By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    1 day ago
    AI નો સતત વધતો ઉપયોગ આપણા માટે પર્યાવરણીય આફત બનશે, UNના ચોંકાવનારા આંકડા
    1 day ago
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    2 days ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    3 days ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાનૂની હકો નહીં, બાળકની સુખાકારી જ કસ્ટડીનો અંતિમ આધાર…
    1 day ago
    અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કડક કાર્યવાહી
    1 day ago
    દિલ્હીમાં ‘વંદા’ ઉમટી પડ્યાં
    1 day ago
    દેશમાં પેટ્રોલ કરતાં ₹20 સસ્તું મળશે ‘E85’ બળતણ
    1 day ago
    ફાયરિંગ કેસમાં ખાન સર આત્મસમર્પણ કરશે નહીં
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    1 day ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    2 days ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    2 days ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    3 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    4 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    5 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    1 day ago
    રીબડાનાં ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સંડોવાયેલ પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત
    1 day ago
    ભક્તનું કામ ભગવાન સુધી પહોંચવાનું છે, જ્યારે ભગવાનનું કામ ભક્તનું રક્ષણ અને ઉદ્ધાર કરવાનું છે : ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી
    1 day ago
    રાજકોટના અમીન માર્ગ પર RMCનું ડ્રેનેજ ટ્રક ખાડામાં ફસાયું
    1 day ago
    ‘મોંઘવારીની જેલ’ અને ‘પેપર લીક રથ’થી સરકારને ઘેરવાનો પ્રયાસ
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મસ્તકવિહોણી ખંડિત મૂર્તિઓ: પૂજાનિષેધમાં અપવાદરૂપ કિસ્સો!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > મસ્તકવિહોણી ખંડિત મૂર્તિઓ: પૂજાનિષેધમાં અપવાદરૂપ કિસ્સો!
Parakh Bhatt

મસ્તકવિહોણી ખંડિત મૂર્તિઓ: પૂજાનિષેધમાં અપવાદરૂપ કિસ્સો!

Khaskhabar Editor
Last updated: 2022/04/30 at 4:17 PM
Khaskhabar Editor 4 years ago
Share
5 Min Read
SHARE

મંદિરના મુખ્ય દ્વાર પર વિશેષ ભાષામાં કશુંક લખવામાં આવ્યું છે, આ ભાષા કઈ છે, તેનાં મૂળિયા ક્યાં છે, તેને કઈ રીતે ઉકેલી શકાય વગેરે બાબતોનો ઉત્તર મેળવવા માટે કેટલાય કુશળ ભાષાવિદ્દ, પુરાતત્વવિદ્દ અને ઇતિહાસકાર કોશિશ કરી ચૂક્યા છે

મંદિરના ગર્ભગૃહમાં આઠ હાથ ધરાવતી ‘અષ્ટભુજા’ દેવીની મૂર્તિ છે

- Advertisement -

ઉત્તરપ્રદેશની રાજધાનીથી લગભગ 170 કિલોમીટરનાં અંતરે આવેલ પ્રતાપગઢના ગોંડે ગામમાં સ્થિત 900 વર્ષ જૂના અષ્ટભુજા ધામની તમામ મૂર્તિઓનાં શિરચ્છેદ કરી નાખવાનો આદેશ ઔરંગઝેબે પોતાની સેનાને આપ્યો હતો. આજની તારીખે પણ ખંડિત મૂર્તિઓને સદીઓ પુરાણી મૂળ અવસ્થામાં સાચવી રખાઈ છે

મોડર્ન ધર્મ
– પરખ ભટ્ટ

દૈવી મૂર્તિનો કોઇ નાનકડો ભાગ પણ જો તૂટી થઈ ગયો હોય અથવા એમાં તિરાડ આવી હોય તો એને ખંડિત માનીને તેની પૂજા અટકાવી દેવામાં આવે છે. જળમાં પધરાવ્યા સિવાય બાદમાં તેનો કોઇ વિકલ્પ શેષ નથી રહેતો. હિંદુ ધર્મમાં એવી માન્યતા છે કે ખંડિત મૂર્તિની પૂજા-આરાધના કરવાથી વ્યક્તિ દોષમાં પડે છે, તેનું સદ્ભાગ્ય છીનવાતું જાય છે! પરંતુ ઉત્તરપ્રદેશમાં એક એવું ધર્મસ્થાન છે, જ્યાંના મોટાભાગના દેવી-દેવતાઓની મૂરત પર મસ્તક નથી! અર્થાત ફક્ત ધડ ધરાવનારી માટીની મૂર્તિઓ! વિરોધાભાસની પરાકાષ્ઠા જુઓ, છેલ્લા 900 વર્ષથી અહીં ખંડિત મૂર્તિઓનું સંરક્ષણ કરવામાં આવે છે અને એટલું જ નહીં, ભક્તિભાવપૂર્વક એમની પૂજા-આરતી પણ થાય છે!

- Advertisement -

ઉત્તરપ્રદેશની રાજધાનીથી લગભગ 170 કિલોમીટરનાં અંતરે આવેલ પ્રતાપગઢના ગોંડે ગામમાં સ્થિત 900 વર્ષ જૂના અષ્ટભુજા ધામની તમામ મૂર્તિઓનાં શિરચ્છેદ કરી નાખવાનો આદેશ ઔરંગઝેબે પોતાની સેનાને આપ્યો હતો. આજની તારીખે પણ ખંડિત મૂર્તિઓને સદીઓ પુરાણી મૂળ અવસ્થામાં સાચવી રખાઈ છે. ‘આર્કિયોલોજિકલ સરવે ઓફ ઇન્ડિયા’ (ASI) ના રેકોર્ડ્સ મુજબ, મુઘલ શાસક ઔરંગઝેબે વર્ષ 1699માં હિંદુ મંદિરોને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. હિંદુત્વ પરત્વેના ખુન્નસને પરિણામે તેણે આમ કર્યુ હોવાનું માનવામાં આવે છે. એ વખતે સમયસૂચકતા દાખવીને મંદિરોનો વિધ્વંશ થતો અટકાવવા અહીંયાના પૂજારીએ મંદિરનું મુખ્ય દ્વાર મસ્જિદનાં આકારમાં ફેરવી નાંખ્યું, જેથી ઔરંગઝેબના સૈનિકોના મગજમાં ભ્રમ પેદા થાય અને મંદિરનો વિધ્વંશ થતો અટકી જાય!

બન્યું એવું કે મસ્જિદ આકારનું મુખ્ય દ્વાર જોઇને મુઘલ સેનાને કોઇ પ્રકારની શંકા ન ઉપજી. મંદિરની સામેથી તેઓ નિ:શંકપણે પસાર થઈ રહ્યા હતાં, એટલામાં એક ચકોર સેનાપતિની નજર મંદિરમાં લટકી રહેલા ઘંટ પર પડી! સ્વાભાવિક રીતે પહેલો પ્રશ્ન તો એ જ જાગ્યો કે મસ્જિદમાં આ ઘંટ કોણે ટાંગ્યો? રહસ્યના મૂળ સુધી પહોંચવા માટે સેનાપતિએ પોતાના સૈનિકોને મંદિરની અંદર ઘુસણખોરી કરવાનો આદેશ આપ્યો. અંદર જઈને એમને ખબર પડી કે પૂજારીની કુશાગ્ર બુદ્ધિને પ્રતાપે તેઓ થાપ ખાઈ ગયા હતાં અને વાસ્તવમાં મંદિરના પ્રવેશદ્વારને જ મસ્જિદનું સ્વરૂપ અપાયું હતું. આક્રોશમાં આવીને સેનાપતિએ પોતાનાં સૈનિકો પાસે ત્યાંની મૂર્તિના મસ્તક ધડથી અલગ કરી નાખવાનો હુકમ કર્યો. એ સમયથી જ તમામ દેવી-દેવતાઓની મૂર્તિ ખંડિત અવસ્થામાં છે!

મંદિરની દીવાલો, નકશીકામ અને વિભિન્ન પ્રકારની આકૃતિઓનો અભ્યાસ કર્યા પછી ઇતિહાસકાર અને પુરાતત્વવિદ્દોનું માનવું છે કે ધર્મસ્થળનું નિર્માણ અગિયારમી સદીમાં થયેલું હોવું જોઇએ. ગેજેટિયરનું માનીએ તો, આ મંદિરનું નિર્માણ સોમવંશી ક્ષત્રિય કુળના રાજાએ કર્યુ હતું. મંદિરના દ્વાર પર બનેલી આકૃતિઓ મધ્યપ્રદેશના પ્રસિદ્ધ ખજુરાહો મંદિર સાથે ખાસ્સી મળતી આવે છે.

લોકો આજે પણ અત્યંત ભક્તિભાવપૂર્વક મંદિરમાં માથું નમાવવા માટે પહોંચી જાય છે. વિદેશી સહેલાણીઓ માટે આ સ્થળ નવાઈ ઉપજાવે એવી જગ્યા પૂરવાર થઈ છે! જેમને ભારતની સંસ્કૃતિ અને અહીંના ધર્મ વિશેનો અંદાજ છે, તેઓ જાણે છે કે આ દેશમાં મૂર્તિપૂજાને કેટલા બધા અંશે મહત્વ આપવામાં આવે છે. સવાલ એ છે કે આટલી ઘટનાઓ બની હોવા છતાં હજુ પણ શા માટે લોકો આ મંદિરને પૂજનીય માને છે?

મંદિરના ગર્ભગૃહમાં આઠ હાથ ધરાવતી ‘અષ્ટભુજા’ દેવીની મૂર્તિ છે. ગામવાસીઓનું કહેવું છે કે મંદિરમાં અષ્ટભુજા દેવીની અષ્ટધાતુવાળી અતિ પ્રાચીન મૂર્તિ હતી, જે બે દાયકા પહેલા ચોરી થઈ ગઈ. રાતોરાત એ મૂર્તિ મંદિરમાંથી ગાયબ કરી દેવામાં આવી. કોઇને પણ મૂર્તિની ભાળ ન મળતાં આખરે ગામવાસીના સામૂહિક સહયોગ વડે અહીંયા અષ્ટભુજા દેવીની પથ્થરની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી. એ વખતથી મંદિરનું નામ પણ પડી ગયું: અષ્ટભુજા ધામ!

ધ્યાનાકર્ષક વાત તો એ છે કે, મંદિરના મુખ્ય દ્વાર પર વિશેષ ભાષામાં કશુંક લખવામાં આવ્યું છે. આ ભાષા કઈ છે, તેનાં મૂળિયા ક્યાં છે, તેને કઈ રીતે ઉકેલી શકાય વગેરે બાબતોનો ઉત્તર મેળવવા માટે કેટલાય કુશળ ભાષાવિદ્દ, પુરાતત્વવિદ્દ અને ઇતિહાસકાર કોશિશ કરી ચૂક્યા છે. આમ છતાં, આજસુધી એમને કોઇ નક્કર બાબત જાણવા નથી મળી. કેટલાક ઇતિહાસકારનું માનવું છે કે આ અપ્રચલિત ભાષાના મૂળ બ્રાહ્મી લિપિ સાથે જોડાયેલા છે, તો અન્યોનું તો એમ પણ કહેવું છે કે બ્રાહ્મી કરતાં પણ પુરાણી દૈવીય ભાષાનો ઉપયોગ આ લખાણમાં થયો છે, જેથી ભવિષ્યમાં એની પાછળનો ગુઢાર્થ કોઇ સામાન્ય મનુષ્યને ખબર ન પડી શકે! એટલું તો નક્કી છે કે અષ્ટભુજા ધામની સદીઓ જૂની મૂર્તિનું ચોરાઈ જવું અને તેનાં મુખ્ય દ્વાર પર કોતરાયેલી સાંકેતિક ભાષા ઉકેલાઈ ન શકવા પાછળ કોઇક અજ્ઞાત કારણ જવાબદાર છે, જે જાણી શકવાનું ગજુ હજુ આપણા પુરાતત્વશાસ્ત્રીઓ પાસે પણ નથી!

You Might Also Like

શું પારિજાતનાં સ્પર્શમાં આજે પણ દૈવીય શક્તિ છે?

શિવરીનારાયણની શબરીને આજે પણ શ્રીરામ માટે મમતા છે !

ચાર સદીઓથી જીવિત છે… એક મૃત શરીર!

‘ચૈત્રી નવરાત્રિ’ વિશેષ: અજીબ-સા કરિશ્મા, પાયલ મેં ઉનકી છિપા!

સિંહાચલમ્ – વરાહ અને નરસિંહ અવતારનું સાયુજ્ય!

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અરીસો, ઘર અને ઊર્જા છેવટે આ સંબંધ શો છે?
Next Article ડેથ ઓન ધ નાઈલ: પ્રેમનું મારણ ઝેર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મનીષ આચાર્ય

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ
વાણી અને વર્તન દ્વારા પરિચય
હવે નાગરિકો તાલુકા મથકેથી જ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા કલેક્ટરને સીધી રજૂઆત કરી શકશે
ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી બિનહરીફ માટે “લોઢાના ચણા” જેવી સ્થિતિ
ગટરનું ગંદુ પાણી કેનાલમાં બંધ કરીને તળાવમાં ડાયવર્ટ કરાયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorParakh Bhatt

શું પારિજાતનાં સ્પર્શમાં આજે પણ દૈવીય શક્તિ છે?

Khaskhabar Editor Khaskhabar Editor 4 years ago
AuthorParakh Bhatt

શિવરીનારાયણની શબરીને આજે પણ શ્રીરામ માટે મમતા છે !

Khaskhabar Editor Khaskhabar Editor 4 years ago
Parakh Bhatt

ચાર સદીઓથી જીવિત છે… એક મૃત શરીર!

Khaskhabar Editor Khaskhabar Editor 4 years ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?