By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    1 day ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    4 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    1 week ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    1 week ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
    1 day ago
    અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
    1 day ago
    આસામમાં ભયાનક પૂર : 24 કલાકમાં 14નાં મોત
    1 day ago
    જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
    2 days ago
    સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    2 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    3 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    5 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    6 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 day ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અરીસો, ઘર અને ઊર્જા છેવટે આ સંબંધ શો છે?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Rajesh Bhatt > અરીસો, ઘર અને ઊર્જા છેવટે આ સંબંધ શો છે?
Rajesh Bhatt

અરીસો, ઘર અને ઊર્જા છેવટે આ સંબંધ શો છે?

Khaskhabar Editor
Last updated: 2022/04/30 at 4:11 PM
Khaskhabar Editor 4 years ago
Share
6 Min Read
SHARE

સ્પેસ, લેન્ડ એન્ડ સેલ્ફ
– રાજેશ ભટ્ટ

વાસ્તુ મુજબ અરીસાને સાચી દિશામાં યોગ્ય જગ્યાએ લગાવીશું તો ચોક્કસપણે શુભ પરિણામ મળશે

- Advertisement -

અરીસામાં સારી કે ખરાબ ઊર્જા ઓળખવાની શક્તિ નથી તેથી ખોટી જગ્યાએ લગાવેલ અરીસા નકારાત્મક ઊર્જાને બધી જ જગ્યાએ ફેલાવશે

આપણા રોજબરોજના જીવનમાં અમીરથી લઈ ગરીબ સુધીના દરેકના ઘરમાં અરીસા એટલે કે મીરરનો ઉપયોગ થતો હોય છે. કારણ કે રોજબરોજના જીવનમાં તે મહત્ત્વપૂર્ણ વસ્તુ છે. અરીસા (મીરર) વગરનું ભાગ્યે જ કોઈ ઘર જોવા મળશે. મુખારવિંદને જોવાથી લઈ સૌંદર્ય શણગાર સુધી અરીસા (મીરર)નો ઉપયોગ વિવિધ પ્રકારે દરેક જગ્યાએ કરવામાં આવતો હોય છે. વાસ્તુ મુજબ અરીસાને સાચી દિશામાં યોગ્ય જગ્યાએ લગાવીશું તો ચોક્કસપણે શુભ પરિણામ મળશે, પરંતુ ભૂલમાં ખોટા આકારનો અરીસો તેની વિરૂદ્ધ દિશામાં લગાવીશું તો લાભને બદલે હાનિ થવાની સંભાવનાઓ રહે છે. અરીસો એ કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ દર્શાવે છે. પાણીમાં પણ આપણે પોતાનું પ્રતિબિંબ જોઈ શકીએ છીએ, માટે અરીસો (મીરર) એ વાસ્તુ મુજબ જળતત્ત્વનું પ્રતિનિધિત્વ કરે છે અને તેથી જ વાસ્તુમાં જળતત્ત્વ માટે યોગ્ય એવી પૂર્વ કે ઉત્તર દિશા તરફ અરીસાની ગોઠવણી કરવી લાભ આપનારી બની રહેશે.

જે જગ્યામાં નાના તથા લાંબા પેસેજ હોય અથવા ખાંચા-ખૂંચીવાળી જગ્યામાં ઊર્જાને દરેક જગ્યાએ સમાન ગતિ કરાવવામાં વાસ્તુમાં મિરર (અરીસા)નો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત ખૂણા કપાયેલા હોય તેવી જગ્યા કે પછી અસામાન્ય આકાર ધરાવતાં બાંધકામમાં સાચી દિશામાં અરીસા લગાવવાથી સકારાત્મક પરિણામો પ્રાપ્ત કરી શકાય છે.

- Advertisement -

પરંતુ અરીસા (મિરર)નો આડેધડ ઉપયોગ કરવો પણ સલાહ ભરેલ નથી, કેમકે અરીસામાં સારી કે ખરાબ ઊર્જા ઓળખવાની શક્તિ નથી તેથી ખોટી જગ્યાએ લગાવેલ અરીસા નકારાત્મક ઊર્જાને બધી જ જગ્યાએ ફેલાવશે.

1. મોટાભાગના લોકો રૂમમાં કે બાથરૂમમાં એક વખત અરીસા (મિરર) લગાવ્યા બાદ તેની કાળજી રાખવાનું ભૂલી જાય છે. માણસ સવારે જાગ્યા બાદ બાથરૂમમાં બ્રશ કરતી વખતે પહેલું કામ અરીસામાં પોતાનું મુખ જોવાનું કરે છે. જો આપના બાથરૂમનો મિરર ખંડિત થયેલ હોય અથવા ખૂબ જ નાનો અરીસો હોય અને તમારે તમારૂં મુખ જોવામાં નીચા નમીને કે એડજસ્ટ કરીને તેનો ઉપયોગ કરવો પડે તો તે મિરર તાત્કાલિક બદલશે.
2. બાથરૂમમાં મિરર પૂર્વ અને ઉત્તર દિશામાં અને થોડા મોટા રાખવા તથા નિયમિત રીતે તેની સફાઈ કરવી.
3. જે જગ્યાએ નાનકડા પેસેજ છે અથવા તો મુખ્ય દરવાજા પાસે એકદમ સામે દિવાલ છે, ત્યાં ઊર્જાને પૂરા ઘરમાં ફેલાવવા માટે પણ મિરરનો ઉપયોગ નિષ્ણાતની સલાહથી કરવો.
4. બેડની બરાબર સામે મિરર રાખવો નહીં.
5. ખરાબ થઈ ગયેલા, ખૂણા તૂટી ગયેલા મિરર તાત્કાલિક બદલાવી નાખવા.
6. બાથરૂમમાં ઘણી વાર અરીસામાં કાયમી બ્રાઉન ધબ્બા કે ડાઘ થઈ જતાં હોય છે તેવા અરીસાનો તાત્કાલિક નિકાલ કરવો.
7. દક્ષિણ દિશામાં કે નૈઋત્ય ખૂણામાં મિરર લગાવવા નહીં.
8. નાના મિરરના ટુકડા ભેગા કરી તેનો મોટો મિરર બનાવવો નહીં.
9. ઘણી વાર મોટી દિવાલ પર એક મિરર સિંગલ પીસમાં લગાવવો શક્યો ન હોય ત્યાં મીનીમમ જોઈન્ટ આવે તે રીતે મિરર લગાવી શકાય.
10. આજકાલ કપડાંના શોરૂમ, જ્વેલરી શોરૂમ, બ્યુટીસલૂનમાં ગ્રાહકને પ્રોડક્ટ તેમના શરીર કે ચહેરા પર કેવી લાગે તે જોવા માટે અરીસા લગાવવાના થાય તો તે પૂર્વ કે ઉત્તર દિશામાં લગાવવાથી વ્યવસાયમાં વૃદ્ધિ થશે.
11. મુખ્ય દરવાજાની એકદમ સામે અરીસો રાખવો નહીં પરંતુ સાચી દિશામાં દરવાજાની સાઈડમાં જો જરૂર હોય તો અરીસો લગાવી શકાય.
12. ફ્લોરિંગમાં કાચ કે મિરરનો ઉપયોગ કરવો નહીં.
13. ઘર ડિઝાઈન કરતી વખતે આપના ઈન્ટિરિયર ડિઝાઈનર સાચી દિશામાં મિરર લગાવે તે માટે પહેલેથી જ તેમની સાથે પ્લાનિંગ કરવું જેથી કરીને પાછળથી ફેરફારોને ટાળી શકાય.
14. શક્ય હોય ત્યાં સુધી બેડરૂમના ડ્રેસિંગ ટેબલના મિરર ડિઝાઈનમાં હાઈડ (છુપાવી) કરવા અને જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવો. કપ બોર્ડની બહાર મિરર ન લગાવતાં મિરર અંદરની બાજુ લગાવવા જેથી કરીને આખો દિવસ મિરર રૂમની ઊર્જાને પરિવર્તન ન કરી શકે.
15. બજારમાં આપણને અલગ-અલગ પ્રકારના ગોળ, લંબગોળ, ત્રિકોણ, ચોરસ કે લંબચોરસ આકારના અરીસા મળતાં હોય છે તેમાંથી ત્રિકોણ અરીસાનો ઉપયોગ હંમેશા ટાળવો.
16. આજકાલ તૂટેલા અરીસા (મિરર)ને ભેગા કરી તેનો ડિઝાઈનીંગમાં ઉપયોગ થતો હોય છે જે વાસ્તુ મુજબ બરાબર નથી.
17. ઘરમાં જૂના કે એન્ટીક પ્રકારના અરીસા વાપરવા નહીં કેમકે શક્ય છે કે જૂની જગ્યામાં તે જે જગ્યાએ લગાવેલા હોય તેની ઊર્જા પણ તમોને અસર કરી શકે.
18. ઘરમાં વધારે પડતાં ખૂણા પડતાં હોય કે બાંધકામમાં દિશા કે ખૂણા કપાતા હોય ત્યાં અરીસાનો ઉપયોગ કરી એનર્જી લેવલ સુધારી શકાય છે.
19. ચાઈનીઝ ફેંગશુઈમાં પણ ખરાબ નજરથી બચવા અષ્ટકોણ આકારની અંદર ગોળ અરીસા સાથે બાગુવા મિરર લગાવવામાં આવે છે.
20. તમારી મિલ્કતની સામે જો રોડ આવતો હોય અથવા પઝથ જંકશન પર તમારૂં ઘર કે દુકાન હોય તો ત્યાં વાસ્તુ રેમેડી તરીકે બર્હિગોળ અરીસાનો ઉપયોગ એનર્જી પોઈન્ટ પર કરવાથી ઊર્જાનું સંતુલન સાધી શકાશે.
21. અરીસા ક્યારેય ખરાબ (ગંદા) ન રાખવા જોઈએ. વાસ્તુ અનુસાર ઘરમાં તે નકારાત્મક ઊર્જાને વધારે છે.
22. મિરર લગાવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે એક મિરરની સામે બીજો મિરર (અરીસો) લગાડવો નહીં.
23. તૂટેલા મિરર ક્યારેય ઘરમાં ન રાખજો. તમારા ઘર, દુકાન કે ફેકટરીમાં તૂટેલા મિરર (કાચ) હોય તો તેને તરત જ ફેંકી દેવા જોઈએ, નહીં તો નકારાત્મક ઊર્જા વધુ વધશે.
24. છતની ડિઝાઈનમાં અરીસાનો ઉપયોગ કરવો જોઈએ નહીં.
25. અરીસાઓ અને પ્રતિબિંબીત કાચની વસ્તુઓની નિયમિત સફાઈ કરવી.
26. બેડના હેડરેસ્ટ પર અરીસો હોય તેવા ડિઝાઈનના હેડરેસ્ટ બનાવવા નહીં.

અંતમાં એટલું ચોક્કસ યાદ રાખજો કે આપના ઘરની કે વ્યવસાયની જગ્યાને મોટી બતાવવાના પ્રયાસમાં અરીસાના ઉપયોગનો અતિરેક ના થઈ જાય કેમકે ઘરમાં તો સવારે કે પ્રસંગોપાત સૌન્દર્ય સજ્જામાં અરીસાનો ઉપયોગ થોડા સમય પૂરતો જ કરવાનો હોય છે એટલે જરૂરિયાતથી વધારે અરીસા લગાવવા નહીં.

You Might Also Like

સવન એટલે કે ‘શ્રીપર્ણી’ના વૃક્ષનો અત્યંત મહિમા

જ્વેલરી શો-રૂમ કિસ્મત ચમકાવવાની ટિપ્સ

નાણાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલાં લોકો માટે ઉત્તર દિશાની મિલકત શુભ

જમીન અને આપણે: એક ગૂઢ સંબંધ!

ડોગ હાઉસને ઘરના વાયવ્ય ખૂણામાં બહાર બનાવવું હિતાવહ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ડૉ. ખાચરનાં સંશોધનથી ઇતિહાસનાં અનેક પાનાં ઉજાગર થયાં : ‘ખાસ-ખબર’ સાથે એક ખાસ મુલાકાત
Next Article મસ્તકવિહોણી ખંડિત મૂર્તિઓ: પૂજાનિષેધમાં અપવાદરૂપ કિસ્સો!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

BJP-VHP અગ્રણી માવજીભાઇ ડોડીયાનો આજે જન્મદિવસ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
રાજકોટમાં પીસીબી બાદ DCBનો સતત બીજા દિવસે સપાટો : ઘાંચીવાડનો શખસ દેશી પિસ્ટલ અને કાર્ટીઝ સાથે ઝડપાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorRajesh Bhatt

સવન એટલે કે ‘શ્રીપર્ણી’ના વૃક્ષનો અત્યંત મહિમા

Khaskhabar Editor Khaskhabar Editor 4 years ago
AuthorRajesh Bhatt

જ્વેલરી શો-રૂમ કિસ્મત ચમકાવવાની ટિપ્સ

Khaskhabar Editor Khaskhabar Editor 4 years ago
ASTROLOGERAuthorRajesh Bhatt

નાણાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલાં લોકો માટે ઉત્તર દિશાની મિલકત શુભ

Khaskhabar Editor Khaskhabar Editor 4 years ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?