40 હજાર ન ચૂકવ્યાની એક દિવસની પેનલ્ટી 40 હજાર
સોલાર અને ઈલેક્ટ્રીકનો વેપાર કરતા શ્રીપાલ ખજુરિયાએ ખોડુ મુંધવા વિરૂદ્ધ કરી અરજી
- Advertisement -
પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને મળી શ્રીપાલ ખજુરિયાએ ખોડુ મુંધવાના ત્રાસ વિશે કરી રજૂઆત
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં વ્યાજખોરોનું સામ્રાજ્ય દિન-પ્રતિદિન વધી રહ્યું છે અને વ્યાજખોરોનો આતંક અનેક જિંદગી છીનવી રહ્યો છે. મજબુરોને મરવા માટે મજબુર કરતા આવા વ્યાજખોર બાહુબલીઓને નાથવા માટે તંત્ર ઉદાસ હોવાનું લાગી રહ્યું છે. વ્યાજના વિષચક્રમાં ધંધાર્થી, નોકરીયાત, ગરીબ અને શ્રમજીવી લોકો ફસાઇ જાય છે. ત્યારે આવી જ રીતે લોકોની જિંદગી બરબાદ કરતા શહેરના કુખ્યાત વ્યાજખોર ખોડુ મુંધવા વિરૂદ્ધ વધુ એક વખત નવનિયુક્ત પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને અરજી થઈ છે. વિદ્યાનગર રોડ પર રહેતા ડો. શ્રીપાલ ખજૂરીયા નામના ઈલેક્ટ્રીક અને સોલારની ઉત્પાદનોનો ધંધો કરતા વેપારીએ પોલીસ કમિશનરને ખોડુ મુંધવાના ત્રાસથી બચવા આવેદન પાઠવ્યું છે. ડો. શ્રીપાલ ખજુરિયાએ આપેલી અરજી મુજબ બે વર્ષ પહેલા પોતાની આર્થિક પરિસ્થિતી કથળતા વ્યાજખોર ખોડુ મુંધવા પાસેથી 2 ટકા લેખે 2 લાખ રૂપિયા માંગ્યા અને ખોડુએ પૈસા વ્યાજે આપવાની હા પાડી. પરંતુ જ્યારે ખોડુને પૈસા માટે ફોન કરીએ ત્યારે બહાના બનાવવા લાગ્યો અને આજકાલમાં આપીશ તેવું કહીને ઘણો સમય કાઢી નાખ્યો જ્યારે સામે શ્રીપાલ ખજુરિયાએ પોતે એક કામનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે કોન્ટ્રાક્ટરને ચેક આપી દીધો. ત્યારબાદ વારંવાર ફોન કર્યા બાદ ખોડુ મુંધવાએ પૈસા નથી તેવું કહ્યું પરંતુ ત્યારે ફક્ત એક જ દિવસની વાર હતી જો પૈસા એ દિવસે ન મળે તો કોન્ટ્રાક્ટ જતો રહે તેમ હતો તે વાતનો લાભ ઉઠાવી ખોડુ મુંધવાએ 2 ટકાના બદલે 2 લાખ રૂપિયાના 20 ટકા લેખે પૈસા વ્યાજે આપ્યા. અને તેમાંથી 40 હજાર પહેલાથી જ કાપીને 1,60,000 રોકડા આપ્યા, પ્રથમ મહિને તેમણે 40 હજાર વ્યાજ ભર્યું જ્યારે બીજા મહિનાની છેલ્લી તારીખે તેણે ફોન કરતા ન ઉપાડ્યો અને બીજા દિવસે કેમ વ્યાજ ન આપ્યું તેવું કહીને ધમકીઓ આપી.
- Advertisement -
ખોડુએ શ્રીપાલને 2 લાખ વ્યાજે આપ્યા બાદ ખોટી રીતે પેનલ્ટી લગાવી તગડું વ્યાજ ઉઘરાવ્યું
ખોડુ મુંધવા લોકો પાસે કાળું વ્યાજ વસુલી રંગરેલિયા કરે છે તેનો બોલતો પુરાવો
ખોડુ મુંધવા પાસે પરમિટનું બિયર ક્યાંથી આવ્યું? તે પણ એક તપાસનો વિષય છે.
આ ફોટાથી ગભરાવું નહી: ઈખ-ઈછ દર સોમ-મંગળવારે લોકોને મળે છે
ખોડુ મુંધવા વ્યાજે પૈસા લઈને લોકોને પોતાના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને સી.આર.પાટીલ સાથેના ફોટા બતાવીને લોકોને ધમકી આપી ડરાવે છે કે, તમે મારૂં કંઈ ન કરી શકો મારી લાગવગ ગાંધીનગર સુધીની છે. આવું કહીને ખોડુ મુંધવા લોકોને પોતાનો ડર બતાવે છે. પરંતુ એવું કશું નથી. આ ફોટાથી લોકોએ ગભરાવવાની જરૂર નથી. મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દર સોમવાર અને મંગળવાર નાગરિકોને અને ધારાસભ્યને મળે છે. તેથી દરેક લોકો પણ નેતાઓ સાથે ફોટો પડાવી શકે છે.
ખોડું અનેક વખત મારી પત્નીને ફોન કરીને હેરાન કરતો અને ઘરની નીચે પોતાના ગુંડાઓ બેસાડી માનસિક ત્રાસ આપતો: શ્રીપાલ ખજુરિયા
ત્યારબાદ તેમણે સંપૂર્ણ 2 લાખ ચૂકવી દીધા પરંતુ ખોડુએ એક દિવસની પેનલ્ટીના 40 હજાર રૂપિયા માંગ્યા અને જો તે ન આપે તો કાયમ માટે રોજનાં 40 હજાર રૂપિયા વ્યાજ લાગશે તેવું કહીને ધમકીઓ આપી. જ્યારે તેમણે ના પાડી તો તેમને માનસિક રીતે હેરાન કરવા લાગ્યો. અરજી મુજબ અનેક વખત તેમની પત્નીને પણ ફોન કરીને ત્રાસ આપવા લાગ્યો અને અવાર નવાર તેમનાં એપાર્ટમેન્ટમાં પણ જોવા મળ્યો. જ્યારે પોતાના એક વ્યક્તિને પણ એપાર્ટમેન્ટમાં નીચે બેસાડી દીધો જેની સાથે અનેક વખત પોલીસ કોન્સ્ટેબલ પણ જોવા મળતો હતો. અનેક વખત માનસિક ત્રાસ આપવા અને પોતાની ઓળખ બધે જ છે તેવું દર્શાવવા માટે મોબાઈલ પર કંકોત્રી મોકલે જેમાં પોલીસ સ્ટાફના નામ હોય તેથી પોતાની ધાક જમાવી રાખે છે. આમ, વારંવાર તેમને માનસિક ત્રાસ આપે છે. ડો. શ્રીપાલે અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ પોલીસનો સ્ટાફ પણ તેની સાથે મળેલો હોવાથી તેની સામે કોઈ કાર્યવાહી થતી નથી.
એક દિવસ મોડું થાય તો પેનલ્ટી ડબલ
ખોડુ મુંધવાની વ્યાજ સિસ્ટમ થોડી અટપટી છે. 2 લાખનું દર મહિને 40 હજાર વ્યાજ ઉઘરાવે છે. જ્યારે એક દિવસ પણ મોડુ થાય તો પ્રતિ દિવસની 40 હજાર પેનલટી ઉઘરાવીને વેપારીઓને હેરાન પરેશાન કરે છે.
વાંચકોને ખાસ અપીલ
ખોડું મુંધવાના ત્રાસથી પરેશાન નાગરિકો ખાસ-ખબર કાર્યાલયનો સંપર્ક કરે…
76982 11111