ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા શહેરમાં રસ્તે રખડતા પશુઓ પકડવામાં આવે છે. તા. 08/05 થી તા. 15/05/2023 દરમિયાન રાજકોટ શહેરના માર્કેટીંગયાર્ડ, શ્રીરામ સોસાયટી, જયજવાન જયકીશાન, ભગવતીપરા, છપ્પનીયા ક્વાર્ટર, નરસિંહનગર, ગ્રીનલેંડ ચોકડી હાઈવે, પારેવડી ચોક, શીવનગર સોસાયટી, સંતકબીર રોડ, ન્યુ શક્તિ સાયટી તથા આજુબાજુમાંથી 30 (ત્રીસ) પશુઓ, જંકશન રોડ, ઘંટેશ્વરપાર્ક, બ્રહ્માનંદ સોસાયટી, મનહરપુર, રૈયાધાર, મારવાડી રોડ, રેલનગર મેઈન રોડ, માધાપર ચોકડી, વિષ્ણુવિહાર સોસાયટી, હમીરજી ચોક, પરસાણાનગર તથા આજુબાજુમાંથી 34 (ચોત્રીસ) પશુઓ, નાગેશ્વર મેઈન રોડ, યુનીકેર હોસ્પીટલ, અક્ષરનગર, ભારતીનગર, સાધુવાસવાણી રોડ, બાપા સીતારામ ચોક તથા આજુબાજુમાંથી 16 (સોળ) પશુઓ, માનસરોવરપાર્ક, ટ્રાન્સપોર્ટનગર, શિવનગર, નરસિંહનગર, પ્રદ્યુમનપાર્ક, ઠાકરચોક, માંડા ડુંગરવિસ્તાર તથા આજુબાજુમાંથી 16 (સોળ) પશુઓ, ન્યુ રાધેશ્યામ, માધવવાટિકા, જડેશ્વર, વેલનાથ સોસાયટી, ગણેશપાર્ક, કોઠારીયા સોલવન્ટ, રામવન રોડ, રામપાર્ક રોડ, સર્વિસ રોડ, ગાર્બેજ સ્ટેશન, તથા આજુબાજુમાંથી 21 (એકવીસ) પશુઓ, સોરઠીયાવાડી, સહકાર મેઈન રોડ, આનંદનગર, સાધના સોસાયટી મેઈન રોડ, શ્રીનગર સોસાયટી, નંદાહોલ મેઈન રોડ, આહિર ચોક, કેવડાવાડી ચોક, પવનપુત્ર તથા આજુબાજુમાંથી 15 (પંદર) પશુઓ, મવડી શાક માર્કેટ, ગીતાનગર, ખોડીયારપરા, ગોવર્ધન ચોક, નવલનગર મેઈન રોડ, રામનગર મેઈન રોડ તથા આજુબાજુમાંથી 8 (આઠ) પશુઓ અન્ય વિસ્તારોમાંથી મળી કુલ 222 પશુઓ પકડવામાં આવેલ છે.
રાજકોટમાં રસ્તે રખડતા અને અડચણરૂપ કુલ 222 પશુઓ પકડાયા
