રોડ સેફટીના નિયમોનો ઉલાળિયો કરી રોડ કાર્ય શરૂ
રોડની નબળી ગુણવત્તા કામગીરી મુદ્દે સ્થાનિકોનો વિરોધ
- Advertisement -
સ્થાનિક તંત્ર અને ઊચ્ચ લેવલે રજૂઆત પણ અધિકારીઓનું મૌન
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
જૂનાગઢથી મેંદરડાનો યુવનગર રોડ સાસણને જોડતો રોડ છે ત્યારે પ્રતિ વર્ષ લાખો પ્રવાસીઓ સિંહ દર્શન કરવા અને સોમનાથ મહાદેવના દર્શને પધારે છે.ત્યારે છેલ્લા 10 વર્ષ પેહલા બનેલ રોડનું નવીની કરણ કામગીરી રૂ.14.14 કરોડ ખર્ચે શરુ કરવામાં આવી છે.ત્યારે સામાજિક કાર્યકર અને સ્થાનિક સરપંચો અને આગેવાનો દ્વારા રોડની ગુણવતા સામે સવાલો ઉઠાવ્યા છે અને સ્થાનિક તંત્રના અધિકરીઓ અને ગાંધીનગરના ઊંચ અધિકરીઓ સુધી અનેકવાર રજૂઆત કરતા છત્તા અધિકરીઓનું મૌન જોવા મળી રહ્યું છે.જે રીતે રોડ સેફટીના નિયમ મુજબ કામગીરી થવી જોઈએ તેરીતે કામગીરી નહિ થતા ભ્રસ્ટાચાર થતો હોવાના આક્ષેપ થઇ રહ્યા છે.
- Advertisement -
જૂનાગઢ જિલ્લા અને તાલુકા રસ્તા નવનીકરણ અભિયાન અર્તગત જૂનાગઢ – મેંદરડાના ચાલી રહેલા નવીની કરણ રોડ નિર્માણમાં થઈ રહેલા રોડમાં લોટ પાણી અને લાકડા જેવા કામથી અસંતુષ્ઠ થઈ સ્થાનિક ગ્રામજનો ખડપીપલી ગામે એકત્ર થયા હતા અને જે રીતે રોડની કામગીરી ચાલી રહી છે. તે મુદ્દે સમગ્ર માહિતી સાથે ભ્રષ્ટચાર થતો હોવાનો આક્ષેપ કર્યો હતો જેમાં સામાજિક કાર્યકર ગૌરવભાઈ ધીનોજાએ વહીવટી તંત્રને અલગ અલગ સ્ટેપ પર અનેકવાર રજૂઆતો કરવામાં આવેલ પરંતુ વહીવટી તંત્ર દ્વારા એક પણ જાતના પગલાં લેવામાં આવેલ નથી.
વધુમાં સામાજિક કાર્યકર ગૌરવભાઈ ધીનોજાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ ઈવનગર મેંદરડા હાઈવે પર ચાલી રહેલા રી સરફેસના કામમાં લોટ પાણી અને લાકડા જેવી સ્થિતિ છે. જયારે સરકાર દ્વારા 14 કરોડ અને 14 લાખના કામને રસ્તો બનાવવાની મંજૂરીનો ઉપયોગ અધિકારીઓ પોતાના ગજવા ભરવા માટે કરે છે તેવા આક્ષેપ સાથે કર્યો હતો તેમજ આ રોડ માર્ગ અને મકાન સ્ટેટ વિભાગ હેઠળ મંજૂર થયો છે જયારે જૂનાગઢ યુવનગર મેંદરડા રોડ પર ચાલી રહેલા રોડ નિર્માણની ગેરરીતી અને ગુણવત્તા સબંધિત છે આ યોજનામાં અંદાજિત 14 કરોડ અને 14 લાખ રૂપિયા વાપરવા માટેનું બજેટ મંજુર થયું છે. પરંતુ જે રોડ બનાવવા માટે રૂપરેખા તૈયાર થઈને આવી છે એની તદ્દન વિરુદ્ધમાં આકામ થઈ રહ્યું હોય તેવું જણાવ્યું છે. જેથી જૂનાગઢ રસ્તા નવનીકરણ અભિયાન અંતર્ગત એક જાગૃતિ નાગરિક અને સામાજિક કાર્યકતા તરીકે ગાંધીનગર સુધી અવાર નવાર રજૂઆતો કરી છે.જેમાં આ ફરિયાદ આસપાસ ના ગામોના સરપંચોને સાથે રાખીને દરેક સ્ટેપ પર ફરિયાદો કરી છે પરંતુ રજૂઆતો સરકાર અને તંત્રના બહેરા કાને અથડાય રહી છે.અને કોઈ પણ પ્રકારનું એક્શન લેવામાં આવતું નથી જેનું ભારોભાર દુ:ખ વ્યક્ત કર્યું હતું.
ગૌરવભાઈ ધીનોજા અને અન્ય લોકો જૂનાગઢ-મેંદરડા રોડની કામગીરી વિષે સવાલો ઉભા કર્યા હતા અને જણાવ્યું હતું કે, એસ્ટીમેન્ટ વિરુદ્ધ થઈ રહેલા રોડનું કામ થઇ રહ્યું છે તેની સાથે રોડ આજુબાજુ આવેલ વૃક્ષો કટિંગ થતા નથી તેમજ નિયમો અનુસાર પાલન થતું નથી અને રોડ સેફટીના નિયમો અનુસાર રોડ બનાવામાં આવે અને જે રોડ રૂ.14.14 કરોડની અંદાજિત રકમ ફાળવામાં આવી છે તે મુજબ કામ કરવામાં આવે અને રોડનું ઓડિટ થવું જોઈએ તેવી માંગ કરી હતી જયારે રોડનું કામ નિયમ અનુસાર નહિ થતા અનેકવાર અકસ્માતો સર્જાય છે અને લોકો મોતમેં ભેટે છે ત્યારે રોડ કામમાં થતી ગેરરીતી વિશેના સમર્થનમાં મેંદરડા રોડ પર આવેલ ખડપીપળી, સુખપુર અને નવાગામના સરપંચો તથા જાગૃતિ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને હાલ જે રોડનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે તે તાત્કાલિક શરુ કરવામાં આવે અને ચોમાસા પેહલા રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ સાથે હાલ રોડ કામ સબબ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તે હટાવી લેવામાં તેવી માંગણી કરવામાં આવી હતી અને રોડ કામ બાબતે વહીવટી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.