27 ઓગસ્ટે અરવિંદભાઈ મણીયાર હોલમાં બપોરે 2થી સાંજે 7 વાગ્યા સુધી ગોપીકિશન સ્પર્ધાનું આયોજન : વિજેતા બાળકોને ઇનામો અપાશે
સ્પર્ધાના કન્વીનર તરીકે પૂર્વ મેયર નયનાબેન પેઢડિયા અને કાર્યક્રમના ઇન્ચાર્જ તરીકે મિલનભાઈ કોઠારીની નિમણૂક
- Advertisement -
સહ કન્વીનર તરીકે રમાબેન હેરભા, જયભાઈ બોરીચા, કેતનભાઇ સંઘવી, હર્ષદભાઈ રૂપારેલીયા, જલ્પાબેન પતિરા, જીતાબેન દતાણી જ્યારે કમિટી મેમ્બર તરીકે કાજલબેન દેસાઈની નિમણૂક
ફોર્મ ભરી પરત કરવાનો છેલ્લો દિવસ 25 ઓગસ્ટ સાંજે 5 વાગ્યાનો રહેશે ત્યાર પછી ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં
રાજકોટમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને ભવ્યતા અને ઉત્સાહ સાથે ઉજવવાના ભાગરૂપે જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા પરંપરાગત ‘ગોપીકિશન સ્પર્ધા’નું આયોજન કરવામાં આવ્યું છે. 27 ઓગસ્ટને ગુરુવારે શહેરના
અરવિંદભાઈ મણીયાર હોલમાં બપોરે 2થી સાંજે 7 વાગ્યા સુધી ગોપીકિશન સ્પર્ધા યોજાશે. બાળકોમાં ભારતીય સંસ્કૃતિ, સનાતન સંસ્કાર અને ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યેની ભક્તિની ભાવના વધુ મજબૂત બને તે હેતુથી યોજાનારી
આ સ્પર્ધામાં શહેરના નાના ભૂલકાઓ શ્રીકૃષ્ણ તથા ગોપીના સ્વરૂપમાં સજ્જ થઈ પોતાની નિર્દોષ પ્રતિભા અને સર્જનાત્મકતાનું પ્રદર્શન કરશે. જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી
મહોત્સવને વધુ લોકભાગીદારીપૂર્ણ અને આકર્ષક બનાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપે બાળકો માટે ગોપીકિશન સ્પર્ધાનું આયોજન કરાયું છે. પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને
આવનારા નાનકડા કનૈયાઓ અને ગોપીઓના રંગીલાં રૂપથી સમગ્ર કાર્યક્રમમાં ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલ સર્જાશે.
- Advertisement -
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના માર્ગદર્શક સમિતિ સભ્યો માવજીભાઈ ડોડિયાં, નરેન્દ્રભાઈ દવે, ભુપતભાઈ ગોવાણી, હસુભાઈ ભગદેવ, હસુભાઈ ચંદારાણા, શાંતુભાઈ રૂપારેલીયા, પ્રતાપભાઈ કોટક, વનરાજભાઈ ગરૈયા,
નીતેશભાઈ કથિરિયા અને અશોકભાઈ મકવાણા ઉપરાંત સમિતિના અધ્યક્ષ રાજાભાઈ (વાવડી), ધર્મયાત્રા અધ્યક્ષ ધર્મેંદ્રસિંહ વાળા, કાર્યકારી અધ્યક્ષ તિર્થરાજસિંહ ગોહિલ તથા સમિતિના ઇનચાર્જ પરેશભાઈ રૂપારેલીયાની
સર્વાનુમતે પૂર્વ મેયર નયનાબેન પેઢડીયાની ગોપીકિશન સ્પર્ધાના કન્વીનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. કાર્યક્રમના ઇન્ચાર્જ તરીકે મિલનભાઈ કોઠારી તથા સહકન્વીનર તરીકે વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા ઉપાધ્યક્ષ
રમાબેન હેરભા, જયભાઈ બોરીચા, કેતનભાઈ સંઘવી, હર્ષદભાઈ રૂપારેલીયા, જલ્પાબેન પતિરા અને જીતાબેન દતાણીની જવાબદારી નક્કી કરવામાં આવી છે. જ્યારે કમિટી મેમ્બર તરીકે કાજલબેન દેસાઈની નિમણૂક કરવામાં
આવી છે.
સ્પર્ધાના કન્વીનર નયનાબેને જણાવ્યું હતું કે, આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં સનાતન સંસ્કૃતિ અને ભગવાન શ્રીકૃષ્ણના જીવનમૂલ્યો પ્રત્યેનો પ્રેમ તથા સંસ્કાર વધુ મજબૂત કરવાનો છે. બાળકો નાની ઉંમરથી જ આપણી
પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડાય તે દિશામાં આ પ્રકારના કાર્યક્રમો મહત્વપૂર્ણ સાબિત થાય છે. સ્પર્ધાના ઇન્ચાર્જ મિલનભાઈ કોઠારીએ જણાવ્યું હતું કે, બાળકોને પોતાની કલા, સર્જનાત્મકતા અને પ્રતિભા રજૂ કરવા માટે એક
સુંદર મંચ મળી રહે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જ્યારે સહકન્વીનર રમાબેન હેરબાએ જણાવ્યું હતું કે, સ્પર્ધામાં વધુને વધુ બાળકો જોડાય તે માટે રાજકોટ શહેરની વિવિધ શાળાઓનો સંપર્ક કરવામાં આવશે તેમજ
વ્યાપક જનસંપર્ક હાથ ધરાશે. સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક બાળકો અને વાલીઓને સમયસર નોંધણી કરાવવા જયભાઈ બોરીચા, કેતનભાઈ સંઘવી અને હર્ષદભાઈ રૂપારેલીયાએ અપીલ કરી છે.
જલ્પાબેન પતિરા, જીતાબેન દતાણી અને કાજલબેન દેસાઈએ જણાવ્યું હતું કે, આ અનોખી સ્પર્ધામાં રાજકોટના નાનકડા કનૈયાઓ અને ગોપીઓ પરંપરાગત વેશભૂષા સાથે રંગીલાં રૂપમાં ઉપસ્થિત રહેશે. બાળકોના આ મનમોહક
સ્વરૂપથી ઉપસ્થિત સૌને બાળ કાનાના સાક્ષાત દર્શનનો લ્હાવો મળશે. જન્માષ્ટમી મહોત્સવ સમિતિએ રાજકોટના તમામ વાલીઓને પોતાના બાળકોને આ સાંસ્કૃતિક અને ધાર્મિક આયોજનમાં સહભાગી બનાવી ભગવાન
શ્રીકૃષ્ણના જન્મોત્સવને ભવ્ય, આનંદમય અને યાદગાર બનાવવા સહયોગ આપવા અનુરોધ કર્યો છે.
સ્પર્ધાના ફોર્મ મેળવવાનું તથા પરત કરવાનું સ્થળ અને સંપર્કો
1. રેટરો ફેમિલી કાફે, કિશન પરા ચોક, VVIP બેગ ની સામે, રાજકોટ. મો. 98242 94531.
2. નયનાબેન વિનોદભાઈ પેઢડીયા, 9, બ્રાહ્મણીયા પરા, ચાણક્ય પુસ્તકાલય, ત્રાસીયા રોડ, પાણીના ઘોડા પાસે, રાજકોટ. મો. 94282 33126.
3. મિલનભાઈ કોઠારી, કાર્યક્રમ ઇન્ચાર્જ તથા પૂર્વ કન્વીનર. મો. 98242 94531.
4. રમાબેન હેરભા, સેન્ટ ગાર્ગી સ્કૂલ, સુભાષ નગર – 2, આમ્રપાલી ફાટક પાસે, રૈયા રોડ, રાજકોટ. મો. 98255 90213.
5. જન્માષ્ટમી મહોત્સવ કાર્યાલય, વિરાણી સ્કૂલના ગેટ સામે, ટાગોર મેઇન રોડ, રાજકોટ. મો. 94290 18609.
6. નોબલ સ્કૂલ, આર્ય નગર વાડી પાસે, પેડક રોડ, રાજકોટ.
સ્પર્ધાના નિયમો
1. બાળકે જાતે સ્ટેજ પર જઈને એક વાક્યમાં પર્ફોર્મન્સ આપવાનું રહેશે.
2. બાળકની વય મર્યાદા 12 વર્ષની છે.
3. બાળકે કાન અથવા ગોપીના પાત્રની સંપૂર્ણ તૈયારી ઘરેથી કરીને આવવાનું રહેશે.
4. નિર્ણાયક સમિતિનો નિર્ણય જ માન્ય રાખવામાં આવશે તેમાં કોઈપણ પ્રકારનો વિવાદ સ્વીકાર્ય નથી.




