By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    1 day ago
    AI નો સતત વધતો ઉપયોગ આપણા માટે પર્યાવરણીય આફત બનશે, UNના ચોંકાવનારા આંકડા
    1 day ago
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    2 days ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    3 days ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાનૂની હકો નહીં, બાળકની સુખાકારી જ કસ્ટડીનો અંતિમ આધાર…
    1 day ago
    અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કડક કાર્યવાહી
    1 day ago
    દિલ્હીમાં ‘વંદા’ ઉમટી પડ્યાં
    1 day ago
    દેશમાં પેટ્રોલ કરતાં ₹20 સસ્તું મળશે ‘E85’ બળતણ
    1 day ago
    ફાયરિંગ કેસમાં ખાન સર આત્મસમર્પણ કરશે નહીં
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    1 day ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    2 days ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    2 days ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    3 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    4 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    5 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    1 day ago
    રીબડાનાં ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સંડોવાયેલ પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત
    1 day ago
    ભક્તનું કામ ભગવાન સુધી પહોંચવાનું છે, જ્યારે ભગવાનનું કામ ભક્તનું રક્ષણ અને ઉદ્ધાર કરવાનું છે : ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી
    1 day ago
    રાજકોટના અમીન માર્ગ પર RMCનું ડ્રેનેજ ટ્રક ખાડામાં ફસાયું
    1 day ago
    ‘મોંઘવારીની જેલ’ અને ‘પેપર લીક રથ’થી સરકારને ઘેરવાનો પ્રયાસ
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઇસ્લામાબાદમાં ઈમરાન સમર્થકો પર કરાયું ફાયરિંગ, 12ના મોત થયાનો PTIનો દાવો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > ઇસ્લામાબાદમાં ઈમરાન સમર્થકો પર કરાયું ફાયરિંગ, 12ના મોત થયાનો PTIનો દાવો
આંતરરાષ્ટ્રીય

ઇસ્લામાબાદમાં ઈમરાન સમર્થકો પર કરાયું ફાયરિંગ, 12ના મોત થયાનો PTIનો દાવો

Khaskhabar Editor
Last updated: 2024/11/27 at 12:19 PM
Khaskhabar Editor 2 years ago
Share
6 Min Read
SHARE

પીટીઆઈએ X પર વીડિયો શેર કરીને કહ્યું, શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન માટે પોતાના લોકતાંત્રિક અધિકારનો ઉપયોગ કરી રહેલા નિર્દોષ નાગરિકો પર સરકાર ભારે અને સીધો ગોળીબાર કરી રહી છે. ઘણા લોકોના મોતના અહેવાલ છે અને મૃત્યુઆંક વધી રહ્યો છે. સેંકડો લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. પરિસ્થિતિ દરેક ક્ષણે વધુ ખરાબ થઈ રહી છે.

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં સ્થિતિ વણસી રહી છે. ઇમરાન ખાનને છોડી મૂકવાની માંગ સાથે તેમના સમર્થકોએ રાજધાનીમાં કૂચ કરી દીધી છે. સરકાર તરફથી મૂકવામાં આવેલ તમામ સુરક્ષા કોર્ડન તોડીને પ્રદર્શકારીઓ આગળ વધી રહ્યા છે. ઇમરાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના કાર્યકરો અને સુરક્ષા દળો વચ્ચે હિંસક અથડામણ થઈ રહી છે. આ અથડામણમાં છ સુરક્ષાકર્મીઓ માર્યા ગયા અને ડઝનેક ઘાયલ થઈ ગયા. મોડી રાત્રે તહરીક-એ-ઇન્સાફે ઇસ્લામાબાદના ડી-ચોકની વર્તમાન પરિસ્થિતિનો ઉલ્લેખ કરીને X પર એક પોસ્ટ કરી.

ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈએ X પર એક પોસ્ટમાં કહ્યું કે 3 નિર્દોષ પ્રદર્શકારીઓના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 47 ઘાયલ થયા છે. સાથે જ એમ પણ કહ્યું કે, શાંતિપૂર્ણ વિરોધ કરવાના તેમના લોકતાંત્રિક અધિકારનો ઉપયોગ કરી રહેલા નિર્દોષ નાગરિકો પર સરકાર ભારે અને સીધો ગોળીબાર કરી રહી છે. ઘણા લોકોના મોતના અહેવાલ છે અને મૃત્યુઆંક વધી રહ્યો છે. સેંકડો લોકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે, હોસ્પિટલોમાં કટોકટી તબીબી પુરવઠો ઓછો પડી રહ્યો છે, અને પરિસ્થિતિ દરેક ક્ષણે વધુ ખરાબ થઈ રહી છે.

- Advertisement -

PTIએ X પર 2 વીડિયો પણ શેર કર્યા છે. આમાં રસ્તાઓ પર ધુમાડો દેખાઈ રહ્યો છે, આ સાથે લોકો દોડતા અને ગોળીઓના અવાજથી ચીસો પાડતા જોઈ શકાય છે. ઇમરાનની પાર્ટીએ કહ્યું કે સુરક્ષા દળોએ ઇસ્લામાબાદના ડી-ચોકની આસપાસ કન્ટેનર, કાર અને અન્ય જાહેર સંપત્તિને સળગાવવાનું શરૂ કરી દીધું છે, તેઓ સંપૂર્ણપણે પોતાનો કંટ્રોલ ગુમાવી ચુક્યા છે, સ્નાઈપર્સ, ગ્રેનેડનો આશરો લઈ રહ્યા છે અને નાગરિકોને કચડી રહ્યા છે.

પીટીઆઈએ અન્ય એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે એક નિર્દોષ નિઃશસ્ત્ર પ્રદર્શનકારી કન્ટેનર પર પ્રાર્થના કરી રહ્યો હતો. ત્યારે સશસ્ત્ર અર્ધલશ્કરી દળોએ તેને ખૂબ ઊંચાઈએથી નિર્દયતાથી ધક્કો મારી દીધો. આ ભયાનક કૃત્ય આ શાસન અને તેના સુરક્ષા દળોની ક્રૂરતા અને ફાસીવાદને પ્રતિબિંબિત કરે છે, જેઓ તેમના રસ્તામાં આવનાર કોઈપણ નાગરિકને કચડી રહ્યા છે.

પીટીઆઈએ X પર એક વીડિયો શેર કરીને કહ્યું, આ ઇસ્લામાબાદમાં સેના અને તેની કઠપૂતળી સરકારના હાથે નિર્દોષ નાગરિકોના નિર્મમ અને ક્રૂર નરસંહારનો પુરાવો છે, સેંકડો લોકોના મરવાની અને હજારોના ગંભીર રીતે ઘાયલ થયા હોવાની આશંકા સાથે, ઇસ્લામાબાદ વોર ઝોનમાં ફેરવાઈ ગયું છે. સુરક્ષા દળો નિઃશસ્ત્ર નાગરિકો સામે બેલગામ ક્રૂર બળનો ઉપયોગ કરી રહ્યા છે. પાકિસ્તાનના ઇતિહાસનો આ સૌથી કાળો સમય છે. પીટીઆઈએ એક્સ પરની એક પોસ્ટમાં જણાવ્યું કે એક ડઝન નિર્દોષ પ્રદર્શનકારીઓના મૃત્યુની પુષ્ટિ થઈ છે, જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા છે. ઘણા લોકોની હાલત ગંભીર, રાજધાનીની હોસ્પિટલોમાં સતત મોતના સમાચાર આવી રહ્યા છે, જેના કારણે મૃત્યુઆંક ઝડપથી વધી રહ્યો છે.

- Advertisement -

છેલ્લા બોલ સુધી લડો, પીછેહઠ ન કરો: ઇમરાને કરી સમર્થકોને અપીલ

બીજી તરફ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને ઇસ્લામાબાદમાં પોતાના સમર્થકોને છેલ્લા બોલ સુધી લડવા અને પીછેહઠ ન કરવા કહ્યું. ઇમરાને રાવલપિંડીની અદિયાલા જેલમાંથી એક મેસેજમાં કહ્યું કે હું પાકિસ્તાનના લોકો અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના કાર્યકરોને સલામ કરું છું જેઓ તેમના અધિકારો માટે ઉભા છે, શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનમાં ભાગ લઈ રહ્યા છે અને સાચી આઝાદી અને ન્યાયની માંગ માટે આપણા દેશ પર થોપવામાં આવેલા માફિયાનો સાહસપૂર્વક સામનો કરી રહ્યા છે. ઓગસ્ટ 2023 થી ઘણા કેસોમાં જેલમાં રહેલા ઇમરાન ખાને કહ્યું કે મારી ટીમને મારો સંદેશ સ્પષ્ટ છે કે છેલ્લા બોલ સુધી લડો. અમે ત્યાં સુધી પીછેહઠ નહીં કરીએ જ્યાં સુધી અમારી માંગણીઓ નહીં સંતોષાય. તેમણે કહ્યું કે જેઓ હજુ સુધી વિરોધ માર્ચમાં જોડાયા નથી તેઓ ઇસ્લામાબાદના ડી-ચોક પર શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન માટે પહોંચે એ ત્યાં સુધી ન જાય જય સુધી તેમની માંગો પૂર્ણ ન થઈ જાય.

‘તમારે જે કરવું હોય તે કરો, હું મારા સ્ટેન્ડ પરથી પાછો હટીશ નહીં’

ઇમરાને એ પણ ખુલાસો કર્યો હતો કે તેને સૈન્ય અદાલતમાં ટ્રાયલ કરવાની ધમકી આપવામાં આવી હતી. ઇમરાને કહ્યું કે સૈન્ય અદાલતોમાં કેસ ચલાવવાની ધમકી આપનારા માટે મારો સ્પષ્ટ સંદેશ છે – ‘તમારે જે કરવું હોય તે કરો, હું મારા સ્ટેન્ડથી પાછળ નહીં હટું.’

રેન્જર્સે કર્યો કાર્યકર્તાઓ પર ગોળીબાર

સંઘીય આંતરિક મંત્રી મોહસિન નકવીના આદેશ પર, રેન્જર્સ અને પોલીસે પીટીઆઈ કાર્યકરો પર ગોળીબાર કર્યો, જેના કારણે શાંતિપૂર્ણ નાગરિકો માર્યા ગયા અને ઘાયલ થયા. ઇમરાન ખાને કહ્યું કે નકવીને આના માટે જવાબદાર ઠેરવવામાં આવશે, ક્રૂરતા હોવા છતાં અમારા લોકો માત્ર શાંતિપૂર્ણ જ ન રહ્યા જ પરંતુ તેમના પર હુમલો કરનારા ઘાયલ પોલીસ અને રેન્જર્સના જવાનોને બચાવવામાં પણ મદદ કરી.

પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા

પ્રદર્શન સ્થળ પરથી ઉભરી રહેલી તસવીરોમાં ઇમરાન ખાનના સમર્થકો ટીયર ગેસનો સામનો કરતા અને ડી-ચોક તરફ જતા રસ્તાઓ પર રાખવામાં આવેલા શિપિંગ કન્ટેનર પર ચડતા જોઈ શકાય છે. ડી-ચોક રાષ્ટ્રપતિ ભવન, વડા પ્રધાન કાર્યાલય, સંસદ અને સુપ્રીમ કોર્ટ સહિત ઘણી મહત્ત્વપૂર્ણ સરકારી ઇમારતોની નજીક સ્થિત છે.

ઇમરાન સમર્થકો અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ

પીટીઆઈના ટોચના નેતાઓએ ઇમરાન ખાન જેલમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી શહેરમાં જ રહેવાની જાહેરાત કરી. દરમિયાન, મંગળવારે વિરોધ પ્રદર્શન દરમિયાન એક પોલીસ અધિકારીની હત્યામાં તેમની કથિત ભૂમિકા બદલ ઇમરાન ખાન અને અન્ય પીટીઆઈ નેતાઓ સામે આતંકવાદ વિરોધી અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

You Might Also Like

પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા

AI નો સતત વધતો ઉપયોગ આપણા માટે પર્યાવરણીય આફત બનશે, UNના ચોંકાવનારા આંકડા

બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ

બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!

નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા

TAGGED: Imran Khan, ISLAMABAD, pakistan
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બજરંગ પુનિયાની મુશ્કેલીમાં વધારો: NADAએ સ્ટાર રેસલર પર 4 વર્ષ માટે પ્રતિબંધ લગાવ્યો
Next Article સરકાર બહાર પાડશે QR કોડ સાથેનું નવું પાનકાર્ડ, તો જૂનાનું શું થશે? જાણો તમામ પ્રશ્નોના જવાબ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મનીષ આચાર્ય

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ
વાણી અને વર્તન દ્વારા પરિચય
હવે નાગરિકો તાલુકા મથકેથી જ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા કલેક્ટરને સીધી રજૂઆત કરી શકશે
ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી બિનહરીફ માટે “લોઢાના ચણા” જેવી સ્થિતિ
ગટરનું ગંદુ પાણી કેનાલમાં બંધ કરીને તળાવમાં ડાયવર્ટ કરાયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
આંતરરાષ્ટ્રીય

AI નો સતત વધતો ઉપયોગ આપણા માટે પર્યાવરણીય આફત બનશે, UNના ચોંકાવનારા આંકડા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
આંતરરાષ્ટ્રીય

બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?