તા.22 થી 24 એપ્રિલ સુધી રૂદ્રાક્ષ શિવલિં પૂજા, યજ્ઞ, મહાપ્રસાદનું આયોજન
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.20
- Advertisement -
વિસાવદર નજીક આવેલ સતાધાર, આપાગીગા રામેશ્ર્વર ધામ ખાતે હનુમાન જયંતિ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે. ત્યારે રામેશ્ર્વર ધામ આપાગીગાના મહંત ગોવિંદબાપુ ગુરૂશ્રી સામજીબાપુની એક યાદીમાં જણાવ્યુ છે કે, તા.22,23 અને 24 એપ્રિલના રોજ હનુમાન જયંતિની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે.
તા.રરના સવારે રૂદ્રાક્ષ મહાશિવલીંગ પૂજા આરતી થાળ તેમજ બપોરે મહા પ્રસાદ અને રાત્રે બારપોરો પાઠ આરતી અને પોરબંદરના જીવા ભગત તેમજ સંતો ભક્તો દ્વારા રામધૂનનું આયોજન કરાયું છે તથા તા.23ના રોજ સવારે 11 કુંડી યજ્ઞનો પ્રારંભ થશે અને સાંજે 4 કલાકે યજ્ઞમાં બીડુહોમાશે અને સાંજે ધર્મસભા બાદ મહાઆરતી અને પ્રસાદનું આયોજન સાથે રાત્રે નામાક્તિ કલાકારો દ્વારા ભજન અને સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને તા.ર4ના વ્હેલી સવારે પાઠની જ્યોત વળશે તેમજ સાંજે રૂદ્રાક્ષ મહા શિવલીંગની મહાઆરતી પૂજા કરીને તેનું વિસર્જન કરવામાં આવશે. ત્યારે આ હનુમાન જયંતિ મહોત્સવ પ્રસંગે દરેક ધર્મપ્રેમી જનતા પધારે તેમ રામેશ્ર્વર આપાગીગા ધામના મહંત ગોવિંદબાપુની એક યાદીમાં જણાવાયું છે.