરો ગ્લોબલ વોર્મિગનું સાચું કારણ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
Hemadri Acharya Dave

મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી 2026: મહાયુતિની પ્રચંડ જીત પાછળના મુખ્ય કારણો અને રાજકીય પરિણામો

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
Author

વાત હનુમાનજી અને જટાયુજીની

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?