By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની
    1 day ago
    સિંધુ જળ કરાર મુદ્દે ભારત-પાક વચ્ચે યુધ્ધની સ્થિતિ
    1 day ago
    ચીને અરૂણાચલની જમીનો પચાવી, મિલીટરી કેમ્પ બનાવ્યા
    1 day ago
    ભારત સાથે 19 મોટા કરાર પર મહોર : હવે સેશેલ્સમાં પણ UPIથી પેમેન્ટ થશે
    2 days ago
    યુરોપમાં ગરમીનો પ્રકોપ : 1300થી વધુ નાગરીકના મોત
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મનરેગાને બદલે VB-G RAM G લાગુ : 100ને બદલે 125 દિવસ રોજગારની ગેરંટી
    2 minutes ago
    જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટ્યું, અરુણાચલમાં પૂર : મધ્યપ્રદેશ-બિહારમાં વીજળી પડવાથી 8નાં મોત
    45 minutes ago
    દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર બસ-ટ્રેલર વચ્ચે ભયાનક અકસ્માત : 7નાં મોત, 22 ગંભીર
    53 minutes ago
    આજથી કોમર્શિયલ સિલિન્ડર સસ્તો થયો : નાયરાએ પેટ્રોલના ભાવ રૂ.5, ડીઝલના રૂ.3 ઘટાડ્યા
    59 minutes ago
    સરલા ભટના હત્યારા આતંકી યાસીન મલિકને જલ્દી જ મળશે સજા
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    2 days ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    2 days ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    2 days ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    5 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    5 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    6 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    6 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    2 hours ago
    રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ
    2 hours ago
    જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
    1 day ago
    રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ
    2 days ago
    શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ચાંદીપુરા વાયરસને લઈ સરકારે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો, સારવાર સંબંધિત મળશે માહિતી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > ચાંદીપુરા વાયરસને લઈ સરકારે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો, સારવાર સંબંધિત મળશે માહિતી
ખાસ-ખબરગુજરાત

ચાંદીપુરા વાયરસને લઈ સરકારે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો, સારવાર સંબંધિત મળશે માહિતી

Khaskhabar Editor
Last updated: 2024/07/19 at 2:03 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

ચાંદીપુરાના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલની ચકાસણી પુના નહીં હવે ગાંધીનગર સ્થિત GBRCમાં જ કરવામાં આવશે, હેલ્પલાઇન નંબરની કામગીરી પણ આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરાઇ

ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાથી શરૂ થયેલ ચાંદીપુરા વાયરસના કેસો હવે ધીરે ધીરે રાજ્યના અનેક જિલ્લાઓમાં પણ સામે આવી રહ્યા છે. આ તરફ હવે સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આરોગ્ય તંત્ર દ્વારા ચાંદીપુરા વાયરસને નિયંત્રિત કરવા માટે લેવાઈ રહેલ પગલાં અંગે સમીક્ષા કરી હતી. આ સાથે હવે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વાયરલ એન્કેફેલાઇટીસના તમામ કેસોમાં સારવાર સંબંધી માહિતી માટે 104 નંબરની હેલ્પલાઇનની કામગીરી પણ આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી રહી છે.

- Advertisement -

ગુજરાત રાજ્યના 30 સહિત કુલ 33 શંકાસ્પદ કેસો વાયરલ એન્કેફેલાઇટીસ (ચાંદીપુરા વાયરસ) ના મળી આવ્યા છે. આ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસને કારણે કુલ 15 મૃત્યુ નોંધાયા છે. અહીં ખાસ નોંધનીય છે કે, અગાઉ સેમ્પલને ચાંદીપુરા વાયરસની પુષ્ટિ માટે પુના મોકલવામાં આવ્યા હતા. જેમાંથી સાત સેમ્પલના પરિણામ આવ્યા તો 6 સેમ્પલ નેગેટીવ અને ફક્ત એક જ સેમ્પલ ચાંદીપુરા વાયરસ પોઝીટીવ નોંધાયો છે. આ તરફ હવે ચાંદીપુરાના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલની ચકાસણી પુના નહીં હવે ગાંધીનગર સ્થિત GBRCમાં જ કરવામાં આવશે.

નોંધનિય છે કે, અત્યાર સુધી આ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના સેમ્પલ પૂના ખાતે મોકલવામાં આવતા હતા. આ સેમ્પલનું પરિણામ આવતા અંદાજિત એક સપ્તાહ જેટલો સમય લાગતો હતો. જોકે હવે આ સુવિધા ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર (GBRC)માં ઉભી કરાઈ છે. જેને લઈ હવે ચાંદીપુરા વાયરસનું ઝડપથી નિદાન થાય અને સારવાર કરી શકાય.

 

- Advertisement -

તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર

રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વાયરલ એન્કેફેલાઇટીસ (ચાંદીપુરા વાયરસ)ના તમામ કેસોમાં સારવાર સંબંધી માહિતી માટે 104 નંબરની હેલ્પલાઇનની કામગીરી પણ આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે, ચાંદીપુરાના વધતા કેસોએ ચિંતાની સ્થિતિ પેદા કરી છે. ખાસ કરીને બાળકો આ રોગની ઝપટમાં આવીને મોતને ભેટી રહ્યા છે. જેથી અમદાવાદ ગ્રામ્યના DEO દ્વારા ગ્રામ્ય વિસ્તારની શાળાઓને સતર્કતા વર્તવા સૂચના આપવામાં આવી છે. DEO દ્વારા બાળકોના વાલીઓને પણ આ વાયરસને લઇને જાગૃત કરવા સૂચના અપાઇ છે.

ગુજરાતમાં અત્યાર સુધી ચાંદીપુરાથી 15 બાળકોના મૃત્યુ

રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર મચ્યો છે. સાબરકાંઠાથી સામે આવેલા કેસ બાદ રાજ્યમાં ગામડે ગામડે આ રોગના કેસોમાં વધારો નોંધાઇ રહ્યો છે. અરવલ્લી, સાબરકાંઠા બાદ હવે દક્ષિણ અને સૌરાષ્ટ્રના ગામોમાં પણ બાળકોમાં ચાંદીપુરા વાયરસના કેસો સામે આવી રહ્યાં છે, અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. તાજા અપડેટ પ્રમાણે રાજ્યમાં ચાંદીપુરાથી મોતનો આંકડો 15 સુધી પહોંચી ચૂક્યા છે અને હજુ પણ વધવાની શક્યતા છે.

સુરેન્દ્રનગરનાં પાટડીમાં બાળકીનું મોત

સુરેન્દ્રનગરનાં પાટડીમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી બાળકીનું મોત થયું હતું. સારવાર માટે ખસેડાયેલી 5 વર્ષની બાળકીનું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું. 5 વર્ષની બાળકીનાં મોત બાદ આરોગ્ય વિભાગનાં અધિકારીઓમાં દોડઘામ મચી જવા પામી હતી. બાળકીમાં ચાંદીપુરા વાયરસનાં લક્ષણો હોવાનું તબીબોએ જણાવ્યું હતું કે, બાળકીને ઝાડા-ઉલ્ટી અને પેટમાં પીડાનાં લક્ષણો જોવા મળ્યા હતા. બાળકીનાં મોત બાદ આરોગ્ય વિભાગની ટીમે સર્વે હાથ ધર્યો હતો.

જામનગરમાં ચાંદીપુરાનાં શંકાસ્પદ બાળ દર્દીનું મોત

જામનગર જીલ્લામાં ચાંદીપુરાનાં શંકાસ્પદ બાળ દર્દીનું મોત થયું હતું. જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરાનાં શંકાસ્પદ 3 કેસ નોંધાયા છે. આઈસીયુમાં સારવાર હેઠળનાં 1 બાળકનું મોત થયું હતું. જે બાદ આરોગ્ય વિભાગ દ્વારા નમૂનાં લેવામાં આવ્યા હતા.

વડોદરાનાં સાવલીની 6 વર્ષની બાળકીનું મોત

વડોદરાનાં સાવલીની 6 વર્ષની બાળકીનું મોત થયા બાદ આરોગ્ય વિભાગ દ્વારા બાળકીનું મોત કયાં કારણોસર થયું તે જાણવા માટે સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જે રિપોર્ટ આવતા બાળકીનું મોત ચાંદીપુરા વાયરસને લીધે થયું હોવાનો રિપોર્ટ આવ્યો હતો. તેમજ હજું મૃત્યું પામેલા 4 બાળકોનો રિપોર્ટ આવવાનો બાકી છે.

શું છે આ ચાંદીપુરા વાયરસ ?

ચાંદીપુરા વાયરસથી પીડિત વ્યક્તિને તાવ આવે છે અને તેના લક્ષણો ફ્લૂ અને તીવ્ર એન્સેફાલીટીસ (મગજની બળતરા) જેવા છે. તે મચ્છર, લોહી ચૂસનાર જંતુઓ અને સેન્ડફ્લાય જેવા વાહકો (જંતુઓ) દ્વારા ફેલાય છે. આ વાયરસ માખી દ્વારા ફેલાવાતો હોવાથી તેને મારવા સહિત ડસ્ટિંગ સહિત અન્ય પગલાં લેવા માટે ટીમો તૈનાત કરી છે. ચાંદીપુરા વાયરસ મચ્છર, લોહી ચૂસનાર જંતુઓ અને સેન્ડફ્લાય (માખીઓ) દ્વારા ફેલાય છે. આ જંતુઓ તમારી આજુબાજુ દેખાય તો ધ્યાન રાખજો.

You Might Also Like

UPSC પ્રિલિમની તૈયારી કરતાં ઉમેદવારોને દર મહિને 4 હજારની સહાય

પનીરના શોખીનો સાવધાન..! 500 કિલો પનીરનો જથ્થો સીઝ

રાજકોટ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળીઃ 27 લાખના ભોજન ખર્ચનો નામંજૂર

વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા

રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ

TAGGED: CHANDIPURA VIRUS HELP LINE NUMBER, Health Minister Rishikesh Patel
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article માઈક્રોસોફ્ટનું સર્વર ડાઉન થતાં ભારત સહિત દુનિયાભરની એરલાઈન્સ સેવા ખોરવાઈ
Next Article અટકળોનો આવ્યો અંત: હાર્દિક પંડ્યા અને નતાશાએ છૂટાછેડા લીધા, અગસ્ત્ય કોની સાથે રહેશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મનરેગાને બદલે VB-G RAM G લાગુ : 100ને બદલે 125 દિવસ રોજગારની ગેરંટી

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
UPSC પ્રિલિમની તૈયારી કરતાં ઉમેદવારોને દર મહિને 4 હજારની સહાય
પનીરના શોખીનો સાવધાન..! 500 કિલો પનીરનો જથ્થો સીઝ
રાજકોટ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળીઃ 27 લાખના ભોજન ખર્ચનો નામંજૂર
કુવાડવા પાસે સવારે બંધ ટ્રક પાછળ બાઇક અથડાતા હોમિયોપેથી કોલેજના વિદ્યાર્થીનું મોત
જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટ્યું, અરુણાચલમાં પૂર : મધ્યપ્રદેશ-બિહારમાં વીજળી પડવાથી 8નાં મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

UPSC પ્રિલિમની તૈયારી કરતાં ઉમેદવારોને દર મહિને 4 હજારની સહાય

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
રાજકોટ

પનીરના શોખીનો સાવધાન..! 500 કિલો પનીરનો જથ્થો સીઝ

Khaskhabar Editor Khaskhabar Editor 32 minutes ago
રાજકોટ

રાજકોટ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળીઃ 27 લાખના ભોજન ખર્ચનો નામંજૂર

Khaskhabar Editor Khaskhabar Editor 34 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?