By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    1 day ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    1 day ago
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    2 days ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    2 days ago
    અમેરિકામાં પણ રેવડી!
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
    1 day ago
    જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
    1 day ago
    કાલથી બ્રિક્સ સમિટ
    2 days ago
    UPના 26 જિલ્લામાં પૂર
    2 days ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 month ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શિવરીનારાયણની શબરીને આજે પણ શ્રીરામ માટે મમતા છે !
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > શિવરીનારાયણની શબરીને આજે પણ શ્રીરામ માટે મમતા છે !
AuthorParakh Bhatt

શિવરીનારાયણની શબરીને આજે પણ શ્રીરામ માટે મમતા છે !

Khaskhabar Editor
Last updated: 2022/04/16 at 4:56 PM
Khaskhabar Editor 4 years ago
Share
6 Min Read
SHARE
વેવિશાળનાં ઠીક એક દિવસ પહેલા શબરીએ પોતાનું ઘર છોડી દીધું અને ત્યાંથી ભાગીને સીધા દંડકારણ્ય પહોંચી ગયા, દંડકારણ્યમાં ઋષિ-મુનિઓ તપસ્યા કરતાં, જેમની સેવા કરવા માટે શબરી ઇચ્છુક હતાં

મોડર્ન ધર્મ
– પરખ ભટ્ટ

રામાયણમાં એક પ્રસંગનો ઉલ્લેખ છે, જેમાં માતા સીતાને શોધતાં શોધતાં શ્રીરામ લક્ષ્મણની સાથે દંડકારણ્યમાં રસ્તો ભટકી જાય છે અને માતા શબરીનાં આશ્રમે પહોંચી જાય છે. સ્વયં શ્રીરામને પોતાનાં આંગણે પધારેલા જોઇને શબરી ઘડીકભર એમને પ્રસાદમાં શું ધરવું એની અસમંજસમાં પડી જાય છે. પોતાની ઝૂંપડીમાં જઈને જુએ છે, તો સામે થોડાક બોર દેખાય છે… પરંતુ ક્યાંક એ ખરાબ કે ખાટા તો નથી ને એ જોવા માટે તે પોતે એકે-એક બોરને ચાખે છે. સારા-સારા બોર વીણીને તે ભગવાન રામને આપે છે. શબરીનાં એંઠા બોરને પણ પ્રભુ પ્રેમપૂર્વક આરોગી લે છે.

Contents
વેવિશાળનાં ઠીક એક દિવસ પહેલા શબરીએ પોતાનું ઘર છોડી દીધું અને ત્યાંથી ભાગીને સીધા દંડકારણ્ય પહોંચી ગયા, દંડકારણ્યમાં ઋષિ-મુનિઓ તપસ્યા કરતાં, જેમની સેવા કરવા માટે શબરી ઇચ્છુક હતાંમોડર્ન ધર્મ – પરખ ભટ્ટમાતંગ ઋષિના મૃત્યુ પછી શબરીનો મોટાભાગનો સમય ભગવાન શ્રીરામની પ્રતિક્ષામાં વીતવા લાગ્યો, આખો દિવસ તેઓ આશ્રમની સાફસફાઈ કરીને એને ચોખ્ખો-ચણાંક રાખવાનો પ્રયત્ન કરતા

ભગવાન રામ પ્રત્યેનાં શબરીનાં ભક્તિભાવની આ કથા આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ. માતા શબરીનો એ આશ્રમ છત્તીસગઢનાં શિવરીનારાયણમાં ‘શિવરીનારાયણ પરિસર’ ખાતે સ્થિત છે. મહાનદી, ઝોંક અને શિવનાથ નદીનાં કિનારે સ્થિત આ મંદિર તથા આશ્રમ પ્રકૃતિનાં રમણીય સ્થળોથી ઘેરાયેલો છે! શબરીએ જે વૃક્ષનાં પાંદડામાં બોર રાખીને ભગવાન રામને જમાડ્યા હતાં, એ કૃષ્ણ વડનું ‘કટોરીનુમા’ પાંદડુ આજે પણ એ સ્થાન પર મળી આવે છે.
શિવરીનારાયણ મંદિરને કારણે જ આ સ્થાન છત્તીસગઢની જગન્નાથપુરીનાં નામે પ્રસિદ્ધ થયું છે. માન્યતા પ્રમાણે, આ સ્થાન પર જ પ્રાચીન સમયમાં ભગવાન જગન્નાથની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી, પરંતુ પછીથી એમને પુરી લાવવામાં આવ્યા! સ્થાનિક લોકોની આ આસ્થાને લીધે જ એવું માનવામાં આવે છે કે આજના સમયમાં પણ ભગવાન જગન્નાથ અહીં અવારનવાર મુલાકાત લે છે. છત્તીસગઢના બિલાસપુરથી 64 કિલોમીટર અને રાયપુરથી 120 કિલોમીટર દૂર ઝાંઝગીર-ચાંપા જિલ્લામાં આવેલા શિવરીનારાયણને પહેલાનાં સમયમાં માતા શબરીનાં નામે શબરીનારાયણ તરીકે ઓળખવામાં આવતું હતું. જે બાદમાં, શિવરીનારાયણનાં નામે પ્રચલિત થયું.

- Advertisement -

દેશના સૌથી પ્રચલિત ચાર ધામમાં ઉત્તર ભારતના બદ્રીનાથ, દક્ષિણ ભારતના રામેશ્વરમ, પૂર્વ ભારતના જગન્નાથપુરી અને પશ્ચિમ ભારતના દ્વારકાધામનો સમાવેશ થાય છે, પરંતુ મધ્યમાં સ્થિત શિવરીનારાયણને ‘ગુપ્તધામ’ તરીકે ઓળખવામાં આવે છે. આ વાતનું વર્ણન રામાવતારચરિત્ર અને યાજ્ઞવલ્ક્ય સંહિતામાં પણ મળી આવે છે.
શબરીનું વાસ્તવિક નામ શ્રમણા હતું. તેનો સંબંધ ભીલ સમુદાયની શબર જાતિ સાથે હતો. શબરીનાં પિતા પોતે ભીલોનાં રાજા હતાં. કહેવામાં આવે છે કે શબરીનાં વિવાહ એક ભીલ કુમાર સાથે નક્કી થયા હતાં. વિવાહની પહેલા કંઈ-કેટલાય બકરા-ભેંસને બલિ ચડાવવા માટે લાવવામાં આવ્યા, જેને જોઇને શબરીનું હ્રદય અત્યંત દુભાયું. એમને થયું કે આ તે વળી કેવા લગ્ન, જેમાં સેંકડો નિર્દોષ પશુની આહુતિ આપી દેવામાં આવે?

માતંગ ઋષિના મૃત્યુ પછી શબરીનો મોટાભાગનો સમય ભગવાન શ્રીરામની પ્રતિક્ષામાં વીતવા લાગ્યો, આખો દિવસ તેઓ આશ્રમની સાફસફાઈ કરીને એને ચોખ્ખો-ચણાંક રાખવાનો પ્રયત્ન કરતા

છત્તીસગઢના બિલાસપુરથી 64 કિલોમીટર અને રાયપુરથી 120 કિલોમીટર દૂર ઝાંઝગીર-ચાંપા જિલ્લાામાં આવેલા શિવરીનારાયણને પહેલાનાં સમયમાં માતા શબરીનાં નામે શબરીનારાયણ તરીકે ઓળખવામાં આવતું હતું, જે બાદમાં, શિવરીનારાયણનાં નામે પ્રચલિત થયું

વેવિશાળનાં ઠીક એક દિવસ પહેલા શબરીએ પોતાનું ઘર છોડી દીધું અને ત્યાંથી ભાગીને સીધા દંડકારણ્ય પહોંચી ગયા. દંડકારણ્યમાં ઋષિ-મુનિઓ તપસ્યા કરતાં, જેમની સેવા કરવા માટે શબરી ઇચ્છુક હતાં, પરંતુ નીચી જાતિની હોવાને લીધે તેઓ ખચકાટ અનુભવી રહ્યા હતાં. તેમને મનમાં આશંકા હતી કે કોઇ ઋષિ એમની સેવાનો સ્વીકાર નહીં કરે! આખરે તેમને એક રસ્તો સૂઝ્યો. દરરોજ સવારે ઋષિ-મુનિઓ જાગે એ પહેલા એમના આશ્રમથી માંડીને નદી સુધીનો રસ્તો તેઓ સાફ કરી નાખતા. માર્ગમાંથી કાંટા દૂર કરીને તેઓ ત્યાં રેતીની ચાદર બિછાવી દેતા, જેથી કોઇના પગ લોહીલુહાણ ન થાય! શબરી આ બધું એવી રીતે કરતા હતાં કે કોઇને એની ખબર સુદ્ધાં ન પડે. એક દિવસ માતંગ ઋષિની નજર શબરી પર પડી. એમના સેવાભાવથી અતિ પ્રસન્ન થઈને ઋષિએ શબરીને પોતાનાં આશ્રમમાં શરણ આપી. માતંગ ઋષિના આ પગલાનો ખૂબ પ્રબળ સામાજિક વિરોધ કરવામાં આવ્યો, એમ છતાં એમણે શબરીને આશ્રમમાંથી નિષ્કાસિત ન કર્યા. મૃત્યુની આખરી ક્ષણોમાં માતંગ ઋષિએ શબરી પાસેથી વચન લીધું કે એમનાં અવસાન પછી પણ તેઓ આશ્રમ છોડીને ક્યાંય ન જાય, કારણકે ભગવાન વિષ્ણુના અવતાર પ્રભુ શ્રી રામ પોતે અહીં એક દિવસ પધારવાનાં છે!

- Advertisement -

માતંગ ઋષિના મૃત્યુ પછી શબરીનો મોટાભાગનો સમય ભગવાન શ્રીરામની પ્રતિક્ષામાં વીતવા લાગ્યો. આખો દિવસ તેઓ આશ્રમની સાફસફાઈ કરીને એને ચોખ્ખો-ચણાંક રાખવાનો પ્રયત્ન કરતા. ભગવાન રામ માટે દરરોજ તેઓ વૃક્ષ પરથી તાજા-મીઠા બોર તોડી લાવતાં. બોરમાં જંતુ ન આવી જાય કે પછી એ ખાટ્ટા ન થઈ જાય, એ માટે તોડતી વખતે દરેકે-દરેકને ખાસ ચાખવાનો તેઓ આગ્રહ રાખતા. આમ કરતાં-કરતા કેટલાય વર્ષો વીતી ગયા. એક દિવસ શબરીને જાણ થઈ કે બે યુવકો એમને શોધી રહ્યા છે. તેઓ તરત જ સમજી ગયા કે પ્રભુ રામનું આગમન થઈ ચૂક્યું છે, પરંતુ વર્ષો વીતી ગયા હોવાને લીધે તેઓ હવે વૃદ્ધ થઈ ચૂક્યા હતાં. સફેદ વાળ, કરચલીવાળો તેજસ્વી ચહેરો અને લાકડીનાં સહારે ચાલતું એક વૃદ્ધ શરીર! ઉંમર થઈ ગઈ હોવા છતાં ભગવાન શ્રીરામનાં આગમનની ખબર સાંભળતાં જ તેમને પોતાની વયનું પણ ભાન ન રહ્યું! દોડીને તેઓ શ્રીરામ-લક્ષ્મણ પાસે પહોંચ્યા અને હાથ પકડીને એમને આશ્રમ લઈ આવ્યા. પ્રભુના ચરણકમળોને પોતાનાં હાથે ધોઇને તેઓ ખૂબ રાજી થયા. સ્વહસ્તે તોડેલા મીઠા બોર તેમણે બંને ભાઈઓને ધર્યા. ભગવાન રામે ખૂબ પ્રેમ અને આદરભાવપૂર્વક બોર આરોગ્યા અને લક્ષ્મણને પણ ખાવા માટે જણાવ્યું, પરંતુ લક્ષ્મણને શબરીનાં એંઠા બોર ખાવામાં સંકોચ થઈ રહ્યો હતો. રામનું માન રાખવા માટે એમણે બોર ઉઠાવ્યા તો ખરા, પરંતુ ગ્રહણ ન કર્યા! જેનું પરિણામ એ આવ્યું કે રામ-રાવણ યુદ્ધમાં જ્યારે શક્તિબાણનો પ્રયોગ કરવામાં આવ્યો, ત્યારે તેઓ મૂર્છિત બની ગયા હતાં!

You Might Also Like

લાઈફ ઈન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થાય તો ગ્રાહકોને મળે છે કાયદાકીય રક્ષણ

બ્રિક્સ સમિટમાં ડોલરનું આધિપત્ય ખતમ કરવા વિચારશે ?

20મી સદીના તાનાશાહ’ ક્રૂર સરમુખત્યારોની માનસિકતા ઉજાગર કરતું પુસ્તક

ડૉ. ચિરાગ દોશી; લોકોના હૃદયને લયબધ્ધ રીતે ધબકતું રાખવા મથતો એક મુઠી ઊંચેરો તબીબ

Old is Gold ! : જૂના ગીતોની મધુરતાનું સિક્રેટ!

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પ્રતિકોનો મહિમા અને મહાત્મ્ય
Next Article રાજકોટના મુંજકામાં પતિ કામ પર ગયા પછી પાડોશી ધમકી આપી દુષ્કર્મ આચરતો’તો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
આજે 3 જિલ્લામાં અતિભારે અને 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

લાઈફ ઈન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થાય તો ગ્રાહકોને મળે છે કાયદાકીય રક્ષણ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

બ્રિક્સ સમિટમાં ડોલરનું આધિપત્ય ખતમ કરવા વિચારશે ?

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

20મી સદીના તાનાશાહ’ ક્રૂર સરમુખત્યારોની માનસિકતા ઉજાગર કરતું પુસ્તક

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?