By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    2 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    6 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    6 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    7 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં
    22 hours ago
    ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ
    22 hours ago
    વિદ્યાર્થીના સમર્થનમાં અન્ના હજારેનું મૌન વ્રત
    22 hours ago
    દેશને નેપાળ બનાવવા વિરોધ પક્ષનાં હવાતિયાં
    22 hours ago
    No.1, RC, XXX, એન્ટિક્વિટી, બેગપાઈપર સહિત 6 દારૂ બ્રાન્ડના નમૂના ફેઈલ
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    1 day ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    3 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    4 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    4 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    7 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    7 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ચાર સદીઓથી જીવિત છે… એક મૃત શરીર!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > ચાર સદીઓથી જીવિત છે… એક મૃત શરીર!
Parakh Bhatt

ચાર સદીઓથી જીવિત છે… એક મૃત શરીર!

Khaskhabar Editor
Last updated: 2022/04/09 at 4:37 PM
Khaskhabar Editor 4 years ago
Share
5 Min Read
SHARE

સેન્ટ ફ્રાંસિસ ઝેવિયરનાં મૃત શરીરને તદ્દન સામાન્ય અવસ્થામાં સાચવીને રખાયું છે, કોઇ વિશેષ ટ્રીટમેન્ટ એને નથી મળી રહી. વિજ્ઞાને આટલી પ્રગતિ સાધી લીધી હોવા છતાં વૈજ્ઞાનિકો આ રહસ્ય જાણવામાં અસફળ રહ્યા છે

મોર્ડન ધર્મ
– પરખ ભટ્ટ

- Advertisement -

કેથલિક સંપ્રદાયનાં લોકો સેન્ટ ફ્રાંસિસ ઝેવિયરનું નામ આદરભાવપૂર્વક લે છે, એમનો જન્મ સ્પેનનાં રાજવી પરિવારમાં થયો હતો…

આજદિન સુધીમાં સેન્ટ ફ્રાંસિસ ઝેવિયર્સના પાર્થિવ શરીરને ઘણી વખત છિન્ન-ભિન્ન કરવામાં આવ્યું છે

કોઇપણ વ્યક્તિના મૃત્યુ બાદ એના મૃત શરીરનો શક્ય એટલી ત્વરાથી અંતિમ સંસ્કાર કરી દેવામાં આવે છે, જેથી શરીર સડવાની પ્રક્રિયાનો આરંભ ન થાય અને એમાંથી ખરાબ વાસ ન આવે! પહેલાની કેટલીક સભ્યતાઓમાં શરીરમાં સડો ન પેસે એ માટે શબને સંરક્ષિત કરીને એનું ‘મમી’ બનાવી દેવામાં આવતું હતું, જેથી સદીઓ સુધી એનું અસ્તિત્વ જળવાઈ રહે. પરંતુ શું એ સંભવ છે કે કોઇ પ્રકારક્ષજ્ઞ મસાલા ભર્યા વગર અથવા એનું સંરક્ષણ કર્યા વિના સદીઓ સુધી મૃત શરીર તાજુ રહે? એમાંથી કોઇ દુર્ગંધ ન આવે? એમાં સડો ન પેસે? વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી વિચારવા જઈએ તો, આ તદ્દન અસંભવ જણાતી બાબત છે, પરંતુ આ સંસારમાં એવી ઘણી ઘટનાઓ છે, જ્યાં માણસનો તર્ક નાકામયાબ નીવડે છે.
ઓલ્ડ ગોવાનાં ‘બેસિલિકા ઓફ બોમ જીસસ’ ચર્ચમાં રાખવામાં આવેલા સેન્ટ ફ્રાંસિસ ઝેવિયરનું મૃત શરીર સાડા ચારસો કરતા પણ વધુ વર્ષોથી કોઇ લેપ કે ઔષધિ વગર આજની તારીખે પણ એકદમ તરોતાજા જોવા મળે છે! આશ્ચર્ય થાય એવી વાત છે કે, સેન્ટ ફ્રાંસિસ ઝેવિયરનાં મૃત શરીરને તદ્દન સામાન્ય અવસ્થામાં સાચવીને રખાયું છે, કોઇ વિશેષ ટ્રીટમેન્ટ એને નથી મળી રહી. વિજ્ઞાને આટલી પ્રગતિ સાધી લીધી હોવા છતાં વૈજ્ઞાનિકો આ રહસ્ય જાણવામાં અસફળ રહ્યા છે કે શા માટે સેન્ટ ફ્રાંસિસના શરીરમાં આજસુધી કોઇ સડો નથી પેઠો! સંતના શરીરનું યથાવત રહેવું એ આધુનિક વિજ્ઞાન માટે કોઇ પડકારથી કમ નથી.

- Advertisement -

કેથલિક સંપ્રદાયનાં લોકો સેન્ટ ફ્રાંસિસ ઝેવિયરનું નામ અત્યંત આદરભાવપૂર્વક લે છે. એમનો જન્મ સ્પેનનાં એક રાજવી પરિવારમાં થયો હતો. એમનું વાસ્તવિક નામ હતું : ફ્રાંસિસ્કો દ’ ઝેવિયર જાસૂસ! એમણે પોતાના ઘરનો ત્યાગ કરીને કેથલિક ધર્મનો પ્રચાર કરવાનો નિર્ણય લીધો. ધર્મ-પ્રચારક હોવાને કારણે એમનું નામ પડી ગયું, સેન્ટ ફ્રાંસિસ. તેઓ એમની અલૌકિક શક્તિઓને કારણે ખૂબ પ્રખ્યાત થયા. ગોવાની રાજધાની પણજીથી લગભગ 10 કિલોમીટર દૂર જૂનું ગોવા આવેલું છે. પહેલાનાં સમયમાં એને ‘પૂર્વનું વેનિસ’ ગણવામાં આવતું હતું.

આ નગર સાથે સેન્ટ ફ્રાંસિસને ભારે લગાવ હતો. તેઓ અહીં રોકાઈ ગયા. પોપ (રોમ)ના પ્રતિનિધિ હોવાને કારણે ધર્મપ્રચારની જવાબદારી એમણે પોતાના માથે લઈ લીધી. પૂર્વની જોખમસભર સમુદ્રી યાત્રા એમણે વર્ષ 1551માં શરૂ કરી. સફર દરમિયાન તેઓ ભોજાવિક, માલિંદી (કેન્યા), સોક્રેતા થઈને ગોવા પહોંચ્યા! ઓલ્ડ ગોવાને પોતાનું કાયમી નિવાસસ્થાન બનાવી ઘણો સમય ત્યાંના આસપાસનાં ક્ષેત્રોમાં તેમણે ધર્મનો પ્રચાર-પ્રસાર કર્યો. ત્યારબાદ તો એમણે ઘણા દેશોની યાત્રા કરી. 3 ડિસેમ્બર, 1552ના રોજ સાંકિયાન દ્વીપ (ચીન)માં પ્રચાર દરમિયાન સેન્ટ ફ્રાંસિસ ઝેવિયરનું મૃત્યુ થયું. મૃત શરીરને કોફિનમાં રાખીને મલક્કા લઈ જવામાં આવ્યું. અંતિમ સંસ્કારના ચાર મહિના પછી એમનાં શિષ્યોએ શ્રદ્ધાસુમન અર્પિત કરવા માટે સેન્ટ ફ્રાંસિસ ઝેવિયરનું તાબૂત ખોલ્યું. સૌના આશ્ચર્યની વચ્ચે, સેન્ટના શરીરને જે અવસ્થામાં ચાર મહિના પહેલા મૂક્યું હતું, એવી જ તરોતાજગી હજુ પણ જોવા મળી રહી હતી. આ ઘટનાને દૈવીય ચમત્કાર માનીને શિષ્યો સેન્ટ ફ્રાંસિસ ઝેવિયર્સના પાર્થિવ શરીરને ફરી એમના કર્મસ્થળ ગોવા લઈ આવ્યા. સર્વપ્રથમ તો એમના દેહને સેન્ટ પોલ કોલેજમાં રાખવામાં આવ્યો. અને ત્યારબાદ 1613ની સાલમાં ‘પ્રોફેસ્ડ હાઉસ ઓફ કેમ જીસસ’ ખાતે! સેન્ટનાં શરીરને ચાંદીના એક મોટા પિટારામાં રાખીને ‘બેસેલિકા ઑફ બોમ જીસસ’માં સ્થાન આપવામાં આવ્યું.

આજદિન સુધીમાં સેન્ટ ફ્રાંસિસ ઝેવિયર્સના પાર્થિવ શરીરને ઘણી વખત છિન્ન-ભિન્ન કરવામાં આવ્યું છે. 1553ની સાલમાં એક સેવક જ્યારે એમના શરીરને સિંકિયાનથી મલક્કા લઈને આવતો હતો, એ દરમિયાન જહાજનાં કેપ્ટનને પ્રમાણ આપવા માટે એમના ઘૂંટણથી માંસનો ટુકડો કાઢી લેવાયો. વર્ષ 1554માં એક પોર્ટુગલ મહિલા યાત્રી એમની એડી (પગની પાની)નું માંસ કાઢીને પવિત્ર અવશેષના રૂપમાં પોતાની સાથે પોર્ટુગલ લઈ ગઈ. સેન્ટ ફ્રાંસિસ ઝેવિયર્સની એડી એમના પગથી અલગ થઈ ગઈ, જેના લીધે બેસિલિકાનાં ‘એક્રાઇટી’માં ક્રિસ્ટલના એક પાત્રમાં તેને જુદી રાખવામાં આવી. ઇ.સ. 1695માં સેન્ટ ફ્રાંસિસ ઝેવિયર્સના હાથ-બાજુ (ભુજા)ના ભાગને રોમ મોકલવામાં આવ્યો, જે ‘ચર્ચ ઓફ ગેસૂ’ ખાતે ગોઠવી દેવાયો. જમણા હાથનો કેટલોક ભાગ 1619ની સાલમાં જાપાનના ‘જેસુએટ પ્રોવિન્સ’માં રાખવામાં આવ્યો. પેટનો અમુક હિસ્સો અલગ પાડીને અલગ-અલગ સ્થળોએ સ્મૃતિ-અવશેષ તરીકે રાખવામાં આવ્યા. સેન્ટ ફ્રાંસિસ ઝેવિયર્સના મૃત શરીરને લોકોના દર્શનાર્થે સર્વપ્રથમ ઇ.સ. 1662ની સાલમાં ખુલ્લું મૂકવામાં આવ્યું. વર્તમાન સમયમાં પણ સંતના શરીરને બેસિલિકા હોલના ખુલ્લા પ્લેટફોર્મ પર દર્શનાર્થીઓ માટે જાહેરમાં રાખવામાં આવે છે.

You Might Also Like

મસ્તકવિહોણી ખંડિત મૂર્તિઓ: પૂજાનિષેધમાં અપવાદરૂપ કિસ્સો!

શું પારિજાતનાં સ્પર્શમાં આજે પણ દૈવીય શક્તિ છે?

શિવરીનારાયણની શબરીને આજે પણ શ્રીરામ માટે મમતા છે !

‘ચૈત્રી નવરાત્રિ’ વિશેષ: અજીબ-સા કરિશ્મા, પાયલ મેં ઉનકી છિપા!

સિંહાચલમ્ – વરાહ અને નરસિંહ અવતારનું સાયુજ્ય!

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રેસ્ટોરાંમાં કેવી રીતે બનાવશો સફળતાની વાનગી!
Next Article શર્માજી નમકીન : આજ તું ભી બાગબાન કા અમિતાભ બચ્ચન બન જા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ
વિદ્યાર્થીના સમર્થનમાં અન્ના હજારેનું મૌન વ્રત
દેશને નેપાળ બનાવવા વિરોધ પક્ષનાં હવાતિયાં
No.1, RC, XXX, એન્ટિક્વિટી, બેગપાઈપર સહિત 6 દારૂ બ્રાન્ડના નમૂના ફેઈલ
સેટેલાઇટ તસવીરોમાં અદભૂત નજારો : ભારતથી સાઉથ કોરિયા સુધી 10000 કિ.મી. લાંબી વાદળોની પટ્ટી છવાઇ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Parakh Bhatt

મસ્તકવિહોણી ખંડિત મૂર્તિઓ: પૂજાનિષેધમાં અપવાદરૂપ કિસ્સો!

Khaskhabar Editor Khaskhabar Editor 4 years ago
AuthorParakh Bhatt

શું પારિજાતનાં સ્પર્શમાં આજે પણ દૈવીય શક્તિ છે?

Khaskhabar Editor Khaskhabar Editor 4 years ago
AuthorParakh Bhatt

શિવરીનારાયણની શબરીને આજે પણ શ્રીરામ માટે મમતા છે !

Khaskhabar Editor Khaskhabar Editor 4 years ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?