દીપાવલિ પર્વે માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમમાં આતશબાજી
દર વર્ષેની જેમ લોકડાયરો, હસાયરો મ્યુઝીકલ નાઇટ સહિતના કાર્યક્રમોની વણજાર
- Advertisement -
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ ડી. પીપળીયા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની સુખાકારી માટે રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઈટ, પાણી, સફાઈ અને આરોગ્ય સેવા સહિતની પાયાની સુવિધાઓ તેમજ અન્ડરબ્રીજ, ઓવરબ્રીજ, કોમ્યુનિટી હોલ, લાઈબ્રેરી, બાલક્રિડાંગણની સુવિધા શહેરીજનો માટે ઉપલબ્ધ કરવામાં આવેલ છે.
આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોના આનંદ પ્રમોદ માટે દર વર્ષે લોકડાયરો, હસાયરો, મ્યુઝીકલ નાઈટ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવે છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે દીપાવલિ પર્વ પ્રસંગે આતશબાજીનું આયોજન કરવામાં આવે છે. આ આતશબાજી નિહાળવા લાખોની સંખ્યામાં શહેરીજનો પરિવાર સાથે ઉમટી પડે છે.
કોરોના વૈશ્વિક મહામારીને લીધે સોસીયલ ડિસ્ટન્સીંગને ધ્યાને રાખી, વર્ષ 2020 તથા 2021માં આતશબાજી યોજવામાં આવેલ ન હતી.
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે તા.22/10/2022, શનિવારના રોજ ધનતેરસના પાવન પર્વ પ્રસંગે સાંજે માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડીયમ ખાતે ભવ્ય આતશબાજી યોજાશે.