By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રશિયન સેનાએ યુક્રેનના 5000 ચોરસ કિલોમીટર વિસ્તાર પર કબજો મેળવ્યો: રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો દાવો
    43 minutes ago
    ટેરિફના જોરે જ સીઝફાયર કરાવ્યું: અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ
    20 hours ago
    ફ્રાન્સના વડાપ્રધાન લેકોર્નુનું રાજીનામું માત્ર 27 દિવસમાં પદ છોડ્યું, રાષ્ટ્રપતિ મેક્રોને સ્વીકાર્યું
    21 hours ago
    સાઉદી અરેબિયા: કેવી રીતે રણ રાષ્ટ્રને તેનું ‘પ્રવાહી સોનું’ મળ્યું
    22 hours ago
    ગાઝામાં બે વર્ષ પછી: 69 હજાર જીવ ગયા, લાખો લોકો બેઘર, માળખાગત સુવિધાનો સંપૂર્ણ વિનાશ
    22 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મધ્યપ્રદેશમાં કફ સિરપથી મૃત્યુઆંક વધીને 20 થયો
    12 seconds ago
    જયપુર-અજમેર હાઇવે પર વિસ્ફોટ: એલપીજી સિલિન્ડર લઈ જતી ટ્રક અને ટેન્કર અથડાયા
    18 minutes ago
    સીકરમાં શ્રીમાધોપુર નજીક માલગાડી પાટા પરથી ઉતરી: ત્રણ ડઝનથી વધુ કોચ પાટા પરથી ઉતરી ગયા; રેલ્વે કામગીરી સ્થગિત, બચાવ કાર્ય ચાલુ
    31 minutes ago
    UK PM Visit in India: કીર સ્ટાર્મર આજે એસ જયશંકરને મળવા માટે 2 દિવસની મુલાકાતે મુંબઈ પહોંચ્યા
    1 hour ago
    ઉત્તરપ્રદેશમાં યોગીના આદેશ બાદ ઉત્તર પ્રદેશમાં ઓપરેશન ‘લંગડા’ અને ‘ખલ્લાસ’ એક્ટિવ: અપરાધ જગતમાં સોપો
    20 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    અમદાવાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો એક ઈનિંગ અને 140 રને ભવ્ય વિજય, જાડેજાનો તરખાટ
    4 days ago
    Hats Off Surya!! આખી ટૂર્નામેન્ટની મેચ ફી ભારતીય સેનાને અર્પણ
    1 week ago
    ભારતની જીત બાદ PCBના વડા મોહસીન નકવીએ ટ્રોફી-મેડલ ચોર્યાં!
    1 week ago
    ભારતીય ટીમે ઉજવણી તો કરી પણ હવે ટ્રોફી મળશે?
    1 week ago
    પાકિસ્તાની કેપ્ટ પોતાની મેચની ફી ઓપરેશન સિંદૂરમાં ઠાર થયેલા આતંકીઓના પરિવારને દાન કરશે
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    60 કરોડના છેતરપિંડીના કેસમાં શિલ્પા શેટ્ટીની 4 કલાકથી વધુ પૂછપરછ કરવામાં આવી
    22 hours ago
    અભિનેતા રજનીકાંત આધ્યાત્મિક યાત્રા પર નીકળ્યા, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી બ્રેક લીધો
    2 days ago
    બોલિવૂડના મોટા સ્ટાર્સની કમાણી હવે માત્ર ફિલ્મો પર નિર્ભર નથી
    6 days ago
    શિલ્પા અને રાજને થાઈલેન્ડ ત્રણ દિવસના વેકેશન પર જવાની અરજી બોમ્બે હાઈકોર્ટે ફગાવી
    6 days ago
    શ્રદ્ધા કપૂરે એનિમેટેડ ફિલ્મ ‘છોટી સ્ત્રી’ની જાહેરાત કરી
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    દિવાળીના તહેવારમાં જો આવા સંકેત દેખાય તો સમજી લેજો કે તમારા પર માતા લક્ષ્મીની કૃપા છે
    23 hours ago
    આજે છે શરદ પૂર્ણિમા અને ભદ્રા ,પંચકનો અશુભ પડછાયો પણ રહેશે
    2 days ago
    Dussehra 2025 : દશેરા પર પૂજા કરવાનો શુભ સમય અને કાલે રાવણનું દહન ક્યારે કરવામાં આવશે? ચાલો જાણીયે
    7 days ago
    આજે જાણો નવરાત્રી દરમિયાન તુલસીની પૂજા સાથે સંકળાયેલી કેટલીક ખાસ રીતો અને તેના ફાયદાઓ વિશે
    2 weeks ago
    આશાપુરા મંદિર શક્તિ અને ભક્તિના અનોખા સંગમનું પ્રતીક
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સ્વિગી-ઝોમેટો ગ્રાહકોને આપે છે આકરા ડામ
    2 weeks ago
    રેસકોર્સના ગાર્ડનમાં ગંદકી અને ઉંદરોનો અસહ્ય ત્રાસ
    2 weeks ago
    આસિસ્ટન્ટ પ્રોફેસર ભાવિક કંટેસરિયા, ભાવેશ રાબા અને પલક સખીયાને ભરતીના ડાયરેક્ટ ઓર્ડરની લ્હાણી
    3 weeks ago
    શિક્ષણ સમિતિનાં ચેરમેનની ગાડી ‘લોગ બૂક’ કોણ મેઈન્ટેઈન કરે છે?
    3 weeks ago
    VC ઉત્પલ જોશીના રાજમાં સંઘી-સવર્ણોને ઘી-કેળા!
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મસ્તકવિહોણી ખંડિત મૂર્તિઓ: પૂજાનિષેધમાં અપવાદરૂપ કિસ્સો!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > મસ્તકવિહોણી ખંડિત મૂર્તિઓ: પૂજાનિષેધમાં અપવાદરૂપ કિસ્સો!
Parakh Bhatt

મસ્તકવિહોણી ખંડિત મૂર્તિઓ: પૂજાનિષેધમાં અપવાદરૂપ કિસ્સો!

Khaskhabar Editor
Last updated: 2022/04/30 at 4:17 PM
Khaskhabar Editor 3 years ago
Share
5 Min Read
SHARE

મંદિરના મુખ્ય દ્વાર પર વિશેષ ભાષામાં કશુંક લખવામાં આવ્યું છે, આ ભાષા કઈ છે, તેનાં મૂળિયા ક્યાં છે, તેને કઈ રીતે ઉકેલી શકાય વગેરે બાબતોનો ઉત્તર મેળવવા માટે કેટલાય કુશળ ભાષાવિદ્દ, પુરાતત્વવિદ્દ અને ઇતિહાસકાર કોશિશ કરી ચૂક્યા છે

મંદિરના ગર્ભગૃહમાં આઠ હાથ ધરાવતી ‘અષ્ટભુજા’ દેવીની મૂર્તિ છે

- Advertisement -

ઉત્તરપ્રદેશની રાજધાનીથી લગભગ 170 કિલોમીટરનાં અંતરે આવેલ પ્રતાપગઢના ગોંડે ગામમાં સ્થિત 900 વર્ષ જૂના અષ્ટભુજા ધામની તમામ મૂર્તિઓનાં શિરચ્છેદ કરી નાખવાનો આદેશ ઔરંગઝેબે પોતાની સેનાને આપ્યો હતો. આજની તારીખે પણ ખંડિત મૂર્તિઓને સદીઓ પુરાણી મૂળ અવસ્થામાં સાચવી રખાઈ છે

મોડર્ન ધર્મ
– પરખ ભટ્ટ

દૈવી મૂર્તિનો કોઇ નાનકડો ભાગ પણ જો તૂટી થઈ ગયો હોય અથવા એમાં તિરાડ આવી હોય તો એને ખંડિત માનીને તેની પૂજા અટકાવી દેવામાં આવે છે. જળમાં પધરાવ્યા સિવાય બાદમાં તેનો કોઇ વિકલ્પ શેષ નથી રહેતો. હિંદુ ધર્મમાં એવી માન્યતા છે કે ખંડિત મૂર્તિની પૂજા-આરાધના કરવાથી વ્યક્તિ દોષમાં પડે છે, તેનું સદ્ભાગ્ય છીનવાતું જાય છે! પરંતુ ઉત્તરપ્રદેશમાં એક એવું ધર્મસ્થાન છે, જ્યાંના મોટાભાગના દેવી-દેવતાઓની મૂરત પર મસ્તક નથી! અર્થાત ફક્ત ધડ ધરાવનારી માટીની મૂર્તિઓ! વિરોધાભાસની પરાકાષ્ઠા જુઓ, છેલ્લા 900 વર્ષથી અહીં ખંડિત મૂર્તિઓનું સંરક્ષણ કરવામાં આવે છે અને એટલું જ નહીં, ભક્તિભાવપૂર્વક એમની પૂજા-આરતી પણ થાય છે!

- Advertisement -

ઉત્તરપ્રદેશની રાજધાનીથી લગભગ 170 કિલોમીટરનાં અંતરે આવેલ પ્રતાપગઢના ગોંડે ગામમાં સ્થિત 900 વર્ષ જૂના અષ્ટભુજા ધામની તમામ મૂર્તિઓનાં શિરચ્છેદ કરી નાખવાનો આદેશ ઔરંગઝેબે પોતાની સેનાને આપ્યો હતો. આજની તારીખે પણ ખંડિત મૂર્તિઓને સદીઓ પુરાણી મૂળ અવસ્થામાં સાચવી રખાઈ છે. ‘આર્કિયોલોજિકલ સરવે ઓફ ઇન્ડિયા’ (ASI) ના રેકોર્ડ્સ મુજબ, મુઘલ શાસક ઔરંગઝેબે વર્ષ 1699માં હિંદુ મંદિરોને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. હિંદુત્વ પરત્વેના ખુન્નસને પરિણામે તેણે આમ કર્યુ હોવાનું માનવામાં આવે છે. એ વખતે સમયસૂચકતા દાખવીને મંદિરોનો વિધ્વંશ થતો અટકાવવા અહીંયાના પૂજારીએ મંદિરનું મુખ્ય દ્વાર મસ્જિદનાં આકારમાં ફેરવી નાંખ્યું, જેથી ઔરંગઝેબના સૈનિકોના મગજમાં ભ્રમ પેદા થાય અને મંદિરનો વિધ્વંશ થતો અટકી જાય!

બન્યું એવું કે મસ્જિદ આકારનું મુખ્ય દ્વાર જોઇને મુઘલ સેનાને કોઇ પ્રકારની શંકા ન ઉપજી. મંદિરની સામેથી તેઓ નિ:શંકપણે પસાર થઈ રહ્યા હતાં, એટલામાં એક ચકોર સેનાપતિની નજર મંદિરમાં લટકી રહેલા ઘંટ પર પડી! સ્વાભાવિક રીતે પહેલો પ્રશ્ન તો એ જ જાગ્યો કે મસ્જિદમાં આ ઘંટ કોણે ટાંગ્યો? રહસ્યના મૂળ સુધી પહોંચવા માટે સેનાપતિએ પોતાના સૈનિકોને મંદિરની અંદર ઘુસણખોરી કરવાનો આદેશ આપ્યો. અંદર જઈને એમને ખબર પડી કે પૂજારીની કુશાગ્ર બુદ્ધિને પ્રતાપે તેઓ થાપ ખાઈ ગયા હતાં અને વાસ્તવમાં મંદિરના પ્રવેશદ્વારને જ મસ્જિદનું સ્વરૂપ અપાયું હતું. આક્રોશમાં આવીને સેનાપતિએ પોતાનાં સૈનિકો પાસે ત્યાંની મૂર્તિના મસ્તક ધડથી અલગ કરી નાખવાનો હુકમ કર્યો. એ સમયથી જ તમામ દેવી-દેવતાઓની મૂર્તિ ખંડિત અવસ્થામાં છે!

મંદિરની દીવાલો, નકશીકામ અને વિભિન્ન પ્રકારની આકૃતિઓનો અભ્યાસ કર્યા પછી ઇતિહાસકાર અને પુરાતત્વવિદ્દોનું માનવું છે કે ધર્મસ્થળનું નિર્માણ અગિયારમી સદીમાં થયેલું હોવું જોઇએ. ગેજેટિયરનું માનીએ તો, આ મંદિરનું નિર્માણ સોમવંશી ક્ષત્રિય કુળના રાજાએ કર્યુ હતું. મંદિરના દ્વાર પર બનેલી આકૃતિઓ મધ્યપ્રદેશના પ્રસિદ્ધ ખજુરાહો મંદિર સાથે ખાસ્સી મળતી આવે છે.

લોકો આજે પણ અત્યંત ભક્તિભાવપૂર્વક મંદિરમાં માથું નમાવવા માટે પહોંચી જાય છે. વિદેશી સહેલાણીઓ માટે આ સ્થળ નવાઈ ઉપજાવે એવી જગ્યા પૂરવાર થઈ છે! જેમને ભારતની સંસ્કૃતિ અને અહીંના ધર્મ વિશેનો અંદાજ છે, તેઓ જાણે છે કે આ દેશમાં મૂર્તિપૂજાને કેટલા બધા અંશે મહત્વ આપવામાં આવે છે. સવાલ એ છે કે આટલી ઘટનાઓ બની હોવા છતાં હજુ પણ શા માટે લોકો આ મંદિરને પૂજનીય માને છે?

મંદિરના ગર્ભગૃહમાં આઠ હાથ ધરાવતી ‘અષ્ટભુજા’ દેવીની મૂર્તિ છે. ગામવાસીઓનું કહેવું છે કે મંદિરમાં અષ્ટભુજા દેવીની અષ્ટધાતુવાળી અતિ પ્રાચીન મૂર્તિ હતી, જે બે દાયકા પહેલા ચોરી થઈ ગઈ. રાતોરાત એ મૂર્તિ મંદિરમાંથી ગાયબ કરી દેવામાં આવી. કોઇને પણ મૂર્તિની ભાળ ન મળતાં આખરે ગામવાસીના સામૂહિક સહયોગ વડે અહીંયા અષ્ટભુજા દેવીની પથ્થરની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી. એ વખતથી મંદિરનું નામ પણ પડી ગયું: અષ્ટભુજા ધામ!

ધ્યાનાકર્ષક વાત તો એ છે કે, મંદિરના મુખ્ય દ્વાર પર વિશેષ ભાષામાં કશુંક લખવામાં આવ્યું છે. આ ભાષા કઈ છે, તેનાં મૂળિયા ક્યાં છે, તેને કઈ રીતે ઉકેલી શકાય વગેરે બાબતોનો ઉત્તર મેળવવા માટે કેટલાય કુશળ ભાષાવિદ્દ, પુરાતત્વવિદ્દ અને ઇતિહાસકાર કોશિશ કરી ચૂક્યા છે. આમ છતાં, આજસુધી એમને કોઇ નક્કર બાબત જાણવા નથી મળી. કેટલાક ઇતિહાસકારનું માનવું છે કે આ અપ્રચલિત ભાષાના મૂળ બ્રાહ્મી લિપિ સાથે જોડાયેલા છે, તો અન્યોનું તો એમ પણ કહેવું છે કે બ્રાહ્મી કરતાં પણ પુરાણી દૈવીય ભાષાનો ઉપયોગ આ લખાણમાં થયો છે, જેથી ભવિષ્યમાં એની પાછળનો ગુઢાર્થ કોઇ સામાન્ય મનુષ્યને ખબર ન પડી શકે! એટલું તો નક્કી છે કે અષ્ટભુજા ધામની સદીઓ જૂની મૂર્તિનું ચોરાઈ જવું અને તેનાં મુખ્ય દ્વાર પર કોતરાયેલી સાંકેતિક ભાષા ઉકેલાઈ ન શકવા પાછળ કોઇક અજ્ઞાત કારણ જવાબદાર છે, જે જાણી શકવાનું ગજુ હજુ આપણા પુરાતત્વશાસ્ત્રીઓ પાસે પણ નથી!

You Might Also Like

શું પારિજાતનાં સ્પર્શમાં આજે પણ દૈવીય શક્તિ છે?

શિવરીનારાયણની શબરીને આજે પણ શ્રીરામ માટે મમતા છે !

ચાર સદીઓથી જીવિત છે… એક મૃત શરીર!

‘ચૈત્રી નવરાત્રિ’ વિશેષ: અજીબ-સા કરિશ્મા, પાયલ મેં ઉનકી છિપા!

સિંહાચલમ્ – વરાહ અને નરસિંહ અવતારનું સાયુજ્ય!

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અરીસો, ઘર અને ઊર્જા છેવટે આ સંબંધ શો છે?
Next Article ડેથ ઓન ધ નાઈલ: પ્રેમનું મારણ ઝેર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મધ્યપ્રદેશમાં કફ સિરપથી મૃત્યુઆંક વધીને 20 થયો

Khaskhabar Editor Khaskhabar Editor 13 seconds ago
જયપુર-અજમેર હાઇવે પર વિસ્ફોટ: એલપીજી સિલિન્ડર લઈ જતી ટ્રક અને ટેન્કર અથડાયા
સીકરમાં શ્રીમાધોપુર નજીક માલગાડી પાટા પરથી ઉતરી: ત્રણ ડઝનથી વધુ કોચ પાટા પરથી ઉતરી ગયા; રેલ્વે કામગીરી સ્થગિત, બચાવ કાર્ય ચાલુ
રશિયન સેનાએ યુક્રેનના 5000 ચોરસ કિલોમીટર વિસ્તાર પર કબજો મેળવ્યો: રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો દાવો
UK PM Visit in India: કીર સ્ટાર્મર આજે એસ જયશંકરને મળવા માટે 2 દિવસની મુલાકાતે મુંબઈ પહોંચ્યા
‘ગુજસીટોક’ કેસ: જૂનાગઢના જયેશ ઉર્ફે જાવો સોલંકીને હાઈકોર્ટમાંથી જામીન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorParakh Bhatt

શું પારિજાતનાં સ્પર્શમાં આજે પણ દૈવીય શક્તિ છે?

Khaskhabar Editor Khaskhabar Editor 3 years ago
AuthorParakh Bhatt

શિવરીનારાયણની શબરીને આજે પણ શ્રીરામ માટે મમતા છે !

Khaskhabar Editor Khaskhabar Editor 3 years ago
Parakh Bhatt

ચાર સદીઓથી જીવિત છે… એક મૃત શરીર!

Khaskhabar Editor Khaskhabar Editor 4 years ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?