By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    એશિયામાં ફરી કોવિડ-19નો પ્રવેશ: હૉંગકોંગ, સિંગાપોરમાં ફરકી કોરોનાની નવી લહેર
    8 minutes ago
    ગાઝામાં ઈઝરાયેલનો હવાઈ હુમલો, 22 બાળકો સહિત 70નાં મોત, અરાજકતા વધી
    19 hours ago
    કોરિયાએ 13 હજાર ટન તલનો ભારતને ઓર્ડર આપ્યો
    20 hours ago
    અમેરિકા અને કતાર વચ્ચે 100 લાખ કરોડ રૂપિયાની ડીલ: કતાર 210 અમેરિકા નિર્મિત વિમાન ખરીદશે
    20 hours ago
    મુકેશ અંબાણી કતાર સ્ટેટ ડિનરમાં હાજર રહ્યા: ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરી ગપસપ
    22 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશની 23 IITમાં પ્રવેશ માટે 18મીએ JEEએડવાન્સની પરીક્ષા
    19 hours ago
    “આતંકવાદીઓએ ધર્મ પુછીને હત્યા કરી, ભારતે કર્મ જોઈને ખાતમો બોલાવ્યો”: રાજનાથ સિંહની બદામીબાગ છાવણીએ મુલાકાત
    23 hours ago
    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુપ્રીમ કોર્ટ સામે ઉઠાવ્યા અનેક સવાલો: નિર્ણયો પર અવલોકન કરવા કહ્યું
    23 hours ago
    બિહારથી દિલ્હી જઈ રહેલી બસમાં લાગી ભીષણ આગ: 5 ના ઘટનાસ્થળે જ મોત
    24 hours ago
    બલુચ લિબરેશન આર્મીએ પાકિસ્તાનની સેના પર 51થી વધુ સ્થળોએ 71 જેટલા હુમલા કર્યા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતના સફળ એથલીટ ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાને લેફટનન્ટ કર્નલનું પદ એનાયત
    19 hours ago
    રવિન્દ્ર જાડેજાનો નવો રેકોર્ડ : સૌથી લાંબો વખત નંબર વન ઓલ રાઉન્ડર
    19 hours ago
    રોહિત અને વિરાટની નિવૃત્તિ બાદ ટેસ્ટ ટીમમાં નવોદિતો માટે ભરપુર તક
    3 days ago
    17 મેથી ફરી IPL, નવું શિડ્યૂલ જાહેર ફાઇનલ 3 જૂને: અમદાવાદની મેચ યથાવત
    3 days ago
    ગાવસ્કરનું વિરાટ-રોહિત અંગે આશ્ચર્યજનક નિવેદન: શું તેઓ ODI વર્લ્ડ કપ 2027 રમશે?
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Cannes Film Festival 2025: ઉર્વિશીએ પોતાના લુકથી સૌ કોઈનું ધ્યાન ખેચ્યું
    2 days ago
    કાન્સ 2025: આલિયા ભટ્ટ, ઐશ્વર્યા રાય સહિતના સુપરસ્ટાર્સ દેખાશે, તો કેટલીક સેલિબ્રિટીઓ રેડ કાર્પેટ પર કામણ પાથરશે
    3 days ago
    રણવીર અલ્હાબાદિયા ફરી ટ્રોલ થયો; પાકિસ્તાનીઓની માફી માંગી
    3 days ago
    વર્ષ 1994માં કાશ્મીરમાં મારા પિતા પણ શહીદ થયા હતા: નિમરત કૌર
    1 week ago
    મેટ ગાલાના ગ્લેમર પાછળ છુપાયેલ છે કેટલાય કડક નિયમો!
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    4 days ago
    મોટા મંગળના દિવસે ઘરમાં લાવો હનુમાનજીની પ્રિય વસ્તુઓ, ઘરમાં સુખ સમૃદ્ધિ ટકી રહેશે
    4 days ago
    કૈલાસ માનસરોવર યાત્રા: કેટલો ખર્ચ થશે અને પાત્રતાના માપદંડ શું છે?
    1 week ago
    બાબા બર્ફાનીની પહેલી ઝલક સામે આવી, આ દિવસથી શરૂ થશે અમરનાથ યાત્રા, લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવશે
    1 week ago
    કેદારનાથધામના કપાટ ખૂલ્યા: ભક્તોમાં હર્ષોલ્લાસનો માહોલ
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 days ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 week ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    4 weeks ago
    જો ભગવદ સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ છોડશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો…..
    4 weeks ago
    મહારાજ કેમ સ્ત્રીઓથી દૂર રહે છે?
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મસ્તકવિહોણી ખંડિત મૂર્તિઓ: પૂજાનિષેધમાં અપવાદરૂપ કિસ્સો!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > મસ્તકવિહોણી ખંડિત મૂર્તિઓ: પૂજાનિષેધમાં અપવાદરૂપ કિસ્સો!
Parakh Bhatt

મસ્તકવિહોણી ખંડિત મૂર્તિઓ: પૂજાનિષેધમાં અપવાદરૂપ કિસ્સો!

Khaskhabar Editor
Last updated: 2022/04/30 at 4:17 PM
Khaskhabar Editor 3 years ago
Share
5 Min Read
SHARE

મંદિરના મુખ્ય દ્વાર પર વિશેષ ભાષામાં કશુંક લખવામાં આવ્યું છે, આ ભાષા કઈ છે, તેનાં મૂળિયા ક્યાં છે, તેને કઈ રીતે ઉકેલી શકાય વગેરે બાબતોનો ઉત્તર મેળવવા માટે કેટલાય કુશળ ભાષાવિદ્દ, પુરાતત્વવિદ્દ અને ઇતિહાસકાર કોશિશ કરી ચૂક્યા છે

મંદિરના ગર્ભગૃહમાં આઠ હાથ ધરાવતી ‘અષ્ટભુજા’ દેવીની મૂર્તિ છે

- Advertisement -

ઉત્તરપ્રદેશની રાજધાનીથી લગભગ 170 કિલોમીટરનાં અંતરે આવેલ પ્રતાપગઢના ગોંડે ગામમાં સ્થિત 900 વર્ષ જૂના અષ્ટભુજા ધામની તમામ મૂર્તિઓનાં શિરચ્છેદ કરી નાખવાનો આદેશ ઔરંગઝેબે પોતાની સેનાને આપ્યો હતો. આજની તારીખે પણ ખંડિત મૂર્તિઓને સદીઓ પુરાણી મૂળ અવસ્થામાં સાચવી રખાઈ છે

મોડર્ન ધર્મ
– પરખ ભટ્ટ

દૈવી મૂર્તિનો કોઇ નાનકડો ભાગ પણ જો તૂટી થઈ ગયો હોય અથવા એમાં તિરાડ આવી હોય તો એને ખંડિત માનીને તેની પૂજા અટકાવી દેવામાં આવે છે. જળમાં પધરાવ્યા સિવાય બાદમાં તેનો કોઇ વિકલ્પ શેષ નથી રહેતો. હિંદુ ધર્મમાં એવી માન્યતા છે કે ખંડિત મૂર્તિની પૂજા-આરાધના કરવાથી વ્યક્તિ દોષમાં પડે છે, તેનું સદ્ભાગ્ય છીનવાતું જાય છે! પરંતુ ઉત્તરપ્રદેશમાં એક એવું ધર્મસ્થાન છે, જ્યાંના મોટાભાગના દેવી-દેવતાઓની મૂરત પર મસ્તક નથી! અર્થાત ફક્ત ધડ ધરાવનારી માટીની મૂર્તિઓ! વિરોધાભાસની પરાકાષ્ઠા જુઓ, છેલ્લા 900 વર્ષથી અહીં ખંડિત મૂર્તિઓનું સંરક્ષણ કરવામાં આવે છે અને એટલું જ નહીં, ભક્તિભાવપૂર્વક એમની પૂજા-આરતી પણ થાય છે!

- Advertisement -

ઉત્તરપ્રદેશની રાજધાનીથી લગભગ 170 કિલોમીટરનાં અંતરે આવેલ પ્રતાપગઢના ગોંડે ગામમાં સ્થિત 900 વર્ષ જૂના અષ્ટભુજા ધામની તમામ મૂર્તિઓનાં શિરચ્છેદ કરી નાખવાનો આદેશ ઔરંગઝેબે પોતાની સેનાને આપ્યો હતો. આજની તારીખે પણ ખંડિત મૂર્તિઓને સદીઓ પુરાણી મૂળ અવસ્થામાં સાચવી રખાઈ છે. ‘આર્કિયોલોજિકલ સરવે ઓફ ઇન્ડિયા’ (ASI) ના રેકોર્ડ્સ મુજબ, મુઘલ શાસક ઔરંગઝેબે વર્ષ 1699માં હિંદુ મંદિરોને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. હિંદુત્વ પરત્વેના ખુન્નસને પરિણામે તેણે આમ કર્યુ હોવાનું માનવામાં આવે છે. એ વખતે સમયસૂચકતા દાખવીને મંદિરોનો વિધ્વંશ થતો અટકાવવા અહીંયાના પૂજારીએ મંદિરનું મુખ્ય દ્વાર મસ્જિદનાં આકારમાં ફેરવી નાંખ્યું, જેથી ઔરંગઝેબના સૈનિકોના મગજમાં ભ્રમ પેદા થાય અને મંદિરનો વિધ્વંશ થતો અટકી જાય!

બન્યું એવું કે મસ્જિદ આકારનું મુખ્ય દ્વાર જોઇને મુઘલ સેનાને કોઇ પ્રકારની શંકા ન ઉપજી. મંદિરની સામેથી તેઓ નિ:શંકપણે પસાર થઈ રહ્યા હતાં, એટલામાં એક ચકોર સેનાપતિની નજર મંદિરમાં લટકી રહેલા ઘંટ પર પડી! સ્વાભાવિક રીતે પહેલો પ્રશ્ન તો એ જ જાગ્યો કે મસ્જિદમાં આ ઘંટ કોણે ટાંગ્યો? રહસ્યના મૂળ સુધી પહોંચવા માટે સેનાપતિએ પોતાના સૈનિકોને મંદિરની અંદર ઘુસણખોરી કરવાનો આદેશ આપ્યો. અંદર જઈને એમને ખબર પડી કે પૂજારીની કુશાગ્ર બુદ્ધિને પ્રતાપે તેઓ થાપ ખાઈ ગયા હતાં અને વાસ્તવમાં મંદિરના પ્રવેશદ્વારને જ મસ્જિદનું સ્વરૂપ અપાયું હતું. આક્રોશમાં આવીને સેનાપતિએ પોતાનાં સૈનિકો પાસે ત્યાંની મૂર્તિના મસ્તક ધડથી અલગ કરી નાખવાનો હુકમ કર્યો. એ સમયથી જ તમામ દેવી-દેવતાઓની મૂર્તિ ખંડિત અવસ્થામાં છે!

મંદિરની દીવાલો, નકશીકામ અને વિભિન્ન પ્રકારની આકૃતિઓનો અભ્યાસ કર્યા પછી ઇતિહાસકાર અને પુરાતત્વવિદ્દોનું માનવું છે કે ધર્મસ્થળનું નિર્માણ અગિયારમી સદીમાં થયેલું હોવું જોઇએ. ગેજેટિયરનું માનીએ તો, આ મંદિરનું નિર્માણ સોમવંશી ક્ષત્રિય કુળના રાજાએ કર્યુ હતું. મંદિરના દ્વાર પર બનેલી આકૃતિઓ મધ્યપ્રદેશના પ્રસિદ્ધ ખજુરાહો મંદિર સાથે ખાસ્સી મળતી આવે છે.

લોકો આજે પણ અત્યંત ભક્તિભાવપૂર્વક મંદિરમાં માથું નમાવવા માટે પહોંચી જાય છે. વિદેશી સહેલાણીઓ માટે આ સ્થળ નવાઈ ઉપજાવે એવી જગ્યા પૂરવાર થઈ છે! જેમને ભારતની સંસ્કૃતિ અને અહીંના ધર્મ વિશેનો અંદાજ છે, તેઓ જાણે છે કે આ દેશમાં મૂર્તિપૂજાને કેટલા બધા અંશે મહત્વ આપવામાં આવે છે. સવાલ એ છે કે આટલી ઘટનાઓ બની હોવા છતાં હજુ પણ શા માટે લોકો આ મંદિરને પૂજનીય માને છે?

મંદિરના ગર્ભગૃહમાં આઠ હાથ ધરાવતી ‘અષ્ટભુજા’ દેવીની મૂર્તિ છે. ગામવાસીઓનું કહેવું છે કે મંદિરમાં અષ્ટભુજા દેવીની અષ્ટધાતુવાળી અતિ પ્રાચીન મૂર્તિ હતી, જે બે દાયકા પહેલા ચોરી થઈ ગઈ. રાતોરાત એ મૂર્તિ મંદિરમાંથી ગાયબ કરી દેવામાં આવી. કોઇને પણ મૂર્તિની ભાળ ન મળતાં આખરે ગામવાસીના સામૂહિક સહયોગ વડે અહીંયા અષ્ટભુજા દેવીની પથ્થરની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી. એ વખતથી મંદિરનું નામ પણ પડી ગયું: અષ્ટભુજા ધામ!

ધ્યાનાકર્ષક વાત તો એ છે કે, મંદિરના મુખ્ય દ્વાર પર વિશેષ ભાષામાં કશુંક લખવામાં આવ્યું છે. આ ભાષા કઈ છે, તેનાં મૂળિયા ક્યાં છે, તેને કઈ રીતે ઉકેલી શકાય વગેરે બાબતોનો ઉત્તર મેળવવા માટે કેટલાય કુશળ ભાષાવિદ્દ, પુરાતત્વવિદ્દ અને ઇતિહાસકાર કોશિશ કરી ચૂક્યા છે. આમ છતાં, આજસુધી એમને કોઇ નક્કર બાબત જાણવા નથી મળી. કેટલાક ઇતિહાસકારનું માનવું છે કે આ અપ્રચલિત ભાષાના મૂળ બ્રાહ્મી લિપિ સાથે જોડાયેલા છે, તો અન્યોનું તો એમ પણ કહેવું છે કે બ્રાહ્મી કરતાં પણ પુરાણી દૈવીય ભાષાનો ઉપયોગ આ લખાણમાં થયો છે, જેથી ભવિષ્યમાં એની પાછળનો ગુઢાર્થ કોઇ સામાન્ય મનુષ્યને ખબર ન પડી શકે! એટલું તો નક્કી છે કે અષ્ટભુજા ધામની સદીઓ જૂની મૂર્તિનું ચોરાઈ જવું અને તેનાં મુખ્ય દ્વાર પર કોતરાયેલી સાંકેતિક ભાષા ઉકેલાઈ ન શકવા પાછળ કોઇક અજ્ઞાત કારણ જવાબદાર છે, જે જાણી શકવાનું ગજુ હજુ આપણા પુરાતત્વશાસ્ત્રીઓ પાસે પણ નથી!

You Might Also Like

શું પારિજાતનાં સ્પર્શમાં આજે પણ દૈવીય શક્તિ છે?

શિવરીનારાયણની શબરીને આજે પણ શ્રીરામ માટે મમતા છે !

ચાર સદીઓથી જીવિત છે… એક મૃત શરીર!

‘ચૈત્રી નવરાત્રિ’ વિશેષ: અજીબ-સા કરિશ્મા, પાયલ મેં ઉનકી છિપા!

સિંહાચલમ્ – વરાહ અને નરસિંહ અવતારનું સાયુજ્ય!

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અરીસો, ઘર અને ઊર્જા છેવટે આ સંબંધ શો છે?
Next Article ડેથ ઓન ધ નાઈલ: પ્રેમનું મારણ ઝેર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

એશિયામાં ફરી કોવિડ-19નો પ્રવેશ: હૉંગકોંગ, સિંગાપોરમાં ફરકી કોરોનાની નવી લહેર

Khaskhabar Editor Khaskhabar Editor 8 minutes ago
ભારતના સફળ એથલીટ ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાને લેફટનન્ટ કર્નલનું પદ એનાયત
રવિન્દ્ર જાડેજાનો નવો રેકોર્ડ : સૌથી લાંબો વખત નંબર વન ઓલ રાઉન્ડર
ગાઝામાં ઈઝરાયેલનો હવાઈ હુમલો, 22 બાળકો સહિત 70નાં મોત, અરાજકતા વધી
રાજ્ય સરકાર દ્વારા કાનૂની સહાય મેળવવા માટેની આવક મર્યાદા વધારીને રૂ. એક લાખ કરાઇ
હવે નાગરિકોને FIR કરવા નહિ જવું પડે પોલીસ સ્ટેશન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorParakh Bhatt

શું પારિજાતનાં સ્પર્શમાં આજે પણ દૈવીય શક્તિ છે?

Khaskhabar Editor Khaskhabar Editor 3 years ago
AuthorParakh Bhatt

શિવરીનારાયણની શબરીને આજે પણ શ્રીરામ માટે મમતા છે !

Khaskhabar Editor Khaskhabar Editor 3 years ago
Parakh Bhatt

ચાર સદીઓથી જીવિત છે… એક મૃત શરીર!

Khaskhabar Editor Khaskhabar Editor 3 years ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?